Sunday, January 25, 2009

પ્રજાસત્તાકદિન કે દીન ?


આવતી કાલે ૨૬મી જાન્યું. પ્રજાસત્તાકદિન(કે દીન?) છે. આ વખતે કદાચ પાછલા થોડા વર્ષ કરતા દેશ દાઝ વધુ દેખાય છે. કારણ બધાને ખબર છે પરંતુ મને આ સ્પિરિટ લાંબો સમય ટકે એમા શંકા લાગે છે. આવો જ સ્પિરીટ ૧૯૯૨માં મુંબઇ ધડાકા પછી દેખાતો હતો અને પાછુ કરગીલ વખતે પણ હતો (સ્પિરિટ ને હતો કેવાય કે હતી તે મને ખબર નથી). પાછા આ સ્પિરિટ કંધહાર વખતે દેખા દિધીતી અને આ જ સ્પિરિટ અક્ષરધામ વખતે અને સંસદ પર હુમલો થયો ત્યારે પણ દેખાયો હતો. તે પછી તો આ સ્પિરિટ મહીને એકાદ વાર જોવા મળે છે. અને ક્યારેક તો મહીનામાં બે-ચાર વાર જોવા મળે છે અને આ વખતે તે તેની ચરમ સિમા પર જોવાઇ રહ્યો છે. પરંતુ આપણામાં એવુ તો શુ છે કે આપણે આ સ્પિરિટને લાંબો સમય સુધી સાચવી નથી રાખી શકતા. આ સ્પિરિટનું આવન જાવન બહું થાય છે અને ક્યારેક તો ધરાર લાવવો પડે છે,બિજુ બોમ્બ બ્લાસ્ટ કે આંતકવાદી હુમલા સિવાય આ સ્પિરિટ પાછો આવતો પણ નથી. કદાચ આપણે આ સ્પિરિટને આઝાદીની લડાઇમાં એકલો વાપરી નાખ્યો કે હવે મહામહેનતે પાછો આવે છે અથવા તો આઝાદી મળી ગયા પછી આપણે તેની ક્યારેય જરુરીયાત ના લાગતા જીવન માંથી બહરનો રસ્તો બતાવી દિધો. જે હોય તે પણ વર્ષમાં ઓછામાં ઓછા બે દિવસતો આ સ્પિરિટને બોલાવામાં આવે છે.
શું કોઇ દેશમાં જે તે દેશવાસીઓમાં દેશપ્રેમ જગાડવો પડે તેનાથી બિજી કોઇ કરુણ ઘટના બાબત હોય શકે ? અને આ સ્પિરિટ ફક્ત આવા હુમલા જેવા બાહ્ય આતંકવાદ વખતે જ કેમ જાગે છે ? ચુટણી ટાઇમે કે પછિ ભ્રષ્ટાચાર, બેઇમાની, લાગવગશાહી,જાતિવાદ,પ્રાન્તવાદ વગેરે જેવા આંતરીક આંતકવાદ વખતે કેમ નથી જાગતો ? જ્યારે આપણી આત્મા જાગશે ત્યારે આ સ્પિરિટ પણ આપ મેળે જાગશે તેને પછી જગાડવો નહી પડે અને ત્યાં સુધી આવતા આવા દરેક પ્રજાસત્તાક કે સ્વાતંત્ર દિન નહી દીન જ રહેશે.વિચાર જો મારી વાત પર.
જય(ખરેખર?) હિન્દ.

ભાગ-૨

આપણા વડવા કહેતા કે ચાદર કરતા પગ લાંબ કરવા નહી પણ અહી તો રૂમાલ ઓઢીને સુવાના સપના જોવાતા હતા. ભવિષ્યમાં આવનાર આવક પર લીમિટ બારનો વર્તમનમાં થયેલ ખર્ચ શું પરિણામ લાવે છે તે ફક્ત અમેરિકાએ જ નહી પુરા વિશ્વએ જોયુ. વધુ વેપાર ને કોઇ પણ જાતની રોકટોક વગર ગજા બહાર દિધેલા ધીરાણને લીધે કેટલીય મોટી બેન્કોની હાલત ખરાબ થય ગઈ. અને પછી તો મહામંદિની મધ્યમાં આખા વિશ્વની અર્થવ્યવસ્થા ડામાડોળ થવા માંડી. બિજી બાજુ ભારતમાં ફુગાવાએ ભરડો લિધો, કીમંતમાં ક્યારેયના જોવાણો હોય તેવો ભાવ વધારો જોવા મળ્યો. થોડો કુદરતી તો થોડો કૃત્રિમ ભાવ વધારાને લિધે મધ્યમ વર્ગની હાલત ઘંટીના બે પડ વચ્ચેના અનાજ જેવી થય ગઈ. એક બાજુ ભાવ વધારાએ બજેટને અસ્ત વ્યસ્ત કરી નાખ્યુ તો બિજી બજુ લોન પર વધેલા વ્યાજ દરે પથારી ફેરવી નાખી અને શેર બજાર તળીયે પહોચયું.

બધાનો સરવાળો એ થયો કે ગરિબ હોય કે અમીર બધાના જીવન ભેકાર અને અંધકારમય ભવિષ્યની કલ્પના કરવા મંડ્યું. કારણ કે કલ્પના કરવા સિવાય કોઇ વસ્તુ તેમના હાથમાં ક્યાં હતી. બધા જ તહેવારો ઉત્સાહ વગર પસાર થયા, અરે દિવાળી અને ઇદમાં પણ જે ઉત્સાહ હોવો જોઇએ તેના પર મંદિ ભારે પડી. બધાએ ભુતકાળમાં કરેલી ભુલો પર ધ્યાન ગયુ પણ હવે ઘણુ મોડુ થઈ ગયું હતુ અને પરિણામ ભોગવ્યે જ છુટકો.છતા મને આશા છે કે જ્યારે પણ આ વમણ માથી આપણે બહાર આવીશું ત્યારે પાછી આવિજ ભુલ ફરીને કરીશું કારણ કે, લાલચ બુરી બલા છે અને આપણે ભુતકાળ માંથી કાઈ શિખતા નથી.

સમાપ્ત.