Sunday, March 1, 2009

ચાલો વિશ્વને આપણી ઓળખ આપીયે.

બહું થયું જય હો..જય હો.. હવે વાસ્તવિક પરિસ્થીતી પર આવી જાવું ઉચીત છે. આજના છાપામાં વાસ્તવિકતા દર્શાવેલી છે. એ બાબત પર વધુ ના લખતા વાસ્તવિકતા શું છે અને આપણને જ આપણી કેટલી કીમત છે તેના પર આવું. આજે ભારત વિશ્વના એક મહાનત્તમ રાષ્ટ્ર તરીકે ્સ્વિકાર્ય બનતું જાય છે ત્યારે એક પ્રશ્ન મનમાં ઉઠે છે કે આપણામાં તેનું આત્મગૌરવ કેટલું છે. વારે તહેવારે આપણે આપણી તૃટીઓ વિષે આખા દેશને ભાંડીયે છીએ. આપને ત્યાં તો રસ્તા વહું ખરાબ ફોરેનના તો કોઇ રસ્તા ભાઇ. આપણે ત્યાં તો બહું ગંદકી ફોરેનમા તો ધુળ પણ જોવા ના મળે. આપને ત્યાં બહું ભ્રષ્ટાચાર,પોલ્યુસન વગેરે.
ચોક્કસ આ બધી વાત સાચી છે અને તેનો સ્વિકાર કરવો જ રહ્યો પણ શું આપણે આટલા જ ઉત્સાહથી આપણી સારી બાબતો બોલીયે છીએ ? કે પછી આપણામાં કોઇ સારા ગુણ છે જ નહી ? આજે ભાઇ માર્કેટીંગનો જમાનો છે અને આ જમાનામાં હંમેશા સારી વાતો જ બતાવાની હોય નહી કે ખરાબ અને તેમા આપણે કાચા પડીયે છીએ. વિશ્વના ક્યા દેશમાં એક પણ સમસ્યા નથી. બધે જ ઘણી બધી સમસ્યા છે. આપણા માથી ઘણા બધા વિદેશ પ્રવાસ કર્યો હશે અને ઘણા વિદેશમાં સ્થાય થવા જઈ રહ્યા હશે, ્શું તમે જે તે દેશ માંથી ૧૦૦% સંતોષ મેળવ્યો ?
મારામાં કાઇક પ્રતિભા છે તો તે મારે જ વિશ્વ સામે રાખવી પડશે કોઇ મને આવી ને નહી પુછે કે ભાઇ તને શું આવડે છે તે જ રીતે આપણે આપણી સારી બાબતો વિશ્વ સામે રાખવી પડશે બાકી છેલ્લા ૬૦ વર્ષથી જે ઉપેક્ષાની પીડ ભો્ગવ્યે છીએ તે હજી પણ આગળ ભોગવવી જ પડશે. આજે આપણે તે સ્થીતીમાં છીએ કે તમે વિશ્વને પ્રશ્ન કરી શકો છો કે કેમ ભાઇ અમારી ઉપેક્ષા કરો ્છો ? જો તમને અમારી જરૂર ના હોય તો અમને પણ તમારી કાઇ જરૂર નથી એમ કહી એક ધમકી આપી શકીએ તેમ છીએ. પણ આ બધું આત્મવિશ્વાસથી કહેવા માટે પહેલા તો આત્મગૌરવ જોઇએ.
છે તે આપણી પાસે ? આ એક મોટો યક્ષ પ્રશ્ન છે.

4 comments:

  1. સાચી વાત કહી આપે. જો આપણે જ આપણી સારી બાબતો નહિં જોઇ સકીએ તો બીજા તો ક્યાંથી જોવાના૵
    ખુબ જ જાગ્રત વિચારો છે આપના.

    ReplyDelete
  2. સાચી વાત કહી આપે. જો આપણે જ આપણી સારી બાબતો નહિં જોઇ સકીએ તો બીજા તો ક્યાંથી જોવાના૵
    ખુબ જ જાગ્રત વિચારો છે આપના.

    ReplyDelete
  3. ખૂબ જ સાચી વાત કહી તમે જાગ્રુતભાઈ. આપણે આતલી જ સુંદરરીતે આપણા દેશની ખૂબીઓ ફ઼્ઇલ્મના કચકડે કંડારી કેમ પ્રસ્તુત નથી કરી શક્તાં..ઓસ્કાર માટે દેશની દારૂણ ગરીબી જ કેમ પસંદ કરવામાં આવે છે? અને બઢી ચઠીને આપણે ગૌરવ થી કહીએ છિએ કે ઓસ્કાર મળ્યો...આ સાચે જોઈએ તો દેશ માટે ગૌરવ નહી પણ શર્મનાક વાત છે.આપ્ના જેવા જાગ્રુત નાગરીકો કંઈ ના કરી શકીએ આના માટે??? ત્યાંના ભારતીયોની હાલત તો વિચારો જરા...એમને શુ નુ શુ સહન કરવાનુ આવ્તુ હશે????

    ReplyDelete
  4. વાધનો ફોટો મસ્ત છે ; એકદમ પ્રભાવશાળી !

    ReplyDelete