Thursday, August 25, 2011

સુબહ હોને કો હૈ...


માણસ એક એવું પ્રાણી છે જેણે સૃષ્ટીના બધા જ પ્રાણીઓ પાસે તેમની કોઈ ને કોઈ વિશિષ્ટતા મેળવી પોતાને બહેતર વધુ બહેતર બનાવતો આવ્યો છે અને આ રીતે તેણે પોતાનું વર્ચસ્વ જમીન-પાણી-આકાશ અને છેવટે અંતરીક્ષમાં પણ સ્થાપ્યું છે. પક્ષીઓ ની ઉડવાની કલા માથી તેણે પ્લેન બનાવ્યુ તો માછલીઓની તરવાની કળા માથી સબમરીન બનાવી. મધપુડા માથી પ્રરણા લઈ ઓછા ખર્ચમાં બહોળા બાંધકા આદર્યા તો ઉધઈ પાસે થી હાઇ-રાઇઝ મકાનો મેળવ્યા. પોલર બિઅર પાસેથી(તેના જ ભોગે) ઠંડીમા રહેવાની કળા શિખી તો ઊંટ પાસે થી ગરમીમાં રહેવાની. ટુંકમાં આપણે આજે જે સ્થિતીમાં છિએ તેમાં કોઈક ના કોઈક પગલે કોઈ ને કોઈ પ્રાણીની પ્રરણા જરૂર રહી છે.

હવે અહી સુધી બરોબર હતુ પણ જેમ દીવાળી-નવરાત્રી-ચોમાસુ સેલમાં અમુક જોયતી વસ્તુ સાથે અમુક ના જોયતી વસ્તુ ફ્રી આવે છે તેમ (હમણા હમણા વઘબકરી ચા વાળા ૧ કી. ચા સાથે લંચબોક્સ ફ્રી આપે છે ઘરમાં લંચબોક્સ રાખવાની જગ્યા નથી બચી.) સારી વાતો ભેગી નબળી ટેવો પણ સાથે જ આવી . લુચ્ચાઈ, ચાપલુસી, દગો, લાગ જોય વાર કરવો, રંગ બદલવો વગેરે . આ બધી ટેવો આંનુવંશીક રીતે બેવડાતી ગઈ એટલે જ સમાજએ સંમૃદ્ધી ની સાથે સાથે ક્યારેય ના જોયા હોય તેવા યુદ્ધો જોયા. અમુક લોકોમાં સારા લક્ષણો ભરેલા હોય તો તે સમાજ ઉપયોગી કામો કરે જ્યારે અમુકમાં નબળા લક્ષણો હાવી હોય તે આજના જેવા લુચ્ચા રાજકારણીઓ બની જાય છે.

અહીં સુધી તો બધાને ખબર હતી પણ, મારે ત્યાં જે કુતરો છે તે જર્મન સેફર્ડ અને પામેરીયનનું ક્રોસ બ્રીડ છે. કદ કાઠી તેની જર્મન સેફર્ડ જેવી, દેખાવ અને સ્વભાવ પામેરીયન જેવો છે. આ તો નશીબ સારુ બાકી જો પામેરીયની ચપળતા-ચંચળતા અને જર્મન સેફર્ડની આક્રમકતા-શરીર મળ્યુ હોત તો ? બસ આવું જ કાઇક લુચ્ચા અને દંભીની પ્રજાતીનું ક્રોસ બીડ થાય અને જે વર્ણસંકર પ્રજા પેદા તેના માટે કહી શકાય. આ વર્ણ-સંકર પેદાશ આજકાલ બહુ સક્રિય છે અને જેને આપણે બૌદ્ધીકોના નામે ઓળખીયે છીએ.

કોઈ પણ પ્રશ્ન આવે તો કા તમારો જવાબ પક્ષમા હોય કા તમારો જવાબ વિપક્ષમા હોય બહુ બહુ તો ખબર નથી એવો પણ હોય શકે, પણ આ કહેવાતા બૌદ્ધીકો પક્ષ-વિપક્ષની વચ્ચેની વંડી પર બેસી “આ પણ ખરાબ છે અને પેલુ પણ ખોટુ છે” તેવો ડિપ્લોમેટીક જવાબ આપતા ફરતા હોય છે. શરૂવાતમાં તો આપણને તેમના જ્ઞાન વિષે અહોભાવ થઈ પડે પણ જ્યારે બારીકાય થી તપાસીયે ત્યારે ખબર પડે કે આ તો “ગોલ-ગોલ માહે પોલ મ પોલ” જેવું છે. પેલી વંડી પર બેસી આ લોકો રાહ જોતા હોય છે કે ક્યારે પરિણામ નજીક આવે અને ખબર પડે કે ક્યો પક્ષ જીતમાં છે એટલે તરત તેનો વંડી ઠેકી તેનો ઝંડો પકડી લવ.

અમુક બૌદ્ધીકો પાછા દરેક વાત ને વાયા એક જ રસ્તે લઈ જવા નો હઠાગ્રહ રાખતા હોય છે. તેમની ગાડીનો કોલકત્તા-દિલ્હીનો રસ્તો પણ વાયા ગાંધીનગર થઈ જતો હોય છે અને દિલ્હી થી જમ્મુ જવું હોય તો પણ તે આપણને ગાંધીનગર તો ઢસડી જ લાવે છે. જ્યારે અમુક દરેક પ્રશ્ન માટે “અત્યાર સુધી આમ ચાલતુ આવ્યું છે હવે બદલી ને શું ફાયદો” તેમ એક જ જવાબ ગોખેલો હોય છે ત્યારે કહેવાનું મન થાય છે કે, સાહેબ-મેડમ આપનો વંશ વારસો ના હોય તો અમને કોઈ વાંધો નથી અમારે તો છે અને બીજુ તમે એમ માનતા હો કે તમે જીવી લીધુ છે તો ભાઇ-બેન સાહેબ અમને તો જીવવા દો . રાજકારણીઓ ને બધા ઓળખી ગયા છે હવે સમય આવ્યો છે આ કહેવાતા બૌદ્ધીકોને ઓળખવાનો . આ એવી પ્રજાતી છે જે, “નિર્વિર્ય હોય તો લઘુશંકા કરી તેને વિર્યમાં ખપાવાનો પ્રયાસ કરશે.” (સોરી પણ આનાથી ઓછી ખરાબ કોઈ વ્યાખ્યા સુજતી નથી.) અને તેનાથી વિશેષ કાઇ કરી શકે તેમ પણ ક્યાં હોય છે ?

લોકપાલ-જોકપાલ કે પછી જન લોકપાલ વિષે મારે કાઇ જ લખવું નથી અને વાસ્તવિક રીતે હું તે વિષે લખી શકુ તેટલો મારી જાત ને સક્ષમ માનતો પણ નથી . મુદ્દો છે લોક શક્તિનો ભલુ થજો ગાંધીબાપુનું કે તેના રસ્તે ચાલી આપણને આઝાદી મળી (મારો આશય બીજા ક્રાન્તિવિરોને ઓછા આંકવાનો જરા પણ નથી.) ઇતિહાસમા જે સમયે જે શ્રેષ્ઠ હતુ તે થયુ અત્યારે તેને બદલી ના શકાય પણ આવનાર ભવિષ્ય માટે તેનો આધાર લઈ વર્તમાનમાં થોડા ફેરફારો ફાઇન-ટ્યુન તો કરી શકીયે કે નહી ? વિચારો તો ખરા જો નેતાજીની આઝાદ હિન્દ ફૌજ જીતી ગઈ હોત તો ? પાછળ થી જે લોકતંત્ર આવ્યુ તે બધુ જ બેઠ્ઠે બેઠુ થયુ હોત પણ વિરોદ્ધ સશસ્ત્ર જ થાય તેવી માનશીકતા આપણા બધ્ધામાં દ્રઢ થઈ ગઈ હોત કે નહી ? અને અત્યારે જે રામલીલા મેદાનમાં થાય છે તેની જગ્યાએ લીબીયાવાળી થતી હોત કે નહી ? વૈશ્વિક સ્તરે સમાજમાં આમુલ પરિવર્તન આવી રહ્યા હોય ત્યારે તેને આંખ મીંચીને નજર અંદાજ કરવાની ભુલ ના કરાય . પણ ભારતના રાજકર્તાઓમાં આટલી બુદ્ધી હોત તો તો શું જોયતું તું.

તે લોકો જે સંસદીય લોકતંત્રની દુહાઇ આપે છે અને તેની જ આડમાં પોતાની મનમાની કરે છે તે ભુલી રહ્યા છે કે આ એજ પ્રજા છે જેણે ૬૪ વર્ષ પહેલા નિત્યસુર્ય એવી બ્રિટીશ મહાસત્તાને હલબલાવી નાખી હતી. હવે અહી પાછા બૌદ્ધીકો એવો તર્ક આપશે કે તે તો વિશ્વયુદ્ધ માં પાયમાલ થયા એટલે ભારતને મુક્ત કર્યું . સાહેબ માગ્યા વગર માં પણ ના આપે અને આ તો ગોરાઓ હતા શું એમ નેમ સામે ચાલી ને સોનાની ખાણ આપણને સોપી દે ? પ્રજાશક્તિનો પરચો આજે આખ્ખુ વિશ્વ જોય રહ્યુ છે તેમાં ભારતનો દાખલો યુનિક છે . લાખો લોકો પોતાનો આક્રોશ શાંતિ પુર્ણ રીતે વ્યક્ત કરતા હોય તે જ યુનિક નથી તો બીજુ શું છે ?

છેલ્લે કોણ સાચુ છે કોણ ખોટુ છે કોને ક્યો સ્વાર્થ છે ક્યું લોકપાલ સાચુ છે સારુ છે તે બધ્ધી જ ચર્ચા પોત પોતાને સ્થાને છે પણ આજે સમગ્ર દેશની પ્રજામાં ઉંડે ઉંડે સવારની આશા જન્મી છે. કેટલાય સમયથી સહન કરતી આવતી પ્રજા કોઈ દુ:સ્વપ્ન માથી સફાળી જાગી ગઈ હોય તેવો માહોલ છે . જો સવાર હજી ના થઈ હોય તો એટલી પણ વાર નથી કે પાછા ઉંઘી જાયે . અત્યારે પાછા ઉંઘી જાશુ તો શક્ય છે કે પાછા સમયસય ઉઠી ના પણ શક્યે . બસ એક જ વાત….. “હારે ગા તુ હર બાઝી જબ ખેલે હમ જી જાનશે “ .

-: સિલી પોઇન્ટ :-

કહેવાતા અમુક બૌદ્ધીકોની વાતો “નિર્વિર્ય વ્યક્તિના મુત્ર વિસર્જન બરોબર હોય છે ફળશ્રુતિ કાઇ ના હોય છતા જે તે વ્યક્તિને વિસર્જનનો આનંદ પણ મળી રહે “ ઉદા. પ.પુ.ધ.ધુ ૪૨૦-૮૪૦ ડોગી મહારાજ .

બીજુ, વધુ પડતા આવેગને લીધે મન વિચલીત થવું સામાન્ય છે અને જ્યારે મન વિચલીત હોય ત્યારે વિષયની સિમારેખામાં રહેવું મુશ્કેલ છે એટલે ઉપરોક્ત પોસ્ટમાં વારે વારે વિષયાંતર થયેલુ છે . આશા રાખુ છુ મારા કહેવાનો ભાવાર્થ સમજી ગયા હશો.

Thursday, August 18, 2011

અર્થકારણ

ધો.૧૨ માં આવ્યો ત્યારે પહેલો નિર્ણય ઇકોનોમીક્સ (અર્થશાસ્ત્ર)ની જગ્યાએ આંકડાશાસ્ત્ર ઓપ્સનલ વિષય તરીકે પસંદ કરવાનો લીધો. કારણ ના મુળની વાત કરૂ તો ધો.૯ થી જ્યારથી અર્થશાસ્ત્ર ભણવામાં આવ્યું ત્યારે તેના વિષય શિક્ષક ડઢાણીયા સર હતા અને તેની શૈલી સાથે હું ક્યારેય ગેર મેળવી શક્યો ના હતો. હું સંશોધનમાં માનનારો જીવ “આ આમ કેમ છે અને ક્યા કારણો થી છે “ તે જાણ્યા વગર કાઇ પણ સ્વિકારૂ નહી . ત્યારે બધા કહેતા કે “બોર્ડવાળા ને કહી આ શાહ માટે નવો જ અભ્યાસક્રમ બનાવડાવ્યે.” પણ જે વાત મને ગળે ના ઉતરે તેનો અસ્વિકાર કરવાનો મને પુરતો હક હોવો જોઇએ તેવું હું ત્યારે માનતો અને આજે પણ માનુ છું. અને એટલે જ તેઓ શ્રી જે મેથડ થી ભણાવતા તે મને સ્વિકાર્ય ના હતી અને છેવટે ભોગ લેવાતો અર્થશાસ્ત્રના માર્કનો. લગભગ દરેક પરિક્ષામાં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર ના પ્રશ્નો તરફ હું નજર પણ ના નાખતો. પરિસ્થિતી એવી ઉભી થાતી કે મારે સમાજશાસ્ત્રમાં હંમેશા ૫૦ માથી જ ૩૫ લાવવાના રહેતા. ધો.૧૦ માં પણ એવું જ થયેલુ અને ૫૦ માથી જ ૩૭ માર્ક આવેલા.

ધો.૧૧ માં જ્યારે ધરાર કોમર્સ લેવાનો વખત આવ્યો ત્યારે સૌથી મોટી ઉપાધી અર્થશાસ્ત્રની થઈ અત્યાર સુધી તો નાગરીક-ભુગોળના પિઠબળ થી સમાજશાસ્ત્રમાં નિકળી જતો અહી તો પુરા ૩૫ કોઈ પણ જાતના પિઠબળ વગર લાવવાના થયા. બીજુ આ વિષય મારા એકદમ નજીકના સ્વ.કાકા લેતા એટલે બે વર્ષની સખ્ત કેદની સજા પડી હોય તેટલો ત્રાસ થતો. બીજા કોઈ નો પિરિયડ હોત તો તો ક્યારનો બંક મારી દીધો હોત પણ આ ના ભરૂ તો હું ઘરે ના પહોચું તે પહેલા મારી ફરીયાદ ઘરે પહોચી ગઈ હોય . મને જેટલો ભણવાનો ત્રાસ થતો એટલો જ સ્વ.કાકાને ભણાવવાનો ઉત્સાહ. ક્યારેક કોઈ કારણ સર હું સ્કુલે ના ગયો હોય (મોટાભાગે આ કારણમાં રાતના ઉજાગરાને લીધે સવારે ઉઠાણૂ ના હોય તે જ હોય) તો તેઓ શ્રી રિસેશ મા ઘરે આવી બોલાવી જતા. તેમના આ નિશ્વાર્થ પ્રયાસો મને પડ્યા ઉપર પાટુ જેવા લાગતા અને આ જ કારણે મે ધો.૧૨ માં આવતાની સાથે જ પહેલો પ્રયત્ન અર્થશાસ્ત્રથી છુટવાનો કર્યો.

પણ વિધીને કાઇક બીજુ જ મંજુર હતું સ્વ.કાકા ને પોતાનો ચિ.ભત્રીજો અર્થશાસ્ત્રથી આમ ભાગે તે કોઈ હિસાબે મંજુર ના હતું અને એટલે જ તેમણે પપ્પાને કહી અર્થશાસ્ત્ર જ રખાવા દબાણ કરાવ્યું. આ દબાણ જ્યારે ચરમસિમાએ પહોચ્યું ત્યારે મે પપ્પાને કહ્યુ કે હું અર્થશાસ્ત્રમાં પાસ નહી થઈ શકુ ત્યારે તેમણે સમજાવ્યો, “કોઈ વિષયનો અભ્યાસ કર્યા પહેલા જ તું આમ કેમ નક્કિ કરી શક. ક્યારેક પરિસ્થિતીઓ આપણે ધાર્યે તેટલી મુશ્કેલ પણ નથી હોતી એટલે થોડાક સમય જો ના ફાવે તો પાછળ થી કાઇક કરીશું.
પછી.. પછી શું ધો.૧૨ માં સૌથી વધુ આત્મવિશ્વાષ થી મે અર્થશાસ્ત્રનું પેપર ભર્યુ હા નામા કરતા પણ મને અર્થશાસ્ત્રના પેપરમા વધુ માર્ક આવવાની આશા હતી.

આ બધુ આજે વાગોળવાની જરૂર એટલે પડી કે કાલે રાત્રે અકસ્માતે મારી મુલાકાત શ્રી સુકુમાર ત્રીવેદી સાથે થઈ ગઈ . વાદ-વિવાદનું પરિણામ અંતે હુંફાળા સંવાદમા પરિણામ્યુ અને મારા ગમતા વિષય અર્થશાસ્ત્ર પર રાત્રે ૧૨ વાગ્યે તેઓ શ્રી એ ચર્ચા કરી અને પોતાના બ્લોગની લીંક પણ આપી. http://sukumarmtrivedi.com/?p=40 (પહેલો ભાગ લેખનો) http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=318877 (બીજો ભાગ લેખનો) . આ વિષય પર હું તેઓશ્રી જેટલુ ઉંડણ પુર્વક તો લખી નથી શક્તો પણ હું જેટલુ સમજુ છુ અને જાણૂ છુ તેટલો લખવાનો પ્રયાસ કરીશ.

પોસ્ટની શરૂવાતમાં જ મે જે શબ્દ લખ્યો “અર્થકારણ” તે અર્થશાસ્ત્ર અને રાજકારણ ને જોડીને બનાવેલ છે. આજે મોટાભાગના દેશો પોતાની આર્થીક નિતી આ શબ્દને ધ્યાનમાં રાખી નક્કી કરે છે. દર ૪-૫ વર્ષે આવતી ચુટણી નિતિવિષયક નિર્ણયો પર હાવી થતી જોવા મળે છે. તેનું પરિણામ દેશની લાંબાગાળાની આર્થીક પરિસ્થિતી પર પડે છે . અમેરિકા-યુરોપમાં શું થયુ તે તેઓશ્રી એ ઉપરોક્ત બન્ને લેખમાં કહી ચુક્યા છે ભારતના સંદર્ભમા અહી લખવાનો પ્રયાસ કરીશ. ૧૯૪૭ માં આઝાદી મળી ત્યારથી લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી કોઈ નક્કર દીશા જ નક્કી થયેલી ના હતી . ભાગલાની કળ હજી વળી ના હતી અને નેહરૂ કબુતરો ઉડાડવા માંથી ઉચા આવતા ના હતા તેમા ચીન સાથે નું યુદ્ધ. પહેલો નિતિ નિર્ધારણ કરતો નિર્ણય શાસ્ત્રીજી એ “જય જવાન જય કિશાન” નો નારો આપી કર્યો. દેશની મોટાભાગની અર્થ વ્યવસ્થા જેના ઉપર આધાર રાખે છે તે કૃષીના વિકાસ માટે નક્કર પગલા લેવાની જરૂરિયાત છે તેવું જણાયું પણ અફસોસ કે રાજ્યોના પોતાના (જુદા થવાના) રાજકારણમાં આ બધુ ફસાયને રહ્યુ અને ગ્રાસરૂટ લેવલ સુધી પહોચી ના શક્યું . તેના પછી આવનાર ઇન્દીરાજી એ જે ઓદ્યોગીક દીશા નિર્દારણ કરી તે આવી હતી “તમે દેશમાં ગરીબી ના હટાવી શકો તો કાઇ નહી અમીરોની સંખ્યા ઘટાડી દો એટલે સમતા આવી જાશે.” મોરારજી સરકાર તરફથી થોડો આશાવાદ હતો પણ તેઓ દેશની ચિંતા કરતા સરકાર બચાવવાની ચિંતામાં વધુ વ્યસ્થ રહ્યા . રાજીવ સરકારે થોડા પાયાના કામો કર્યા પણ લોકો સાચા સપના નરસિહા રાવ સરકારથી જોતા થયા. અને પછી ની બદ્ધી જ સરકારે તે નિતી આગળ વધાર્યે જ છુટકો હતો.

આ તો થઈ ભુતકાળની વાત હવે વર્તમાન પર આવ્યે. આ બધી જ નિતીઓ જે તે સમયે લેવાઈ તો છે આર્થીક સમસ્યાઓ માટે પણ તેની પાછળની રાજકીય મનશા ને લીધે ધાર્યુ પરિણામ આપી શકી નથી . ૯૦ નાદશકા માં જ્યારે પાઘડીનો વળ છેડે

રાસ્ટ્રીય ગ્રામીણ રોજગારી ધારો જે ને નરેગા કે પછી મનરેગા એવા નામે આપણે જાણીયે છીએ. આ ધારા મુજબ અમુક માપદંડ ના વ્યક્તિઓ ને વર્ષમા અમુક દિવસોની રોજગારી અરે રોજગારી શું મફ્તમા પગાર આપવાની જોગવાય છે. અને જો કામ કરવાનું જ હોય તો મોટે ભાગે બીન-ઉત્પાદકીય કામ જે રાહતકામ વખતે કરવાના હોય તેવા કરવાના હોય છે. હવે મારા એરીયાની જ વાત કરૂ તો માંગરોળ-કેશોદ-વેરાવળ-માળીયા-માધવપુર-પોરબંદર તાલુકાઓ ખેત ઉત્પાદન અને તેને સાથે સંકળાયેલા નાના પ્રોસેસીંગ યુનિટ ઉપર નિર્ભર છે . ખેતિની જમીન એટલા નાના ટુકડામાં વહેચાયેલી છે કે મશીનરી વસાવવી પોસાય નહી અને સામે યુનિટો પણ નાના નાના હોય ઓટોમેશન નો સવાલ જ ઉભો નથી થતો. ૮૦ % કામ મજુરો આધારીત હોય છે . આ નરેગા એ એવું તો બુચ માર્યું છે કે આજ થી ૨-૩ વર્ષ પહેલા જે ખેત મજુર ૩૦ થી ૮૦ રૂપિયા પ્રતિ દીવસ સુધી માં મળતા તે અત્યારે ૨૦૦-૨૫૦ સુધી માં પણ માંડ માંડ મળે છે. તો સામે યુનિટોમાં કામ કરતા વર્કરો ૫૦ થી ૧૨૫ પ્રતિ દિવસ સુધીમાં મળતા તે આજે ૩૦૦-૩૫૦ સુધીમાં માંડ માંડ મળે છે. હવે વિચારો આ બધાની સિદ્ધી જ અસર પ્રોસેસીંગ કોસ્ટ પર પડવાની અને ભાવ-વધારો થવાનો . એક ચુટણી જીતવાના ઇરાદા થી પુર્વગ્રહ યુક્ત લિધેલુ પગલુ કેટલુ મોંઘુ પડે છે અત્યારે ?

પાઘડીનો વળ છેડે આવે તે પહેલા અર્થશાસ્ત્રને રજકારણથી જુદુ પાડવામાં આવે તો સારૂ છે બાકી જેવી પ્રભુ ઇચ્છા.

સિલી પોઇન્ટ:-

મારી જીદ્દ સામે પપ્પા ઝુકી ગયા હોત અને અર્થશાસ્ત્રની જગ્યાએ આંકડાશાસ્ત્ર લેવા દીધુ હોત તો… ? તમે આ પોસ્ટ વાંચવાથી બચી જાત . :D

Friday, August 5, 2011

…ને આંખ ઉઘડી ગઈ – લઘુ કથા

મીત્રો આમ તો વાર્તા ઇ મારી લેન નહી છતા ક્યારેક મીત્રોના આગ્રહ વશ ઘસી કાઢુ છું. લગભગ સાડા ત્રણ-પોણા ચાર વાર્તાઓ લખી છે અને તેમા શરૂની એક ડોઢતો રીતસરની ઘસી જ છે. છતા તે મારૂ સર્જન છે એટલે તેને પણ તમારી સામે રજુ કરીશ જેથી તમને ખબર પડે કે હું કેટલુ ખરાબ લખી શકુ છું.

આજે જે વાર્તા અહી પોસ્ટ કરૂ છુ તે "રજનીભાઈ" ના આગ્રહ ને લીધે લખી છે. એટલે જે કાઈ પણ સજા આપવાની હોય તે તેને આપવી જેની જાહેર નોંધ લેવી.

ને આંખ ઉઘડી ગઈ – લઘુ કથા

ઓફીસનું ત્રાસદાયક કામ માંડ માંડ પુર્ણ કરી અવિનાશ ઘર તરફ જવા જ નિકળતો હતો ત્યાં જ ટેબલ પર પડેલા ફોનની ઘંટડી રણકી ઉઠી. એક સેકન્ડ માટે તો થયુ કે ફોન ઉઠાવવો જ નથી ચુપચાપ નિકળી જાવ પણ પછી બીજી જ સેકન્ડે મગજમાં જબકારો થતા ફોન ઉઠાવી લીધો. સામે થી ચિર-પરિચીત અવાજ આવ્યો, “મી.અવિનાશ કમ ઇન ટુ માય કેબીન”. મેનેજરે પોતાને તેની કેબીનમાં બોલાવ્યો છે એટુલુ સમજતા જ તેને થયુ કે એક વધુ દીવસનો અંત મહાભારતના સાથે થશે.

“મે આઈ કમ ઇન સર ?” મેનેજરની કેબીનનો દરવાજો ખોલતા જ વિનય સાથે અવિનાશ બોલ્યો, વ્યવહારુતા વચ્ચે ’રીસ્પેક્ટ’ ની બાદબાકી તેના અવાજમાં જણાય આવતી હતી. “કમ ઇન મી.અવિનાશ, મે તમને શા માટે બોલાવ્યો છે તેનો અંદાજો તો તમને આવી જ ગયો હશે. શું વિચાર્યું છે તમે ?” ગોળ-ગોળ વાતમાં સમય બગાડ્યા વગર મેનેજરે પોતાની આદત મુજબ સિદ્ધા જ મુદ્દા પર આવી ગયા. “સર ફેમીલી સાથે ચર્ચા ચાલુ જ છે, એક બે દીવસમાં જવાબ આપી દઈશ.” અવિનાશે સંકોચાતા મને જવાબ આપ્યો. “લુક મી.અવિનાશ તમારી પાસે બીજો કોઈ ઓપશન નથી એટલે બનતી ત્વરાએ જવાબ આપી દો તો સારૂ છે કારણ કે તમારા સિવાય પણ ઘણા બધા લોકો લાઈનમાં છે પણ તમે ખુબ સિનિયર છો એટલે પહેલો ચાન્સ તમને મળે છે. તમે તો મારી પરિસ્થીતિ સમજી શકો છો.” મેનેજરે સીધુ અને સટ જણાવી જ દીધુ. “જો તમે કાલ સાંજ સુધીમાં જવાબ નહી આપો તો મારે ના છુટકે મારી રીતે જવાબ ઉપર મોકલી દેવો પડશે, યુ કેન ગો નાવ.” મેનેજરે અવિનાશને આગળ કાઈ બોલવા જ ના દિધો અને પોતાનો નિર્ણય જણાવી દીધો.

ઓફીસથી નિચે ઉતરતા સુધીમાં તો અવિનાશના મગજનો કબજો વિચારોના ગુચવાડાએ લઈ લિધો હતો.૧૫ વર્ષ થી જે કંપનીમાં કામ કરતો હતો તે કંપની એ અચાનક જ પોતાની આ બ્રાન્ચ બંધ કરી દીધી. આમ તો મોટા ભાગના કર્મચારીઓ ના રાજીનામા ગયા ડિસેમ્બરમાં જ લઈ લીધા હતા. તેમાથી ઘણા ને તો રજા પણ આપી દીધી હતી પણ વહીવટી કામ પુર્ણ ના થાય ત્યાં સુધી અમુક લોકોને હજી ચાલુ રાખ્યા હતા તેમા અવિનાશ પણ હતો. ૪૦ વર્ષની ઉમરે બીજુ કામ શોધવા જવાની ચિંતા તેને છેલ્લા છ મહીનાથી સતાવતી હતી તેમાજ કંપની તરફથી ઓફર મળી કે અવિનાશ ઇચ્છે તો તેને દિલ્હિ સ્થિત કંપની ની હેડ-ઓફીસમાં જોબ મળી જશે. અવિનાશ ની ચિંતા પળ ભર માટે તો ઓસરી જ ગઈ પણ બીજી જ પળે નવી મુશ્કેલી સામે આવી ઉભી રહી… “મમ્મી નું શું થાશે ?” પોતે ત્રણેય ભાઈઓ માં નાનો હોવા છતા મમ્મીની જવાબદારી પોતે પોતાને માથે લીધી હતી. ભાઈઓ એ તો કહ્યુ જ હતુ કે ચાર-ચાર મહીના ત્રણેય ભાઈઓ જવાબદારી(?) વહેચી લઈએ ત્યારે અવિનાશે જ કહ્યુ હતું આ જવાબદારી નહી ફરજ છે અને હુ તે ખુશીથી ઉપાડી લઈશ. આ વાત સાથે જોકે ગ્રીષ્મા તેની પત્નિ પણ સહમત હતી પણ જ્યારે જોબમાં અનિશ્ચીતતા આવી ત્યારે એકાએક તેનુ પણ મન ફરી ગયું.

દિલ્હી જેવા કેપિટલ સીટીમાં બે જણાનું તો માંડ-માંડ પુરૂ થાય ત્યારે આ બાજુ તો બબ્બે છોકરાઓ ને ભણવવાના પણ હતા. ઉપરાંત ૭૦-૭૫ વર્ષના મમ્મી પણ સાથે. ગ્રીષ્માએ ઘણી વખત અવિનાશને કહ્યુ કે તમે આટલા વર્ષ મમ્મીને સાચવ્યા તો હવે બીજા ભાઈઓને કહો કે થોડીક જવાબદારી(?) ઉપાડે ત્યારે અવિનાશ એટલુ જ કહેતો કે આ જવાબદારી નથી ફરજ છે અને તે મે મારી જાતે જ ઉપાડી છે એટલે હવે હું તેમને કાઈ પણ કહી ના શકું. આ જ બાબતે વખતો વખત તણખા જરી જતા. મમ્મી જ્યારે આ સાંભળતા ત્યારે એટલું જ કહેતા કે, “બેટા તમે સુખેથી જાવ અને તમારૂ જીવન જીવો મારે હવે કેટલા વર્ષ જીવવાનું, બાકી ના વર્ષ હું કોઈ પણ વુદ્ધાશ્રમમાં કાઢી નાખીશ.” આટલુ બોલતા જ તેની આંખો ભરાય આવતી.

વિચારો માં વિચારોમાં પોતે ક્યારે સોસાયટી ના નાકે પહોચી ગયો તેની તેને ખબર પણ ના પડી. ડોરબેલ વગાડી તો અંદર થી અવાજ આવ્યો, “આવું છુ” થોડી જ વારમાં દરવાજો ખુલતાની સાથે પ્રશ્નનો મારો થયો, “આજે પાછુ મોડુ થયું ? એટલુ તે શું કામ હોય છે ? શું કહ્યુ દીલ્હી જવા માટે ? ક્યારે જવાનું છે ?”. “મને અંદર આવવા દઈશ કે બધુ અહી જ પુછી લેવું છે ?” ગુસ્સામાં અવિનાશથી ઉચા અવાજે બોલાય ગયું. “હવે બીજાનો ગુસ્સો મારા પર ના કાઢો, મને પણ ખબર છે કે ઘરમા જ્યા સુધી આ પનોતી બેઠી છે ત્યાં સુધી કાઈ થવાનું નથી.” “ગ્રીષ્મા, તને ખબર છે તું કોના વિષે શું બોલે છે ? તે મારા મમ્મી છે અને તારા સાસું ખબરદાર હવે તેના વિષે કાઈ પણ એલફેલ બોલી છે તો.”ગુસ્સામાં અવિનાશનો અવાજ વધુ ઉંચો થઈ ગયો. “હા-હા ખબર છે તમારી મા છે, પણ તમે જ કહો કોઈ મા પોતાના દીકરાની ઉન્નતીની વચ્ચે આવે ?” ગ્રીષ્માનો વેધક પ્રશ્ન અવિનાશને ચુપ કરાવા માટે બસ હતો. અવિનાશ ચુપ-ચાપ બેડરૂમમાં જતો રહ્યો. હજી તો તે માંડ ફ્રેસ થયો હશે ત્યાં તો બેડરૂમના દરવાજે ટકોરા પડ્યા, “બેટા હું અંદર આવું ?”, “ઓહ મમ્મી આવને અંદર” આટલુ જ બોલતા અવિનાશે મમ્મીનો હાથ પકડી તેને અંદર લઈ આવ્યો. “જો બેટા ઘણી વાર કહી ગઈ છુ અને આજે ફરી વખત કહું છુ મને કોઈક આશ્રમમાં મુકી તમે બદા ખુશીથી દિલ્હી જાવ. તું મારા માટે તારુ અને તારા પરિવારનું ભવિષ્ય શા માટે બગાડે છે. અને જો ત્યાં બધુ સેટ થઈ જાય તો પાછળથી એક-બે વર્ષે હું ક્યાં નથી આવી શકતી.” “ના મમ્મી એવું નથી બધુ જ સમુસુતરૂ થઈ જાશે તું ચિંતા ના કર”.

બધુ સમુસુતરૂ થઈ જાશે આટલું અવિનાશે બોલતા તો બોલી નાખ્યુ પણ તેને પણ ખબર હતી કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ જ ક્યાં હતો. એક તો મંદીનો સમય અને તેમા હરીફાઇ પોતે ચાલીસીમા પહોચેલ, પોતાને નવી જોબ પણ કોણ આપે ? પોતાની જ સાથે કામ કરતા કેટલાય લોકોને ભુખે મરવાના દીવસો આવ્યા છે જે તે પોતાની સગી આંખે જુવે છે. જો પોતે કંપનીની ઓફર ફગાવી દેશે તો કદાચ પોતાના પણ આવા જ દીવસો નક્કિ જ હતા. તો સામે પક્ષે મમ્મીને પણ કેમ એકલી મુકવી. પોતાના ભાઈઓ તો પહેલાથી જ આ “જવાબદારી” માથી છુટવા માગતા હતા. “હવે અહી જ બેસી રહેવું છે કે જમવા આવવું છે” ગ્રીષ્માના અવાજમાં કટુતા રતિભાર પણ ઓછી થઈ ના હતી. “આવું છુ” કહી અવિનાશ લાંબી ચર્ચા ટાળવા બહાર નિકળી ગયો.

જમ્યા પછી પથારીમાં પડ્યા પડ્યા ક્યારે ઉંઘ આવી ગઈ તે ખબર ના પડી, ઉંઘ મા જ કાઈ ખખડાટ થયો હોય તેવું લાગ્યું. જીણવટથી સાંભળ્યુ તો તે ખખડાટ નહી પણ પોતાનો અને ગ્રીષ્માનો કકળાટ હતો. ગ્રીષ્મા જોર જોર થી મમ્મીને જેમ ફાવે તેમ કહેતી હતી. મમ્મી ચુપચાપ બધુ સાંભળતી હતી. બીજુ કાઈ કરી પણ શું શકે ? અચાનક મમ્મી જમીન પર ફસડાઈ પડી, તરત જ મમ્મીનું માથુ પોતાના ખોળામાં લઈ અવિનાશે ગ્રીષ્માને એબ્યુલન્સ બોલાવા માટે બુમ પાડી. મમ્મીએ કણસતા અવાજે કહ્યું “બેટા તેની જરૂર નથી, કોઈ મા પોતના સંતાન માટે કોઈ દીવસ પનોતી હોય ના શકે. તારી મુંજવણ દુર કરવા જ મે ઝેર લઈ લીધુ છે મારા મર્યા પછી તમે સુખેથી દિલ્હી જજો, મારા આશીર્વાદ તમારી સાથે જ છે.” આટલા શબ્દો સંભળાતા જ અવિનાશ પથારી માથી સફાળો જાગી ગયો. પરસેવે રેબ-જેબ દોડતો દોડતો પોતાના રૂમ માથી બહાર નિકળી સિધો જ મમ્મીના રૂમમાં ગયો. મમ્મીને સમી-સાજી જોય પહેલા તો હાશકારો થયો અને બીજી જ પળે મનોમન નિર્ણલ લઈ લીધો.

“કેમ જાગી ગયા ?” ગ્રિષ્માએ અવિનાશને જાગેલો જોય પ્રશ્ન કર્યો. “જાગ્યો નથી મારી આંખ ઉઘડી ગઈ”. આવિનાશ આટલુ બોલી બાથરૂમ તરફ જતો રહ્યો.

બીજા દીવસે ઓફીસે જતાની સાથે જ તેણે મેનેજરને પોતાનો નિર્ણય જણાવી દીધો. “સોરી સર હું દિલ્હી નહી જઈ શકું. મને એક દીકરા તરીકેની ફરજ દીલ્હી જતા રોકે છે તમે મારી જગ્યાએ બીજા કોઇને પણ મોકલી શકો છો.” અવિનાશના શબ્દોમાં આજે એક અનેરી ખુમારી હતી અને મેનેજરના ચહેરા પર અવિનાશ તરફનું માન બમણૂ છલકાતુ હતું.

સમાપ્ત

-: સીલી પોઇન્ટ :-

મે વાર્તા લખી એનાથી વિસેષ શું સીલી પોઇન્ટ હોય. :D