Friday, January 1, 2010

આપણે ૨૧મી સદીમા, ક્યારે ?

પહેલા તો બધા જ ને નવા વર્ષના સાલ મુબારક અંગ્રેજી મા કહુ તો Happy New Year. તમને થશે આપણે ૨૧મી સદીમા આવ્યા તેને બીજો દશકો ચાલુ થઈ ગયો અને હું કહુ છુ કે એકવીસમી સદીમા ક્યારે ? યાર મારી વાત પહેલા સાંભળો (અહી વાંચો) તો ખરા.

માની લીધુ કે આપણે આજે ૨૧મી સદીના બીજા દશકામા પ્રવેસી રહ્યા છીએ પણ આપણી માનશીકતા એટલી પુક્ત થઈ છે ? કદાચ આ પ્રશ્ન જોડે મારે બે-ત્રણ ઉદાહરણ આપવા રહ્યા. હમણા હમણા જ હું જે એક બે ઓર્કુટ કોમ્યુનિટીમા સક્રીય છુ ત્યાં બહુ સંવેદનશીલ વિષયો પર ચર્ચા થઈ રહી છે. આવી ચર્ચા વખતે થાય છે તેવું જ ત્યાં પણ થયું, બધા બે ભાગમા વહેચાય ગયા અને તે સ્વાભાવિક પણ છે. કોઈ પણ વિષય મા પક્ષ અને વિપક્ષ હોય જ છે. પણ અહી દુ:ખ તે નથી પણ ચર્ચાનું જે સ્તર હોવું જોઇએ તે જળવાયું નહી. આવી ચર્ચા વખતે લગભગ દરેક વ્યક્તિનો મેક-અપ પાછળનો ચહેરો દેખાય આવે છે. સમાજનું સાચુ સ્તર સંવેદનશીલ પરિસ્થિતીમા જ જણાય છે.

આપણે ફિઝીકલી ભલે આપણે ૨૧મી સદીમા પહોચી ગયા હોઈએ, આપણી લાઇફ સ્ટાઇલ, લીવિંગ સ્ટાઇલ બધામાં જ આમુલ પરિવર્તન આવી ગયું હશે, પણ આપણે માનશિક રીતે હજી પણ ૨૧મી સદીમા પહોચ્યા નથી. કપડા ટુંકા થતા ગયા હશે પણ આ કપડાની સાથે સાથે આપણા વિચારોની ગતિ પણ ટુંકી થતી ગઈ છે. સમાજમા આજે પણ અમુક બદ્દીઓ જેમની તેમ છે. આપણા મનના બહ્ય આવરણોમા ફેરફાર આવ્યો છે પણ મનના આંતરીક ખુણે હજી પણ એવું કાઇક છે કે જે આપણને પુર્ણ પણે ૨૧મી સદીમા જતા રોકે છે. આપણે આજે પણ એટલી બધી પુર્વમાન્યતાઓ થી પિડાયે છીએ કે ડગલે ને પગલે તે સામે આવી જાય છે. આજે પણ આપણે હ્યદય અને મન કરતા દ્રષ્ટીને વધુ માન્યતા આપીયે છીએ.

સાયન્સે જે વાત સાબીત કરી દીધુ છે તે માનવા તૈયાર નથી પણ આપણી માનશીકતા અને પુર્વગ્રહ પ્રમાણે આપણે ચાલ્યે છીએ. હું કઈ તરફ ઇશારો કરૂ છુ તે લગભગ બધા જ સમજી ગયા હશો. આજે કેટલીય સમસ્યાઓ ફક્ત આપણી આ માનશીકતાને લીધે છે. પણ... મનમા કોઇક ખુણામા રહેલી આપણી પેલી માન્યતાઓ વચ્ચે આવે છે. કદાચ આપણી સ્થિતી "કુતરૂ તાંણે ગામ ભણી અને શિયાળ તાંણે સીમ ભણી" તેવી છે. શારિરીક રીતે આપણે ૨૧મી સદીમા પહોચી ગયા છીએ પણ માનશીક રીતે આપણે ૨૧મી સદીમા જવા નથી દેતી. જે માનશીક અને શારિરીક બન્ને રીતે ૨૧મી સદીમા પહોચી ગયા છે તે પોતાને એકલા અનુભવે છે. હું પોતે મારી જાતને કુતરા-શિયાળા જેવી પરિસ્થીતીમા અનુભવું છુ એટલે અત્યારે તો એટલુ જ કહી શકુ, "ઇશ્વર સૌને સદબુદ્ધી આપે અને શરૂવાત મારાથી કરે."

-: સિલી પોઇન્ટ :-

નાગા વ્યક્તિની સામે અરીસોના રાખવો કારણ કે તે અરીસો એમ કહી ને તોડી નાખશે કે આ અરીસો મને નાગો દેખાડે છે.

No comments:

Post a Comment