Tuesday, September 29, 2009

પ્રેમ ની વ્યાખ્યા શું ?

ખ્યાતીબેન ના પ્રશ્નો જે બીજા સ્વજનોને પણ જાગ્યા હશે તેના જવાબ રૂપે આ પોસ્ટ લખુ છું. ગયુ આખુ પખવાડીયુ અતિ કામમા વિત્યું.

શું પ્રેમ ફક્ત બે વિજાતિય પાત્રો વચ્ચે જ થાય છે ? ભાઈ-ભાઈ, બહેન-બહેન, પિતા-પુત્ર, મિત્ર-મિત્ર, ઇવન સંબધને નામ આપ્યા વગર પણ પ્રેમ ના થઈ શકે ? કદાચ આપણે કલ્પિ પણ ના શકીયે તેટલો વિશાળ શબ્દ છે પ્રેમ.

પહેલો પ્રશ્ન શું ચકાસીને પ્રમ થાય ?
ના, હું નથી માનતો કે બજારમા તમે કોઈ વસ્તુ લેવા જાવ અને જેમ ૨-૫ દુકાનો ફરી અને મોલ-ભાવ કરીને કોઈ વસ્તુ લો તેમ પ્રેમ કરવો શક્ય છે. પરંતુ પ્રેમ થયા પછી તેને સાચવી રાખવા માટે તો આ બધુ જરૂ છે કે નહી. ફરી પાછી ચોખવટ કરી દવ, આ પ્રેમ ફિલ્મયો પ્રેમ નહી હો. હું અહી લખુ છુ અને મને કોઈ વાંચે છે.. તે પણ એક સ્નેહ કે પ્રેમના બંધનથી બંધાય છીએ ત્યારે જ ને. મારે આ સ્નેહબંધ ટકાવી રખવા મારા લેખનમા,વિચારોમા અને વર્તનમા પવિત્રતા અને પારદર્શકતા રાખવી જરૂરી નથી ? સામે મારી પાત્રતા મુજબ સ્નેહ આપવો તે મારા સ્નેહીજનોની ફરજ નથી ? વિચારજો આ બાબત પર...

બીજો પ્રશ્ન..
શું બીજીવાર નો ત્રીજીવારનો પ્રેમ શક્ય છે ?
કેમ નહી.. જીવનમા શું તમે આખી જીંદગી એક જ વ્યક્તિને ચાહ્યા કરવાના ? લીવ ઇટ, ફરગેટ ઇટ.. ની પોલીસી રખવાની. જેમ સામેની વ્યક્તિને હક છે કે તમારી સાથે તેને ના ફાવ્યુ એટલે તેણે બીજુ પાત્ર શોધી લીધુ તે રીતે આપણે પણ સ્વતંત્ર છીએ જ ને ? પ્રેમભંગ થયા પછી કાઈ જીવન તો પુરૂ નથી થઈ જતૂં ને ? સંબધો જ્યારે બંધાય છે ત્યારે જ તેના પર "એક્સપાઈરી ડેટ" લખાઈ ગઈ હોય છે. અમુક કિસ્સામા "બેસ્ટ બીફોર" લખાય ગયું હોય છે. સંબંધ ટુટે નહી તો પન તિવ્રતા જરૂર ઓછી થતી જાય છે. અને આ બધુ કુદરતી છે.
આ તો થઈ વિજાતિય પ્રેમની વાત.. બાકી જીવનમા ડગલેને પગલે હું કોઈ ના ને કોઈ ના પ્રેમમા નથી પડતો ? ક્યારેક મારા પુત્ર સાથે તો ક્યારેક કોઈ ફિલ્મના.. ક્યારેક કોઈ સારા પુસ્તકના તો ક્યારેક કોઈ લેખકના. બધા જ વ્યવહારમા શું આ બધા તત્વો જરૂરી નથી ?

વિચારજો આ બાબત પર.....

Wednesday, September 16, 2009

"મૃત્યુ", સત્ય, અંતિમ સત્ય, એક માત્ર સત્ય.

જીવનમા જો કાઈ નક્કિ જ હોય તો તે મૃત્યુ છે. અને તેને જ આપણે માનવા તૈયાર નથી. ઇશ્વરીય શક્તિની અંતિમ તાકાત એટલે મૃત્યું. એક શબ્દ સામે સમગ્ર સૃષ્ટિ વામણી થઈ જાય છે.

છેલ્લા કેટલાક સમયથી હું મૃત્યુને બહું નજીકથી જોવ છું. સાયન્સ જ્યારે તેની બુંલંદી પર છે ત્યારે ઇશ્વરીય શક્તિ સામે આ એક જ શબ્દ તેને વમણો કરી દે છે. હા મને સાયન્સ પર ૧૦૦ % ભરોસો છે. એટલે જ તો કોઈ પણ વાત સ્વિકારતા પહેલા હું તેને સાયન્સની દ્રષ્ટિએ ચકાશું છું.

ભાભીને જ્યારે પહેલી વાર કેન્સર ડિટેક્ટ થયું ત્યારે ઘરમા નિરાશાની સ્થિતી હતી. ત્યારે પણ હું અને મારો મોટો ભાઈ એમ જ માનતા હતા કે મેડીકલ સાયન્સ આજે એટલુ વિકસી ગયું છે કે કેન્સરની સારવાર શક્ય છે. ઉદાહરણ પણ સામે હતા જ. થયું પણ એવું માત્ર ૬ મહિનામા કેન્સર ક્યોર થઈ ગયું. મેડીકલ સાયન્સ ઉપર ભરોસો બમણો વધી ગયો. પણ....

પણ હું ભુલી ગયો હતો કે મેડીકલ સાયન્સથી ઉપર પણ એક ઓથોરીટી છે.. જે બધા જ જીવોનું નિયમન કરે છે. તેણે એક જ શબ્દથી બધા જ જીવો ને પોતાના આધીન રહેવા મજબુર કર્યા છે. એક વર્ષ પછી ભાભી ના કેન્સરે ફરી ઉથલો માર્યો. ઘણી સારવાર કરી પણ વ્યર્થ. આજે તે અંતિમ અવસ્થામા છે. ત્યારે એક જ વિચાર આવે છે. જો આ મૃત્યુ નામની કોઈ ચીજ ના હોત તો ? શું આપણે ઇશ્વરીય શક્તિને આધીન થઈ જીવતા હોત ? કદાચ ના. જીવન શું છે.. જન્મ થી મૃત્યુ સુધી ની યાત્રા.
હે ઇશ્વર હવે આવી ભુલ નહી થાય... તારી શક્તિને આકવાની જે ભુલ કરી છે તે માટે બસ આ વખતે ક્ષમા કરી દે.. કદાચ બહુ મોડુ થઈ ગયુ છે.

Tuesday, September 15, 2009

"પ્રેમ" -પવિત્રતા,પારદર્શકતા,પાત્રતા.

પ્રેમની વ્યાખ્યા શું ? જવાબ આપવા માટે હું મારી જાતને અસમર્થ ગણૂ છું. કદાચ પ્રેમ એટલો વિશાળ શબ્દ છે કે તેને કોઈ એકાદ વ્યખ્યામા વર્ણવી ના શકાય. હા તેના તત્વો વિષે ચર્ચા જરૂર કરી શકાય. કોઇ મને પુછે કે પ્રેમના કેટલા પ્રકાર ? તો હું સામે પ્રશ્ન કરૂ છુ, શું પ્રેમને પ્રકારોમા વહેચવો શક્ય છે ? બે પ્રેમ વચ્ચે તફાવત કઈ રીતે પાડી શકો ? ક્યો પ્રેમ ઉચો કે નીચો કે વધુ મહાન તે કેમ નક્કી કરવું ? હું તો આવા ભાગાકાર કરવા માટે અસમર્થ છું. મારા મતે તો પ્રેમ એટલે પ્રેમ. બીજુ કાઈજ નહી. દરેક પ્રેમ અનન્ય છે, નાતો તેની તુલના કરવી શક્ય છે કે ના તો તેનુ પ્રમાણ માપવું શક્ય છે.

હા,પ્રેમમા અતિ જરૂરી એવા ત્રણ તત્વોની ચર્ચા કરી શકાય. આ તત્વોને પ્રેમનો આધાર સ્તંભ પણ કહી શકો. તે પછી માતા-પુત્રનો પ્રેમ હોય કે પતિ-પત્નિનો. મીત્રો વચ્ચેનો પ્રેમ હોય કે વાચક-લેખકનો. દરેક વખતે માત્રા જુદી હોય શકે, તિવ્રતા જુદી હોય શકે પણ તેને આધાર આપવા ત્રેણ તત્વોતો જરૂરી છે જ. પવિત્રતા,પારદર્શકતા અને પાત્રતા. જો આ ના હોય તો પ્રેમને નિભાવો બહુ કઠિન છે અને કષ્ટદાયક પણ ખરો.

પવિત્રતા :- કદાચ પ્રેમનો સૌથી નજીકનો સમાનાર્થી શબ્દ પવિત્રતા ગણી શકાય. જ્યાં પવિત્રતા હોય ત્યાં પ્રેમ હોય જ. પણ દર વખતે પ્રેમમા પવિત્રતા હોતી નથી. કદાચ પ્રેમભંગ થવાનું સૌથી મોટુ કારણ પવિત્રતાનો અભાવ હોય છે. પવિત્રતામા તમે ત્યાગ,સમર્પણ વગેરેને પણ ગણી શકો. આ બધુ સહજભાવે થતી ક્રિયા છે અને તેના માટે પવિત્રતા આવશ્યક છે. જે રીતે ઇશ્વર સાથે પ્રેમ કરવા તનથી નહી મનથી પવિત્રતા અધુ અગત્યની છે તે જ રીતે વ્યક્તિનો વ્યક્તિ પ્રત્યેના પ્રેમમા માનશિક પવિત્રતા ખુબ આવશ્યક છે. જો પવિત્ર મને પ્રેમ કરેલ હોય તો પછી તેને નિભાવવા બહુ મહેનત કરવિ નથી પડતી. કાશ.. આ વાત બધા સમજે તો.

પારદર્શકતા :-કોઈ પણ સંબધ નિભાવવા પારદર્શકતા અતિ આવશ્યક છે. પારદર્શકતા એટલે તમે જેવા છો તેવા જ દંભ રહિત દેખાવું. દંભમા ક્યારેક સામેની વ્યક્તિ વધુ અપેક્ષા બાંધી બેસે અને જ્યારે તે અપેક્ષા પુરી ના થાય ત્યારે સંબધમા અવિશ્વાષ જન્મે જે પ્રેમને અંત તરફ લઈ જાય છે. પારદર્શકતાથી કોઈ વાત યાદ રાખવી નથી પડતી. પ્રેમજો નિ:સ્વાર્થ હશે તો પારદર્શકતા સ્વિકારી લેશે. તમે જેવા છો તે જ હાલતમા કોઈ તમને સ્વિકારે તેમા જ તમારી અને સામેના વ્યક્તિની ભલાઈ છે. બાકી તો પ્રેમ નહી બીઝનેશ થયો ગણાય. હા પ્રેમમા સામેના પાત્રને પ્રેરણા આપી શકો . બીનશરતી પ્રેમ જ સાચો પ્રેમ છે.

પાત્રતા :- પાત્રતા કોની જોવાની ? સામેના વ્યક્તિની ? ના,મારી પણ. જેમ હું સામીની વ્યક્તિ યોગ્ય છે કે નહી તે જોવ છું તેજ રીતે હું તેને યોગ્ય છુ કે નહી તે પણ જોવાનું. કદાચ તમને મારો આ વિચાર યોગ્ય નહી લાગે પણ જે પ્રેમ સમાન પાત્રમા થાય તે જ લાંબો સમય ટકે છે. અસમાન પત્રનો પ્રેમ એક દીવસતો અસમાનતાનો અહેસાસ કરાવી ને જ રહે છે. પાત્રતાના કોઈ માપ દંડ નથી હોતા પણ મારી પાત્રતા મને ખબર હોય એટલે તેટલી જ પાત્રતા સામેની વ્યક્તિની હોવી જોઈએ. અયોગ્ય પાત્ર સાથે સ્નેહ કરી શકો પ્રેમ નહી.

પણ આટલુ વિચારે કોણ ? કોઈ નહી. આ બધુ લખવું સહેલુ છે અમલમા મુકવું નહી. બાકી તો વ્યક્તિને પ્રેમ થયો છે તે ખબર પડે પછી તો મગજ સ્વિચ ઓફ જ થઈ જાય છે. ઠોકર લાગે ત્યારે ખબર પડે. અને ઠોકર લાગ્યા પછી જ્યારે બીજી વાર પ્રેમ થાય ત્યારે પાછી સ્વિચ ઓફ. બીજી વારની ઠોકર પછી વ્યક્તિ પેઢી જાય છે. પહેલી ઠોકર કરતા બીજીમા અને બીજી કરતા ત્રીજી ઠોકરથી ક્રમશ: પિડા ઓછી થતી જાય છે. આજે પ્રેમને સિરિયસલી લેનારા પણ કેટલા ?

ખુલ્લા મને કરેલો પ્રેમ ખુલ્લા દીલે કરેલા પ્રેમ કરતા લાંબુ આયુષ્ય ભોગવે છે. કારણ કે પાપ મનમા હોય છે હ્યદય તો પહેલેથી જ નિર્મળ હોય છે. પવિત્રતા,પારદર્શકતા અને પાત્રતાથી થતો પ્રેમ ખરેખર પરિપક્વ હોય છે. વિચારજો આ વાત પર.

Monday, September 7, 2009

ભુતકાળ,વર્તમાનકાળ,ભવિષ્યકાળ. ત્રીજો પુરૂષ બહુવચન.



શિક્ષક "ડે" હમણા જ ગયો. ઓગસ્ટના છેલ્લા "વિક"મા હું મારા "નેટીવ" જુનાગઢ "ડિસ્ટ્રીક્ટ"ના માંગરોલ નામના નહી "સીટી" નહી "વિલેજ" ગામમા હતો. "આફટર""મંથ" હું ત્યા ગયો હતો એટલે "નોટીસ" કર્યુ કે બહુ "ચેન્જ" આવ્યુ ના હતું. જો કે "લાસ્ટ" ૨૦ "યર્સ" કોઇ કરતા કોઈ "ચેન્જ" આવ્યું જ નથી. હા,"સ્ટડીઝ"ની બાબતમા "લાર્જ ચેન્જીસ" આવ્યા છે. કેવા "ચેન્જીસ" આવ્યા છે તે વિષે "નોલેજ" લેવા હું મારી "ઓલ્ડ સ્કુલ" મા ગયો હતો.
આજે અને આવતીકાલે સામાન્ય પણે બોલાતી ભાષા આવી જ હશે. જેનો સ્વિકાર આપણે સૌ એ કરવોજ રહ્યો. જડતા નાશનું મુળ છે તે બધા જ જાણે છે. મને આ ભાષામા વાત કરતો જોઈને સૌથી વધુ ખુશ મારા ઇંગ્લીસના સર થતા હશે. ધો.૧૦ મા તેણે મને કહ્યુ જ હતું, "જાગ્રત અંગ્રેજીમા તારૂ પાસ થવું મુશ્કેલ છે,પણ મને વિશ્વાષ છે કે તું મને ખોટો સાબીત કરીશ." બોર્ડવાળાનો આભાર કે ૬૦ માર્કનું ગ્રામર પુછ્યું અને હું એકલા ગ્રામરના સહારે નિકળી ગયો. તેવો જ મુશ્કેલ વિષય મારા માટે સમાજશાસ્ત્ર હતો. ડઢાણીયાસરે ગેરેન્ટી આપી હતી કે તું પાસ થઈશ જ નહી. ભલુ થયુ પરિક્ષકનું કે ૩૭ માર્ક આપી દીધા.

છેલ્લે આ બધા સિવાય, અજયસર ને મળવાનું થયું. વાત માથી વાત નિકળી અને મે કહ્યું, "સર અત્યારે જીવન રૂપી પરિક્ષામા પાસ થવાના પ્રયત્નો ચાલુ છે અને મુશ્કેલી એ છે કે કોઈ અપેક્ષીત પણ બજારમા મળતી નથી જેમાથી કોપી કર્ય. બીજુ તમે મારેલો માર અમને અત્યારે કામ લાગે છે." સાચુ કહું તો શિસ્તનો ત્યારે જે આગ્રહ હતો અને માનસપટલ પર મારથી જે છાપ પડી ગઈ હતી તે અત્યારે ખુબ કામ આવે છે. જેને "ટફ વર્ક" કહી શકાય તેવા કામ માટેનો "મોરલ" છેક સુધી જળવાય રહે છે. કામ પ્રત્યેની નિષ્ઠા પ્રાથમીક અને માધ્યમીકમા મળેલી શિક્ષાને આભારી છે.

પરંતુ નિરાસા તેમની વાત સાભળીને બહુ થઈ. તેણે જ્યારે એમ કહ્યું,કે "જાગ્રત તમને જે હક થી મારી શકતા હતા એટલી હક થી અત્યારે તો કોઈ વિદ્યાર્થીને ખીજાય પણ નથી શકતા. કાઈ પણ કેવાય જાય છોકરાને તો બીજા દીવસે તેના મમ્મી-પપ્પા સ્કુલે આવે અને કહે કેમ અમારા છોકરા કાઈ કહ્યું." જે હાથમા ફુટપટ્ટી સદાય ફરતી રહેતી અને જે આખની કલ્પના માત્રથી અમારી ચડ્ડી ઢીલી થઈ જતી તેમા નિરાસા જોય બહુ દુખ થયું. કદાચ શિસ્તનું મુલ્ય જાણતા હોવા છતા ભવિષ્યના નાગરીકોમા તેનુ નિરૂપરણ ના કરી શકવાનું દુખ હું જોય શકતો હતો.

પણ એક પિતા તરીકે મને ચિંતા થવા મંડી. મારા પપ્પા તો મને આવી કડક સ્કુલમા મુકી નિ:ચિંત થઈ ગયા હતા પણ મારૂ શું ? જો બધે જ આવું હોય તો મારા બાળકમા શિસ્ત કેવી રીતે આવશે ? કારણ કે ઘર કરતા પણ બાળક સ્કુલમા વધુ હોય છે. અને જો ત્યાં જ આવું હોય તો ???????

ચિંતા કરવા જેવો પ્રશ્ન છે અને જેનો જવાબ મારી પાસે નથી. બહું જલ્દી જવાબ મેળવો પડશે.