Wednesday, December 31, 2008

નવુ વર્ષ-જુનુ વર્ષ.

નવુ વર્ષ-જુનુ વર્ષ.
અસંખ્ય સારી-નરસી બાબતો સાથે આજે જ્યારે આ વર્ષ વિદાય લઈ રહ્યુ છે અને અપેક્ષાઓના ભાર સાથે મુંજવણ ભર્યા પગલે નવું વર્ષ આવી રહ્ય્ં છે ત્યારે આપણે એક અંજપા ભરી સ્થિતીમા ઉભા છીએ. જે રિતે "નામા"માં ચાલુ વર્ષની બાકી આગળ લઈ જવાય છે એમ ચાલુ વર્ષના જખમોની "બાકી" આવતા વર્ષ સુધી ખેચીયે છીએ ત્યારે એક પ્રશ્ન થાય કે એવું તો શુ કર્યુ કે વર્ષાંતે આ સ્થિતી આવીને ઉભી રહી.
વર્ષ ૨૦૦૮ની શરુવાત જ ખરાબ થઈ હતી, ૨૦૦૭ની અતિઅપેક્ષાના ભારણ સાથેના શેર બજાર ધબાય નમઃ થયું. પાવરે કાઈકના ફ્યુઝ ઉડાડી નાખ્યા અને પછીતો આ આખલા ઉપર રિંછ એવુતો ભારે પડ્યું કે જે ગતી એ માર્કેટ ઉપર ગયું હતુ તેની બમણી ગતી એ ભોય ભેગું થઈ ગયું. આપણા પુર્વજો કહેતા કે ચાદર કરતા પગ લાંબા કરવા નહીં પણ અહી તો પાસે રૂમાલ પણ ના હોય અને મખમલની રજાય ઓઢીને સુવાના સપના લોકો જોતા હતા. ચા ની કીટલી વાળા થી લઈ ને મોટા બીઝનેશમેન, પાનના ગલ્લા વાળાથી લઈને કોલેજના પ્રોફેસર સુધી બધા રાતો રાત કરોડપતી થવાના સપના જોવા મંડ્યાતા. બધાની સામુહિક અપેક્ષાના બોજ તળે શેરબજાર દબાય ગયું અને તેની સાથે શહીદ થયા કેટકેટલાના સપના. ૧ વર્ષ પહેલા શેરબજારનું નામ પડેતો કેટલાય તમારી પાસે આવી ને કોઈ જાણકારની જેમ ટીપ આપવા દોડી આવતું, અત્યારે એ જાણકારને શેરબજારના નામથી તાવ આવી જાય છે. ટુંકમાં કેટલા બધા પરીબળો ને લિધે બજાર તુટ્યું સાથે સાથે વર્ષની શરુવાત થઈ.
આ તો જાણે પનોતીની શરૂવાત હતી, એક પછી એક મુશ્કેલીઓ હજી બાકી હતી પેલા ફિલ્મનો ડાઈલોગ છે ને, "ફિલ્મ અભી બાકી હે મેરે દોસ્ત".
=ક્રમશ=

"ફ્લેશબેક"

મારો એક નિયમ છે,એક આખુ વર્ષ કોઈ એક જ લેખક ને વાંચવા (આ નિયમ પુસ્તક પુરતો જ સિમિત છે). આ નિયમ મને યાદ છે ત્યાં સુધી મે ૧૯૯૪ થી પાડ્યો છે. હું ધો.૯ માં હતો ત્યારે મેઘાણીનો "સૌરાષ્ટ્રની રસધાર" માથી એક પાઠ આવતો પછી તે આખુ વર્ષ મે મેઘાણીના પુસ્તક સૌરાષ્ટ્ર્ની રસધાર અને સોરઠી બહારવટીયા વાચવામાં કાઢ્યું. પછીથી એ વણલખ્યો નિયમ થઈ ગયો. ૧૯૯૪ "મેઘાણી" ૧૯૯૫ "ધુમકેતુ",૧૯૯૬ "ક્રાન્તિવિરોની જીવનકથા",૧૯૯૭ "ગાંધીજી",૧૯૯૮-૯૯ "સ્વામી વિવેકાનન્દ",૨૦૦૦ "મૃગેશ વૈષ્ણવ",૨૦૦૧ "કાન્તિ ભટ્ટ", ૨૦૦૨-૦૩ "શાહબુદ્દીન રાઠોડ", ૨૦૦૪ "સૌરભ શાહ",૨૦૦૫-૦૬ "ચંદ્રકાન્ત બક્ષી",૨૦૦૭ "ગુણવંત શાહ".

તે પ્રમાણે વિતેલુ વર્ષ 'શ્રી વિનોદ ભટ્ટ'ના નામે લખેલુ હતુ. વિતેલ વર્ષમા મે તેમના "ઇદમ તૃતિયમ્","ઇદમ ચતુર્થમ્","નરોવા કુંજરોવા","ભુલચુક લેવિ-દેવિ","મગનું નામ મરી","આંખ આડા કાન","એવા રે અમે એવા" તથા "નમું તે હાસ્યબ્રહ્મને" વાચી.આ બધામા મને સૌથી "નમું તે હાસ્યબ્રહ્મને" વધુ ગમ્યું. એક ઉચ્ચકોટીનો હાસ્યલેખક બીજા ઉચ્ચકોટીના હાસ્યલેખકના લેખોનું સંપાદન કરે ત્યારે પંસદગીનું ધોરણ ઉચ્ચ હોવુ સહજ છે અને તે મારા જેવા વાચકને પસંદ ન પડે તો જ નવાઈ. આ પુસ્તકમા રતિલાલ બોરીસાગરે વિનોદ ભટ્ટના બહુ ઉચ્ચા દર્જાના લેખોનું વિભાગ વાર સંપાદન કર્યું છે.

કદાચ આવતા વર્ષે આ નિયમનો ભંગ થાય કારણ કે, અત્યારના સંજોગો એવા નથી કે મને પુસ્તકો લેવાની રજા આપે. જોવ છુ, કદાચ કાઈ રસ્તો મળે તો આવનાર વર્ષ મારે અંગ્રેજી માથી અનુવાદિત સાહિત્ય વાચવું છે. જોયે આગળ શું થાય છે.

Saturday, December 27, 2008

પરિસ્થિતી છેલ્લા ૬૦ વર્ષમા બદલી નથી


વર્ષ ૧૯૪૭ -


૧૭૮૮ - શહિદ, ૬૮૪ - ઘાયલવર્ષ


૧૯૬૫ -


૩૨૬૪ -શહિદ, ૮૬૨૩ - ઘાયલ


વર્ષ ૧૯૭૧ -


૩૮૪૩ - શહિદ, ૯૮૫૧ - ઘાયલ


વર્ષ ૧૯૯૯ -


૫૨૭ - શહિદ, ૧૩૬૩ - ઘાયલ


વર્ષ ૧૯૮૮ થી


૬૦,૦૦૦ મોત/શહિદ


કુલ ૬૯૪૨૨ શહિદી અને અસંખ્ય ઘાયલ-બંદી
તમને થસે આ આકડાની માયાજાળ શું છે તો તમને જણાવી દવ આ કોઈ સામાન્ય આકડા નથી આ છે અત્યાર સુધી પાકીસ્તાને લિધેલ ભોગના આકડા અને આ ફક્ત સરહદ કે કાશ્મિરના જ આકડા છે અને સરકારી આકડા છે આમા દેશમા બીજા પ્રાન્તમા થયેલ આતંકવાદી હુમલામા માર્યા ગયેલા કે પાકિસ્તાની જેલમા સબડતા સૈનિકોનો સમાવેસ થતો નથી.


હવે મુદ્દા પર આવુ, અત્યારે જે માહોલ છે તે જોતા નક્કિ કરી શકાય નહી કે યુદ્ધ થાસે કે નહી પરંતુ ઇતિહાસમા નજર ફેરવી એક વાતતો નક્કિ છે કે આપણે આટલો ભોગ આપ્યા પછી પણ ત્યા ના ત્યા જ છીએ. મને આપણા સૈનિકો પર પુરો ભરોષો છે પરંતુ જે યુદ્ધ આપણે સિમા પર જીતેલુ હોય એને ટેબલ પર હારી જાઈએ છીએ. જે પરિસ્થિતી છેલ્લા ૬૦ વર્ષમા બદલી નથી અને એ હવે પણ બદલવાની ના હોય તો બેતર છે યુદ્ધ ના થવુ જોઈએ. અને હા જો કોઇ નક્કર પરિણામ લાવવુ જ હોય તો પછી ભવિષ્યમા ક્યારેય આ શેતાન પાડોશી સાથે યુદ્ધ કરવુ ના પડે અને તે આપણી આગડી કરવાનુ હંમેશ માટે બંધ કરે તેવુ યુદ્ધ કરવું જોઈએ.


શુ કહો છો આપ સૌ ?

"ફ્લેશબેક" વિતેલા વર્ષનું શ્રેષ્ઠ વાંચન

વર્ષનો આ પડાવ એવો છે જ્યાં થોડી વાર થોભી પાછળ નજર કરવા જેવી છે. આ સમય જીવનને એવો અવસર આપે છે જ્યાથી આપણે વિતેલા વર્ષમા ઘટેલી સારી-માઠી બાબતો પર નજર નાખી શકો છો. માઠિ બાબતોને નજર સામે રાખી તેમાથી બોધ મેળવી અને સારી બાબતો માથી ઉર્જા પ્રાપ્ત કરી આવનાર નવવર્ષ ને જ્યારે સત્કારવા જઈ રહ્યા છીએ ત્યારે વિતેલ વર્ષમા મે વાચેલ અને મારા મતે જેને શ્રેષ્ઠ કહી શકાય તેવા વાચાન તમારી સમક્ષ મુકુ છુ.
શરૂવાત જય વસાવડાની સ્ક્રેપબુકમા કાલે જ વાચેલા અવતરણથી કરુ.
સાહિત્ય અને અખબારી લખાણ વચ્ચેફરક શું ?
કોઇએ વિખ્યાત નાટ્યકાર-લેખકઓસ્કાર વાઇલ્ડને પૂછ્યું,
જવાબમાં ઓસ્કાર વાઇલ્ડે કહ્યું :"અખબારી લખાણ વાંચી શકાતું નથી,
જ્યારે સાહિત્ય વંચાતું નથી....!!!!!!

મારા ઓર્કુટના હોમ પેઇજ પર આવેલ મેસેજ
Today's fortune: Nobody can go back and start a new beginning, but anyone can start today and make a new ending

ધૈવતભાઈની વિસ્મય કોલમ તથા જય વસાવડાની સ્પેક્ટોમીટર ગયા વર્ષમા મને મળેલી અમુલ્ય ભેટ છે. તેમા ૨૩ નવે. નો સ્પેક્ટો. અને ૧૯ નવે. નો વિસ્મય મને ખરેખ ગમ્યો. મારૂ અંગત એવુ માનવુ છે કે જે વાચન "દિમાગ કિ બત્તિ જલાઈ" તેવુ જ વાચવુ બાકી જેમા 'ટપો' ના પડે તેનાથી દુર રહેવું. આ બન્ને લેખ તેવા જ છે, ધૈવતભાઈની વિસ્મય દરવખતે ખરેખર વિસ્મય જગાડે છે પરંતુ ઉપરોક્ત લેખમા તો ભારતીય રાજકારનમા જેને તમે એકહથ્થુ કહી શકાય તેવી સત્તા ભોગવનાર નહેરૂ-ગાંધી પરીવારની ન જાણેલી વાત જાણવા મળી. બીજી બાજુ જયભાઈનો ૨૩ નવે. વાળો લેખ વાંચી ને પહેલુ કામ ઈચ્છાઓ નું લિસ્ટ બનાવવાનું કર્યું.

મારા સાથી મિત્ર ભિષ્મકભાઈ ની પ્રોફાઈલમા વાંચેલુ આ લખાણા
" લખનારા બધું જાણતા નથી, જાણનારા બધું લખતા નથી, વાચનાર બધુ સમજતા નથી સમજનાર બધુ વાઁચતા નથી.”

Saturday, December 20, 2008

"હેટ્સ ઓફ".


આજે એક રીલેટીવની બિમારીને લિધે અહી અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. ફક્ત હુ જ નહી મારી સાથે મે જે પુર્વધારણા અને પુર્વગ્રહ બાંધેલા હતા તે પણ સિવિલ પહોચ્યા. ગંદા ગંધાતા રૂમો, કચરાના થર જામેલા કંપાઉન્ડ, જ્યા ત્યા પડેલા દર્દીઓ અને તેના સ્વજનો, પડુ-પડુ થતી છતો અને ચારે બાજુ અવ્યવસ્થા. આ મારી પુર્વધારણા હતી અને સિવિલમા પી.એમ. સિવાય જવાય જ નહી તે મારો પુર્વગ્રહ. ત્યાં પહોચતા જ પુર્વધારણા અને પુર્વગ્રહ થોડા અંશે સાચો પણ લાગ્યો, જ્યા ત્યા પડેલો કચરો, બદબુ મારતુ પરીસર, આમ તેમ પડેલા દર્દી અને તેના સ્વજનો, પડુ-પડુ થતી ઇમારત.
અચાનક એવી ઘટના બની કે મારો દ્રષ્ટીકોણ જ બદલાઈ ગયો. જેને જોવા ગયો હતો તેને એટેક આવ્યો અને પછીની ૩-૪ કલાકમા મારૂ આખુ માનશ પરિવર્તન થઈ ગયું. ૩થી૪ મીનીટમા ડૉક્ટરોની આખી ટીમ આવી ગઈ અને એક નર્સ પોતે ઓક્સિજનનો બાટલો (સિલીન્ડર) ટ્રોલી ન હોવાથી ઉપાડીને લાવી. બધા જ ડૉક્ટરો મોબાઈલ વડે એક બીજાની જોડે સંપર્કમા રહ્યા. ત્યા કોરા લેટરપેડ ન હતા દવા લખવા માટે અને લેબોરેટરી માટે છાપાના કાગળનૉ ઉપયોગ થતો હતો. ધીરે-ધીરે મારો દ્રષ્ટીકોણ બદલાયો આખી સિવિલ તો જોઈ ના શક્યો પરંતુ જેટલુ ફર્યો તે બધામા આવુ જ જોવા મળ્યું અને દિલમા થયુ ખરેખર આ લોકોની કાર્યદક્ષતાને સલામ છે. આટલા લિમીટેડ રિસોર્સીઝથી ૧૦૦% આઉટપુટ આપવુ એ નાની સુની વાત નથી અને આપણ તેને વગોવીયે છીયે. કોઈ દિવસ વિચાર નહી આવ્યો હોય કે આ લોકો કેવી રીતે કામ કરે છે. મે તો કોઈ દિવસ વિચાર કર્યો જ નહતો. પ્રાઈવેટ હોસ્પિટલો આટલા રૂપિયા લેવા છતા ૧૦૦% સંતોષ આપી સકતા નથી ત્યારે આ લોકોને આ રીતે કામ કરતા જોઈ એક જ વાક્ય સુજ્યું "હેટ્સ ઓફ".
તમે શું માનો છો ?

Wednesday, December 10, 2008

જ્યા સુધી તમારી આતંરિક સુરક્ષા શું સજ્જ ન હોય ત્યાં સુધી આવી ઘટના બનતી જ રહેશે. તમારે ભારતના નાગરીક બનવા માટે કેટલા રૂપીયા ખર્ચવા પડે ? માત્ર ૫૦૦, રૂ.૧૦૦ થી ૧૫૦ મા તમારૂ નવું કુપન (રાસન કાર્ડ) બની જાય (રૂ.૨૦ નો સ્ટેમ્પ,રૂ.૨૦ ટાઈપિસ્ટને,રૂ.૧૦ થી લઈ રૂ.૧૦૦ સુધી ચા પાણી). એજ રીતે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, જે બનાવવું હોય એ બને અને આ બધી પ્રોસીજર મે જાતે જોયેલી છે. આ બધા મોટા બોકારાઓ પહેલા પુરવા રહ્યા પરંતુ આ કામ કરે કોણ ? અને આ જ બોકારાનો ફાયદો આ હરામી લોકો લે છે.આપ શું માનો છો ?=સમાપ્ત=

ઈચ્છાશક્તિનો સદંત્તર અભાવ.

ઈચ્છાશક્તિનો સદંત્તર અભાવ. બધી જ સમ્યાનું મુળ આ એક વાક્યમાં કહી શકાય. તે પછી રાજકર્તા હોય, બુધ્ધીજીવિઓ હોય કે પછી સામાન્ય નાગરીક હોય બધા માટે લાગુ પડે છે. રાજકર્તા ને સુધરવું નથી અને આપણે એને સુધારતા નથી અને પાછળથી કહેશું આ દેશ કોઈ દિવસ સુધરસે નહી. આપણી પાસે બધાજ હથીયારો છે પરંતુ તેનો ઉપયોગ કોને કરવો છે ? કેટલા લોકો રેગ્યુલર વોટ આપે છે ? કેટલા લોકોએ માહીતિના અધીકારનો ઉપયોગ કરિ પોતાના વિસ્તારમા થતા કામની વિગત માગી છે ? શુ આ બધી આમ જનતાની ફરજ નથી ? સંસદ ઉપર હુમલો થયો ત્યારે આવિ જ પરિસ્થિતી હતી, શું થયું ? એનો આરોપી જેલમાં મજા કરે છે અને આપણે આપણા રૂમમાં. બોમ્બ બ્લાસ્ટ અને આવા આતંકવાદી હમલાથી જેના સ્વજન મરે છે એના સિવાય કોઇ ને કાઈ ફરક નથી પડતો અને મરનારના સ્વજન પણ થોડા ટાઈમમા પોતાની નોર્મલ જિંદગી જીવવા મંડે છે જેમ રાજકોટ બગોદરા હાઈવે પર અક્સમાત સામાન્ય છે એમ આ આતંકવાદ પણ આપણા માટે સામાન્ય છે.=૧=

Wednesday, December 3, 2008


આજની કળશ હાથમાં આવી, બધાજ પાના આતંકવાદ પર ભરી ભરી ને લખાયુ હતું. બધું જ વાચવુ શક્ય ન હતુ અને જરુરી પણ ન હતું કારણ બધા ને ખબર છે. ઈઝરાઈલ ની જે વાત ધૈવતભાઈએ કરી તે પછી માથુ ખંજવાડતા વિચાર આવ્યો કે શું આવું ભારતમાં શક્ય છે ? આ પ્રશ્નની પાછળ બીજા ઘણા પ્રશ્નો ઉભા થયા, ૧.શું આપણી વર્તમાન પરિસ્થિતી માટે આપણે પોતે જવાબદાર નથી ? ૨.આપણા વર્તમાન રાજકર્તા આ પરિસ્થિતીને પહોચી વળવા શક્ષમ છે ?આપણા શાસ્ત્રોમા કહેવાયું છે કે દુર્જનની સક્રિયતા કરતા સજ્જનની નિષ્ક્રિયતા વધુ ખતરનાખ છે, અત્યારે આ આપણી નિષ્ક્રિયતા નું પરિણામ છે અને હજી ન જાગ્યા તો હજી ખરાબ પરિણામ માટેની તૈયારી રાખવી પડશે. જે દેશમાં નાગરીકની ઇચ્છાશક્તિ જ્યાં સુધી જાગ્રત ન થાય ત્યાં સુધી રાજકિય ઇચ્છાશક્તિની અપેક્ષા રાખવી નકામી છે.આપ શું ક્યો છે ?

Wednesday, November 26, 2008

અલવિદા દોસ્તો

જય વસાવડાનો એક લેખ ગુ.સ.માં સારો છે એવું જાણવા મળ્યુ પરંતું ગુ.સ. તો ઘરે નથી આવતું અને આજે થયો બુધવાર કરવું શું ? ગુગુલ છે ને યાર શોધ્યો.વાચ્યો અને દિમાગ કિ બત્તિ જલી,સાલુ જીન આવી ને પુછે બોલ તારી ઇચ્છા શું છે ને લોચા વાગે તો અને જો ખબર પડે કે થોડા ટાઈમ માં સિધાવવાનું છે ને ઇચ્છાઓ અધુરી રહે તો સાલુ વડલે કે પિપડે લટકવું પડે એના કરતા લિસ્ટ જો તૈયાર હોઈતો વાંધો ન આવે એટલે તરત આ લખવા બેઠો.
મારૂ બેટુ લખવાતો બેઠો પણ પાછો લોચો થયો. અમુક ઇચ્છા પુરી કરવા પાછુ નાનુ થવું પડે એ શક્ય નથી અને આમુક માટે સ્વર્ગમા જવુ પડે ઍ પણ અત્યારે તો શક્ય નથી જ. માટે ત્રણ લિસ્ટ બનાવી. ૧. હવે પછી જીવનમાં પુરી કરવાની ઇચ્છા. ૨. આવતા જન્મનું ઍડ્વાન્સ બુકીંગ. ૩. ઉકલિ ગયા પછી સ્વર્ગમા કે નર્કમા શું કરવુ તે.
=હવે પછી જીવનમાં પુરી કરવાની ઇચ્છા =
૧. મારે મારી મહેનતથી મારા રૂપિયાથી ઘર ચલાવવું છે. (અત્યારે હું બી.પી.એલ. છું.)
૨.મારા બાળકને અને પત્નિને જે નથી આપી શક્યો તે બધુ આપવું છે. (કારણ કે ઉપર મુજબ)
૩.એક વાર ગ્રેજ્યુએટ થાવું છે અને જો શક્ય હોય તો એમ.બી.એ. કરવું છે.
૪.એક વાર વોરાસર (અંગ્રેજીના સર) જોડે એક કલાક અંગ્રેજીમા ચર્ચા કરવી છે.
૫.એક વાર આખા કુંટુંબ (મારા પપ્પાના બધા ભાઇઓનો પરિવાર) સાથે એક વિક રહેવું છે.
૬.એક જીગર જાન મિત્ર બનાવવો છે જે મને સલાહ આપી શકે,( સોરી મિત્રો ખોટુ ના લગાડતા તમારા માથી એવું કોઇ નથી જે જિગરજાન છે સલાહ આપી શકે તેમ નથી અને જે આપી શકે તેમ છે તે જીગર જાન નથી.)
૭.એક વાર પપ્પાને મોઢે બોલાવું છે "મને તારા પર ગર્વ છે". (સાચ્ચા હ્રદયથી)
૮.મારા દેશને સાચ્ચો, ઇમાનદાર અને સમૃધ્ધ જોવો છે.
૯.બી.યુ.પી. (મારી જીદ્દ,મારુ સપનું) ને પુરૂ કરવુ છે.
૧૦.જેણે જેણે મદદ કરી છે એનો આભાર અને જેને જેને મે દુઃખી કર્યા છે એની માફી માગવી છે.
=જો ફરી જન્મ થાય તો =
૧.અત્યારે જે મારી પાલક માતા છે એના કુખે જનમ લઇ મારી જન્મ દેનારી પાસે પાલન કરાવું છે.
૨.પાછું મોટીબેન,નઝમાબેન,વિ.ડી.સર,વોરાસર અને આનંદભાઈ પાસે ભણવું છે.
૩.જોષિસર કે જે અમને ૬ઠ્ઠામા ભણાવવાના હતા અને વેકેશન માં જ માત્ર ૨૫-૨૬ વર્ષની ઉમરે દુનિયા છોડી જતા રહ્યા તેની પાસે ભણવુ છે.
૪.અજયસર,સોલંકિસર,પથુસર,ગનપતસરનો માર પાછો ખાવો છે.
૫.મોતિનાં દાણા જેવા અક્ષરથી પરિક્ષામા લખવું છે.
૬.ટાવર ગ્રાઉન્ડમાં મન ભરીને ક્રિકેટ રમવું છે.
૭.જીવનમાં કરેલી કેટલી બધી મુર્ખાઈઓ અને તોફાનો પાછા કરવા છે.
૮."મુકેશકાકા"(પપ્પાના મિત્ર)ના સહાયક તરિકે છાપામાં જોબ કરવિ છે.(તે આ દુનિયામાં નથી.)
૯.૧લી થી લઈ કોલેજ સુધી ૧લે નંબરે પાસ થવું છે.
૧૦.ફક્ત અને ફક્ત ભારત દેશમાં જ્ન્મ લેવો છે. (ગમે તેટલા જન્મ કોઈ પણ અવતારમાં)
=શાત્રોમાં સ્વર્ગ અને નર્કનો ઉલેખ છે અને હુ અહી નર્કમાં જ એન્ટ્રી મળવાની છે એમ ધારી લખુ છુ=
૧.થોડા સમય માટે સ્વર્ગમા જવા મળે કારણ કે તો જ આ બધી ઇચ્છા પુરી થાય.
૨.બક્ષી જોડે એક આખો દિવસ વિતાવવો છે.
૩.મુકેશકાકાને પુછવું છે કે મને સપના બતાવી ખરે ટાઇમે કા જતા રહ્યા.
૪.મારી દાદીને પુછવું છે કે હુ તમારા વિશ્વાષમા ખરો ઉતર્યો કે નહી.
૫.મારા દાદાને પુછવું છે કે હુ તમારી જે ખુમારી થી જીવ્યો કે કેમ.
૬.ઈશ્વરને પુછવું છે કે મે તારી જીવન નામની આ કસોટીમાં શું ઉકાળ્યું.
૭.મારા એ ભાઇને પુછવું છે કે યાર મને મોટો ભાઇ ક્યા કારણૅ બનવા ન દીધો.
૮.બધા મહાત્માઓને પુછવું છે કે તમે તમારા પ્રયાસના ફળથી ખુશ છો.
૯.મારે મારી આત્માને પુછવું છે કે તુ મારા જીવન થી ખુશ છે કે નહી.
૧૦. ઇશ્વરને પ્રાથના કરીશ કે નર્કમા મોકલતા પહેલા એક વાર પાછો ધરતિ પર મોકલ જેથી લિસ્ટ ન્ં.૨ પુરુ કરી શકાય.
=સમાપ્ત=

Monday, November 24, 2008

મારા શબ્દોથી થયેલ ઉહાપા વિષે

મારા શબ્દોથી થયેલ ઉહાપા વિષે
મને મારા શબ્દો પર કોઇ ખેદ નથી કારણ કે જે વાસ્તવિકતા મે જોયેલી છે એ જણાવી છે, જ્યારે કોઇ સમસ્યા વિષે ચર્ચા કરતા હોઇએ ત્યારે જરૂરી નથી કે બધાના વિચારો શરખા જ હોય.કોઇ પણ સમસ્યાના ઉકેલ માટે થોડા કઠોર અને કડવા સત્યો સમક્ષ નજર નાખવી જરૂરી છે. હું જે સંર્દભમાં મારી વાત રજુ કરવા માગતો હતો તેમા પણ અપવાદ હોય શકે છે. આજે જ્યારે આપણે દરેક બાબતોમાં વ્યાવસાયીકતા તપાસતા હોઇએ ત્યારે "શિક્ષણ" જેવા પાયાની બાબત કે જેનો આધાર દેશના ભાવિ સાથે છે તેની ગંભિર તૃટીઓ સાથે બાંધછોડ કેમ કરી શકીએ ? મારા કેવાનો આશય એવો નથી કે આ ફિલ્ડમાં સારૂ કાઇજ નથી પરંતુ જે કાંઇ છે તેમાં તેમાં વ્યાવસાયીક અભિગમનો અભાવ છે. આ ફિલ્ડના વિકાસના અભાવના ઘણા કારણો છે, ભ્રષ્ટાચાર, લાગવગશાહી, યોગ્ય માપદંડનો અભાવ, યોગ્ય વળતર ન મળવું અને સૌથી મોટુ કારણ સમાજની ઉદાશીનતા. આજે આપણે હોશિયાર બાળકને નાનપણથી ડૉક્ટર કે ઈન્જીનિયેર બનવાના સપનાઓ બતાવ્યે છીએ, ક્યા કારણે નાના બાળકને એમ નથી કહેવામા આવતું કે "તું મોટો થઇને એક સારો શિક્ષક બનજે" જો કારણના મુળમા જશો તો બધી વાત સમજાય જશે.આજે આપણામાથી મોટા ભાગની વ્યક્તી કે જે શક્ષમ છે તે ઉંચુ ડોનેશન આપી ખાનગી સ્કુલમા પોતના બાળકને મોકલશે શા માટે સરકારિ શાળાની બહાર ફોર્મ માટે લાઈન નથી લાગતી ? (આ વાક્ય પ્રથમીક શિક્ષણ માટે છે) હું એમ નથી કહેતો કે બધી જ શાળાઓ ખરાબ છે પરંતુ જે શાળાઓ સારી છે એ લઘુમતિમા છે. હું પોતે કરકારી હાઇસ્કુલમા ભણેલ છુ, અને એ શાળામા કે જ્યાં "ગુજરાત રત્ન" "વિઘ્ધાવાચસપતિ" શ્રી કે.કા.શાસ્ત્રી ભાણેલા અને શિક્ષક હતા. આજે એ શાળા પાસે તેઓ શ્રી ના નામ સિવાય કાઈ નથી.મિત્રો કોઇ પણ વાતની ચર્ચા કરતા હોઇઍ ત્યારે અપવાદોને ધ્યાનમા ન લેતા બહુમતિને નજર સામે રાખિ ચર્ચા કરવિ જોઇએ. હુ આ શબ્દો લખી રહ્યો છુ ત્યારે જણાવું કે, મારા પપ્પા કોલેજમાં પ્રોફેસર રહી ચુક્યા છે, મારા ફઈબા ૨૮ વર્ષ પ્રાથમિક ટીચર હતા અને અત્યારે રિટાયર છે, મારા બે કઝીન પ્રોફેસર છે અને જ્યારે એક કઝીન હાઇસ્કુલ ટીચર છે. છતા હિંમત કરિ આ શબ્દો લખ્યા છે. જો કોમ્યુ. ને હજુ પણ લાગતું હોય કે મારી વાત સાવ ખોટી છે અને આ "એક આવેશમા આવી બુધ્ધિહીન કૃત્ય છે" તો હુ પોતે જ મારા આ શબ્દોને નાશ કરવા તૈયાર છુ અને હવૅ પછી આવુ લખતા પહેલા સો વાર વિચારીશ. બાકી મારા મતે જ્યારે કોઈ સડેલા ભાગને દુર કરવો હોય ત્યારે થોડીતો પિડા શહન કરવી જ રહી.

Saturday, November 22, 2008

શિક્ષક કોણ બને છે ?

શિક્ષક કોણ બને છે ?
જે વ્યક્તિ જીવનમા કાઈ કરવા શક્ષમ ન હોય અથવા એક સુરક્ષીત જીવન જીવવા માગતો હોય તે. આ હું કાઈ મારા અનુમાનો નથી કહતો પરંતુ મારા ક્લાસ ૧૨ના ૧૫ થી ૧૭ મીત્રોએ આજ કારણે પી.ટી.સી. જોઈંટ કરી માસિક રૂ.૫૦૦૦ ની વિદ્યા-સહાયકની નોકરી કરે છે. જ્યારે જે વ્યક્તી પોતે પોતાના જીવનમાં નવા સાહસો કરતા ડરતો હોય તે તંબુરામાથી તમને નવા સંશોધન કરવા પ્રેરે. આ એક એવી કડવી વાસ્તવીકતા છે જે બધા જાણતા હોવા છતા કાઈક ચમત્કારની આશા એ બેશી રહ્યા છીએ. આનુ એક જ નિરાકર છે તમે તમારા બાળકોને યોગ્ય વાતાવણ આપો બાકી કોઈ મોટી રાજકીય ક્રાન્તિ વગર આપણે જે રીતે ભણી ગયા તે જ રીતે આપણી આવનાર સાત પેઢી ભણશે. જ્યાં રાજકીય ઈચ્છા શક્તિ નથી ત્યાં ચર્ચા સિવાય કાઇ થતું જ નથી

આજની શિક્ષણ પધ્ધતી

વર્તમાન સમયમાં શિક્ષણ એટલે કે વર્ષાન્તે આવતા કેટલા બધા પેપરોના સમુહ માટે આખુ વર્ષ ભણ-ભણ કરવું. પરીક્ષાનું નામ પડતા જ બાલમંદિર થી લઇ પી.એચ.ડી. સુધી બધાને પરસેવો થવા મંડે. પરીક્ષાના આગલા દિવસોનું વાતાવરણ એટલું તંગ હોય છે કે વાત ના પુછો. બધા જ પોતપોતાની રીતે તૈયારીમાં લિન હોય છે કોઇ છેલ્લી ઘડિનુ વાચન કરતુ હોય તો કોઇ કાપલિ બનાવતુ હોય. બધા જ પોતાની રિતે લડવા માટે હથીયાર સજાવતા હોય છે. ખરેખર આ સાચું શિક્ષણ છે ?ખરેખર આમા વિધ્યાર્થીનો વાક નથી પધ્ધતી જ એ રીત ની છે. અર્થશાસ્ત્રમાં ગરીબીની વ્યાખ્યા આવે છ તૅને લાંબા લેક્ચર ધ્વારા સમજાવવા કરતા વિધ્યાર્થીને ઝુપડપટ્ટીમા એક વાર જઈ બતાવવાથી સહેલાઇથી શીખવી સકાય છે. માણસે ક્યારેય યાદ રાખવા મહેનત નથી કરવી પડતી કારણકે બધુ સ્વાભાવિક રીતે જ યાદ રહિ જતુ હોય છે. તમારે ક્યારેય તમારા રૂટીન વર્ક યાદ રાખવુ પડે છે ? આ વસ્તુ એવી છે કે તે કેમ શીખવામા આવે છે યાદ રાખવામાં વાન્ધો નથી તેની રિત ખોટિ છે. જ્યાં સુધી શિક્ષણ "નૈતિકતા, ઇમાનદારી, સચ્ચાઈ, આત્મવિશ્વાસ," જેવા ગુણો ના શિખવે ત્યાં શુધી આ પધ્ધતી નો કોઈ મતલબ નથી.

Friday, November 21, 2008

એક વાર્તા

આ વાત છે મારી એક પાલતું કીડીની જેનું નામ છે "પૂરસાર્થ". એક દિવસ મે "પ્રારબ્ધ" નામનો ગોળનો રવો જોયો અને પામવાની ઇચ્છા થઇ. મે તેને મારી સાથે આવવા વિનંતી કરી પરંતુ એ નફ્ફટે ખંધુ હસતા એક શરત મુકી, "જો મને તારી કીડી ઉપાડી લઈ જશૅ તો જ હું આવીશ." હું તો મુંજાણો આવડી નાની કીડીને આવડુ મોટુ કામ કેમ આપવું. અમારી આ વાત મારી એ કીડી સાંભળી ગઈ અને ચુપચાપ કામે લાગી ગઈ. એક દિવસ મે જોયું તો પેલો ગોળનો રવો મારી પાસે હતો. મે આ વિષે મારી પેલી કીડી ને પુછ્યું તો તેણે જણાવ્યુ કે, "આ તો હું રોજ થોડો થોડો કરી બધ્ધો તમારે માટે લાવી." હું ગર્વથી મારી કીડી સામે નિશબ્દ જોય રહ્યો. ગોળના રવાના ચહેરા ઉપર માન ભંગની નિરાશા દેખાઇ આવતી હતી.બોધ - જો તમારે "પ્રારબ્ધ" નામનો ગોળનો રવો જોયતો હોય તો "પૂરસાર્થ" નામની કીડી આજથી જ પાળો .

લેખક કોણ છે ?

ફુટપાથ પર ઉભા ઉભા મુલ્યોના સુત્રોના પોસ્ટર વેચતો ઍક ફેરીયો કે જેની જીન્દગી માથી પસાર થતા ૯૭ % લોકો ફ્કત પોસ્ટર વાચી ખુશ થતાથતા પસાર થઈ જાય છે, ૧% લોકો પોસ્ટર ખરીદી ઘરે ડ્રોઇન્ગ રૂમ મા સજાવે છે, ૧% લોકો તે પોસ્ટર ને ફ્રેમીન્ગ કરી સ્નેહી ને ભેટ આપે છે, જ્યારે બાકીના ૧% લોકો તે સુત્રોને જીવનમા ઉતારે છે'ફેરીયાની સાર્થકતા ૯૯ % લોકોથી નહિ પરન્તુ ૧% લોકોથી છે તેજ રીતે લેખકની સાર્થકતા સમગ્ર સમાજથી નહી પરન્તુ એવા લોકોથી છે જેના જીવનમા તેણે પરીર્વતન લાવ્યુ છે.તમે શુ માનો છો ?

નિષ્ફળતા શું છે ?

અમદાવાદ થી રાજકો બપોરે ૧૨ થી ૧ ની વચ્ચે પહોચવાનું છે, કેમ પહોચીં શું ? પ્રથમ તો ક્યા સાધનથી જવુ તે નક્કી કરી શું. પ્રાઇવેટ વાહનથી જવુ કે પબ્લીક ટ્રાન્સ્પોટનો ઉપયોગ કરીશું. કેટલા સમયની મુસાફરી છે તેમાં એકાદ કલાક જેટલો વધારાનો સમય ઉમેરી નિકળીશું. વાહન જો પ્રાઇવેટ હશે તો ઇંધણના અને પબ્લીક હશે તો ટીકીટના નાંણા જોઇશે. વાહન જે હોય તે પરંતુ તે યોગ્ય જગ્યાએ લઈ જાય છે કે નહી તે નક્કી કરી લઈશું. અંતે વાહન બધીજ રીતે યોગ્ય હોય અને અક્સમાત ન નળે તો નિયત સમયે મંઝીલે પહોચી જઇશું.ફક્ત ૩-૪ કલાકની મુસાફરી માંટે આટ-આટલાં પ્રયત્નો કરવા પડતા હોયતો જીવનમાં સફળતા મેળવવા માટે કેટલા પ્રયત્નોની જરૂર પડે ? નિષ્ફળતા એ અપેક્ષા ના પ્રમાણમાં ઓછા પ્રયત્નોનું પરીણામ છે.આપ શું માનો છો ?

શું ઉચ્ચ કોટીના લેખકોનાં અભાવ માટે વાચકો જવાબદાર નથી ?

આજનો વાચક ગરીબી નીચે જીવતા બિહાર કે આસામના એવા નાગરીક જેવો છે કે જેને રેશનીંગમાં જેવા પણ ઘઉં-ચોખા આપો તેવા તે સ્વીકારી લેવાનો છે અને આ જ કારણે આપણી સુસ્ત સરકાર જેવાં લેખકો સડેલા,ખરાબ થયેલા,ક્યાંયથી પણ આયાત કરેલા, કાકરી-કસ્તર વાળા ઘઉં-ચોખા જેવા લેખો વાચકોન પધરાવ્યા કરે છે. આ પરીસ્થીતી માટે વાચક પોતે જ જવાબદાર છે, કારણ કે તમે આ લોકો જેવું આપે તેવું સ્વીકારી લો તો પછી મહેનત કોણ કરે. અંગ્રેજી ચોપાનીયાને સંદર્ભ તરીકે લીધા પછી બે-ચા ચવાયેલી શાયરી મુકી અને છેલ્લે કોઇ વિવાદસ્પદ બાબતનૉ એશંશ છાટી જાણે સળી વચ્ચે બરફનો ગોળો હોય તેમ પકડાવી દેવાનો. ઉપર-ઉપરથી મજા આવે અંદર ઊતરોતો સાવ ફીક્કો. એક માત્ર લઘુશંકા માટે કામમાં આવતો આવો ગોળો વાચકને પણ સદી ગયો છે. જો તમે એક સમર્થ વાચક ન બની શકો તો તમને સમર્થ લેખકનાં અભાવ વિષે ફરીયાદ કરવાનો કોઇ અધીકાર નથી.આપ શું માનો છો ?