Sunday, October 31, 2010

સાચો નિર્ણય, ખોટો નિર્ણય, યોગ્ય સમયનો યોગ્ય નિર્ણય.


શું કોઈ વ્યક્તિ હાથે કરી ને ખોટો નિર્ણય લેશે ? લગભગ નહી જ લે. મારા મતે કોઈ નિર્ણય ખોટો હોતો જ નથી ખાલી તેનું પરિણામ અપેક્ષાથી વિપરીત હોય છે. દરેક પરિસ્થિતી અનુરૂપ પ્રાપ્ય સાધન-સંપતિ માથી શ્રેષ્ઠ પરિણામ લાવવાની ઇચ્છા કોને ના હોય. પરંતુ નિર્ણયને યોગ્ય ગતિ તથા દિશા આપવામાં જોયતો શ્રેષ્ઠ પ્રયત્ન ક્યારેક ધાર્યા કરતા ઓછો નિવડે ત્યારે જોયતું પરિણામ કદાચ ના પણ મળે. ક્યારેક પરિણામથી થોડા દુર પણ રહી જવાય પણ આ બધી જ બાબતમાં નિર્ણય તરફ આંગળી ના ચીંધી શકાય. બીજુ ક્યારેક સમયને અનુરૂપ અમુક કઠોર નિર્ણય લેવા પડતા હોય છે જેની અસર ટુંકા ગાળા માટે ભલે વિપરીત હોય પણ લાંબા ગાળે તે સારૂ પરિણામ આવતા હોય છે. અમુક વખતે પરિસ્થી એવી આવીને ઉભી રહે છે કે બન્ને બાજુ એ નુકશાન જ હોય ત્યારે ઓછા નુકશાનવાળો નિર્ણય પસંદ કરવો જ રહ્યો. તો ક્યારેક મતલબી પણૂ ત્યજી પોતાનું થોડુક નુકશાન કરી એક કરતા વધુ લોકોનો ફાયદો ઇચ્છી અમુક નિર્ણય લેવા પડતા હોય છે. આ બધા જ નિર્ણય સાચા કે ખોટા નહી યોગ્ય સમયના યોગ્ય નિર્ણય કહેવાય.

આજથી બરોબર એક વર્ષ પહેલા હું કાઇક આવી જ કટોકટીમાં ફસાયેલો હતો. સ્વાર્થ અને અહં થી ઘેરાયેલા એક સમુહમાં જ્યારે લાગણીશીલ ખંભો પણ મળવો મુશ્કેલ હતો ત્યારે મારે નિર્ણય લેવાનો હતો કે સામે પડેલી એક નવી જ, ભલે કઠીન પણ ઉજ્જવળ જીંદગી, બાળકનું એટીકેટ અને કલ્ચરવાળૂ જીવન તથા વાઈફની પ્રમાણમાં પ્રાઇવેટ કહી શકાય તેવી લાઇફના ભોગે અમદાવાદ છોડવું કે નહી. એ તબક્કે બુમાવવાનું કાઇજ ના હતું, ના પૈસા ના સંબધો. સંબધો ફક્ત નામના જ હતા કોઈ પણ જાતના સ્નેહ કે હુંફ વગરના. અને બન્ને છોડ્યુ હોત તો કોઈ આંગળી પણ ના ચીંધેત કે તે શા માટે આમ કર્યું. કદાચ કોઈ પણ વ્યક્તિ પાસે સલાહ લેવા જાવ તો તે મને આંખ બંધ કરી ને આમ કરવાનું કહે. કારણ કે જે પરિસ્થિતીમાં સંયુક્ત પરિવાર હતો તે પરિસ્થિતીમાં તેને ટુટવું જ રહ્યું. બીજો કોઈ રસ્તો જ ક્યાં હતો. ખરેખર તે ખુબ જ કપરા દીવસો હતા. પરિવાર ટુટવા કરતા પણ જે પરિસ્થિતીમા ટુટવા જઈ રહ્યો હતો તે બહું કરૂણ હતું.

બીજો રસ્તો હતો મેળવેલુ બધુ જ મુકી આ કપરા સમયમાં પરિવાર અને ખાસ કરી ને પપ્પાની સાથે રહું. બબ્બે બહેનોના મેરેજ સામે હતા ત્યારે પરિવાર ટુટવો તે કદાચ વધુ પડતું હતું. અને તેમાં પણ ભાભીના અવસાનને હજી ૧૫ દિવસ પણ થયા ના હતા. આ બધી જ બબાલમાં સૌથી વધુ અમે મે અને પપ્પાએ સહન કર્યું હતું. તેમ છતા વિતેલું બધુ જ ભુલાવી એવા પ્રોબલેમનો હલ કરવા હું નિકળવા જઈ રહ્યો હતો કે જેને સુલજવાનો ચાન્સ પુરા ૧ % પણ ના હતો. તેમ છતા અહં અને સ્વાર્થ ને બાજુ એ મુકી મે તે નિર્ણય લીધો. મીત્રો-સ્નેહીઓ અરે સગ્ગા ભાઈએ જેનો વિરોધ કર્યો તે નિર્ણય લીધો. એ નિર્ણય કે જેમાં સૌથી વધુ નુકશાન મને જ હતું, શારીરીક, માનસીક, આર્થીક અને સામાજીક બધી જ રીતે. બધા જ બુમાબુમ કરતા રહ્યા અને મે હતાશા સાથે પણ મનમાં એકાદ ખુણે થોડી આશા સાથે ભીની આંખે અમદાવાદ છોડ્યું.

એ અમદાવાદ કે જ્યાં હું એક નવી ઓળખ પામ્યો, અમારી ૧૭ પેઢીમાં કોઈ એ જે કામ નહી કર્યું હોય તે કામ શીખ્યો અને તે કામમાં બીજા કરતા કાઇક વધુ સારી આવડત મેળવી. એ અમદાવાદ કે જ્યાં પરિવારથી પણ વિશેષ પહેલા વર્ચ્યુલ અને પછી રીયલ એક પરિવાર મળ્યો. જીવનના ગોલ્ડન દીવસોમા ના દિવસો હું જ્યાં જીવ્યો અને હ્યદયના ખુણામાં કાઇક અલગ અને વિશેષ સ્થાન પામનાર તે નામ મારા માટે એક શહેર નહી જીવન નું માઇલસ્ટોન છે. છોડતી વખતે આગળનો કોઈ રસ્તો મારા ધ્યાનમાં ના હતો બસ એક જ વાત મગજમાં હતી આ પરિસ્થીતીમા આનીથી વધુ સારો અને યોગ્ય નિર્ણય બીજો એક પણ ના હતો.

આજે એક વર્ષ પછી ? જો હું મારા નિર્ણયને મુલવવા બેસુ તો એમ કહી શકુ કે મે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો હતો. આજે પરિવાર લગભગ નોર્મલ સ્થીતીમાં છે. ભલે પહેલા જેવી મીઠાશ ના પણ કોઈ કમસેકમ પહેલા જેવી કડવાશ તો નથી. કદાચ આવનાર ભવિષ્યમાં તે મીઠાશ પણ આવી જાશે અને ના આવે અને કદાચ પરિવાર પોત પોતાના અલગ રસ્તાઓ પસંદ કરે તો પણ એક આનંદ હમેશા રહેશે કે આ પરિવાર એક વર્ષ પહેલા જેવી સ્થીતિમાં તો ક્યારેય નહી આવે. ભલે પરિવાર મને મારા નિર્ણય માટે ના યાદ રાખે પણ કમશેકમ હું મારી જાતને પરિવારના વિર્સજન માટે નિમીત ના બનવા બદલ આજીવન ધન્યવાદ આપીશ. આજે હું મારી ખુધની નજરમાં એક હીરો બની ગયો બીજા નોંધ લે કે ના લે તેનાથી શું ફરક પડે છે. કદાચ આ અભિમાન પણ હોય અને મને આ અભિમાન નો હક પણ છે. મે મારી જાતને આપેલો હક.

-: સિલી પોઇન્ટ :-

તમને થશે આ સિલી પોઇન્ટ એટલે શું ?
મારા મતે એવા બોધ કે જે મુર્ખાઇઓ માથી પ્રગટ થયા હોય અને જેના પર આપડે પોતે પણ હસી શકીયે.

4 comments:

  1. maru maanavu 6 k koi pan nirnaay lyo sacho k khoto ante to badhu vyavasthit ane sarkhuj thari jaay 6. jemke hindi movies maa hoy 6 ane stories maa hoy 6 tem happy ending k nahi bhaibandh..?

    ReplyDelete
  2. હંમ્મ !
    નિર્ણય માત્ર નિર્ણય હોય.મારી સમજણ પ્રમાણે સાચો-ખોટો નિર્ણય ના હોય...માત્ર નિર્ણય હોય.
    બાકી કપરા નિર્ણયો હોય એ વાત સો ટકા સાચી.
    અને તમારો અમદાવાદ છોડવાનો નિર્ણય "પારિવારીક કારણો" સિવાય પણ કેટલો અઘરો હશે એ હું સમજી શકું છું...મેં પણ અમદાવાદ ૧૯ વર્ષ રહીને છોડ્યું છે !
    ક્યારેક વિસ્તારથી જણાવજો તમારા આ નિર્ણય વિષે જાગ્રતભાઈ...નિર્ણયના કારણો તમે હજુ ક્યારેય મને જણાવ્યા નથી !

    ReplyDelete
  3. Bhai..
    really nice decision...:)
    ane writting to saras j chee :)

    ReplyDelete