Showing posts with label અવલોકન. Show all posts
Showing posts with label અવલોકન. Show all posts

Wednesday, August 26, 2015

અનામતની આંધી – “અંતનો આરંભ કે આરંભનો અંત”




એક દોઢ મહીનાથી ગુજરાત વિચિત્ર સ્થિતીમા મુકાયુ છે. કોઈ ને કલ્પના પણ ના હોય તેવી વાતના પથ્થરએ ગુજરાતની શાંત સ્થિતીમા વમણો પેદા  કર્યા. વાત સાવ સિધીને સાફ હતી… “અનામત નો લાભ જન્મ આધારીત નહી પણ આર્થીક આધાર પર મળવો જોઇએ.” વાત સાવ સાચી અને સિધી છે. જ્યારે જન્મ પર કોઈ વ્યક્તિનો વસ ના હોય ત્યારે ફક્ત જે તે જ્ઞાતીમા જન્મ લેવાથી અનામતનો લાભ મળે અને કોઈ એક જ્ઞાતિ કે ધર્મમા જન્મ લેવાથી અનામત મળે તે તો કુદરતના પણ નિયમ વિરુદ્ધની વાત ના થઈ
૧૯૯૬ મા S.S.C.ની પરિક્ષા ૫૭ % સાથે પાસ કર્યુ.. સાયન્સ મા રસ અને ગણીત-વિજ્ઞાનમા ૮૦%+ માર્ક હોવા છતા હું પેન્ડીંગ એડમીશનની લાઇનમા ઉભો હતો. ડોક્ટર-એન્જીન્યર થવાના કોઈ સપના ના હતા અને સાચુ કહુતો તેવડ પણ હતી. સાયન્સ લઈ B.Sc કરી ને ગણીત અથવા તો બાયોલોજીનો શિક્ષક થવુ હતુ. પેન્ડીંગ લાઇનમા મારી સાથે ઉભેલા લોકો ને તેના માર્ક પુછ્યા તો કોઈ ના ૧૦૦ માથી ૯૭ ને કોઈ ના ૯૫ એટલે કે ૫૦ % થી પણ ઓછા. તેમ છતા તેમાથી અમુક ને જે તે સ્કુલમા એડમીશન મળી ગયુ અને મને ના મળ્યુ. કારણ કે કેટેગેરી મેરીટ નું કટ ઓફ ૨૦૦ માથી ૧૦૦ નું હતુ તે હિસાબે તે લોકોને થી માર્ક ઘટતા હતા જ્યારે જનરલ કેટેગેરી ના કટ ઓફ થી હું ખાસ્સા ૧૦ માર્ક દુર હતોજે તે સ્કુલમા એડમીશન મળ્યુ અને સાયન્સ સાથે મારા ભણવાનું પણ નામુ નંખાય ગયુ.
કદાચ મારે જે બનવુ હતુ તે બની શક્યો તે ના કારણો માં પ્રસંગનું મહત્વ ગણ્ય હશે અને કદાચ તે સ્કુલમા એડમીશન મળ્યુ હોત તો પણ કદાચ નિયતી મુજબ હું અત્યારે અહી હોત પણજે થયુ તેનો અફસોસ જીંદગી ભર રહેશે. માર પ્રિય દાર્શનિક શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ કહે છે તેમ જે વ્યક્તિનો વર્તમાન ખરાબ હોય ને તે ભુતકાળ ને ભાંડે .
પાછો આજ પર આવુ, તો છેલ્લા એક દોઢ મહીના થી જે થઈ રહ્યુ છે તેની સત્યતા અને સાર્થકતા ઉપર છાપાઓના પાના અને FB-વોટ્સએપ પર પોસ્ટઓ ભરાય તેટલુ લખાયુ છે. જે લખાયુ છે તેને જસ્ટીફાય કરવાનો કોઈ પ્રયાસ નથી અને નથી આંદોલનની ટીકા કે તરફેણ કરવાનો પ્રયાસ. ઇતિહાસ-આર્થીક-સમાજીક વિષયોની દિર્ઘ છણાવટો ઘણી થઈ ગઈ પણ છેલ્લા સમય સુધી કાઇક ખુટતુ હોય તેવુ લાગ્યા કર્યુ અને એટલે લેખન વનવાસ કાળ હોવ છતા લખવા પ્રેરાયો.
જે લખાયુ-ચર્ચાયુ તે બધુ પોતાને ઠેકાણે પણ કોઈ ને થયુ કે અચાનક એવી તો શું પરિસ્થિતી થઈ કે જે લોકો અનામત ની વિરોધ મા હતા તે લોકો ને અનામત માંગવાનો સમય આવ્યો ? મુદ્દો રાજકીય-શૈક્ષણીક-વ્યવસાઇક કરતા આર્થીક અને સામાજીક વધુ છે. જો જો વાત અનામત માંગતી કોઈ એક જ્ઞાતિ કે સમાજ સાથે જોડવાની ભુલ ના કરતા. વાત છે બધી કહેવાતી ઉચ્ચ જ્ઞાતીઓની અને તેમા લખનારની જ્ઞાતી પણ આવી જાય છે. વર્ગ સમાજ વ્યવસ્થાનો એવો ભાગ છે કે મોટા ભાગે વ્યવસાય કે નાના મોટા ઉદ્યોગો સાથે જોડાયેલો છે. પોતાની જ્ઞાતિના સમુહના ટેકે ટેકે આગળ આવ્યો છે અને પોતાના નાના મોટા સમુહમા સુખે થી રહે છે. તો પછી તકલીફ ક્યા થઈ ? સમાજ વ્યવસ્થાના એક સામાન્ય અભ્યાસી લેખે અમુક મુદ્દાઓ ધ્યાનમ આવ્યા છે તે જણાવું.
. અંગ્રેજીમ કહેવત છે Don’t put all Eggs in one basket, બધા ઇન્ડા એક ટોકરીમા મુકવાં નહી, ટોકરી પડી નથી ને બધા ઇન્ડાનું રામ બોલો ભાઈ રામ થયુ નથી. કહેવત જેટલી આર્થીક બાબતો ને લાગુ પડે છે તેટલી સામાજીક બાબતો ને પણ લાગુ પડે છે. સંગઠીત સમાજ પ્રગતી કરે, સુખ દુ:ખમાં એક બીજા ને મદદરૂપ થાય પણ આખાસમાજ ઉપર કોઈ આર્થીક કે સામાજીક આફત આવે ત્યારે ? તોફાની દરીયામા ૫૦ લોકો એક બોટ પર સવાર હોય અને - લોકો ૧૦ બોટ પર હોય ત્યારે જાનહાની ની શક્યતા એકલી બોટ કરતા ૧૦ અલગ-અલગ બોટમા ઓછી રહેલી છે તેવુ આંકડાશાસ્ત્રનો નિયમ કહે છે. આઇ બાત સમજ મે
. વાઇબ્રન્ટ સમયમા સમય સાથે બદલવુ પડે, વિકાસ વર્ટીકલની સાથે હોરિઝન્ટલ પણ થવો જોઇએ. ૧૦૦ માળની ૫૦ બિલ્ડીંગ કરતા ૧૦ માળની ૫૦૦ બિલ્ડીંગ વધુ વાસ્તવિક વિકાસ ની સ્થિતી દર્શાવે છે. કોઈ સમાજની આર્થીક પ્રગતી ત્યારે થઈ ગણાય કે તેની કુલ સંપતી વધુ માં વધુ લોકો વચ્ચે વહેચાયેલી હોય અને તો તે સમાજ શંતિથી રહી શકે. બીજુ વેપાર ધંધામાં નવીનીકરણ થાય તો હરીફાયમા ટકવુ શક્ય બને.
. મહત્વનો અને છેલ્લો મુદ્દો, નવી પેઢી એક સુરક્ષીત અને સ્થાયી જીવન જીવવાની લાલસામા સપડાય ગઈ છે. જોખમ થી ડરે છે તેમ તો નહી પણ જોખમથી દુર જરૂર ભાગે છે. ૧૦ થી ની નોકરી અને શનિ-રવીની રજાની લાલસા વેપાર-ધંધા પર હાવી થતી જાય છે. સામે પક્ષે દીકરીના મા-બાપ પણ એવુ ઇચ્છે છે કે પોતાની દીકરી નોકરીયાતના ઘરમા જાય . વર્ષે કરોડનું ટર્ન ઓવર કરનાર, એક એવરેજ સરકારી ઓફીસ કરતા વધુ નો સ્ટાફ ધરાવનાર અને એક વિદ્યાસહાયકના પગાર કરતા વધુ ટેક્ષ ચુકવનાર ને યોગ્ય જીવન સાથી મળવામાં ફાફા પડવા સામાન્ય વાત છે, ત્યારે કહેવાતા ઉચ્ચ જ્ઞાતિ નો જોક અનામત તરફ જવો સ્વાભાવિક છે.
એક પરિવર્તનની શરૂવાતના આશા ના કિરણ જેવું આંદોલન જે તબક્કે પહોચ્યું છે ત્યારે પ્રશ્ન થવો વ્યાજબી છે,  “અનામતની આંધીઅંતનો આરંભ કે આરંભનો અંત ?”
-: સિલી પોઇન્ટ :-

અનામત આંદોલનના કન્વિન્યરશ્રી ની આખી સ્પિચ સિલી પોઇન્ટ તરીકે

Saturday, October 18, 2014

નિયત, નિષ્ઠા, નિતિમત્તા





       જન્માષ્ટમી ઉપર પરિવાર સાથે પોરબંદર મેળામા જવાનું થયું, આમ તો બધુ સામાન્ય હતુ પણ એક વાત જો કે આંખને ખુંચી . લગભગ બધી જ રાઇડ્સ જેવી કે કોલંબસ, બ્રેક ડાન્સ, ટોરાટોરા, રોકેટ, ડ્રેગન વગેરે ની ટિકીટનો દર સમાન ૧૦ રૂ. હતો. ગયા વર્ષે આ દર અલગ અલગ એટલે કે અમુકના ૧૦ તો અમુકના ૨૦ રૂ. એમ હતો. બીજુ બધી જ રાઇડ્સ લગભગ એક-બે રાઉન્ડ લગાવી લોકો ને ઉતારી દેતા હતા. અમુકમા તો હજી સ્પિડ પકડી ના પકડી ત્યાં તો ઉતરવાનો સમય થઈ જતો હતો . કારણ બહાર નિકડતી વખતે સામે લાગેલા બોર્ડ પર નજર પડી ત્યારે જાણવા મળ્યુ . “નગરપાલીકા મેળા આયોજન સમિતી દ્રારા બધી જ રાઇડ્સ નું રૂ. ૧૦ નું ભાવ બાંધણુ કરે છે.”
       વર્ષોથી અમદાવાદ રેલ્વે-બસ સ્ટેશન પર ઉતરવાનું થાય છે. જ્યા જવુ હોય ત્યાં મીટર થી નહી ફિક્સ ભાડા થી આવવાની કેટલાય રિક્ષાવાળા જીદ્દ કરતા હોય છે. અજાણ્યા ને તો મીટર ઉપર જવાનો ડર જ લાગે ક્યાંક ફેરવી ફેરવી ને લઈ જાય તો ? મુંબઈ દાદર સ્ટેશન પરથી પ્રિ-પેઇડ ટેક્સી કરેલી, ટ્રાફીક જામના બદલામા એક્ટ્રા રૂપિયા માંગવા મા આવેલા નહિતર ટ્રેઇન ચુકાવી દેવાની રિતસર ધમકી મળેલી.
       બાળકોને લઈ ને કેટલીય વખત દવાખાને લાઈનમા બેસેલો છુ. લગભગ દરેક વખતે નવા કેસ ૭૦ રૂપિયા હોય અને ઇમર્જન્સી કેસના ૧૦૦ હોય તો કેટલાય નમુના ૩૦ વધુ ખર્ચી વહેલો વારો લેવાની લાલચ રોકી નથી શકતા . પછી ભલે ને બીજાના બાળકો રડતા હોય.
       ૧૯૯૦ ના દશકામા પેકેટમા બટેટાની વેફર્સ બજારમા મળતી થઈ. બે વિદેશી બ્રાન્ડ સાથે બે મુખ્ય દેશી બ્રાન્ડ આવતી. આજે જોવા મળે છે તેવી વેરાયટી અને વિવિધતા તો ના હતી અને આવા હારડા પણ ના હતા. દેશી બ્રાન્ડની એક વેફર્સ કંપની ની પોલીથીનની થેલી મીણબત્તીથી પેક કરેલી અને ૫ રૂપિયા મા પેટ ભરાય એટલી તેલ થી લથબથ વેફર્સ મળતી. અત્યારની જેમ રમ્કડાની જગ્યાએ ઘણી વખત માચીસની કાંડી કે પછી બટેટાની છાલ પણ નિકળે જેવા જેના નસિબ. પણ આજે, મંદિરમા મળતા પ્રસાદ  કરતા પણ ઓછી સંખ્યા (વજન કેમ કહેવુ ?) મા વેફર્સ આ પેકેટ મા મળે છે. આવુ તો કેટલુય ૫ રૂપિયામા મળે છે.
       મીત્ર ખીમજીભાઈની કોસ્મેટીકની દુકાને અઠવાડીયે ૨-૩ દિવસ બેસવાનુ થાય. હાલ લગભગ બધી જ આયટમ્સ મા સ્કિમ ચાલે છે. ડીયો સાથે સાબુ, શેમ્પુ સાથે કંડીશનર કે ફ્રેસવોસ, ટુથ પેઇસ્ટ સાથે બ્રસ, વોસિંગ પાવડર સાથે બકેટ આવી તો કેટલીય ફ્રિ ની સ્કિમ ચાલે છે. બધી સ્કિમ મા એક વાત કોમન હોય છે ૧૦૦ થી ૧૫૦ ની વસ્તુ સાથે ૩૦ થી ૮૦ ની માર્કેટમા ના ચાલતી વસ્તુ ધાબડી દેવામા આવે છે. સાબુ વાળા તો કમાલ કરે છે, ત્રણ ઉપર એક ફ્રિ ની સ્કિમ મા પહેલા જે સાબુ ૧૦૦ ગ્રામનો આવતો હોય તેને તે જ ભાવ સાથે ૭૦ ગ્રામ નો કરી નાખે. સિધો હિસાબ પહેલા જે રૂપિયા મા મા ૩૦૦ ગ્રામ સાબુ મળતો તે હવે તેટલા જ રૂપિયામા (ફ્રિ સાબુ સાથે) ૪ X ૭૦ = ૨૮૦ ગ્રામ જ મળે.
       આ બધા જ દાખલા વ્યક્તિ-ઉત્પાદક-સેવા આપનાર ની નિષ્ઠા, નિયત અને નિતિમત્તા ના અભાવના છે. બધા જ એવા છે એવુ નથી પણ જે છે તેનુ પ્રમાણ અને તેનો પ્રભાવ સમાજ ઉપર ખુબ વધુ છે. આ તબક્કે એક પ્રશ્ન થાય આ બધાની જરૂરિયાતો કેટલી ? શું આવુ કર્યા વગર જીવન શક્ય જ નથી ? આપણે પણ જીવનમા ક્યાંક-ક્યારેક આવુ કર્યુ હશે ત્યારે આજે જાત ને સવાલ પુછ્યે શું આ બધુ આટલુ જરૂરી હતુ ? અરિસામા જાત ને જોતિ વખતે વિખેરાયેલા વાળ વચ્ચેની સફેદી નજરે ચડતી હોય તો આવા આત્મા પર લાગેલા દાગ કેમ નથી દેખાતા ?
       અમુક ફરજો સરકારની હોય, અમુક ફરજો સમાજની હોય અને અમુક ફરજો વ્યક્તિની હોય. સરકાર અને સમાજને ભાંડતા પહેલા શું આપણે ૧૦૦ % ખાતરી થી કહી શક્યે છીએ કે આપણી વ્યક્તિગત ફરજ આપણે નિભાવીત છે ? જવાબ સાચી નિયત-નિષ્ઠા અને નિતિમત્તા થી શોધીશુ તો કેટલીય સમસ્યાઓનો નું કારણ અને કારક આપણે ખુદ હોયશુ.

-: સિલી પોઇન્ટ :-
 U.P. લોકસભા ચુટણી ના પરિણામ પછી મુલાયમસિંહ તેના પુર્વજો ઉપર ગુસ્સે થયા હશે . તેમણે થોડી વધુ મહેનત કરી હોત તો PM નહી તો વિપક્ષના નેતા નું પદ તો પોતાને મળત. :D
      

Saturday, March 31, 2012

ઘટનાઓ ની આસપાસ – ૨.૨


ઘટનાઓ ની આસપાસ – ૨.૨

“કેમ મણીબેન આજે આટલી જ છોકરીઓ આવી છે ? કાઈ પ્રસંગ છે કે શું ?
“ના રે ભાઈ આ તો રાહત ચાલુ થઈ ગયા છે એટલે અને હવે તો કાલ થી આટલી જ કામે આવશે.”
“રાહત અને અત્યારે ? અને રાહત તો દુકાળ હોય ત્યારે જ ચાલે ને આ વર્ષે તો ભરપુર વરસાદ પડ્યો છે ને ?” અનાયાશે જ  મારા થી પ્રશ્ન પુછાય ગયો.
“આ તો સરકારે પિળાકાર્ડ વાળા માટે કાઈક આ વર્ષ થી જ હવે બારે માસ રાહત ચાલુ રાખ્યા છે એટલે.”
“સારૂ ત્યારે હવે જટ કામે વળગો.” ૨૦ વ્યક્તિનુ કામ ૧૨ પાસે કેમ કરાવવું તેની ચિંતા મારા સ્વરમાં સંભળાતી હતી.
ઉપરિક્ત વાર્તાલાપ બે-ત્રણ વર્ષ પહેલા નો છે. ફેક્ટરીમાં હું પ્રોડક્શન સંભાળતો અને મોટાભાગનું વિણવાનું કામ આજુ-બાજુ ના ગામડા માથી આવતી છોકરીઓ કરતી. અચાનક ૪૦ % મેન પાવર ઓછો થઈ ગયો તેનું કારણ જાણવાની ઉત્કંઠા અશહ્ય હતી. થોડા દિવસ પછી ખબર પડી આ તો કેન્દ્ર સરકાર ની યોજના નરેગા નો પ્રતાપ છે.

ગુજરાત એવુ રાજ્ય છે કે મોટા ભાગની પ્રજા સ્વતંત્ર વ્યવસાય સાથે સંકળાયેલી છે અને તેમા પણ સ્મોલ અને મીડલ ઇન્ડસ્ટ્રીઝ નું પ્રમાણ વિપુલ છે. આ એવા વ્યવસાયઓ છે જ્યાં સેમી ઓટોમેશન + મેન પાવર નો ઉપયોગ થતો હોય છે. એટલે કે અમુક કામો અશીન દ્રારા અને બાકી નું કામ માણસો દ્રારા લેવાતુ હોય છે. તે સિવાય કૃષિ ઉત્પાદનમાં પણ ઉખ્યત્વે માણસો દ્રારા કામ લેવાતુ હોય છે. તેના બે કારણો છે ૧. તો બારમાસી પાકો માટેની યોગ્ય સવલતો હોતી નથી ૨. ખેતરો નાના નાના યુનિટમાં વહેચાયેલા હોય છે. આ બન્ને જગ્યાએ નરેગા એ લગભગ જોરદાર ફટકો માર્યો છે.

ઉદા. તરીકે એક ફેક્ટરીમાં ૨૦ માણસો કામ કરે છે. તે ફેક્ટરીનો ફિક્સ કોસ્ટ રોજ ના ૧૦૦૦ રૂપિયા છે + પ્રતિએક માણસ ને ૮૦ લેખે ૧૬૦૦ રૂપિયા વેરીયેબલ કોસ્ટ લાગે છે. તે ફેક્ટટરી રોજના ૧૦ ટન નું ઉત્પાદન કરે છે એટલે કે દરેક ટન દીઠ ૨૬૦ રૂપિયા ખર્ચો લાગે છે. નરેગા માં ૮ મજુર જવાથી મજુરની અછત ઉભી થાય છે એટલે ૮૦ વાળી મજુરી સીધી ૧૫૦-૨૦૦ રૂપિયા એ પહોચી જાય છે. સામે ઉત્પાદનમાં ૪૦ % નો ઘટાડો થાય છે એટલે હવે પછી નું ગણીત ૧૦૦૦ ફિક્સ + ૨૧૦૦ મજુરી (૧૭૫ લેખે) = ૩૧૦૦ તે પણ પાછી ફક્ત ૬ ટન ની એટલે કે ટન દીઠ ઉત્પાદન ખર્ચ થયો ૫૧૬ રૂપિયા. ઓલમોસ્ટ બમણો.

એક ખેડુત ને પાંચ વિઘા જમીન છે દર વર્ષે તે ફક્ત શિયાળૂ પાક જ લઈ શકે છે. ચોમાસા માં ૧૫-૨૦ દિવસ તે પાંચ મજુર પાસે કામ લેવડાવે છે મજુરી ૮૦ રૂપિયા રોજ લેખે. કુલ ચુકવવા ના થતા રૂપિયા ૮૦૦૦ એટલે કે વિઘે ૧૬૦૦ રૂપિયા.  નરેગા આવતા ૫ વાળા ૩ જ મજુર મળે છે ૮૦ વાળૂ રોજ ૨૦૦ થી ૨૫૦ રૂપિયા થાય છે અને ૧૫-૨૦ દિવસ નું કામ ૨૫ થી ૩૫ દિવસમાં પતે છે. કુલ ખર્ચ (૩ મજુર ૨૨૫ મજુરી ૩૦ દિવસ) રૂપિયા ૨૦૨૫૦ એટલે કે વિઘા દિઠ ૪૦૫૦ રૂપિયા.

બિજી બાજુ કોઈ જ જાતની ઉત્પાદકીય મહેનત વગર એક આખો સમુહ પૈસા રળે છે. એક બાજુ મેન પાવરની તાતી જરૂર છે તો બીજી બાજુ બીન ઉત્પાદીકીય શ્રમ પાછળ કરોડો-અરબો રૂપિયા ખર્ચો થાય છે. આને કહેવાય “હો રહા ભારત નિર્માણ” .
*****
પેટ્રોલ-ડીઝલ  પર ભાવ વધારો તોળાય રહ્યો છે. ભાવ વધારા નું સીધુ કારણ વપરાસ માં થયેલા વધારા ને ગણવામાં આવે છે અને જે એક રીતે યોગ્ય પણ છે. વપરાશ વધવાનું કારણ લોકો ની સુખાકારી માં આવેલો વધારો હોય શકે પણ સૌથી મોટૂ કારણ જાહેર પરિવહન ના સાધનો નો અભાવ છે. આઝાદી પછી પણ લગભગ એ જ ગતી અને દીશામાં જાહેર પરિવહન નો વિકાસ થઈ રહ્યો છે જ્યારે દેશની વસ્તિ તથા ઓદ્યોગીક વિકાસ વધુ જડપી દરે વધે છે. આ બન્ને વચ્ચેનો ગેપ મુંબઈ-દિલ્હિ-કોલકત્તા જેવા મેટ્રો સીટીમા તો બે-ત્રણ દશકા પહેલા જ વર્તાય ગયેલો છતા બહુ ઓછા પગલા લેવાયા અને જે લેવાયા તે પણ બહુ મોડે મોડે.

હવે વારો અમદાવાદ-પુના-બેગલુર જેવા મેગા તથા મધ્યમ કક્ષા ના સીટીનો આવ્યો છે. અહી પણ ખુબ જડપથી થઈ રહેલા વિકાસ સામે જાહેર પરિવહન ના સાધનો ટીંગાઈ રહ્યા છે. ખુબ જડપથી અને વિસ્તૃત રીતે આ દીશામાં પગલા લેવામાં ના આવ્યા તો રાજકોટ-જામનગર-બરોડા જેવા શહેરોમાં પણ મુંબઈ જેવા દ્રશ્યો જોવા મળે તો નવાઈ નહી અને પેટ્રોલ રૂ ૧૦૦-૧૨૫ લીટર મળે તો સસ્તુ ધારજો.

*****
કોઈ પણ વસ્તુ વિપુલ પ્રમાણમાં મળતી હોય ત્યારે તેનો બે-ફામ ઉપયોગ કરવો અને થોડીક અછત જેવુ લાગે ત્યારે તેનો બે-ફામ સંગ્રહ કરવો તે આપણી માનશીકતા છે. તે પછી પરચુરણ જેવી સાવ મામુલી વસ્તુ કેમ ના હોય . બે દિવસ પહેલા જ મારા ખીસ્સામાં જમા થયેલ એન્ટીક ને પણ આટે તેવી પાંચની અમુક નોટો ને બાજુના ગલ્લા વાળા ને એ પધરાવી. અમુક નોટો અડધી હતી તો અમુક પોણી. અમુક તો વળી હોસ્ટેલમાં રહેતા વિધ્યાર્થી ૩-૪ દિવસ કપડા ધોવાની આડશ કરી ગયો હોય અને છેલ્લે એક જોડ નુ પેન્ટ અને બીજા નું શર્ટ પહેરી મીસ-મેચ કરે તેવી હતી. એક સરેરાશ વ્યક્તિ રોજ કેટલી વખત ખરીદી કરતો હશે ? ૨-૫-૧૦ વખત કે તેથી વધુ બહુ બહુ તો ૧૫ વખત. શું દર વખતે તે ૧૨-૨૨ એવા ઓડ ફીગરમાં જ ખરીદી કરશે ? રોજ નું કેટલુ પરચુરણ જોયે ? આપણી સંગ્રહ કરવાની આ કુ-ટેવ નો ગેરફાયદો દુકાનવાળો ચોકલેટ-ધાણાદાર જેવી વધારાની અણજોયતી વસ્તુઓ ધાબડી ને લે છે. અમુક લોકો તો છુટ્ટા હોવા છતા કાઢતા નથી અને માર્કેટમાં છુટ્ટાની તંગી રહે છે તેનો ગેર-ફાયદો અમુક તત્વો કૃત્રીમ તંગી ઉભી કરી લે છે. નીચે મુજબ ના અમુક સાધારણ નીયમ પાડી બીનજરૂરી ખર્ચ ને તાળી શકાય છે.
૧. બની શકે ત્યાં સુધી યાદી બનાવી એક સામટી ખરીદી કરવા નીકળો. શાકભાજી જેવી વસ્તુ શક્ય હોય ત્યા સુધી બે-ત્રણ લોકો સાથે લેવા નીકળો અને સાથે જ બીલ બનાવી અદરો અંદર સમજી લો.
૨. રોજીંદી વસ્તુઓ ના ભાવનો અંદાજ હોય તો જોયતા છુટ્ટા સાથે લેતા જાવ.
૩. વધારા ના પૈસા ની સામે ચોકલેટ-વળીયારી જેવી બીનજરૂરી ચીઝો લેવા કરતા દુકાનદાર પાસે જમા રખાવો. બીજા વખતે એક્જેસ્ટ કરવામાં કામ આવશે. ( રોજીંદો અને ઓળખીતો દુકાનવાળો હોય તો) બાકી છુટ્ટા પૈસા રાખવાની દુકાનદારની ફરજ છે અને તે માંગવો તમારો હક્ક.
૪. છુટ્ટા પૈસા ના હોવાથી કોઈ દુકાન દાર કોઈ ચિજ ના આપે તો તેનો યોગ્ય પ્રતિકાર કરો. દુકાનદાર પોતાની પાસે હાજર હોય તેવી કોઈ વસ્તુ કામકાજના કલાકો દરમીયાન વેચવાની ના નથી પાડી શકતો.

કદાચ આટલુ પુરતુ ના પણ હોય છતા પ્રયત્ન કોકે તો કરવો જ રહ્યો.

નોંધ :- લગભગ ત્રણ મહિના થી ભેગુ થયેલુ છુટુ છવાયેલુ લખાણ ને બે પોસ્ટ માં સંકલીત કરવાનો પ્રયાસ કર્યો છે.

-: સીલી પોઇન્ટ :-

કાના આતા અમેરીકા જતા હતા. સિક્યોરીટી ચેક માં કાઇક સંગિદ્ધ વસ્તુ X-Ray માં દેખાણી. થેલો ફંફોળતા એક ડબ્બો જડ્યો તેને ખોલતા આખ્ખો સિક્યોરીટી રૂમ વાસ વાસ થઈ ગયો. ઓફિસરે પુછ્યુ શુ છે આમાં ? બાજુ ના ઉકરડા માથી થોડુ ખાતર ભર્યુ છે. મારો ખાટલો ન્યા જ પડ્યો હોય છે અને આ વાસ ની હવે આદત પડી ગઈ છે કદાચ અમેરિકા માં ના જડે તો એટલે હારે લઈ જાવ છું. –આપણૂ પણ એવુ જ છે ખબર છે કે અમુક આદતો ખરાબ છે છતા તેને સાથે ને સાથે જ રાખ્યે છીએ. 

Friday, March 30, 2012

ઘટનાઓ ની આસપાસ - ૨.૧


ઘટનાઓ ની આસપાસ - .

એક હતો ચકો અને એક હતો મકો. બન્ને પિતરાઈ ભાઈઓ. ચકો મોટો અને મકો નાનો. ચકો આમ તો સંવેદનશીલ પણ પ્રકૃતીનો થોડો શાંત. બનતા સુધી જતુ કરે. મકો થોડો ચંચળ અને પ્રમાણ વધુ તોફાની. હાલતા ને ચાલતા ચકા ને હેરાન કરે. ક્યારેક તેની પેન્સિલ તોડી નાખે તો ક્યારેક બુક ફાડી નાખે. ઘરના બધા ચકાને સમજાવે કે મકો નાનો છે એટલે તારે જતુ કરાય અને ચકો જતુ પણ કરે.
આમને આમ ઘણો સમય ચાલ્યુ. ચકાની જતુ કરવાની ભાવના મકો તેની નબળાઈ સમજી બેઠો અને હેરાન કરવાનું પ્રમાણ દિવસે દિવસે વધતુ ગયુ. ચકાની ચોકલેટ બિસ્કિટ જેવી વસ્તુ મકો તેના હાથ માથી લઈ ને ખાય જાય, શર્ટ પર શાહી નાખી ડાઘ લગાડી દે અને ધીરે-ધીરે મારામારી સુધી વાત પહોચી ગઈ. છતા બધા તો ચકા ને સમજાવે તુ મોટો છે ને તારે જતુ કરાય. એક દિવસ કોઈ કારણ વગર મકાએ ચકાને બટકુ ભરી લીધુ અને ચકાની સહનશક્તિની લીમીટ પુરી થઈ ગઈ. એક તો ઉમરમાં મોટો અને શરિરે તગડો ચકા એ બે-ચાર ફેરવી ફેરવી ને મકા ને દીધી. મકો ગાંગરતો ગાંગરતો ઘરના વડીલ પાસે ગયો ત્યારે માડ મકો છુટ્યો.
તે દિવસ થી ચકાની છાપ મારકણા તરીકે પડી ગઈ. હાલતા ને ચાલતા બધા ચકાને વખોડતા જતા. જાણે કેમ ચકાએ કોઈ કારણવગર મકાને માર્યો હોય ? આ ચકો એટલે મારો પુત્ર યથાર્થ . સાચુ કહેજો તમે ચકો એટલે શું ધાર્યુ હતુ ? ફેબ્રુઆરી મહિનો હમણા જ ગયો. આ મહિના માં કહેવાતા સેક્યુલરો ના મગજ થોડાક અંત:સ્ત્રાવો નું ઉત્પાદન વધારી દે છે. ભાદરવા માં જેમ કુતરાઓ ચકરાવે ચડે તેમ આ જમાત ચકરાવે ચડે છે. મીડીયાને પુરતો મસાલો મળી રહે તેના પુરતા પ્રયાસો આ લોકો કરે છે. આ વખતે ટી.વી. પર ગોધરાકાંડ (ખરેખર ગોધરા પછી ફાટી નિકળેલા રમખાણો) મા માર્યા ગયેલા લોકોના ફોટા આગળ મીણબત્તી પેટાવેલી દેખાડવા માં આવેલી. મે પોતે બે મીનિટ નું મૌન પાળેલું પણ આ બધા માં ગોધરા સ્ટેશન પર ટ્રેનમાં સળગાવી નાખેલા લોકો ના ફોટા તો શું તેના નામ નો પણ ઉલ્લેખ ના હતો. આ તે કેવી કરૂણતા, ગોધરા પછી ના રમખાણમાં માર્યા ગયેલા ૧૦૦ % નિર્દોષ હતા તેમા શંકા ને કોઈ સ્થાન નથી તો શું પેલી ટ્રેનમાં આંતકવાદીઓ મુસાફરી કરતા હતા ?
મોદી એ શું કર્યુ અને શુ ના કર્યુ તેનો ન્યાય કોર્ટ કરશે પણ પેલો “લલ્લુ” સત્તાના નશામાં આલ્યા-આલ્યાનું કમીશન બેસાડી માથે ઉભી હથો હથ એવો રિપોર્ટ બનાવી નાખે કે ગોધરામાં ટ્રેન અંદરથી સળગી હતી કોઈ એ સળગાવી ના હતી તો તેની માથે કેમ કોઈ SIT નથી બેસાડાતી. જ્યારે કોર્ટે ચુકાદો આપી દીધો હોય ત્યારે લલ્લુનું જુઠાણૂં સાબીત થઈ જતુ હોવા છતા આ કહેવાતા સેક્યુલરો ક્યા છુપાઈ જાય છે ?
ગુજરાત એક એવા સમય માથી પસાર થાય છે કે જેમા દરેક ધર્મ-જાતી-કોમ ની વ્યક્તિ ભુતકાળ ભુલી આગળ વધવાનો પ્રયાસ કરે છે અને આવું બહુ ઝડપથી થઈ રહ્યુ છે ત્યારે આ કહેવાતા સેક્યુલરોની જમાત ને પોતાની દુકાન બંધ થતી હોય તેવું લાગે છે ત્યારે વારે-તહેવારે આ મુદ્દો ચગતો રહે તેનો પ્રયાસ સતત કરતા રહે છે. મીડિયાનો સપોર્ટ મલતો હોય તેમા મહદ અંશે તેઓ સફળ પણ થાય છે. પણ મારો એક જ પ્રશ્ન આ સેક્યુલર જમાત ને છે… ગોધરા પહેલાના રમખાણો વખતે તમે ક્યાં હતા અને તે વખતે તમે કરેલ લૈખીક પ્રયત્નો કેટલા ? જેથી મારા જેવા ને આશ્વશન મળી રહે કે ભવિષ્યમાં પરિસ્થિતી બદલાય ત્યારે પણ આ લોકો મારી સાથે જ હશે.

UPA-2 ધ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર સર્કસ :- લગભગ છેલ્લા ૨-૩ વર્ષ થી મારા જેવો સંવેદનશીલ આત્મા કે જે ઓછુ જુએ-વાંચે વધુ વિચારે છે તે મનોમન મુંજવણમાં છે કે UPA-2 પર હસવું કે રડવું. કોઈ પણ વાત ને સીધી રીતે માનવી નહી અને કોઈ પણ  નિર્ણય નો સીધો અમલ કરવો નહી આ બે જ ઉદ્દાનો કોમન મીનિમમ પોગ્રામ સાથે ચાલતી આ સરકારે આમ જનતાને કંડમમાં કંડમ સરકાર કેવી હોય તેનું આદર્શ ઉદાહરણ આપ્યુ. એક પણ ક્ષેત્ર નથી કે જે વગોવામાં-વખોડવામાં કે પછી તેની આબરૂ નિલામ કરવામાં આ સરકારે બાકી રાખ્યુ હોય. કોંભાડો તો ઠિક છે કોઈ દુધે ધોયેલા નથી પણ આબરૂ ને જે રીતે ચિથરેહાલ કરી છે આ સરકારે તે અનન્ય છે. ક્યારેક તો એવું લાગે છે કે કૃષ્ણ ભગવાન કલયુગમાં અવતરી આ સરકારના ચિર ના પુરતા હોય. જ્યાં લાગે કે આ છેલ્લો સાડલો છે આ છેલ્લો સાડલો છે ત્યાં અંદરથી બીજો ક્યાંક થી પ્રગટ થઈ જ જાય છે. ખરેખર નાસ્તિક માં નાસ્તિક વ્યક્તિ ભગવાન ઉપર ભરોસો મુકતો થઈ જાય તેવા છેલ્લા ૨-૩ વર્ષ વિત્યા છે. આ બધુ ઓછુ હોય તેમ હવે સેના ના ભગાઓ છાપે ચડ્યા છે. હે ઇશ્વર હવે તો થાક્યા……

-: સીલી પોઇન્ટ :-
વાતાવરણ અને UPA-2 સરકારનો કોઈ ભરોસો રહ્યો નથી ક્યારે કઈ રૂતુ (અને પ્રધાન) ક્યા કારણે રાજીનામુ આપી દે તે નક્કી નહી. :D

Monday, September 12, 2011

કાળા નાણા ના કાળા-ધોળા….


ડર શબ્દનો અર્થ સાપેક્ષ છે. તેની પ્રભાવક ક્ષમતા બન્ને પક્ષે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિ થી ડરતો હોય તો જરૂરી અથી કે ત્રીજા થી ડરે જ, તે જ રીતે બીજી વ્યક્તિ થી પહેલો ડરે છે એટલે ત્રીજી વ્યક્તિ પણ ડરશે જ તે પણ જરૂરી નથી. ક્યાંક વાંચેલુ “તલવારની તાકાત તેને ધારણ કરનાર પર નિર્ભર રાખે છે “. તે જ રીતે શબ્દોનો પ્રભાવ પણ તેને બોલનાર-લખનાર પર અવલંબે છે.

જીવનમાં નૈતિકતા ખુબ જરૂરી છે. નૈતિક રીતે પુર્ણ વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોવાનું જ પણ બધી જ વાત માં નૈતિક મુલ્યોની દુહાહી આપી રડવા ના બેસાય. માન્યુ કે દેશમાં પ્રવર્તમાન સમસ્યાઓ ના મુળ માં નૈતિક અધ:પતન મુખ્ય છે પણ નૈતિક મુલ્યો સ્થાપિત કરવા માટે પણ હંમેશા ડર નો સાથ લેવો જ પડતો હોય છે. ચાલુ ક્લાસે વાતો ના કરાય તે શાળા જીવનનું નૈતિક મુલ્ય અને પરમ કર્તવ્ય ગણાય પણ જ્યારે ગણગણાટ શરૂ થાય અને ત્યારે તરત જ શિક્ષક ટેબલ પર ફુટપટ્ટી ના પછાડે તો તે ગણગણાટ ને ઘોંઘાંટ બનતા વાર નથી લાગતી. સિંગ્નલ ઉપર એક બાઇક લાલ બત્તિ વખતે નિકળે કે તરત ટ્રાફિક પોલીસ કાઇ ના કરે તો પરિણામ ટ્રાફિક જામ જ આવવાનું. કાયદા રક્ષક ની નિષ્ફળતા કાયદા ભંગ કરનાર માટે હિંમત પુરી પાડે છે. ખોટુ બોલો કે ખરાબ કામ કરો તો નર્ક માં જવાના ડર થી જ તો સદીઓ થી જીવન મુલ્યો પાસ ઓન થતા આવ્યા છે. નૈતિકતા સ્થાપવી હશે તો ડરાના જરૂરી હૈ.

ભ્રષ્ટાચાર, ગોટાળા ટેક્ષચોરી વગેરે વગેરે વગેરે શું ખાલી નૈતિક અધ:પતનનું જ પરિણામ છે ? જો હા તો આ અધ:પતન માટે શું કાયદો અને ડરની ગેરહાજરી જવાબદાર નથી ? બધી જ બાબતોમાં જ્યારે “વહીવટ” થી કામ થઈ જતું હોય પછી ડર શા માટે લાગે. આ ડર નથી કારણ કે કાયદા માં અને વ્યવસ્થાતંત્રમાં મોટા મોટા ગાબડા છે અને આ ગાબડા દ્રારા લાખો કરોડો રૂપિયા પરભારા જતા રહે છે. કેવડા ગાબડા છે તે ઉદા સાથે સમજાવવાનો પ્રયાસ કરીશ.

ABC નામક પેઢી છે. તે એગ્રી કોમોડીટીના પ્રોસેસીંગ-ઉત્પાદન સાથે સંકળાયેલી છે. તેનુ કાર્યક્ષેત્ર ખેત પ્રોડક્ટ ને ખરીદી તેને નિકાસ કરતા વહેપારીને પહોચાડવા સુધી નું છે. હવે જો જો ખેડુત કાયદાના ચોપડે ક્યાંય નોધાયેલો નથી હોતો તેમજ તેને સત્તા મળેલી છે કે તે પોતાનો માલ મુક્ત બજારમાં ક્યાંય પણ રોકડેથી (બાય કેસ ચેક થી નહી) વેચી શકે છે એટલે ખરીદનાર વહેપારી તેનો માલ રોકડેથી ખરીદી શકે છે. હવે અહી થી કાળા નાણા ની યાત્રા શરૂ થાય છે. વહેપારી હવે ધારો કે પરચેઝ એન્ટ્રી ના ફાડે તો ? તે માલ પરભારો તેના ગોડાઉનમાં પડ્યો રહે છે. તે માલનું પ્રોસેસીંગ થતા ૩ થી ૫ દિવસ લાગતા હોય ત્યારે બહુ મોટુ જોખમ રહેતું નથી તો સામે પક્ષે તે માલની કોઈ જ એન્ટ્રી ના થયેલી હોય તેના પર તેને કોઈ જ ટેક્ષ ચડતો નથી . હવે પ્રોસેસ થયા પછી ધારો કે તે માલ રિટેઇલ વહેપારી પાસે ગયો એટલે કે પ્રોવિઝન-જનરલ સ્ટોરમાં તો ત્યાં તો તે આરામ થી સેલ(વેચાણ)-બીલ વગર નિકળી જવાનો. ભારત દેશનાં મોટા ભાગના મહાન નાગરીક બીલ માંગવાની તસ્દી જ નથી લેતા અથવા તો ૪ થી ૧૫ % બચતની લાલચે વગર બીલનો માલ ખરીદી લે છે. ટુંકમાં કાળુ નાણુ છેવટના ખરીદનાર થી લઈ ને ઉત્પાદક ખેડુત સુધી નો બિન્દાસ સફર ખેડે છે. અહી કોઈ પણ સ્તરે અસરકારક કાયદાનો અભાવ જોવા મળે છે.

હવે સંભાવનાઓ જરા ચેન્જ કરીએ . જો જે તે એગ્રી પ્રોડક્ટ નિકાસ થવાની હોય તો ? નિકાસ કરનાર પેઢી કે કંપની જે તે માલ વાસ્તવિક કિંમત થી ખુબ જ ઉંચા ભાવના કે પછી ખુબ જ નિંચા ભાવ માં ખરીદે છે . કારણ છેલ્લે કહીશ (નોંધ :- જે તે પેઢી જેન્યુન બીઝનેશ નથી કરતી તેનો વાસ્તવિક ધંધો બીજો છે તેની ખાસ નોંધ મગજમાં લેવી જેથી એવું ના સમજવું કે બધા જ નિકાસ કરતા આવા છે.) . હવે એગ્રી પ્રોડક્ટ પ્રોડ્યુસર-પ્રોસેસર એ ખેડુત પાસે થી લિધેલા માલનું ખરીદબીલ નથી ફાડ્યુ એટલે ખરીદનારની મરજી મુજબનું વેચાણબીલ ફાડી શકે છે અને જે તે વચેણાબીલ ની સમરૂપ ખરીદબીલ ફાડે છે. વાસ્તવિક કિંમત ધારો કે ૨૦ હોય અને જો તે ૩૦ નું ખરીદબીલ ફાડે તો તેના ૧૦ રૂપિયા સિધા કાળા માથી ધોળા થઈ ગયા અને ૧૫ નું ખરીદબીલ ફાડે તો ૫ રૂપિયા કાળા થયા .

સામે પક્ષે પેલી નિકાસ કરતી કંપની વાસ્તવમાં હવાલા ઓપરેટ જેવું જ કામ કરે છે. વાસ્તવિક ૨૦ કિંમત વાળી વસ્તુ તે ૩૦-૪૦ કે ૫૦ રૂપિયા ના ભાવે નિકાસ કરે એટલે વધારાના ૧૦ થી ૩૦ રૂપિયા વિદેશમાં જમા થયેલા કાળા નાણા સફેદ થઈ પાછા આવે છે . તે જ રીતે ૨૦ ની કિંમત વાળી વસ્તુ ૧૫ થી ૧૦ જેટલા નીચે ભાવે નિકાસ કરી કાળા નાણા દેશની બહાર મોકલે છે. આ જ પેઢી આનાથી ઉલ્ટી પ્રક્રિયા એટલે કે વધુ કે ઓછા ભાવે આયાત કરી આવી રીતે વાઇટ કોલર હવાલા ઓપરેટ કરી શકે છે. આ બધુ જ કાયદેસર રીતે થતુ હોય કોઈ જ કાઇ નથી કરી શકતું.

કાયદો કેટલો સખ્ત છે તેના પર નહી પણ કેટલો અસરકારક છે તેના ઉપર પરિણામ અવલંબતુ હોય છે. જે કાયદા નિચે આટલા મોટા ગાબડા હોય તે ખાલી નૈતિકતાની દુહાધી જ આપી શકે. દેશ ને અત્યારે સખ્ત કાયદાની નહી અસરકારક કાયદાઓની જરૂર છે જે પરિણામ ઉપર સિદ્ધી જ અસર કરતા હોય. ૧૦૦ % બધી જ આવક જાહેર કરી ૩૦ % ટેક્ષ ભરવાનો થતો હોય અને પકડાયે ત્યારે પણ ૩૦ % ટેક્ષ ભરવાનો થતો હોય ત્યારે મોટા ભાગના બીજો ઓપશન વધુ પસંદ કરે છે વધુ માં ઇન્કમટેક્ષની રેડ સ્ટેટસ સિમ્બોલ બને તે નફા માં. લાયસન્સ લઈ ૧૫ પ્રકારના રજીસ્ટરો રાખવા કરતા ના લઈ ઝંજટ મુક્ત વેપાર અનુકળ લાગવો સ્વાભાવિક છે.

જ્યારે અસ્તિત્વ અને નૈતિકતા બન્ને માથી એક પસંદ કરવાનો વખત આવે ત્યારે ધર્મરાજ યુદ્ધીષ્ઠીર પણ “નરો વા કુંજ રો વા” કહી દેતા હોય ત્યાં સામાન્ય પ્રજાની તો વાત ના પુછાય. ખરૂ કે ખોટું ?

-: સિલી પોઇન્ટ :-

વર્ષો થી સોરઠ જીલ્લામાં ઉત્પાદીત થતા સીંગદાણા “કાઠિયાવાડી કાજુ” તરીકે ઓળખાય છે . શા માટે ખબર છે ? મુક્ત અર્થતંત્ર પહેલા ના સમયે જ્યારે કાજુ આયાત કરવા માટે મોટી મોટી MNC કંપની સીંગદાણા પણ કાજુના ભાવે નિકાસ કરતી એટલે. :P

(નોંધ :- મારો પરિવાર દાયકાઓથી એગ્રી કોમોડીટી ના વેપાર સાથે સંકળાયેલો છે અને હું આવા જ વાતાવરણમાં મોટો થયેલો છું.)

Saturday, April 9, 2011

ભ્રષ્ટાચારનો શિષ્ટાચાર….

છેલ્લા ૩-૪ દિવસથી અભુતપુર્વ લોક જુવાળ ફાટી નિકળ્યો છે. ક્રિકેટ વિશ્વ-વિજેતાનો હજી તો નશો ઉતર્યો ના હતો ત્યાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટેની લડાઈ શરૂ થઈ ગઈ. હું નિરાશાવાદી તો નથી જ પણ એક વાસ્તવવાદી તરીકે એટલી તો મને ખબર જ છે કે આનો ક્યાં અંત આવવાનો છે. કદાચ ક્રાન્તિની શરૂવાત હોય અને યોગ્ય ઇંધણ મળતુ રહે તો વાત જુદી છે બાકી તમે જ્યારે આ વાંચતા હશો અથવા તો વાંચી ને વિચારતા હશો ત્યારે જ કદાચ સરકારે એકાદ કમીટી જાહેર કરી દીધી હશે. અહિંસક ભારતની આ જ તો ખાસીયત છે બધી અહિંસક જ ચળવડ આવી જ અહિંસક રીતે કચડી નાખવામાં આવે છે. સામાન્યજનને સીધી રીતે સ્પર્ષતા પ્રશ્નો માટે જ્યારે આ રીતે સ્વેચ્છીક આંદોલનમાં પલટાવા જઈ રહ્યા હોય ત્યારે તેને ઠંડુ કરવાનો આ સૌથી સહેલો રસ્તો છે. ભુતકાળમાં આવુ ઘણી વખત થયેલુ છે પણ કદાચ આ વખતે પરિણામ કાઇક જુદુ આવશે.. કાશ…..

છેલ્લા ચાર દિવસથી T.V. નેટ SMS દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર વિરોધમાં એક સ્વયંભુ પ્રચાર અને પ્રસાર ચાલી રહ્યો છે. ભ્રષ્ટાચાર ના કરવો જોઇએ અને થવા ના દેવો જોઇએ તેવા કેટલાય SMS અને FB સ્ટેટસ અપડેટ વાંચ્યા. મોટી મોટી હસ્તીઓ એ પણ આ વહેતી ગંગામાં હાથ-પગ ધોયા. પણ હજી સુદ્ધા મને કોઈ નક્કર પગલાની અપેક્ષા નથી કારણ કે અમુક મુદ્દાઓ એવા છે કે જેને ક્યાય ધ્યાનમાં લેવાયા નથી. તમે જ્યારે ભ્રષ્ટાચાર જેવા દુષણ થી મુક્તિ મેળવા ઇચ્છતા હોય તો તેની શરૂવાત કા તો પાયે થી કરવી પડે અને કા તો ટોપ લેવલ થી. અત્યારે આપણે ટોપ લેવલથી શરૂવાત કરવા જઈ રહ્યા છીએ જો કે તે સારી વાત છે પણ એક વાત ભુલવી ના જોઇએ કે દેશની પ્રજા ને મહત્તમ રીતે સાકળથી બાબતો ધ્યાન બહાર ના રહી જાય. મારો ચોકીદાર,મેતાજી કે પછી કામવાળી ૧૦૦ % ઇમાનદારી થી કામ કરે તેવું હું ઇચ્છતો હોવ તો મારી ૧૦૦ % સતર્કતા પણ જરૂરી છે. કાયદો બનાવી સજા અપાવવા કરતા ગુનો જ ના હ્તવા દેવો તે ઇચ્છનીય નથી ?

કાલે મને એક SMS આવ્યો કે આજના દીવસે પ્રણ લો કે ના તો ભ્રષ્ટાચાર કરશો ના તો થવા દેશો. સારૂ ચાલો હું ભ્રષ્ટાચાર નહી કરૂ પણ નીચે દર્શાવેલ અમુક સ્થીતીમા શું કરવું ?

ક્યાં દુર કોઈ નજીકના સગા બિમાર છે ત્યાં જવા માટે ટ્રેન એક જ સાધન અવેલેબલ છે અને ટીકીટ નથી મળતી એજેન્ટ કહે છે અમુક રૂપિયા આપો તો સ્પેશીયલ ક્વોટા માથી ટીકીટ કઢાવી આપુ, ત્યારે મારે શું કરવું ?

કોઈ અંગત વ્યક્તિ ખુબ જ બિમાર છે હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં લાંબી લાઇન છે નર્શ-કંપાઉન્ડર ૫૦-૧૦૦ ના બદલામાં ઇમર્જન્સી કેસ કાઢી વહેલો વારો લઈ આપે તેમ છે, ત્યારે શું કરવું ?

છોકરાએ મહેનત કરવા છતા ૧-૨ માર્ક માટે ગમતી લાઇનમાં એડમીશન મળતુ નથી અમુક ડોનેશન આપવાથી તે કામ થઈ જાય છે, ત્યારે શું કરવું ?

વિઝા એપ્લીકેશનમાં બર્થ ડેટ વેરીફીકેશન માટે બર્થ સર્ટી. માગે છે લેટર છેલ્લા જ દીવસોમા આવ્યો એટલે તાત્કાલીક તેની જરૂર છે ક્લર્ક ૧૦૦ મા ઉભાઉભા કાઢી આપવા તૈયાર છે બાકી ત્રણ દીવસ પછી નું કહે છે, ત્યારે શું કરવું ?

વાત હરી-ફરી ને ત્યાં જ આવે છે, “યાર હમારી બાત શુનો…… વો પહેલા પથ્થર મારે જો પાપી ના હો.“ પસંદગી જ્યારે પાપી અને ઓછા પાપી વચ્ચે કરવાની હોય ત્યારે ? બીજુ એની શી ગેરન્ટી છે કે ઓછો પાપી સમય જતા મોટો પાપી નહી બને ? આપણા માથી કોને રૂપિયા દેવા ગમે છે અને રૂપિયા ના આપવાનો બીજો ઓપશન પણ કોની પાસે છે ?? ઘરની બહાર નિકળતા પહેલા ચેક કરવું પડે છે ડ્રાઇવિંગ લાઇસન્સ લીધુ જાણે એક દેશ માથી બીજા દેશમા જતા હોઇએ અને પાસપોર્ટની ચિંતા કેમ ના કરતા હોય. બાઇક કે ગાડીમા બેસતા પહેલા અને તે પણ પેટ્રોલની ચિંતા કરતા પહેલા PUC ની ચિંતા રહે છે. હેલ્મેન્ટ અને સીટબેલ્ટ ખીસ્સાની સેફ્ટી માટે પહેરીયે છીએ . મ્યુનિ. ઓફીસે ટેક્ષ ભરવા જતા પહેલા ૨૫ વ્યક્તિને તેની કોઈ ઓળખાણ મટે પૃચ્છા કરીશુ લાઇન થી બચવા માટે. ટેક્ષ ભરીએ છીએ કારણ કે કાયદાનો ડર છે નહી કે જવાબદારી સમજી ને. બાઇક થી કોઈ ને ઠોકર લાગી તો તરત પોલીસવાળા સાથે “સેટલ” કરી નાખીયે છીએ કારણ કે તારીખ ના ચક્કર મોંઘા પડશે, અરે ગમતી તારીખ માટે જજ સુદ્ધા સાથે સેટીંગ કરવું પડે. IT નો દરોડો પડ્યો “બધુ જ બરોબર હોવા છતા બધુ જ બરોબર નો રિપોર્ટ માટે” નૈવેધ ધરવું પડે કારણ જેમ ઉપર જતા જઈશું તેમ તેમ ખર્ચો વધ તો જશે. જે ફોર્મ મફત મળવું જોઇએ તેના ૫ રૂપિયા આપીશુ કારણ કે નહીતર ઓફીસમા અડધો દીવસનો પગાર કપાઇ જાશે. આ બધુ જ કર્યે છીએ કારણ કે કરવું પડે છે અને કરતા રહીશું જો કાઇક પરિવર્તન ના આવે . આપણે એવા દેશમાં રહીયે છીએ જ્યાં તમારે તમે હોવાની સાબીતી માટે એક કરતા વધુ પુરાવા આપવા પડે છે અને છતા પણ કરોડો લોકો ગેર-કાયદેસર રહે છે. આપણા દેશમાં ભારતીય બનવું સૌથી સસ્તુ છે મારી સંવેદના -http://marisamvedana.blogspot.com/2009/12/blog-post.html

જ્યાં સુધી વહીવટમાં સરળીકરણ નહી આવે, જ્યાં સુધી ટ્રેન-બસમાં મુસાફરો જેટલી સીટો-બર્થો નહી હોય, જ્યાં સુધી દવાખાનામાં દર્દીઓના અનુપાતમાં ડોક્ટરો નહી હોય ત્યાં સુધી પુર્ણ ભ્રષ્ટાચાર મુક્ત સમાજ વ્યવસ્થા શક્ય નથી જ. જ્યારે જ્યારે વસ્તુ એક હોય અને તેનો ઉપભોગ કરના એક કરતા વધુ ત્યારે ત્યારે ભ્રષ્ટાચાર થવા નો જ.

આજથી ૧૦-૧૫ વર્ષ પહેલા દીવાળી ઉપર પેઢી એ બેસતો ત્યારે બોણી લેવા વાળામાં સૌથી વધુ બોણી પોસ્ટમેન અને ટેલીફોન લાઇનમેન રહેતા. પપ્પા કદાચ ત્યારે તેમને બોણી આપતી વખતે મને આપવા કરતા પણ વધુ ખુશી અનુભવતા. કારણ… ધંધાનો સંપુર્ણ આધાર ત્યારે તે બે ખાતા ઉપર રહેતો. ફોન બંધ તો દેશાવર(માંગરોળ થી ૨૬ કીમી દુર કેશોદ પણ દેશાવર કહેવાતુ) ના ભાવ ના મળે ટ્રંકકોલ તાત્કાલીક જોડી આપે તો આપણો તૈયાર માલ વહેલો વેચાય અને નવો માસ લેવાની ખબર પડે તે જ રીતે ટપાલી ૧૨ વાગ્યા પહેલા ટપાલ પહોચાડે તો ડ્રાફ બેન્કમાં જમા થાય અને પૈસા ઉપડે બાકી બીજા દીવસે. આજે ? સૌથી ઓછી બોણી અને કેટલાય તો બોણી લેવા પણ નથી આવતા. ટેલીફોનનું સ્થાન મોબાઇલે અને ડ્રાફ નું સ્થાન Online બેન્કીંગે લઈ લીધુ. આવુજ કાઇક બીજા ક્ષેત્રોમા થાય તો ?

તેમ છતા “દીવાદાંડીનો પ્રકાશ દેખાય છે તો ક્યાં કિનારો તો હશે જ ને”.

-: સિલી પોઇન્ટ :-

“જેને જેને આજનો સિલી પોઇન્ટ જાણવો હોય તે મારા ખાતામાં ૧૦૦ રુપિયા જમા કરાવે તેમને e-maile થી મોકલી દેવા માં આવશે” – મારૂય નામ થવા દ્યો પછી દરેક પોસ્ટની નીચે આવુ લખુ જ કે નહી . :D

Thursday, September 16, 2010

જાહેરાતની દુનિયા, દુનિયામાં જાહેરાત.


નવરાત્રી નજીક આવે છે તે સાથે જ "સેલ" ની પણ સિઝન શરૂ થશે. ના અહી હું કાઈ સેલ પુરાણ માંડવા બેઠો નથી. આજે તો બે ત્રણ જુની-પુરાણી વાર્તા નવા જ સંદર્ભમા કહેવી છે ...

વાર્તા નં. ૧ :- એક ગાઢ જંગલ હતું. તેમા એક અભિમાની સસલો રહેતો હતો. તેને પોતાની ઝડપ અને ચપળતા ઉપર ખુબ જ ઘમંડ હતું. એક દીવસ તેણે એક કાચબા સાથે દોડવાની સરત લગાડી. રેસ શરૂ થતાની સાથે જ સસલો તો ખુબ આગળ નીકળી ગયો. કાચબો તો ધીરે-ધીરે ચાલવા લાગ્યો. એક ઝાડ નીચે આવી સસલાને થયું લાવ ને થોડી વાર લંબાલી લવ. સુતાની સાથે જ સસલો ગાઢ ઉંઘમા સરી પડ્યો. આંખ ખુલી તો બહુ સમય નિકળી ગયો હતો. તે તો ઝડપથી દોડવા લાગ્યો પણ ત્યાં સુધીમા તો કાચબો રેસ જીતી ગયો હતો.
મોરલ ઓફ ધ સ્ટોરી :- रात को सोवो गे नही तो ऐसा ही होगा -स्लिपवेल मेट्रीक्स चेइन की निंद दीलाए.

વાર્તા નં. ૨ :- ફરી થી તે જ જંગલ હતું પણ આ વખતે રેસ સસલાના અને કાચબાના બચ્ચા વચ્ચે હતી. રેસ શરૂ થયાની થોડીક જ વારમાં સસલાનું બચ્ચુ એટલે સસલું જુ. આગલ નિકળી ગયો. કાચબો જુ. પાછળ પાછળ ધીમી પણ મક્કમ ડગલે આવતો થયો. સસલું જુ. થોડુ આગળ નિકળ્યુ ત્યાં તો તેની બેટરી ડાઉન થઈ ગઈ. તે તો ઉંઘી ગયો અને કાચબો જુ. રેસ જીતી ગયો. મોરલ ઓફ ધ સ્ટોરી :- बोर्नविटा ++ नेचर ओर सायन्स के गुनो के साथ जो रखे आपके बच्चे की बेटरी पुरा दीन चार्ज.

વાર્તા નં. ૩ :- ફરી એક વખત તે જ જંગલમા રેસ થઈ આ વખતે સસલા-કાચબાની પત્નીઓ વચ્ચે હતી. રેસ શરૂ થતાની સાથે જ મીસીસ સલસા આગળ નિકળી ગઈ. મીસીસ કાચબા તેની પાછળ જ મક્કમતાથી દોડતી(?) હતી. થોડે દુર જતાની સાથે જ મીસીસ સસલાને કમરમાં દુખાવો ઉપડ્યો અને તેણે રેસ અધુરી મુકવી પડી. મીસીસ કાચબા રેસ જીતી ગઈ. મોરલ ઓફ ધ સ્ટોરી :- मुव लगाओ कमर दर्द को भगाओ.

હજી લખવી હોય તો કેટલીય વાર્તા લખી શકાય પણ પછી વાચવા વાળા નો કાઈ વાંક ખરો. મારા કહેવાનો મતલબ એટલો જ છે કે આજે આપણે કોઈ ચીજ જરૂરીયાત ના આધારે નહી જાહેરાતના આધારે ખરીદીયે છીએ. પછી તેની જરૂરીયાત હોય કે નહી. બીજુ બધી જ જાહેરાતમાં એક વાત કોમન છે ડર રેસમાં હારી જવાનો ડર. તે પછી ટુથપેસ્ટ હોય કે હાથ ધોવાનો સાબુ, સેન્પુ હોય કે ચુનો( મોઢે ચોપડવાનો) બધે એક જ વાત હોય છે. પેલી "એઇજ મીરેકલ" ક્રીમ નો ભાવ સાંભળી મારા જેવાના તો વાળ ખરી જાય. બીજુ આ બધી જ વસ્તુમા બીજુ એક કોમન છે. આતંરીક આભિવ્યક્ત ના થઈ શક્તિ ઇચ્છાઓ ને ઉપસાવવી. અરે યાર સ્પ્રે લગાડવાથી ચોખડા ગોઠવાય જતા હોત તો ગામમાં આટલા વાંઢા થોડા રખડેત અને ક્રિમ સાબુ અને હવે તો પાવડર થી ચહેરા ઉપર સફેદી આવતી હોત શું જોયતું તો. હવે તો પાછી "मर्दोवाली फेरनेश क्रीम" પણ નીકળી છે.

ટુંકમા જાહેરાતો સસલા કે કાચબા નહી પણ ઉલ્લુ જરૂર બનાવે છે. આજે મેનેજમેન્ટ ના 5M ની સાથે 6th M એટલે કે માર્કેટીંગ જોડાયો છે. ટુકમાં "दीखावे पर मत जाओ अपनी अक्ल लगावो".

-: સિલી પોઇન્ટ :-

વાર્તા નં. ૪ :- એક વખત જંગલમાં એક વાંદરાએ શિયાળ સાથે સરત લગાવી કે હું આ જંગલનો રાજા સિંહને થપ્પડ મારી બતાવું. શિયાળ કે પેલો તારી ચટ્ટણી બનાવી નાખશે. વાંદરો કહે કાઈ ના થાય. શિયાળ કહે જોઇએ. વાંદરાએ તો સિધો જ જઈ ને સિંહને જોર થી એક ચોડી દીધી. પછી તો વાંદરો આગળ ને સિંહ પાછળ થોડી વાર થઈ ત્યાં તો વાંદરો એક જગ્યાએ TV સામે ઉભો રહી ગયો. તેમા ન્યુઝ આવતા હતા. अनहोनी को होनी कर दीया एक बंदरने हा..हा.. एक बंदरने जीसने एक शेर हो थप्पड मार दी. देखना ना भुलीयेगा ब्रेक के बाद सिर्फ आज-तक पर -सब से तेज.














































"પા" સુપરસ્ટાર AB સિનિયરની એક્ટીંગ માટે ગમેલી. વાર્તા જોકે થોડી અધુરી લાગી પણ તે જોતી વખતે ક્યાંય પણ AB સિનિયરની આનંદ થી લઈને બાબુલ કે ઝુમ બરા બર ઝુમ કે પછી બન્ટી-બબલી વાળા એક પણ કેરેક્ટર મગજ ઉપર ના આવ્યું. AB સિનિયરની લગભગ બધી જ ફિલ્મો જોયેલી હોય ત્યાંરે આ તેની એક્ટીંગની કમાલ નહી તો બીજુ શું છે ? કદાચ કોઈ અજાણ્યા વ્યક્તિને કે જેને ખબર ના હોય તેને આ ફિલ્મ બતાવી દેવામાં આવે અને પછી કેવામાં આવે કે આ વ્યક્તિ આ છે તો કદાચ તેના તો માયનામાં ના આવે.

ફિલ્મો વિષે લખવાની મને આદત નથી છતા કાલે સમાચાર મળ્યા કે AB સિનિયર ને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે આ પોસ્ટ લખ્યા વગર રહી ના શક્યો. લાગે છે હજી તો તેમણે અભિનય કરવાની શરૂવાત કરી છે. સ્વસ્થાપુર્ણ દિર્ઘાયુ માટે પ્રાર્થના સહ.

-: સિલી પોઇન્ટ :-

"મોમ તુમ્હે આચાર કે બીના ખાના ગલે સે નહી ઉતરતા હૈ ના તો યે અનનેસેશરી સેક્રીફાઇઝ ક્યુ ં ?" પા ફિલ્મનો એક સંવાદ લગભગ દરેક ઘરમાં સંતાન બિમાર હોય ત્યારે માતા આવું બલીદાન દેતી જ રહેતી હોય છે જ્યારે માતા બિમાર હોય ત્યારે ???? -જાગ્રત.

Tuesday, December 1, 2009

આજની વાનગી - "ભારતીય નાગરીક"

નમસ્કાર મીત્રો.. આજે આપણી રસોયમા હું તમને ભારતીય નાગરીક કેમ બનવું તે સિખવાડીશ. તો નોટ અને પેન તૈયાર કરી લ્યો.. તો ચાલો આજે બનાવીયે ભારતીય નાગરીક...

તો પહેલા જરૂરી સામગ્રીનું લીસ્ટ બનાવી લ્યો.. ભારતીય નાગરીક બનવા માટે જરૂરી છો કે તમે ભારતીય જેવા દેખાતા હોવા જોયે.. પછી તમે ભલેને પાકીસ્તાની હોવ કે બાંગ્લાદેશી, શ્રીલંકન પણ ચાલે. બીજુ તમારે કોઈ લોકલ સગા કે ઓળખાણ હોવી જરૂરી છે ના હોય તો પણ વાંધો નહી જો હોય તો થોડૂક સસ્તામા પતે. અને અતિ જરૂરી સ્વાદ (અહી જરૂરીયાત) મુજબ નાણા .

ભારતીય નાગરીક બનતા પહેલા પુર્વતૈયારી રૂપે રાશનકાર્ડમા નામ નોંધાવુ પડે છે. તેના માટે લોકલ વ્યક્તિને સાથે લઈ નજીકના સસ્તા અનાજની દુકાને જવું. તે દુકાનવાળાને વિસ્વાષમા લીધા પછી તાલુકા મથકની મામલતદાર કચેરીએ નિયત વારે કુપન(રાશન કાર્ડ) ગુમ થઈ ગયાની અરજી કરવી. અરજીની સાથે સસ્તા અનાજની દુકાનવાળાનો દાખલો જરૂર જોડવો. અરજી કર્યા પછી ઓફીસનો કારકુન તમને એક એફીડેવીટ કરવાનું કેહેશે એટલે ઓફીસની બહાર નિકળશો કે તરત તમને એક ટાઈપિસ્ટ બેસેલો દેખાશે. તેને તમે સ્ટેમ્પ + વધારાના ૫૦ રૂ. આપશો એટલે તે સોગંધનામુ ટાઈપ કરી આપશે. જો ટાઈપપિસ્ટ દયાળૂ હશે તો બે કોપિમા ટાઈપ કરી આપશે બાકી તમારે ઝેરોક્ષ કરાવવી પડેશે. તે સોગંધનામુ લઈ સિધા મામલતદાર ઓફીસમા પહોચી ક્લાર્કને આપશો અને હા જોડે રિવાજ મુજબ ૧૦ થી ૫૦ ની નોટ મુકવાની ના ભુલતા. આટલુ કરશો એટલે એક-બે અઠવાડીયામા તમારૂ કુપન તૈયાર.

હવે પછી નો રસ્તો સાવ સિધો છે. અરે ધ્યાન રાખો એટલો પણ સિધો નથી હજી તો ઘણૂ કામ બાકી છે. આ કુપનથી તમે લાઈટ-ટેલીફોન મેળવી સકશો, મતદારયાદીમા નામ લખાવી વોટર આઈ.ડી અને બેન્કમા ખાતુ પણ ખોલાવી શકશો પણ ડ્રાઈવિંગ લાયસન્સ માટે જન્મતારીખનો દાખલો જોઈશે. તે મેળવવો પણ બહુ સહેલો છે. ગામની પંચાયત ઓફીસ કે નગરપાલીકામા જન્મમરણ નોંધણી વિભાગમા જાવ, તમારી સાચી-ખોટી જન્મતારીખ કહો અને દાખલો માગો, જરુરીયાત પ્રમાણે નાણા ચુકવો એટલે દાખલો હાજર. હવે રસ્તો સાફ.. આ દાખલાના આધારે ડ્રાઇવીંગ લાયસન્સ (એજન્ટ રૂ. ૨૦૦ થી ૫૦૦ મા મેળવી આપશે. ડાયરેક્ટ કરવા જશો તો આખી જીંદગી નિકળી જશે.), પાનકાર્ડ ( ફરી એજન્ટ રૂ. ૮૦ થી ૧૫૦મા અને ૨૫૦મા છેલ્લા વર્ષનું રિટર્ન સાથે.) પાસપોર્ટ (ફરી એજ પ્રક્રીયા) મેળવી શકશો.

તો તૈયાર છે ભારતીય નાગરીક....

તમને થશે હું શું મજાક કરૂ છું. ના આ મજાક નથી હું બહુ સિરિયસ છું. હમણા જ ૨૬/૧૧ ગઈ. બહું ઠેકડા માર્યા બધાએ. શક્તિ પ્રદર્શન પણ કર્યૂ કે અમે કેટલા શક્તિશાળી છીએ. આપણે આ બધુ કરતા હૈશું ત્યારે ગદ્દાર લોકો કેવા હસતા હશે નહી આપણી ઉપર. બધુ જ બરોબર છે. પોલીસવાળાને બુલેટપ્રુફ જેકેટ મળવા જ જોઇએ, લેટેસ્ટ હથીયાર હોવા જ જોઇએ પણ જ્યાં આંતરીક સિસ્ટમમા જ મોટા-મોટા બોકારા છે તેનું શું ? આતંકવાદી આવે અને પછી તેનો સામનો કર્યે તેના કરતા તેને આવતા જ રોકવા શું ખોટા છે ?

શું મુંબઈ પર થયેલો હુમલો સ્થાનીક મદદ વગર શક્ય હતો ? એકલા મુંબઈ જ શા માટે છેલ્લા ૧૦-૧૫-૨૦ વર્ષમા જેટલી પણ વાર હમલા થયા છે શું તે સ્થાનીક મદદ વગર શક્ય બને ? મુંબઈનો સ્થાનીક રહેવાસી આટલી ઝડપથી વી.ટી. સ્ટેશન, હોટલ તાજ કે ઓબેરોય ના પહોચી શકે તેટલી ઝડપથી તેઓ પહોચ્યા હતા. સાલી કોઈની દીમાગ કી બત્તી કેમ જલતી નથી ?

આતંકવાદીઓને ખબર છે કે મરવાનું છે અને જો જીવતા પકડાયા તો પણ સાસરૂ જ છે ૧૦-૧૫ વર્ષ મોજ જ કરવાની છે. પેલો અફઝલ ગૂરૂ મોજ કરે છે અને હવે આ કસાબ પણ મોજ કરશે. એવું એક તો કારણ જણાવો કે જેનાથી આતંકવાદી ભારત આવતા ડરે ? બીજુ હું જ્યાં રહુ છુ તે માંગરોલ દરિયા કિનારે છે અને હાઇલી સેન્સીટીવ એરીયા કહેવાય. અહી થી માધવપુર સુધીનો ૩૦-૪૦ કિમી લાંબો દરીયાકિનારો સંભાળવા હમણા સુધી એક બોટ અને ૧૦-૧૫ નેવીના જવાનો હતા. બીજુ વચ્ચેના નાના-નાના ગામડામા બે-ચાર ગામડા વચ્ચે એક ફોરેસ્ટ ઓફીસર હતા. બહારથી કાઈ પણ અહી લેન્ડ કરવું હોય તો બહુ સહેલુ છે. ભુતકાળમા લેન્ડ થયેલુ પણ છે. પણ હમણા સુધી કોઈ તકેદારી લેવાતી ના હતી. તાજેતરની મને ખબર નથી પણ બે વર્ષ પહેલા સુધી તો આ જ સ્થિતી હતી.

કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ હુમલો કરે અને પછી તેનો મુકબલો કરવો તેના કરતા તેને આવતા જ ના રોકી શકાય ? કાશ...

Tuesday, October 27, 2009

બસની મુસાફરી....



માંગરોલ એટલે છેવાડાનું ગામ. બસએ બાકીની દુનિયા સાથે જોડતું એક માત્ર માધ્યમ. તમારે ટ્રેનમા જવું હોય તો પણ બસમા બેસી ૧૬૦-૭૦ કિ.મી.ની મુસાફરી કરી રાજકોટ જવું પડે. હા, કેશોદ થી ત્યારે મીટરગેઇજ અને અત્યારે બ્રોડગેઇજ ટ્રેનની સવલત ખરી પણ અનુકુળ સમય ના હોવાથી બહુ ઓછી વાર બેસવાનું થતું. મને પહેલાથી જ બસની મુસાફરી અનુકુળ આવી ગઈ હતી. જુનાગઢ વાર તહેવાર અને મોટા ભાગે કામથી જવાનું થતું ત્યારે બસ એક માત્ર ચારો હતો. ૧૯૯૬ માં વિ.વિ.નગર ભણવા ગયો ત્યારે તો ઉજ્જડ વનમા એરંડો પ્રધાન તેમ આણંદ થી જુનાગઢની એક માત્ર એસ.ટી. બસ આવતી. રજા પડવાની હોય તેના એક અઠવાડીયા પહેલાથી જ અમારા બસ સ્ટેન્ડના ચક્કર ચાલુ થઈ જતા. નિયમ ૫ દિવસ પહેલાનો હોય અને તે અમને ખબર પણ હોય છતા માસ્તરને માય-બાપ બનાવીને પણ રિઝર્વેશન મેળવવાની કોશિસ કરતા.

ક્યારે રિઝર્વેશન ના મળે તો રાત્રીની તે બસમા વચ્ચે ચાલવાના રસ્તા ઉપર બેગ ઉપર બેઠા-બેઠા અને મોડી રાત્રે ચાદર પાથરી સુતા-સુતા મુસાફરી કરેલ છે. ત્યારે હજી બસના સ્લિપર કોચ શરૂ થયા ના હતા, કદાચ અમારી આ રિતની સુવાની આદત પરથી પ્રેરણા લઈને જ સ્લિપર કોચની શોધ થઈ હોય તો કહેવાય નહી. વચ્ચે સુવામા એવી તો ફાવટ આવી ગઈ હતી કે પછીથી રિઝર્વેશન કરવાની જ આળસ કરી જતો. ક્યારેક તો એટલી ભિડ હોય કે વચ્ચે સામાન રાખવાની પણ જગ્યાના હોય ત્યારે ડ્રાઈવર સાહેબ સાથે સાચી ખોટી ઓળખાણ કાઢી તેની કેબીનમા જગ્યા મેળવી લેતા.

શિયાળો, ઉનાળો કે ચોમાસું બધી જ સિઝનમા મારી કુંડલીમા બસની મુસાફરી યોગ હોય જ. મારા માટે આવતે મહીને તમારો મુસાફરી યોગ છે તેવી ભવિષ્યવાણી ગમે તે જ્યોતિષિ આંખ બંધ કરીને કરી શકે છે. તેમા પણ ૧૯૯૯ થી ૨૦૦૫ સુધી તો દર અઠવાડીયું બસમાં અમદાવાદ આવવાનું થતું. વચ્ચે તો ટ્રકની હડતાલ હતી ત્યારે બસમા સિંગદાણા ભરી અને તેની ઉપર સુતા-સુતા મુસાફરી કરેલ છે. આદત મુજબ દરેક વખતે મારૂ અવલોકન ચાલુ જ રહેતું.

શિયાળો હોય ત્યારે પણ લોકો બારી પાસે બેસવા પડાપડી કરતા કારણ કે સિધા તડકોનો લાભ મળે તે માટે. બપોર ના સમયે બસ કઈ દીશામા જશે તેના પર થી બસની કઈ બાજુ તડકો વધુ આવશે તેની વિપરિત બાજુએ બેસવાની ગણતરી કરતા લોકોને પણ જોયા છે. અરે ઉતરતી-ચડતી વખતે મારા-મારી તો ઘણી વખત જોય છે. બાબો કે બેબી ૩-૫ વર્ષનો છે કે નહી તે માતેની કંડકટર સાથેની જીભા-જોડી તો દરેક વખતે જોવા મળે છે. ત્રણની સિટમા આરામ થી બેસવા માટે "અહી આવે છે પાછળ ખાલી જ છે" તેવા જવાબો સાંભળેલા છે. અરે બે ટીકીટ લીધેલી હોય અને સાથે નાનો બાબો કે બેબી હોય અને ત્રણની સિટ પર કોઈ બેસવા આવે ત્યારે જગ્યા ના કરવી. ખુબ ભિડ હોય ઉભવાની પણ જગ્યા ના હોય ત્યારે કોઈ એકલી સ્ત્રી નાના બાળક સાથે બસમા ચડે તો પણ તેને સિટના આપવી વગેરે બનાવો વખતે ખુબ ગુસ્સો આવતો.

વોલ્વોનું આગમન થયું પછી તેમા ઘણી વાર તેમા બેસવાનું થયુ છે, દરેક વખતે એક વાત કોમન બને છે. બસ ચાલુ થઈ ના હોય ત્યાં સુધી બેઠેલા મુસાફરો સિટ ઉપર આપેલી બધી જ સ્વિચો મચડતા હોય છે. મોટા ભાગે એક પણ સ્વિચ ચાલતી હોતી નથી. બસ ચાલુ થાય અને થોડોક સમય થાય એટલે આ જ લોકો પાછા આ સ્વિચો પાસે કામ લેવાનો નિષ્ફળ પ્રયાસ કરતા નજરે ચડે છે. બન્ને વખતે આસય તદ્દન વિપરિત હોય છે. પહેલી વાર A.C. ની સ્પિડ વધારવા માટે અને બીજી વાર સ્પિડ ઘટાડવા માટેની કસરત હોય છે. છેવટે ઠંડી (અહી A.C.) પોતાની પરાકાષ્ઠાએ પહોચે ત્યારે સહનશક્તિ અને ધીરજ ખુટતા A.C. ના હોલમા રૂમાલ, દુપટ્ટો કે બસનો પડદો ભરાવી દરેક પરિસ્થિતીમા અસ્થાયી માર્ગ કાઢવાની ભારતીય પરંપરા જાળવે છે. ક્યારે આટલુ પુરતુ ના હોય ત્યારે બાહ્ય ગરમીથી રક્ષણ મેળવવા માટેનો પડદો ઓઢી ગરમી મેળવવાનો પ્રયાસ થાય છે.

પુસબેક સિટને હજી આપણો સમાજ સ્વિકારી શક્યો નથી. ઘણા લોકોની જુનાગઢ થી અમદાવાદ સુધીની ૭ કલાકની મુસાફરી સિટ આગળ-પાછળ કરવામા જ પુરી થઈ જાય છે. જુનાગઢ મજેવડી થી સિટ સરખી કરવાની શરૂ કરે અને અમદાવાદ ઇસ્કોન આવે ત્યા સુધી તેનો મેળ ના પડે. અમુક લોકો તો બસમા ખાવા માટે જ મુસાફરી કરતા હોય છે. કોઈ બાવા-સાધુએ જાણે સલાહ આપી ના હોય તેમ આખે રસ્તે મોઢામા ઠુસ-ઠુસ કરતા હોય છે. તેમા પણ નાના બાળકો ખાસ ઘરે મમ્મી જમવાનું ના આપતી હોય તે રીતનું વર્તન કરે છે(મારો જાત અનુભવ). જેટલી જગ્યાએ બસ થોભે તેટલી જગ્યાએ થી કાઈક ને કાઈ લેવું જ જોયે. ઘાટે-ઘાતનું પાણીની જેમ સ્ટેશને સ્ટેશનની વેફર,કુરકુરે અને ચોકલેટ ખાતા-ખાતા અમદાવાદ આવે.

અંતમા પણ પાલડી ઉતરવાનું હોય પરંતુ સરખેજથી ક્લીનરને કહેતા જાય "પાલડી આવે એટલે કેજો" અમુક પતિ-પત્નિ ઇસ્કોન ઉતરવું કે જોધપુર તે મથામણા કરતા હોય છે. "અહી થી રિક્ષા ૧૫ રૂપિયામા મળશે જોધપુર થી ૨૦ લેશે" તે વાતો મા અને સામસામે દલીલો ઇસ્કોનથી બસ ઉપડવાની હોય ત્યારે પાછળથી બસ રોકવા દોડશે અને છેલ્લે ઇસ્કોન અને જોધપુરની વચ્ચે "ન અહી ના કે ન ત્યાંના" તેવી સ્થિતીમા ઉતરશે.

ગમે તેમ તો પણ બસની મુસાફરી એટલે બસની મુસાફરી તેની આગળ પ્લેન પણ પાણી ભરે.

Friday, October 9, 2009

કડકડતી નોટો.... બધાની ચાહત.

કાલે ૮-૧૦ ના રોજ ઓફીસે સવારના વહેલુ જવાનું હતુ. ઓફીસ ખાલી ખમ્મ હતી. હું એકલો માખીઓ મારતો હતો. બપોરે જમીને સાવ નવરો બેઠો હતો. ત્યાં મારા સરના પપ્પા આવીને બોલ્યા, "અલ્યા અહી નવરો બેઠો છે તો જાને RBI મા ૫ અને ૧૦ ની નવી નોટો મળે છે લઈ આવ." આમ પણ કાઈ કામ હતું નહી અને તે બહાને RBI પણ જોવાય જાશે, તેમ વિચારી હું અને મારી ઓફીસના એક ભાઈ ગયા. ત્યાં પહોચી ને જોયું તો એ લાં......બી લાઈન. આમ પણ કાઈ કામ ના હતું એટલે અમે તો ઉભી ગયા લાઈનમા. લાગવગીયા ઘુસ મારવાની કોશીસ કરે અને કોઈ પટ્ટાવાળા કે સિક્યોરીટી વાળાને પટાવાની કોશીસ કરે. કોણ જાણે કેમ કોઈ ને લાઇનમા ઉભવાનો કંટાળો આવતો હશે ? કે પછી લાઈન તોડવાનો એક છુપો આનંદ મળતો હશે ? ભગવાન જાણે. ડંડા ખાધા પછી જ સરખી લાઈન કરવી તે જાણે જન્મજાત આદત હોય છે. આપણા ભારતીયો ના DNA મા કદાચ સારી વ્યવસ્થાને અવ્યવસ્થામા બદલી નાખવાના જીન્સ આઝાદી પહેલાથી વારસાગત મજબુત થતા આવ્યા લાગે છે ?

મહા મુસિબતે અંદર ગયા... ત્યાં વળી બીજી લાઈન હતી. તે લાઈનમા ટોકન લેવાનું હતું. મને ૧૮ નંબરનું અને બીજા ભાઈને ૧૭ નંબરનું ટોકન મળ્યું. અંદર ગયા તો પાછી ત્રીજી લાઈન હતી. અભિમન્યુ ચક્રવ્યુમા નહી મુંજાણો હોય તેટલો હું અંદર જઈને મુંજાણો. ક્યા બારી નંબર ૧૮ તે શોધવા મા જ ૧૦ મીનિટ નિકળી ગઈ. હું ૧૮ અને પેલા ભાઈ ૧૭ નંબરની બારી ની લાઇનમા ઉભા. ત્યાં કોઈ એ ધડાકો કર્યો કે ખાલી ૩,૦૦૦ ની જ નવી નોટ આપે છે અને તે પણ ૧૦ અને ૨૦ ની જ. આ તો જુનાગઢની બસમા ધક્કામુક્કી કરી ને બેઠા અને પછી ખબર પડી કે આ સીટીબસ ખાલી ઇસ્કોન સુધી જ જાય છે તેવું થયું. પેલો ભાઈ મને કહે શું કરીશું હાલો પાછા. મે કહ્યુ ના અહી સુધી આવ્યા છીએ તો નવી નોટ લઈ ને જ જાયે. કાઈ લીધા વગર જાશુ તો પાછા સાભળવાનો વારો આવશે.

અમારે ૮,૦૦૦ ની નવી નોટ લેવાની હતી. મે તેને કહ્યુ તમે ૩,૦૦૦ ની ૧૦ ની લઈ લેજો. મારી આગળ વાળાને ૧૦૦૦ ની જ લેવાની હતી એટલે ૧૦૦૦ તેને આપ્યા. મે ૨૦૦૦ ની ૧૦ની અને ૨૦૦૦ની ૨૦ વાળી નવી નોટ લીધી. મારો તો તરત નંબર આવી ગયો એટલે પેલા ભાઈની રાહ જોતો હું બહાર ઉભો. ત્યાં નવી નોટો લઈને દિગ્વિજય થઈ ને નિકળતા લોકોની મોઢાની ચમક જોવા જેવી હતી. તેમાય અમુક લોકો તેમના સંબંધી ને કહેતા કે મારી ઓળખાણને લીધે જ તમને નવી નોટો મળી બાકી અહી ૧૦-૧૦ ધક્કા ખાવ તો પણ નવી નોટ જોવા ના મળે. એક ભાઈ તો પરચુરણ ઉપાડવા એક હમાલ લઈને આવ્યા હતા. જીવનમા પહેલી વાર કોઈ ને પૈસાનો ભાર લાગતો હોય તેવું જોયું હતું. પેલા હમાલના ચહેરા પર તે પીડા હું જોઈ શકતો હતો. એક ભાઈ કોઈ અંદર નોટ લેવા ગયા હશે તેને મોબાઈલ પર સુચના આપત હતા. કેવી રીતે અને ક્યા-ક્યા કેવી વાત કરવી તે દર બે મીનિટે સમજાવતા હતા. મને થયુ કે આ ભાઈએ વધુ ચલાવ્યુ તો હમણા પેલો બહાર આવી આને કહેશે કે જાવ તમે જ લઈ આવો.

આ દરમ્યાન અમુક લોકો પોતાનો વ્યવસાય કરવા મા વ્યસ્ત હતા. રિક્ષામા ક્યાક થી સ્ત્રીઓ અને પુરૂષો લાવી તેને લાઈનમા ઉભા રાખી ભાડેથી નવી નોટો લેવડાવાતી હતી. આ ધંધાની તો મને ખબર જ નહી. તે તો પાછળ થી ખબર પડી જ્યારે ૫ ની નવી નોટ ના મળી અને પેલા ભાઈએ ત્યાં બહાર ઉભેલા એક વ્યક્તિને ભાવ પુછ્યો અને પેલાએ પેકેટના ૫૦ રૂપિયા કહ્યા ત્યારે. સાલુ આ તો કરવા જેવો ધંધો. સિધા જ ૧૦ % માર્જીન. ઓફીસે આવ્યા તો નસીબમા સાંભળવાનું તો હતું જ. ૫ ની કેમ નવી નોટ ના લાવ્યા ? અત્યાર સુધી શું કર્યુ ? બહાર મળતી હતી અંદર શા માટે ગયા ? વગેરે વગેરે રાબેતા મુજબ. પછી હોશે હોશે તેજુરીમા પૈસા મુકી બધા કામે વળગ્યા.

નિરાતે હું બેઠો હતો ત્યારે એક જ વિચાર આવ્યો. આને ઘેલછા કહેવાય કે ગાંડપણ કે પછી આત્મસંતોસ. બીજા પાસે છે અને મારી પાસે નથી કે મારી પાસે બીજા કરતા પહેલા કોઈ ચીજ આવી ગઈ તેવા અહમ નો સંતોષ કે ભંગ થી ઉત્પન થતી એક વૃતિ ? શું કહેશું આને.