
હું કોણ છું. હું હાડ-ચર્મ, માસ-મન, અહંમ-અભિમાન, વેદના-સંવેદના, વિષય-વિચાર થી ભરેલો એક એવો માનવ છું, જે કર્મની સાથે ફળની પણ આશા રાખે છે અને એક જીદ્દ છે કે, શબ્દોથી વિશ્વને પ્રમાણીક બનાવવી છેં. કારણકે, જ્યારે આ વિશ્વનો દરેક માનવ પ્રમાણીક બનશે ત્યારે વિશ્વની બધીજ સમસ્યાઓ આપો-આપ શેષ થઈ જશે. આપ શું માન છો ?
Tuesday, November 9, 2010
૨૦મી થી ૨૧મી સદી -યંત્રો થી યંત્રો સુધીની.

Sunday, November 7, 2010
ચાલો તપાસીયે "વ્યક્તિત્વના સરવૈયા" આ દિવાળીએ.

આ જ પ્રક્રીયાના ભાગ રૂપે વર્ષોથી બે કામ થતા આવ્યા છે. ૧.સરવૈયા કાઢવા તથા ૨.બાકી આગળ ખેચવી. સરવૈયા એટલે કે ગયેલ વર્ષમાં કરેલ વેપારમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું. મુડી ક્યાં રોકાયેલી છે અને કોને આપવાનાં છે. ટુંકમાં પેઢીની કુલ હાલત કેવી છે તેનો ચિતાર આપતું દસ્તાવેજ. જ્યારે બાકી આગળ ખેચવી એટલે કે વર્ષ દરમ્યાન જે તે વ્યક્તિ સાથે કરેલ વહેવાર દરમાન્ય છેલ્લે સરવાળા બાદબાકી કર્યા પછી નિકળતી કે દેવાની થતી રકમ. ટુંકમાં આપણે આપ્યું હોય તેના કરતા ઓછી ચુંકવણી થાય તો બાકી ખાતે તેની પાસેથી લેણા નોંધાશે જ્યારે આપણે લીધા કરતા ઓછી ચુકવણી કર્યે તો બાકી ખાતે આપણા દેણા નોંધાશે. થોડા બોર થઈ ગયા ને. ધો.૧૧ કોમર્સના ક્લાસમાં હું પણ બોર થઈ ગયેલો. પણ વેપારનું આ સામાન્ય બેઝીક છે એટલે સમજ્યે જ છુટકો. પણ તમને થશે આને અને વ્યક્તિત્વને શું લેવા દેવા.
ચાલો તો હવે મુદ્દા પર આવું.
હવે વેપાર શબ્દની જગ્યાએ વ્યવહાર શબ્દ મુકીને અને મુડી શબ્દની જગ્યાએ લાગણી શબ્દ મુકીને જોવ જોઇએ. બધુ જ સમજાય જશે. ટુંકમાં પેઢીની સદ્ધરતા તેના મુડી રોકાણમાં છે, જેમ કે મુડી રોકાણી અને ફસાણી બન્ને શબ્દનો અર્થ અલગ થાય તે જ રીતે સ્નેહ,લાગણી, પ્રેમ, મીત્રતા તે વ્યક્તિત્વની મુડી છે યોગ્ય પાત્રમાં રોક્યે તો રોકાણ કર્યું કહેવાય સમય આવ્યે અને જરૂરીયાતના સમયે પાછા મળવાની આશ ખરી બાકી... જેમ વેપારમાં ધર્માદાની એક લીમીટ હોય છે તેમ વ્યવહારમાં પણ. એટલે વ્યક્તિત્વના સરવૈયા તપાસતી વખેતે જોય જવું કે પેઢી ફળચામાં તો જતી નથી ને ?
મોટા પપ્પા કહેતા કે ઘણા લાંબા સમયથી ચડત બાકી હોય અને તે આવવાની કોઈ જ આશા ના હોય તેને દીવાળી સમયે માંડી વાળવી આગળ ના ખેચવી. તે જ રીતે વહેવારમાં લાંબા સમયના મતભેદની બાકી ભુલી જઈ નવા વર્ષે નવી શુભ શરૂવાત કરવી પણ મોટા પપ્પાના પાછળના શબ્દો યાદ રાખી ને.. ભવિષ્યમાં તેની સાથે વેપાર (અહી વ્યવહાર) કરતા પહેલા સાત વખત વિચારવું.
તો ચાલો તપાસીયે વ્યક્તિત્વના સરવૈયા કેટલા નવા સંબંધો બાંધ્યા અને તે કેવા છે. જુના કેટલા સંબંધો ગુમાવ્યા અને તેના કારણો શું હતા ? સ્નેહનું મુડી રોકારણ યોગ્યતો છે ને ? આપણે સ્વાર્થી નથી બનવું પણ એટલું મુર્ખ પણ નથી બનવું કે લોકો આપણને ચેરીટેબલ આયટમ સમજી મનફાવે ત્યારે યુઝ કરી જાય. બી પોઝીટીવ, બી પ્રેક્ટીકલ. નવા વર્ષની તે જ શુભકામના સહ.
-: સીલી પોઇન્ટ :-
નવું તારીખ્યું હાથમાં આવે ત્યારે સૌથી પહેલા શું કરો છો ? મોટા ભાગના મારી જેમ આવતે વર્ષે દીવાળી કઈ તારીખે છે તે ચેક કરશે... :P