Saturday, December 27, 2008

"ફ્લેશબેક" વિતેલા વર્ષનું શ્રેષ્ઠ વાંચન

વર્ષનો આ પડાવ એવો છે જ્યાં થોડી વાર થોભી પાછળ નજર કરવા જેવી છે. આ સમય જીવનને એવો અવસર આપે છે જ્યાથી આપણે વિતેલા વર્ષમા ઘટેલી સારી-માઠી બાબતો પર નજર નાખી શકો છો. માઠિ બાબતોને નજર સામે રાખી તેમાથી બોધ મેળવી અને સારી બાબતો માથી ઉર્જા પ્રાપ્ત કરી આવનાર નવવર્ષ ને જ્યારે સત્કારવા જઈ રહ્યા છીએ ત્યારે વિતેલ વર્ષમા મે વાચેલ અને મારા મતે જેને શ્રેષ્ઠ કહી શકાય તેવા વાચાન તમારી સમક્ષ મુકુ છુ.
શરૂવાત જય વસાવડાની સ્ક્રેપબુકમા કાલે જ વાચેલા અવતરણથી કરુ.
સાહિત્ય અને અખબારી લખાણ વચ્ચેફરક શું ?
કોઇએ વિખ્યાત નાટ્યકાર-લેખકઓસ્કાર વાઇલ્ડને પૂછ્યું,
જવાબમાં ઓસ્કાર વાઇલ્ડે કહ્યું :"અખબારી લખાણ વાંચી શકાતું નથી,
જ્યારે સાહિત્ય વંચાતું નથી....!!!!!!

મારા ઓર્કુટના હોમ પેઇજ પર આવેલ મેસેજ
Today's fortune: Nobody can go back and start a new beginning, but anyone can start today and make a new ending

ધૈવતભાઈની વિસ્મય કોલમ તથા જય વસાવડાની સ્પેક્ટોમીટર ગયા વર્ષમા મને મળેલી અમુલ્ય ભેટ છે. તેમા ૨૩ નવે. નો સ્પેક્ટો. અને ૧૯ નવે. નો વિસ્મય મને ખરેખ ગમ્યો. મારૂ અંગત એવુ માનવુ છે કે જે વાચન "દિમાગ કિ બત્તિ જલાઈ" તેવુ જ વાચવુ બાકી જેમા 'ટપો' ના પડે તેનાથી દુર રહેવું. આ બન્ને લેખ તેવા જ છે, ધૈવતભાઈની વિસ્મય દરવખતે ખરેખર વિસ્મય જગાડે છે પરંતુ ઉપરોક્ત લેખમા તો ભારતીય રાજકારનમા જેને તમે એકહથ્થુ કહી શકાય તેવી સત્તા ભોગવનાર નહેરૂ-ગાંધી પરીવારની ન જાણેલી વાત જાણવા મળી. બીજી બાજુ જયભાઈનો ૨૩ નવે. વાળો લેખ વાંચી ને પહેલુ કામ ઈચ્છાઓ નું લિસ્ટ બનાવવાનું કર્યું.

મારા સાથી મિત્ર ભિષ્મકભાઈ ની પ્રોફાઈલમા વાંચેલુ આ લખાણા
" લખનારા બધું જાણતા નથી, જાણનારા બધું લખતા નથી, વાચનાર બધુ સમજતા નથી સમજનાર બધુ વાઁચતા નથી.”

2 comments: