Thursday, April 29, 2010

વાંચે ગુજરાત

વાંચે ગુજરાત અંતર્ગત મે પણ અમુક પુસ્તકો વાંચવાનો તથા વસાવવાનો નિર્ણય કર્યો છે. જો લીસ્ટ હું મુળ કિમંતે ખરીદવા જાવ તો મારી ચડ્ડી થઈ જાય [:D]. પણ મીત્ર કાન્તિભાઈ વાછાણીએ મને તેનો ખુબ જ સરસ રસ્તો બતાવ્યો. "સહજાનંદ રૂલર ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન -ભુજ પુસ્તક મીત્ર યોજના અન્વયે ૬૫ % સુધી વળતર આપે છે. તેની વિગત શ્રી કાન્તીભાઈ ના શબ્દોમા લીસ્ટના અંતે આપી છે.

આ રહ્યું મારૂ લીસ્ટ... અમુક વાંચેલી છે પણ વસાવવી છે.

-: નવભારત સાહિત્ય મંદિર :-

૧.શ્રીમદ ભાગવત અને આધુનીક મેનેજમેન્ટ - બી.એન.દસ્તુર
મુળ કિમંત - ૨૦૦/- વળતર-૧૩૦/- વેચાણ કિં.- ૭૦/-

૨.ચંદ્રકાન્ત બક્ષીના ૩૫ લેખો - બક્ષી
મુળ કિમંત - ૧૦૦/- વળતર- ૬૫/- વેચાણ કિં.- ૩૫/-

૩.લડે તેનું ઘર વસે -તારક મહેતા
મુળ કિમંત - ૧૦૫/- વળતર- ૬૦/- વેચાણ કિં.- ૪૫/-

૪.સુખને એક અવસર તો આપો -હરિભાઇ કોઠારી
મુળ કિમંત - ૧૦૦/- વળતર- ૬૫/- વેચાણ કિં.- ૩૫/-

૫.અગ્નીની પાંખો -ડો.એ.પી.જે. અબ્દુલ કલામ.
મુળ કિમંત - ૭૫/- વળતર- ૪૫/- વેચાણ કિં.- ૩૦/-

૬.લવ અને મૃત્યુ -બક્ષી
મુળ કિમંત - ૧૦૦/- વળતર- ૬૫/- વેચાણ કિં.- ૩૫/-

૭. સંસ્કારનું શ્રીફળ -હરીભાઈ કોઠારી
મુળ કિમંત - ૭૦/- વળતર- ૪૫/- વેચાણ કિં.- ૨૫/-

૮. સ્ત્રી વિષે -બક્ષી
મુળ કિમંત - ૧૭૫/- વળતર- ૧૧૦/- વેચાણ કિં.- ૬૫/-

૯. જસ્ટ એક મીનિટ -રાજુ અંધારીયા
મુળ કિમંત - ૧૨૫/- વળતર- ૮૦/- વેચાણ કિં.- ૪૫/-

-: પ્રવિણ પ્રકાશન :-

૧૦. ચાણક્યના વ્યવહાર સુત્ર -ચાણક્ય
મુળ કિમંત - ૧૦/- વળતર- ૫/- વેચાણ કિં.- ૫/-

૧૧. આઠો જામ ખુમારી -ઘાયલ
મુળ કિમંત - ૫૦૦/- વળતર- ૩૨૦/- વેચાણ કિં.- ૧૮૦/-

-: ગુર્જર ગ્રંથરત્ન :-

૧૨. પૃથ્વી વલ્લભ -ક.મા.મુનશી
મુળ કિમંત - ૯૦/- વળતર- ૫૫/- વેચાણ કિં.- ૩૫/-

૧૩. મેઘાણીની નવલીકા -મેઘાણી
મુળ કિમંત - ૧૮૫/- વળતર- ૧૨૦/- વેચાણ કિં.- ૬૫/-

૧૪. ભદ્રંભદ્રં -રમણભાઈ નિલકંઠ
મુળ કિમંત - ૧૦૦/- વળતર- ૬૫/- વેચાણ કિં.- ૩૫/-

૧૫. દિકરી વહાલનો દરિયો -વિનોદ પંડ્યા
મુળ કિમંત - ૨૨૫/- વળતર- ૮૫/- વેચાણ કિં.- ૧૪૦/-

૧૬. ધુમકેતુંના વાર્તા રત્નો -ધુમકેતુ
મુળ કિમંત - ૯૦/- વળતર- ૫૦/- વેચાણ કિં.- ૪૦/-

૧૭. તણખા ભાગ ૧ થી ૪ -ધુમકેતૂ
મુળ કિમંત - ૩૪૦/- વળતર- ૨૨૦/- વેચાણ કિં.- ૧૨૦/-

-: શબ્દલોક :-

૧૮. પંચતંત્રની વાતો ૧ થી ૩ -
મુળ કિમંત - ૧૫૦/- વળતર- ૯૦/- વેચાણ કિં.- ૬૦/-

૧૯. સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ થી ૫ - મેઘાણી
મુળ કિમંત - ૧૫૦/- વળતર- ૯૦/- વેચાણ કિં.- ૬૦/-

-: ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લી. :-

૨૦. પતંગીયાની આનંદયાત્રા - ગુણવંત શાહ
મુળ કિમંત - ૨૫૦/- વળતર- ૧૬૦/- વેચાણ કિં.- ૯૦/-

૨૧. મરો ત્યાં સુધી જીવો -ગુણવંત શાહ
મુળ કિમંત - ૮૦/- વળતર- ૫૦/- વેચાણ કિં.- ૩૦/-

૨૨. કૃષ્ણનુ જીવન સંગીત -ગુણવંત શાહ
મુળ કિમંત - ૨૭૫/- વળતર- ૧૭૫/- વેચાણ કિં.- ૧૦૦/-

૨૩. અસ્તિત્વનો ઉત્સવ - ગુણવંત શાહ
મુળ કિમંત - ૨૭૫/- વળતર- ૧૭૫/- વેચાણ કિં.- ૧૦૦/-

-: આર.આર.શેઠ :-

૨૪. ચાણક્યનિતી
મુળ કિમંત - ૭૫/- વળતર- NA વેચાણ કિં.- NA

-: લોકમિલાપ ટ્રસ્ટ :-

૨૫. અડધીસદી ની વાંચનયાત્રા - મહેન્દ્ર મેઘાણી
મુળ કિમંત - ૨૬૦-૩૦૦/- અંદાજીત વળતર- ૧૫૦/- અંદાજીત વેચાણ કિં.- ૧૫૦/- અંદાજીત

-: શ્રી કાન્તિભાઈ ના શબ્દો :-

પુસ્તકતીર્થની મુલાકાત અવશ્ય લેજો.

તમે જ્યારે પણ કચ્છ જાવ ત્યારે ત્યાં આવેલા પુસ્તકતીર્થની મુલાકાત અવશ્ય લેજો.
શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ - ભુજ , (જી.એમ.ડી.સી. ગેસ્ટ હાઉસ નીચે, ભુજ -મિરઝાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન ૦૨૮૩૨-૨૫૦૦૦૩)ની ઓફિસમાં તમને વિનોદભાઈ કેવરિયા જરુર મળશે, કેન્યામાં રહેતાં કચ્છી લેઉવા પટેલ કેશુભાઈ ભુડિયા ને સન ૨૦૦૦માં આવુ ટ્રસ્ટ શરુ કરવાની પ્રેરણા સ્વામી સચ્ચિદાનંદજી તરફથી મળી. ટ્રસ્ટની ગ્રામવિકાસ, આરોગ્ય અને શિક્ષણલક્ષી અનેક સેવાકીય પ્રવૃતિઓમાં એક પ્રવૃતિ છે. પુસ્તક મિત્ર સહાય યોજના...

વધારે માહિતી આપ ફોન પર મેળવી શકો છો. ફોન ૦૨૮૩૨-૨૫૦૦૦૩, ૯૮૨૫૨ ૨૭૫૦૯

ગુજરાતનાં પ્રતિષ્ઠિત પ્રકાશકો એ પ્રકાશીત કરેલ સેંકડો પુસ્તકો ૫૦ થી ૬૫% ડિસ્કાઉન્ટે વાચક વર્ગ સુધી પહોચતા કરે છે. જેમાં લોકમિલાપ ટ્રસ્ટ, રજનીશ, અઢીયા, ડો. સુરાણી, સ્વામી સચ્ચિદાનંદના તમામ પુસ્તક, નવજીવન પ્રકાશન મંદિર, આર. આર. શેઠ, નવભારત સાહિત્ય મંદિર, સાધના ફાઉન્ડેશન, ગ્રંથલોક, ગુર્જર ગ્રંથરત્ન, પ્રવિણ પ્રકાશન, ઈમેજ પ્રકાશન, અરુણોદય પ્રકાશન, આદર્શ પ્રકાશન, નવનીત પ્રકાશન પ્રકાશકોનં ઉતમ પુસ્તકો શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટનાં ગ્રંથ મેળાની મુડી છે.

-: સિલી પોઇન્ટ :-
કોઈ લેખકને વાંચવા તે અલગ વસ્તુ છે વાંચી તેને વિચારી અને પચાવવા કરતા, હું મોટે ભાગે લેખકના શબ્દો પચાવવાની કોશિસ કરૂ છુ જેથી વૈચારીક અપચો ના થાય. [:D] -જાગ્રત.

2 comments: