Monday, February 2, 2009

My Post at "Gujarati - હાસ્ય લેખન " Topic "મહાત્મા ગાંધી : મારી નજરે "


૧૮૦ પોસ્ટ વાંચવી શક્ય ન હતી તેમ છતા જે ચર્ચા ચર્ચાય ગઇ તેની પર નજર ફેરવતા એવું લાગ્યુ કે ભારતીય ઇતિહાસના બે ધૃવોનો સંગમ અહી થયો હોય. ગાંધીજીની મહત્તા અને મર્યાદાવિષેનું સંપુર્ણ સાહિત્ય અહી આવી ગયું લાગ્યું. એક-એક પોસ્ટમાં જે રિતે હોમવર્ક કરી ને લખવામાં આવ્યું છે તે કોમ્યું. મેમ્બરની વાંચનની ગહનતા બતાવે છે અને અપવાદ સિવાય જે મર્યાદાનું સ્તર જળવાયું છે તે પણ દાદ માગી લે તેવું છે. બાકી આવા સેન્શેટીવ ટોપીકમાં આટલે હદે મર્યાદા જાળવવી મુશ્કેલ છે. આપ સૌ ને અભિનંદન.


મને ગાંધીજી પ્રત્યે કોઈ અણગમો કે ગમો નથી. હું બહુ પ્રેક્ટિકલ માણસ છુ અને સાથે થોડો સેલ્ફિસ પણ ખરો. કોઇ પણ સાહિત્ય માંથી મારા કામની વસ્તું મળે તે મેળવીને આગળ જતું રહેવાનું તેનું પિસ્ટપીંજણ કરવાનું નહી. હા થોડો ખેલદિલ પણ ખરો, કોઇ પણ વ્યક્તિને તેની મર્યાદા સાથે તેની મહત્તા સ્વિકારી લવ. તે કોણ છે અને શું કામ આવો છે તેની પીંજણમાં હું બહુ પડુ નહી. તે પછી ગાંધીજી હોય કે પંડીત નહેરુ, સરદાર હોય કે ઝીણા, હીટલર હોય કે ચર્ચીલ, બુસ હોય કે સદ્દામ કે લાદેન વડાપ્રધાન હોય કે મારી સોસાયટીનો સ્વિપર મને કોઇ ફરક નથી પડતો. રહી વાત ગાંધીજી પાસેથી શું મેળવ્યું, હું નાનો હતો ત્યારે બહું ખોટું બોલતો પણ મે સત્યના પ્રયોગો વાંચી પછી મારા જીવનમાં બદલાવ આવ્યો તે મારે સ્વિકારવું પડે. આપણા માંથી ઘણાએ ગાંધીજી પાસેથી વ્યક્તિગત રીતે કાઇક મેળવ્યું હશે.


રહી વાત ચર્ચાના પરિણામની તો, કોઇએ કહ્યું છે ને કે "ઇતિહાસ માંથી સમાજ એટલું શિખ્યો કે તે ઇતિહાસ માંથી કાઇ શિખ્યો નથી." હું આશા રાખુ કે આ બાબત પર પણ તેવું ના બને. ઘણું ચર્ચાય ગયું છે અને ઘણું ચર્ચવાનું બાકી છે પણ જ્યાં સુધી તેનાથી વર્તમાનમાં કાઇ બદલાવ ના આવે ત્યાં સુધી તે માત્ર ચર્ચા જ છે ક્રાન્તિ નથી.(નોંધ- ઉપરોક્ત વિચાર ફક્ત મારા જ છે અને મારા માટે જ છે. કોઇએ તે પરથી અનુમાન લગાવવું નહી કે હું ગાંધીજીના પક્ષમાં છુ કે વિરોધમાં, હું ફક્ત મારા જ પક્ષમાં છું[;)].કદાચ મારી પોસ્ટ ઓફ ધ ટોપિક લાગે તો સંચાલક ગણે નાશ કરતા પહેલા મને પુછવું પણ નહિ[:)].)


આભાર.

No comments:

Post a Comment