Tuesday, March 17, 2009

"હોળી" ’એક સભ્યતાની આગવી ઓળખ’

કદાચ આ લખવા માટે હું થોડોક મોડો છું. પણ વિચારો ને ૧ વર્ષ સુધી દબાવી ના રખાય માટે લખી નાખુ છુ. કદાચ મારો આ ભ્રમ હોય કે બીજુ પણ જે લોકો વેલેન્ડાઇન ડે ની તરફેણમાં ખુલે આમ બરાડા નાખતા હોય તે જ જો હોળી કે દિવાળી સમયે પર્યાવરન કે બીજા કોઈ પણ કારણો આપી તહેવાર ના ઉજવવો જોઈએ તેવી દલીલ કરે ત્યારે આખા શરીરમાં એક કંપારી છુટી જાય છે. આ તો કેવા બૌદ્ધીકો અને કેવી તેની બુદ્ધી. શું હિન્દુ સભ્યતાને શિખવાની જરૂર છે કે તેણે પોતાના ્તહેવારો કેમ ઉજવવા ? કદાચ આ બૈદ્ધીકો ભુલી ગયા હશે કે વર્તમાન બધી જ સભ્યતાઓમાં ્હિન્દુ સભ્યતા સૌથી પ્રાચીન છે. ક્યાં કારણે આટલા વર્ષો પછી પણ આ સભ્યતા જીવંત રહી શકી છે ? આ પ્રશ્ન કોઇ બૌદ્ધીક ના મનમાં કેમ નથી આવતો ? જ્યારે કહેવાતી હિન્દુ ્સંસ્કૃતીની સમકાલીન(જો કે હું તો હિન્દુ સંસ્કૃતીને પ્રાચીનતમ માનુ છુ) એવી બીજી સંસ્કતી જેવી કે મીસરની,પરસીયન,રોમન,ગ્રીક વગેરે સંસ્કતી નામ શેષ થઈ ગય ત્યારે આ સંસ્કૃતી ક્યાં પરિબળના આધારે હજી પણ ઉભી છે ? કદાચ આવા પ્રશ્નો આ બૌ્દ્ધીકોના લેવલ બહારની વાત હશે.
હિન્દુ સંસ્કૃતી જે પરિબળ ના આધારે છેલ્લા ૫ હજાર વર્ષોથી આટ-આટલા આક્રમણો અને દમન છતા અડીખમ ઉભી છે તે પરિબળ છે "પરિવર્તનશીલતા" અંગ્રેજીમાં જેને ્ફ્લેકસી્બલીટી કહેવાય છે. હિન્દુ સંસ્કતી અને હિન્દુ લોકો સતત સમય અનુશાર બદલાતા રહ્યા છે. જુના રીતી-રિવાજોને ત્યાગી નવ અને વધુ સગવડ ભર્યા રિવાજો અપનાવતા રહ્યા છે. આજે ભલે ગમે તે કહે પણ ભુતકાળમાં માન્યતાઓ સાથે સૌથી વધૂ સમાધાન કોઇ સંસ્કતીએ કર્યું હોય તો તે હિન્દુ સંસ્કૃતી છે. ઉદાહરણ આપવાની જરૂર છે ?
વર્તમાન સમયમાં એક સુંદર સંસ્કૃતી નામશેષ થાવાના આરે ઉભી છે "પારસી સંસ્કૃતી".તેનું કારણ શું છે ? હિન્દુ લોકો જેટલુ પરિસ્થિતી સાથે સમાધાન કરી શકે છે તેટલુ કોઇ પણ સભ્યતાના લોકો નથી કરી શકતા. માટે જ આ કહેવાતા બૌદ્ધીકોને મારી નમ્ર વિનંતી છે કે પ્લીઝ અમને તમારા આ અતી બૌદ્ધીક પ્રયાસો માથી મુક્ત રાખો. અમને જ્યારે ખરેખર થાસે કે દિવાળી કે હોળી કે નવરાત્રીથી ખરેખર નુકશા્ન થાય છે ત્યારે અમે અમારી મેળે તેનો ત્યાગ કરીશું.(જેમ રાત્રે ૧૦-૧૧ પછી ગરબા રમવાનું બંધ કરીયે છીએ,જેમ દિવાળી પર મોટા અવાજ વાળા ટેટા ઓછા ફોડીયે છીએ તે જ રીતે.) મને વિ્શ્વાસ છે કે જે રીતે આપણા પુર્વજો બદલાતા આવ્યા છે તે રીતે આપણે પણ અનુકુલન સાધીશું અને આવનાર આપણા અનુગામી પણ બદલાતા રહેશે કોઇ પણ મોટા પ્રયત્ન વગર.
હેપ્પી હોલી.

2 comments:

  1. ૧૦૦% સાચી વાત છે. તહેવારો ઉજવવાં થી પર્યાવરણ ને કોઇ ખાસ નુક્સાન નથી થતુ. પણ આજ-કાલ પર્યાવરણ એ hot-topic હોવા થી આ પ્રસિદ્ધિભુખ્યા કહેવાતા-બૌદ્ધિકો તહેવારો થી પર્યાવરણ ને થનારા એમનાં જેવા જ કપોળ્કલ્પિત નુક્સાનો વિશે બરાડા પા્ડે છે.

    ReplyDelete
  2. હિન્દુ ધર્મ એટલે જ ઉત્સાહ અને ઉત્સવો નુ વાવાઝોડુ, ઉત્સવો ઉજવવા મા ઘણા ને બુમો પાડવાની ટેવ , અત્યારે ફેશન પડી છે. આને આપણે બદલી શકવાના નથી.
    આપણે જોમ અને જુસ્સા થી ઉત્સવ ઉજવશે જ

    ReplyDelete