Thursday, August 25, 2011

સુબહ હોને કો હૈ...


માણસ એક એવું પ્રાણી છે જેણે સૃષ્ટીના બધા જ પ્રાણીઓ પાસે તેમની કોઈ ને કોઈ વિશિષ્ટતા મેળવી પોતાને બહેતર વધુ બહેતર બનાવતો આવ્યો છે અને આ રીતે તેણે પોતાનું વર્ચસ્વ જમીન-પાણી-આકાશ અને છેવટે અંતરીક્ષમાં પણ સ્થાપ્યું છે. પક્ષીઓ ની ઉડવાની કલા માથી તેણે પ્લેન બનાવ્યુ તો માછલીઓની તરવાની કળા માથી સબમરીન બનાવી. મધપુડા માથી પ્રરણા લઈ ઓછા ખર્ચમાં બહોળા બાંધકા આદર્યા તો ઉધઈ પાસે થી હાઇ-રાઇઝ મકાનો મેળવ્યા. પોલર બિઅર પાસેથી(તેના જ ભોગે) ઠંડીમા રહેવાની કળા શિખી તો ઊંટ પાસે થી ગરમીમાં રહેવાની. ટુંકમાં આપણે આજે જે સ્થિતીમાં છિએ તેમાં કોઈક ના કોઈક પગલે કોઈ ને કોઈ પ્રાણીની પ્રરણા જરૂર રહી છે.

હવે અહી સુધી બરોબર હતુ પણ જેમ દીવાળી-નવરાત્રી-ચોમાસુ સેલમાં અમુક જોયતી વસ્તુ સાથે અમુક ના જોયતી વસ્તુ ફ્રી આવે છે તેમ (હમણા હમણા વઘબકરી ચા વાળા ૧ કી. ચા સાથે લંચબોક્સ ફ્રી આપે છે ઘરમાં લંચબોક્સ રાખવાની જગ્યા નથી બચી.) સારી વાતો ભેગી નબળી ટેવો પણ સાથે જ આવી . લુચ્ચાઈ, ચાપલુસી, દગો, લાગ જોય વાર કરવો, રંગ બદલવો વગેરે . આ બધી ટેવો આંનુવંશીક રીતે બેવડાતી ગઈ એટલે જ સમાજએ સંમૃદ્ધી ની સાથે સાથે ક્યારેય ના જોયા હોય તેવા યુદ્ધો જોયા. અમુક લોકોમાં સારા લક્ષણો ભરેલા હોય તો તે સમાજ ઉપયોગી કામો કરે જ્યારે અમુકમાં નબળા લક્ષણો હાવી હોય તે આજના જેવા લુચ્ચા રાજકારણીઓ બની જાય છે.

અહીં સુધી તો બધાને ખબર હતી પણ, મારે ત્યાં જે કુતરો છે તે જર્મન સેફર્ડ અને પામેરીયનનું ક્રોસ બ્રીડ છે. કદ કાઠી તેની જર્મન સેફર્ડ જેવી, દેખાવ અને સ્વભાવ પામેરીયન જેવો છે. આ તો નશીબ સારુ બાકી જો પામેરીયની ચપળતા-ચંચળતા અને જર્મન સેફર્ડની આક્રમકતા-શરીર મળ્યુ હોત તો ? બસ આવું જ કાઇક લુચ્ચા અને દંભીની પ્રજાતીનું ક્રોસ બીડ થાય અને જે વર્ણસંકર પ્રજા પેદા તેના માટે કહી શકાય. આ વર્ણ-સંકર પેદાશ આજકાલ બહુ સક્રિય છે અને જેને આપણે બૌદ્ધીકોના નામે ઓળખીયે છીએ.

કોઈ પણ પ્રશ્ન આવે તો કા તમારો જવાબ પક્ષમા હોય કા તમારો જવાબ વિપક્ષમા હોય બહુ બહુ તો ખબર નથી એવો પણ હોય શકે, પણ આ કહેવાતા બૌદ્ધીકો પક્ષ-વિપક્ષની વચ્ચેની વંડી પર બેસી “આ પણ ખરાબ છે અને પેલુ પણ ખોટુ છે” તેવો ડિપ્લોમેટીક જવાબ આપતા ફરતા હોય છે. શરૂવાતમાં તો આપણને તેમના જ્ઞાન વિષે અહોભાવ થઈ પડે પણ જ્યારે બારીકાય થી તપાસીયે ત્યારે ખબર પડે કે આ તો “ગોલ-ગોલ માહે પોલ મ પોલ” જેવું છે. પેલી વંડી પર બેસી આ લોકો રાહ જોતા હોય છે કે ક્યારે પરિણામ નજીક આવે અને ખબર પડે કે ક્યો પક્ષ જીતમાં છે એટલે તરત તેનો વંડી ઠેકી તેનો ઝંડો પકડી લવ.

અમુક બૌદ્ધીકો પાછા દરેક વાત ને વાયા એક જ રસ્તે લઈ જવા નો હઠાગ્રહ રાખતા હોય છે. તેમની ગાડીનો કોલકત્તા-દિલ્હીનો રસ્તો પણ વાયા ગાંધીનગર થઈ જતો હોય છે અને દિલ્હી થી જમ્મુ જવું હોય તો પણ તે આપણને ગાંધીનગર તો ઢસડી જ લાવે છે. જ્યારે અમુક દરેક પ્રશ્ન માટે “અત્યાર સુધી આમ ચાલતુ આવ્યું છે હવે બદલી ને શું ફાયદો” તેમ એક જ જવાબ ગોખેલો હોય છે ત્યારે કહેવાનું મન થાય છે કે, સાહેબ-મેડમ આપનો વંશ વારસો ના હોય તો અમને કોઈ વાંધો નથી અમારે તો છે અને બીજુ તમે એમ માનતા હો કે તમે જીવી લીધુ છે તો ભાઇ-બેન સાહેબ અમને તો જીવવા દો . રાજકારણીઓ ને બધા ઓળખી ગયા છે હવે સમય આવ્યો છે આ કહેવાતા બૌદ્ધીકોને ઓળખવાનો . આ એવી પ્રજાતી છે જે, “નિર્વિર્ય હોય તો લઘુશંકા કરી તેને વિર્યમાં ખપાવાનો પ્રયાસ કરશે.” (સોરી પણ આનાથી ઓછી ખરાબ કોઈ વ્યાખ્યા સુજતી નથી.) અને તેનાથી વિશેષ કાઇ કરી શકે તેમ પણ ક્યાં હોય છે ?

લોકપાલ-જોકપાલ કે પછી જન લોકપાલ વિષે મારે કાઇ જ લખવું નથી અને વાસ્તવિક રીતે હું તે વિષે લખી શકુ તેટલો મારી જાત ને સક્ષમ માનતો પણ નથી . મુદ્દો છે લોક શક્તિનો ભલુ થજો ગાંધીબાપુનું કે તેના રસ્તે ચાલી આપણને આઝાદી મળી (મારો આશય બીજા ક્રાન્તિવિરોને ઓછા આંકવાનો જરા પણ નથી.) ઇતિહાસમા જે સમયે જે શ્રેષ્ઠ હતુ તે થયુ અત્યારે તેને બદલી ના શકાય પણ આવનાર ભવિષ્ય માટે તેનો આધાર લઈ વર્તમાનમાં થોડા ફેરફારો ફાઇન-ટ્યુન તો કરી શકીયે કે નહી ? વિચારો તો ખરા જો નેતાજીની આઝાદ હિન્દ ફૌજ જીતી ગઈ હોત તો ? પાછળ થી જે લોકતંત્ર આવ્યુ તે બધુ જ બેઠ્ઠે બેઠુ થયુ હોત પણ વિરોદ્ધ સશસ્ત્ર જ થાય તેવી માનશીકતા આપણા બધ્ધામાં દ્રઢ થઈ ગઈ હોત કે નહી ? અને અત્યારે જે રામલીલા મેદાનમાં થાય છે તેની જગ્યાએ લીબીયાવાળી થતી હોત કે નહી ? વૈશ્વિક સ્તરે સમાજમાં આમુલ પરિવર્તન આવી રહ્યા હોય ત્યારે તેને આંખ મીંચીને નજર અંદાજ કરવાની ભુલ ના કરાય . પણ ભારતના રાજકર્તાઓમાં આટલી બુદ્ધી હોત તો તો શું જોયતું તું.

તે લોકો જે સંસદીય લોકતંત્રની દુહાઇ આપે છે અને તેની જ આડમાં પોતાની મનમાની કરે છે તે ભુલી રહ્યા છે કે આ એજ પ્રજા છે જેણે ૬૪ વર્ષ પહેલા નિત્યસુર્ય એવી બ્રિટીશ મહાસત્તાને હલબલાવી નાખી હતી. હવે અહી પાછા બૌદ્ધીકો એવો તર્ક આપશે કે તે તો વિશ્વયુદ્ધ માં પાયમાલ થયા એટલે ભારતને મુક્ત કર્યું . સાહેબ માગ્યા વગર માં પણ ના આપે અને આ તો ગોરાઓ હતા શું એમ નેમ સામે ચાલી ને સોનાની ખાણ આપણને સોપી દે ? પ્રજાશક્તિનો પરચો આજે આખ્ખુ વિશ્વ જોય રહ્યુ છે તેમાં ભારતનો દાખલો યુનિક છે . લાખો લોકો પોતાનો આક્રોશ શાંતિ પુર્ણ રીતે વ્યક્ત કરતા હોય તે જ યુનિક નથી તો બીજુ શું છે ?

છેલ્લે કોણ સાચુ છે કોણ ખોટુ છે કોને ક્યો સ્વાર્થ છે ક્યું લોકપાલ સાચુ છે સારુ છે તે બધ્ધી જ ચર્ચા પોત પોતાને સ્થાને છે પણ આજે સમગ્ર દેશની પ્રજામાં ઉંડે ઉંડે સવારની આશા જન્મી છે. કેટલાય સમયથી સહન કરતી આવતી પ્રજા કોઈ દુ:સ્વપ્ન માથી સફાળી જાગી ગઈ હોય તેવો માહોલ છે . જો સવાર હજી ના થઈ હોય તો એટલી પણ વાર નથી કે પાછા ઉંઘી જાયે . અત્યારે પાછા ઉંઘી જાશુ તો શક્ય છે કે પાછા સમયસય ઉઠી ના પણ શક્યે . બસ એક જ વાત….. “હારે ગા તુ હર બાઝી જબ ખેલે હમ જી જાનશે “ .

-: સિલી પોઇન્ટ :-

કહેવાતા અમુક બૌદ્ધીકોની વાતો “નિર્વિર્ય વ્યક્તિના મુત્ર વિસર્જન બરોબર હોય છે ફળશ્રુતિ કાઇ ના હોય છતા જે તે વ્યક્તિને વિસર્જનનો આનંદ પણ મળી રહે “ ઉદા. પ.પુ.ધ.ધુ ૪૨૦-૮૪૦ ડોગી મહારાજ .

બીજુ, વધુ પડતા આવેગને લીધે મન વિચલીત થવું સામાન્ય છે અને જ્યારે મન વિચલીત હોય ત્યારે વિષયની સિમારેખામાં રહેવું મુશ્કેલ છે એટલે ઉપરોક્ત પોસ્ટમાં વારે વારે વિષયાંતર થયેલુ છે . આશા રાખુ છુ મારા કહેવાનો ભાવાર્થ સમજી ગયા હશો.

2 comments:

  1. મન ણે ઝંઝોળી દે એવી પોસ્ટ..

    ખુબ જ સરસ વિચારલેખન જગ્રતભાઈ!

    ReplyDelete
  2. badhi chrcha pota ne sthane, pan aaje samgrah prajaamaa unde unde savar ni aasha janmi che, jo savaar haji na thai hoy to etali pan vaar nathi thai k unghi jaaiye... waah !! sir 1 dam khari vaat kahi aape..

    ReplyDelete