Saturday, November 22, 2008

આજની શિક્ષણ પધ્ધતી

વર્તમાન સમયમાં શિક્ષણ એટલે કે વર્ષાન્તે આવતા કેટલા બધા પેપરોના સમુહ માટે આખુ વર્ષ ભણ-ભણ કરવું. પરીક્ષાનું નામ પડતા જ બાલમંદિર થી લઇ પી.એચ.ડી. સુધી બધાને પરસેવો થવા મંડે. પરીક્ષાના આગલા દિવસોનું વાતાવરણ એટલું તંગ હોય છે કે વાત ના પુછો. બધા જ પોતપોતાની રીતે તૈયારીમાં લિન હોય છે કોઇ છેલ્લી ઘડિનુ વાચન કરતુ હોય તો કોઇ કાપલિ બનાવતુ હોય. બધા જ પોતાની રિતે લડવા માટે હથીયાર સજાવતા હોય છે. ખરેખર આ સાચું શિક્ષણ છે ?ખરેખર આમા વિધ્યાર્થીનો વાક નથી પધ્ધતી જ એ રીત ની છે. અર્થશાસ્ત્રમાં ગરીબીની વ્યાખ્યા આવે છ તૅને લાંબા લેક્ચર ધ્વારા સમજાવવા કરતા વિધ્યાર્થીને ઝુપડપટ્ટીમા એક વાર જઈ બતાવવાથી સહેલાઇથી શીખવી સકાય છે. માણસે ક્યારેય યાદ રાખવા મહેનત નથી કરવી પડતી કારણકે બધુ સ્વાભાવિક રીતે જ યાદ રહિ જતુ હોય છે. તમારે ક્યારેય તમારા રૂટીન વર્ક યાદ રાખવુ પડે છે ? આ વસ્તુ એવી છે કે તે કેમ શીખવામા આવે છે યાદ રાખવામાં વાન્ધો નથી તેની રિત ખોટિ છે. જ્યાં સુધી શિક્ષણ "નૈતિકતા, ઇમાનદારી, સચ્ચાઈ, આત્મવિશ્વાસ," જેવા ગુણો ના શિખવે ત્યાં શુધી આ પધ્ધતી નો કોઈ મતલબ નથી.

1 comment:

  1. when the issue is a social problem everybody in society responsible for it. students and their parents who all running behind marks are also equally responsible as money making schools and teachers.

    ReplyDelete