Sunday, October 31, 2010

સાચો નિર્ણય, ખોટો નિર્ણય, યોગ્ય સમયનો યોગ્ય નિર્ણય.


શું કોઈ વ્યક્તિ હાથે કરી ને ખોટો નિર્ણય લેશે ? લગભગ નહી જ લે. મારા મતે કોઈ નિર્ણય ખોટો હોતો જ નથી ખાલી તેનું પરિણામ અપેક્ષાથી વિપરીત હોય છે. દરેક પરિસ્થિતી અનુરૂપ પ્રાપ્ય સાધન-સંપતિ માથી શ્રેષ્ઠ પરિણામ લાવવાની ઇચ્છા કોને ના હોય. પરંતુ નિર્ણયને યોગ્ય ગતિ તથા દિશા આપવામાં જોયતો શ્રેષ્ઠ પ્રયત્ન ક્યારેક ધાર્યા કરતા ઓછો નિવડે ત્યારે જોયતું પરિણામ કદાચ ના પણ મળે. ક્યારેક પરિણામથી થોડા દુર પણ રહી જવાય પણ આ બધી જ બાબતમાં નિર્ણય તરફ આંગળી ના ચીંધી શકાય. બીજુ ક્યારેક સમયને અનુરૂપ અમુક કઠોર નિર્ણય લેવા પડતા હોય છે જેની અસર ટુંકા ગાળા માટે ભલે વિપરીત હોય પણ લાંબા ગાળે તે સારૂ પરિણામ આવતા હોય છે. અમુક વખતે પરિસ્થી એવી આવીને ઉભી રહે છે કે બન્ને બાજુ એ નુકશાન જ હોય ત્યારે ઓછા નુકશાનવાળો નિર્ણય પસંદ કરવો જ રહ્યો. તો ક્યારેક મતલબી પણૂ ત્યજી પોતાનું થોડુક નુકશાન કરી એક કરતા વધુ લોકોનો ફાયદો ઇચ્છી અમુક નિર્ણય લેવા પડતા હોય છે. આ બધા જ નિર્ણય સાચા કે ખોટા નહી યોગ્ય સમયના યોગ્ય નિર્ણય કહેવાય.

આજથી બરોબર એક વર્ષ પહેલા હું કાઇક આવી જ કટોકટીમાં ફસાયેલો હતો. સ્વાર્થ અને અહં થી ઘેરાયેલા એક સમુહમાં જ્યારે લાગણીશીલ ખંભો પણ મળવો મુશ્કેલ હતો ત્યારે મારે નિર્ણય લેવાનો હતો કે સામે પડેલી એક નવી જ, ભલે કઠીન પણ ઉજ્જવળ જીંદગી, બાળકનું એટીકેટ અને કલ્ચરવાળૂ જીવન તથા વાઈફની પ્રમાણમાં પ્રાઇવેટ કહી શકાય તેવી લાઇફના ભોગે અમદાવાદ છોડવું કે નહી. એ તબક્કે બુમાવવાનું કાઇજ ના હતું, ના પૈસા ના સંબધો. સંબધો ફક્ત નામના જ હતા કોઈ પણ જાતના સ્નેહ કે હુંફ વગરના. અને બન્ને છોડ્યુ હોત તો કોઈ આંગળી પણ ના ચીંધેત કે તે શા માટે આમ કર્યું. કદાચ કોઈ પણ વ્યક્તિ પાસે સલાહ લેવા જાવ તો તે મને આંખ બંધ કરી ને આમ કરવાનું કહે. કારણ કે જે પરિસ્થિતીમાં સંયુક્ત પરિવાર હતો તે પરિસ્થિતીમાં તેને ટુટવું જ રહ્યું. બીજો કોઈ રસ્તો જ ક્યાં હતો. ખરેખર તે ખુબ જ કપરા દીવસો હતા. પરિવાર ટુટવા કરતા પણ જે પરિસ્થિતીમા ટુટવા જઈ રહ્યો હતો તે બહું કરૂણ હતું.

બીજો રસ્તો હતો મેળવેલુ બધુ જ મુકી આ કપરા સમયમાં પરિવાર અને ખાસ કરી ને પપ્પાની સાથે રહું. બબ્બે બહેનોના મેરેજ સામે હતા ત્યારે પરિવાર ટુટવો તે કદાચ વધુ પડતું હતું. અને તેમાં પણ ભાભીના અવસાનને હજી ૧૫ દિવસ પણ થયા ના હતા. આ બધી જ બબાલમાં સૌથી વધુ અમે મે અને પપ્પાએ સહન કર્યું હતું. તેમ છતા વિતેલું બધુ જ ભુલાવી એવા પ્રોબલેમનો હલ કરવા હું નિકળવા જઈ રહ્યો હતો કે જેને સુલજવાનો ચાન્સ પુરા ૧ % પણ ના હતો. તેમ છતા અહં અને સ્વાર્થ ને બાજુ એ મુકી મે તે નિર્ણય લીધો. મીત્રો-સ્નેહીઓ અરે સગ્ગા ભાઈએ જેનો વિરોધ કર્યો તે નિર્ણય લીધો. એ નિર્ણય કે જેમાં સૌથી વધુ નુકશાન મને જ હતું, શારીરીક, માનસીક, આર્થીક અને સામાજીક બધી જ રીતે. બધા જ બુમાબુમ કરતા રહ્યા અને મે હતાશા સાથે પણ મનમાં એકાદ ખુણે થોડી આશા સાથે ભીની આંખે અમદાવાદ છોડ્યું.

એ અમદાવાદ કે જ્યાં હું એક નવી ઓળખ પામ્યો, અમારી ૧૭ પેઢીમાં કોઈ એ જે કામ નહી કર્યું હોય તે કામ શીખ્યો અને તે કામમાં બીજા કરતા કાઇક વધુ સારી આવડત મેળવી. એ અમદાવાદ કે જ્યાં પરિવારથી પણ વિશેષ પહેલા વર્ચ્યુલ અને પછી રીયલ એક પરિવાર મળ્યો. જીવનના ગોલ્ડન દીવસોમા ના દિવસો હું જ્યાં જીવ્યો અને હ્યદયના ખુણામાં કાઇક અલગ અને વિશેષ સ્થાન પામનાર તે નામ મારા માટે એક શહેર નહી જીવન નું માઇલસ્ટોન છે. છોડતી વખતે આગળનો કોઈ રસ્તો મારા ધ્યાનમાં ના હતો બસ એક જ વાત મગજમાં હતી આ પરિસ્થીતીમા આનીથી વધુ સારો અને યોગ્ય નિર્ણય બીજો એક પણ ના હતો.

આજે એક વર્ષ પછી ? જો હું મારા નિર્ણયને મુલવવા બેસુ તો એમ કહી શકુ કે મે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો હતો. આજે પરિવાર લગભગ નોર્મલ સ્થીતીમાં છે. ભલે પહેલા જેવી મીઠાશ ના પણ કોઈ કમસેકમ પહેલા જેવી કડવાશ તો નથી. કદાચ આવનાર ભવિષ્યમાં તે મીઠાશ પણ આવી જાશે અને ના આવે અને કદાચ પરિવાર પોત પોતાના અલગ રસ્તાઓ પસંદ કરે તો પણ એક આનંદ હમેશા રહેશે કે આ પરિવાર એક વર્ષ પહેલા જેવી સ્થીતિમાં તો ક્યારેય નહી આવે. ભલે પરિવાર મને મારા નિર્ણય માટે ના યાદ રાખે પણ કમશેકમ હું મારી જાતને પરિવારના વિર્સજન માટે નિમીત ના બનવા બદલ આજીવન ધન્યવાદ આપીશ. આજે હું મારી ખુધની નજરમાં એક હીરો બની ગયો બીજા નોંધ લે કે ના લે તેનાથી શું ફરક પડે છે. કદાચ આ અભિમાન પણ હોય અને મને આ અભિમાન નો હક પણ છે. મે મારી જાતને આપેલો હક.

-: સિલી પોઇન્ટ :-

તમને થશે આ સિલી પોઇન્ટ એટલે શું ?
મારા મતે એવા બોધ કે જે મુર્ખાઇઓ માથી પ્રગટ થયા હોય અને જેના પર આપડે પોતે પણ હસી શકીયે.

Tuesday, October 26, 2010

"સંબધો" -અહી ત્રાજવા લઈ તોળવા ના બેસો.

ઘણા સમયથી સમય,લાઈફ અને શબ્દો વેડફતો આવ્યો છું. ગયા અઠવાડીયે જ થયુ લાવને કાઇક ક્રિયેટીવ લખુ પણ એજ સમસ્યાઓના સમાધાનમાં સમય ક્યાં જતો રહે છે તે ખબર જ નથી પડતી. આજે મે અનુભવલી વાસ્તવિકતા વર્ણવું છું. કદાચ ઘણા લોકો મારી સાથે સહમત નહી હોય પણ હું પુર્ણ પણે મારી આ થીયરી પર ભરોસો રાખુ છુ અને તેમા સફળ પણ થયો છું.

મારી વાતની શરૂવાત એક સંવાદથી કરૂ :-
"સાંભળ્યું છે કે મીનાના લગ્ન થઈ ગયા ?"
"હા, તેની જ કાસ્ટમાં થયા છે, એરેન્જ મેરેજ. છોકરો કોમ્યુ. એન્જીન્યર છે અમેરીકામાં અને તેના સસરાને અહી ખુબ જ મોટો બિઝનેસ છે."
"પણ આમ અચાનક ? હજી તો તેને આગળ ભણવું પણ હતું ને ?"
"આવું સરસ ઘર છોડવાનું કોઈ ને કેમ મન થાય. તેમા પણ અમેરીકા. આપણા નશીબ એવા ક્યાં"
"કેમ, તારા નસીબમાં શું ખરાબી છે ?"
"શું સારૂ છે ? ક્યાં તેનું સાસરૂ અને ક્યાં... !"
"સાવ એવું પણ નથી હો.."
"હા..હા.. ખબર છે."
ઉપરોક્ત સંવાદ ક્યા બે વ્યક્તિ વચ્ચે થયો છે તે જરૂરી નથી, જરૂરી છે આપણી માનશીકતા. આપણે દરેક વાતમાં "ઉસકી શર્ટ મેરી શર્ટ સે જ્યાદા સફેદ ક્યું?" વાળો એપ્રોચ ધરાવતા હોયે છીએ. દરેક વખતે ત્રાજવું લઈ તોળવા બેસીએ છીએ. આ આપણી સ્વાભાવિક વૃતિ તથા પ્રવૂતિ છે. મીનાના લગ્નની ખુસી તેના સારા અને સુખી સંસારની જલનમાં ક્યાં ગુમ થઈ જાય છે તે ખબર જ નથી પડતી. અને વાત ગાડી,બંગલો કે અમેરીકા થી જ નથી અટકતી તેના પતિની કમ્પેરીઝન પોતાના પતિ કે પત્નિ સાથે તેવી જ રીતે સાસુ, સસરા, સગા વગેરેની પણ તુલનાઓ થવા મંડે. જાણે પરમપિતા બ્રમ્હ્માની તે લાડકી દીકરી હોય અને સંસારના બધા જ સુખ તેને જ મળી કેમ ગયા હોય. આ સ્વાભાવિક ક્રિયા છે અને આમાં કાઈ ખોટુ નથી. પણ...

હા, પણ.. જ્યારે આ તુલના ઘરના જ કોઈ અંગત બે વ્યક્તિની થાય તો ? થોભો, ચેતો, વિચારો અને આગળ વધો. આ સંસારમાં જ્યારે કોઈ બે વ્યક્તિ સરખા નથી હોતા અરે બે જોડીયા (ટ્વિન્સ) પણ નહી ત્યારે બે અંગત વ્યક્તિની તુલના કરવી વ્યાજબી છે. માતા અને પત્નિ વચ્ચે, પિતા કે પતિ વચ્ચે, ભાઇ-ભાઇ વચ્ચે, બહેન-બહેન વચ્ચે કે મીત્રો વચ્ચે તુલના શક્ય છે. આ તો કેરી અને સિતાફળ કે પછી ચોળી અને કોબીજ વચ્ચે તુલના કરી કહેવાય. કેરીનો પોતાનો સ્વાદ છે, ગુણ છે-અવગુણ છે, જ્યારે સિતાફળનો પોતાનો સ્વાદ, ગુણ-અવગુણ છે. અને તે યુનિક છે. તેના જેવો બીજો સ્વાદ બીજા કોઈ ફળ કે શાકભાજીમાં ના જ હોય. હા, કેરી હજી કાચી હોય અને થોડી ખાટી હોય તો સ્નેહની હુંફ આપી તેને પરિપક્વ કરો પણ તેનો સ્વાદ સિતાફળ જેવો નથી તેમ કહી તેની સાથે અન્યાય તો ના જ કરાય. કદાચ આ ઉદાહરણ મારી વાત સમજાવવા માટે પુરતું છે.

કોઈ પણ સંબધો "પારદર્શકતા" ઉપર ટકતા હોય છે. તે પછી મા-બાપ-દિકરાના સંબધો હોય કે પછી પતિ-પત્નીના કે પછી મીત્રોના. જેટલુ દ્રષ્ય ચોખ્ખુ તેટલા સંબધો મજબુત. થોડુક છુપાવવાની કોશીસ કરી તો સામેની વ્યક્તિ કાચ તોડી અંદર જોવાની ટ્રાય કરશે અને પછી તે વિશ્વાષ રૂપી કાચ ફરી ક્યારેય જોડાશે નહી. આ મારો ખુદનો ૮ વર્ષના લગ્નજીવનનો અનુભવ છે. અરે મીત્રતામાં પણ આવું જ કરવું પડે છે. બે મીત્રો ક્યારેય સરખા નથી હોતા, આપણે મીત્રને તેના પ્લસ-માઇનસ પોઇન્ટ સાથે જ સ્વિકારવો પડે છે. બાકી તે મીત્રતા નહી મતલબ થયો કહેવાય. બીજુ ક્યારેય કેરી અને સીતાફળ વચ્ચે તુલના કરતો નથી એટલે જ તો આજે અમુક મીત્રો સાથે ૨૬-૨૭ વર્ષ જુની મીત્રતા છે અને તેમા પણ અમુક તો એવા છે કે જે બન્ને છેલ્લા કેટલાય સમયથી એક-બીજાનું મોઢુ પણ જોવા નથી ઇચ્છતા અને બન્ને મારા મીત્રો છે.

મારી એટલી જ નમ્ર અપીલ છે કે સાલ્લુ આ જગતમાં ૭-૮ અબજ માણસો છે તેમાથી ભારતના ભાગે ૧૧૦-૧૧૫ કરોડ લોકો આવ્યા તેમા આપણને ઓળખતા હોય કે આપણી નજીક આવ્યા હોય તેવા લોકો કેટલા ? રેસીયો તો માંડી જુઓ. પછી ક્યો મને કે સંબધો ને ત્રાજવે તોળી તેને ગુમાવવું પોસાય તેમ છે આપણ ને ?

-: સિલી પોઇન્ટ :-

તમને થશે આ ઉદાહરણમાં કેરી-સિતાફળ અને ચોળી-કોબીજ જ કેમ લીધા. અંદરની વાત છે, કેરી અને
ચોળી મને ખુબ ભાવે છે જ્યારે સિતાફળ અને કોબીજ.... યાર સમજી જાવને :D