Thursday, August 18, 2011

અર્થકારણ

ધો.૧૨ માં આવ્યો ત્યારે પહેલો નિર્ણય ઇકોનોમીક્સ (અર્થશાસ્ત્ર)ની જગ્યાએ આંકડાશાસ્ત્ર ઓપ્સનલ વિષય તરીકે પસંદ કરવાનો લીધો. કારણ ના મુળની વાત કરૂ તો ધો.૯ થી જ્યારથી અર્થશાસ્ત્ર ભણવામાં આવ્યું ત્યારે તેના વિષય શિક્ષક ડઢાણીયા સર હતા અને તેની શૈલી સાથે હું ક્યારેય ગેર મેળવી શક્યો ના હતો. હું સંશોધનમાં માનનારો જીવ “આ આમ કેમ છે અને ક્યા કારણો થી છે “ તે જાણ્યા વગર કાઇ પણ સ્વિકારૂ નહી . ત્યારે બધા કહેતા કે “બોર્ડવાળા ને કહી આ શાહ માટે નવો જ અભ્યાસક્રમ બનાવડાવ્યે.” પણ જે વાત મને ગળે ના ઉતરે તેનો અસ્વિકાર કરવાનો મને પુરતો હક હોવો જોઇએ તેવું હું ત્યારે માનતો અને આજે પણ માનુ છું. અને એટલે જ તેઓ શ્રી જે મેથડ થી ભણાવતા તે મને સ્વિકાર્ય ના હતી અને છેવટે ભોગ લેવાતો અર્થશાસ્ત્રના માર્કનો. લગભગ દરેક પરિક્ષામાં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર ના પ્રશ્નો તરફ હું નજર પણ ના નાખતો. પરિસ્થિતી એવી ઉભી થાતી કે મારે સમાજશાસ્ત્રમાં હંમેશા ૫૦ માથી જ ૩૫ લાવવાના રહેતા. ધો.૧૦ માં પણ એવું જ થયેલુ અને ૫૦ માથી જ ૩૭ માર્ક આવેલા.

ધો.૧૧ માં જ્યારે ધરાર કોમર્સ લેવાનો વખત આવ્યો ત્યારે સૌથી મોટી ઉપાધી અર્થશાસ્ત્રની થઈ અત્યાર સુધી તો નાગરીક-ભુગોળના પિઠબળ થી સમાજશાસ્ત્રમાં નિકળી જતો અહી તો પુરા ૩૫ કોઈ પણ જાતના પિઠબળ વગર લાવવાના થયા. બીજુ આ વિષય મારા એકદમ નજીકના સ્વ.કાકા લેતા એટલે બે વર્ષની સખ્ત કેદની સજા પડી હોય તેટલો ત્રાસ થતો. બીજા કોઈ નો પિરિયડ હોત તો તો ક્યારનો બંક મારી દીધો હોત પણ આ ના ભરૂ તો હું ઘરે ના પહોચું તે પહેલા મારી ફરીયાદ ઘરે પહોચી ગઈ હોય . મને જેટલો ભણવાનો ત્રાસ થતો એટલો જ સ્વ.કાકાને ભણાવવાનો ઉત્સાહ. ક્યારેક કોઈ કારણ સર હું સ્કુલે ના ગયો હોય (મોટાભાગે આ કારણમાં રાતના ઉજાગરાને લીધે સવારે ઉઠાણૂ ના હોય તે જ હોય) તો તેઓ શ્રી રિસેશ મા ઘરે આવી બોલાવી જતા. તેમના આ નિશ્વાર્થ પ્રયાસો મને પડ્યા ઉપર પાટુ જેવા લાગતા અને આ જ કારણે મે ધો.૧૨ માં આવતાની સાથે જ પહેલો પ્રયત્ન અર્થશાસ્ત્રથી છુટવાનો કર્યો.

પણ વિધીને કાઇક બીજુ જ મંજુર હતું સ્વ.કાકા ને પોતાનો ચિ.ભત્રીજો અર્થશાસ્ત્રથી આમ ભાગે તે કોઈ હિસાબે મંજુર ના હતું અને એટલે જ તેમણે પપ્પાને કહી અર્થશાસ્ત્ર જ રખાવા દબાણ કરાવ્યું. આ દબાણ જ્યારે ચરમસિમાએ પહોચ્યું ત્યારે મે પપ્પાને કહ્યુ કે હું અર્થશાસ્ત્રમાં પાસ નહી થઈ શકુ ત્યારે તેમણે સમજાવ્યો, “કોઈ વિષયનો અભ્યાસ કર્યા પહેલા જ તું આમ કેમ નક્કિ કરી શક. ક્યારેક પરિસ્થિતીઓ આપણે ધાર્યે તેટલી મુશ્કેલ પણ નથી હોતી એટલે થોડાક સમય જો ના ફાવે તો પાછળ થી કાઇક કરીશું.
પછી.. પછી શું ધો.૧૨ માં સૌથી વધુ આત્મવિશ્વાષ થી મે અર્થશાસ્ત્રનું પેપર ભર્યુ હા નામા કરતા પણ મને અર્થશાસ્ત્રના પેપરમા વધુ માર્ક આવવાની આશા હતી.

આ બધુ આજે વાગોળવાની જરૂર એટલે પડી કે કાલે રાત્રે અકસ્માતે મારી મુલાકાત શ્રી સુકુમાર ત્રીવેદી સાથે થઈ ગઈ . વાદ-વિવાદનું પરિણામ અંતે હુંફાળા સંવાદમા પરિણામ્યુ અને મારા ગમતા વિષય અર્થશાસ્ત્ર પર રાત્રે ૧૨ વાગ્યે તેઓ શ્રી એ ચર્ચા કરી અને પોતાના બ્લોગની લીંક પણ આપી. http://sukumarmtrivedi.com/?p=40 (પહેલો ભાગ લેખનો) http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=318877 (બીજો ભાગ લેખનો) . આ વિષય પર હું તેઓશ્રી જેટલુ ઉંડણ પુર્વક તો લખી નથી શક્તો પણ હું જેટલુ સમજુ છુ અને જાણૂ છુ તેટલો લખવાનો પ્રયાસ કરીશ.

પોસ્ટની શરૂવાતમાં જ મે જે શબ્દ લખ્યો “અર્થકારણ” તે અર્થશાસ્ત્ર અને રાજકારણ ને જોડીને બનાવેલ છે. આજે મોટાભાગના દેશો પોતાની આર્થીક નિતી આ શબ્દને ધ્યાનમાં રાખી નક્કી કરે છે. દર ૪-૫ વર્ષે આવતી ચુટણી નિતિવિષયક નિર્ણયો પર હાવી થતી જોવા મળે છે. તેનું પરિણામ દેશની લાંબાગાળાની આર્થીક પરિસ્થિતી પર પડે છે . અમેરિકા-યુરોપમાં શું થયુ તે તેઓશ્રી એ ઉપરોક્ત બન્ને લેખમાં કહી ચુક્યા છે ભારતના સંદર્ભમા અહી લખવાનો પ્રયાસ કરીશ. ૧૯૪૭ માં આઝાદી મળી ત્યારથી લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી કોઈ નક્કર દીશા જ નક્કી થયેલી ના હતી . ભાગલાની કળ હજી વળી ના હતી અને નેહરૂ કબુતરો ઉડાડવા માંથી ઉચા આવતા ના હતા તેમા ચીન સાથે નું યુદ્ધ. પહેલો નિતિ નિર્ધારણ કરતો નિર્ણય શાસ્ત્રીજી એ “જય જવાન જય કિશાન” નો નારો આપી કર્યો. દેશની મોટાભાગની અર્થ વ્યવસ્થા જેના ઉપર આધાર રાખે છે તે કૃષીના વિકાસ માટે નક્કર પગલા લેવાની જરૂરિયાત છે તેવું જણાયું પણ અફસોસ કે રાજ્યોના પોતાના (જુદા થવાના) રાજકારણમાં આ બધુ ફસાયને રહ્યુ અને ગ્રાસરૂટ લેવલ સુધી પહોચી ના શક્યું . તેના પછી આવનાર ઇન્દીરાજી એ જે ઓદ્યોગીક દીશા નિર્દારણ કરી તે આવી હતી “તમે દેશમાં ગરીબી ના હટાવી શકો તો કાઇ નહી અમીરોની સંખ્યા ઘટાડી દો એટલે સમતા આવી જાશે.” મોરારજી સરકાર તરફથી થોડો આશાવાદ હતો પણ તેઓ દેશની ચિંતા કરતા સરકાર બચાવવાની ચિંતામાં વધુ વ્યસ્થ રહ્યા . રાજીવ સરકારે થોડા પાયાના કામો કર્યા પણ લોકો સાચા સપના નરસિહા રાવ સરકારથી જોતા થયા. અને પછી ની બદ્ધી જ સરકારે તે નિતી આગળ વધાર્યે જ છુટકો હતો.

આ તો થઈ ભુતકાળની વાત હવે વર્તમાન પર આવ્યે. આ બધી જ નિતીઓ જે તે સમયે લેવાઈ તો છે આર્થીક સમસ્યાઓ માટે પણ તેની પાછળની રાજકીય મનશા ને લીધે ધાર્યુ પરિણામ આપી શકી નથી . ૯૦ નાદશકા માં જ્યારે પાઘડીનો વળ છેડે

રાસ્ટ્રીય ગ્રામીણ રોજગારી ધારો જે ને નરેગા કે પછી મનરેગા એવા નામે આપણે જાણીયે છીએ. આ ધારા મુજબ અમુક માપદંડ ના વ્યક્તિઓ ને વર્ષમા અમુક દિવસોની રોજગારી અરે રોજગારી શું મફ્તમા પગાર આપવાની જોગવાય છે. અને જો કામ કરવાનું જ હોય તો મોટે ભાગે બીન-ઉત્પાદકીય કામ જે રાહતકામ વખતે કરવાના હોય તેવા કરવાના હોય છે. હવે મારા એરીયાની જ વાત કરૂ તો માંગરોળ-કેશોદ-વેરાવળ-માળીયા-માધવપુર-પોરબંદર તાલુકાઓ ખેત ઉત્પાદન અને તેને સાથે સંકળાયેલા નાના પ્રોસેસીંગ યુનિટ ઉપર નિર્ભર છે . ખેતિની જમીન એટલા નાના ટુકડામાં વહેચાયેલી છે કે મશીનરી વસાવવી પોસાય નહી અને સામે યુનિટો પણ નાના નાના હોય ઓટોમેશન નો સવાલ જ ઉભો નથી થતો. ૮૦ % કામ મજુરો આધારીત હોય છે . આ નરેગા એ એવું તો બુચ માર્યું છે કે આજ થી ૨-૩ વર્ષ પહેલા જે ખેત મજુર ૩૦ થી ૮૦ રૂપિયા પ્રતિ દીવસ સુધી માં મળતા તે અત્યારે ૨૦૦-૨૫૦ સુધી માં પણ માંડ માંડ મળે છે. તો સામે યુનિટોમાં કામ કરતા વર્કરો ૫૦ થી ૧૨૫ પ્રતિ દિવસ સુધીમાં મળતા તે આજે ૩૦૦-૩૫૦ સુધીમાં માંડ માંડ મળે છે. હવે વિચારો આ બધાની સિદ્ધી જ અસર પ્રોસેસીંગ કોસ્ટ પર પડવાની અને ભાવ-વધારો થવાનો . એક ચુટણી જીતવાના ઇરાદા થી પુર્વગ્રહ યુક્ત લિધેલુ પગલુ કેટલુ મોંઘુ પડે છે અત્યારે ?

પાઘડીનો વળ છેડે આવે તે પહેલા અર્થશાસ્ત્રને રજકારણથી જુદુ પાડવામાં આવે તો સારૂ છે બાકી જેવી પ્રભુ ઇચ્છા.

સિલી પોઇન્ટ:-

મારી જીદ્દ સામે પપ્પા ઝુકી ગયા હોત અને અર્થશાસ્ત્રની જગ્યાએ આંકડાશાસ્ત્ર લેવા દીધુ હોત તો… ? તમે આ પોસ્ટ વાંચવાથી બચી જાત . :D

No comments:

Post a Comment