Tuesday, December 1, 2009

આજની વાનગી - "ભારતીય નાગરીક"

નમસ્કાર મીત્રો.. આજે આપણી રસોયમા હું તમને ભારતીય નાગરીક કેમ બનવું તે સિખવાડીશ. તો નોટ અને પેન તૈયાર કરી લ્યો.. તો ચાલો આજે બનાવીયે ભારતીય નાગરીક...

તો પહેલા જરૂરી સામગ્રીનું લીસ્ટ બનાવી લ્યો.. ભારતીય નાગરીક બનવા માટે જરૂરી છો કે તમે ભારતીય જેવા દેખાતા હોવા જોયે.. પછી તમે ભલેને પાકીસ્તાની હોવ કે બાંગ્લાદેશી, શ્રીલંકન પણ ચાલે. બીજુ તમારે કોઈ લોકલ સગા કે ઓળખાણ હોવી જરૂરી છે ના હોય તો પણ વાંધો નહી જો હોય તો થોડૂક સસ્તામા પતે. અને અતિ જરૂરી સ્વાદ (અહી જરૂરીયાત) મુજબ નાણા .

ભારતીય નાગરીક બનતા પહેલા પુર્વતૈયારી રૂપે રાશનકાર્ડમા નામ નોંધાવુ પડે છે. તેના માટે લોકલ વ્યક્તિને સાથે લઈ નજીકના સસ્તા અનાજની દુકાને જવું. તે દુકાનવાળાને વિસ્વાષમા લીધા પછી તાલુકા મથકની મામલતદાર કચેરીએ નિયત વારે કુપન(રાશન કાર્ડ) ગુમ થઈ ગયાની અરજી કરવી. અરજીની સાથે સસ્તા અનાજની દુકાનવાળાનો દાખલો જરૂર જોડવો. અરજી કર્યા પછી ઓફીસનો કારકુન તમને એક એફીડેવીટ કરવાનું કેહેશે એટલે ઓફીસની બહાર નિકળશો કે તરત તમને એક ટાઈપિસ્ટ બેસેલો દેખાશે. તેને તમે સ્ટેમ્પ + વધારાના ૫૦ રૂ. આપશો એટલે તે સોગંધનામુ ટાઈપ કરી આપશે. જો ટાઈપપિસ્ટ દયાળૂ હશે તો બે કોપિમા ટાઈપ કરી આપશે બાકી તમારે ઝેરોક્ષ કરાવવી પડેશે. તે સોગંધનામુ લઈ સિધા મામલતદાર ઓફીસમા પહોચી ક્લાર્કને આપશો અને હા જોડે રિવાજ મુજબ ૧૦ થી ૫૦ ની નોટ મુકવાની ના ભુલતા. આટલુ કરશો એટલે એક-બે અઠવાડીયામા તમારૂ કુપન તૈયાર.

હવે પછી નો રસ્તો સાવ સિધો છે. અરે ધ્યાન રાખો એટલો પણ સિધો નથી હજી તો ઘણૂ કામ બાકી છે. આ કુપનથી તમે લાઈટ-ટેલીફોન મેળવી સકશો, મતદારયાદીમા નામ લખાવી વોટર આઈ.ડી અને બેન્કમા ખાતુ પણ ખોલાવી શકશો પણ ડ્રાઈવિંગ લાયસન્સ માટે જન્મતારીખનો દાખલો જોઈશે. તે મેળવવો પણ બહુ સહેલો છે. ગામની પંચાયત ઓફીસ કે નગરપાલીકામા જન્મમરણ નોંધણી વિભાગમા જાવ, તમારી સાચી-ખોટી જન્મતારીખ કહો અને દાખલો માગો, જરુરીયાત પ્રમાણે નાણા ચુકવો એટલે દાખલો હાજર. હવે રસ્તો સાફ.. આ દાખલાના આધારે ડ્રાઇવીંગ લાયસન્સ (એજન્ટ રૂ. ૨૦૦ થી ૫૦૦ મા મેળવી આપશે. ડાયરેક્ટ કરવા જશો તો આખી જીંદગી નિકળી જશે.), પાનકાર્ડ ( ફરી એજન્ટ રૂ. ૮૦ થી ૧૫૦મા અને ૨૫૦મા છેલ્લા વર્ષનું રિટર્ન સાથે.) પાસપોર્ટ (ફરી એજ પ્રક્રીયા) મેળવી શકશો.

તો તૈયાર છે ભારતીય નાગરીક....

તમને થશે હું શું મજાક કરૂ છું. ના આ મજાક નથી હું બહુ સિરિયસ છું. હમણા જ ૨૬/૧૧ ગઈ. બહું ઠેકડા માર્યા બધાએ. શક્તિ પ્રદર્શન પણ કર્યૂ કે અમે કેટલા શક્તિશાળી છીએ. આપણે આ બધુ કરતા હૈશું ત્યારે ગદ્દાર લોકો કેવા હસતા હશે નહી આપણી ઉપર. બધુ જ બરોબર છે. પોલીસવાળાને બુલેટપ્રુફ જેકેટ મળવા જ જોઇએ, લેટેસ્ટ હથીયાર હોવા જ જોઇએ પણ જ્યાં આંતરીક સિસ્ટમમા જ મોટા-મોટા બોકારા છે તેનું શું ? આતંકવાદી આવે અને પછી તેનો સામનો કર્યે તેના કરતા તેને આવતા જ રોકવા શું ખોટા છે ?

શું મુંબઈ પર થયેલો હુમલો સ્થાનીક મદદ વગર શક્ય હતો ? એકલા મુંબઈ જ શા માટે છેલ્લા ૧૦-૧૫-૨૦ વર્ષમા જેટલી પણ વાર હમલા થયા છે શું તે સ્થાનીક મદદ વગર શક્ય બને ? મુંબઈનો સ્થાનીક રહેવાસી આટલી ઝડપથી વી.ટી. સ્ટેશન, હોટલ તાજ કે ઓબેરોય ના પહોચી શકે તેટલી ઝડપથી તેઓ પહોચ્યા હતા. સાલી કોઈની દીમાગ કી બત્તી કેમ જલતી નથી ?

આતંકવાદીઓને ખબર છે કે મરવાનું છે અને જો જીવતા પકડાયા તો પણ સાસરૂ જ છે ૧૦-૧૫ વર્ષ મોજ જ કરવાની છે. પેલો અફઝલ ગૂરૂ મોજ કરે છે અને હવે આ કસાબ પણ મોજ કરશે. એવું એક તો કારણ જણાવો કે જેનાથી આતંકવાદી ભારત આવતા ડરે ? બીજુ હું જ્યાં રહુ છુ તે માંગરોલ દરિયા કિનારે છે અને હાઇલી સેન્સીટીવ એરીયા કહેવાય. અહી થી માધવપુર સુધીનો ૩૦-૪૦ કિમી લાંબો દરીયાકિનારો સંભાળવા હમણા સુધી એક બોટ અને ૧૦-૧૫ નેવીના જવાનો હતા. બીજુ વચ્ચેના નાના-નાના ગામડામા બે-ચાર ગામડા વચ્ચે એક ફોરેસ્ટ ઓફીસર હતા. બહારથી કાઈ પણ અહી લેન્ડ કરવું હોય તો બહુ સહેલુ છે. ભુતકાળમા લેન્ડ થયેલુ પણ છે. પણ હમણા સુધી કોઈ તકેદારી લેવાતી ના હતી. તાજેતરની મને ખબર નથી પણ બે વર્ષ પહેલા સુધી તો આ જ સ્થિતી હતી.

કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ હુમલો કરે અને પછી તેનો મુકબલો કરવો તેના કરતા તેને આવતા જ ના રોકી શકાય ? કાશ...

2 comments:

  1. Hi,

    Very Interesting Article...

    Keep it....




    Divyesh

    http://www.krutarth.com

    http://guj.krutarth.com

    http://eng.krutarth.com

    http://dreams.krutarth.com

    ReplyDelete
  2. પણ આ બધો બળાપો કરીને પણ શું ફાયદો?

    ReplyDelete