હું કોણ છું. હું હાડ-ચર્મ, માસ-મન, અહંમ-અભિમાન, વેદના-સંવેદના, વિષય-વિચાર થી ભરેલો એક એવો માનવ છું, જે કર્મની સાથે ફળની પણ આશા રાખે છે અને એક જીદ્દ છે કે, શબ્દોથી વિશ્વને પ્રમાણીક બનાવવી છેં. કારણકે, જ્યારે આ વિશ્વનો દરેક માનવ પ્રમાણીક બનશે ત્યારે વિશ્વની બધીજ સમસ્યાઓ આપો-આપ શેષ થઈ જશે. આપ શું માન છો ?
Wednesday, August 26, 2015
અનામતની આંધી – “અંતનો આરંભ કે આરંભનો અંત”
Saturday, October 18, 2014
નિયત, નિષ્ઠા, નિતિમત્તા
Saturday, March 31, 2012
ઘટનાઓ ની આસપાસ – ૨.૨
Friday, March 30, 2012
ઘટનાઓ ની આસપાસ - ૨.૧
Monday, September 12, 2011
કાળા નાણા ના કાળા-ધોળા….
ડર શબ્દનો અર્થ સાપેક્ષ છે. તેની પ્રભાવક ક્ષમતા બન્ને પક્ષે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિ થી ડરતો હોય તો જરૂરી અથી કે ત્રીજા થી ડરે જ, તે જ રીતે બીજી વ્યક્તિ થી પહેલો ડરે છે એટલે ત્રીજી વ્યક્તિ પણ ડરશે જ તે પણ જરૂરી નથી. ક્યાંક વાંચેલુ “તલવારની તાકાત તેને ધારણ કરનાર પર નિર્ભર રાખે છે “. તે જ રીતે શબ્દોનો પ્રભાવ પણ તેને બોલનાર-લખનાર પર અવલંબે છે.
ભ્રષ્ટાચાર, ગોટાળા ટેક્ષચોરી વગેરે વગેરે વગેરે શું ખાલી નૈતિક અધ:પતનનું જ પરિણામ છે ? જો હા તો આ અધ:પતન માટે શું કાયદો અને ડરની ગેરહાજરી જવાબદાર નથી ? બધી જ બાબતોમાં જ્યારે “વહીવટ” થી કામ થઈ જતું હોય પછી ડર શા માટે લાગે. આ ડર નથી કારણ કે કાયદા માં અને વ્યવસ્થાતંત્રમાં મોટા મોટા ગાબડા છે અને આ ગાબડા દ્રારા લાખો કરોડો રૂપિયા પરભારા જતા રહે છે. કેવડા ગાબડા છે તે ઉદા સાથે સમજાવવાનો પ્રયાસ કરીશ.
ABC નામક પેઢી છે. તે એગ્રી કોમોડીટીના પ્રોસેસીંગ-ઉત્પાદન સાથે સંકળાયેલી છે. તેનુ કાર્યક્ષેત્ર ખેત પ્રોડક્ટ ને ખરીદી તેને નિકાસ કરતા વહેપારીને પહોચાડવા સુધી નું છે. હવે જો જો ખેડુત કાયદાના ચોપડે ક્યાંય નોધાયેલો નથી હોતો તેમજ તેને સત્તા મળેલી છે કે તે પોતાનો માલ મુક્ત બજારમાં ક્યાંય પણ રોકડેથી (બાય કેસ ચેક થી નહી) વેચી શકે છે એટલે ખરીદનાર વહેપારી તેનો માલ રોકડેથી ખરીદી શકે છે. હવે અહી થી કાળા નાણા ની યાત્રા શરૂ થાય છે. વહેપારી હવે ધારો કે પરચેઝ એન્ટ્રી ના ફાડે તો ? તે માલ પરભારો તેના ગોડાઉનમાં પડ્યો રહે છે. તે માલનું પ્રોસેસીંગ થતા ૩ થી ૫ દિવસ લાગતા હોય ત્યારે બહુ મોટુ જોખમ રહેતું નથી તો સામે પક્ષે તે માલની કોઈ જ એન્ટ્રી ના થયેલી હોય તેના પર તેને કોઈ જ ટેક્ષ ચડતો નથી . હવે પ્રોસેસ થયા પછી ધારો કે તે માલ રિટેઇલ વહેપારી પાસે ગયો એટલે કે પ્રોવિઝન-જનરલ સ્ટોરમાં તો ત્યાં તો તે આરામ થી સેલ(વેચાણ)-બીલ વગર નિકળી જવાનો. ભારત દેશનાં મોટા ભાગના મહાન નાગરીક બીલ માંગવાની તસ્દી જ નથી લેતા અથવા તો ૪ થી ૧૫ % બચતની લાલચે વગર બીલનો માલ ખરીદી લે છે. ટુંકમાં કાળુ નાણુ છેવટના ખરીદનાર થી લઈ ને ઉત્પાદક ખેડુત સુધી નો બિન્દાસ સફર ખેડે છે. અહી કોઈ પણ સ્તરે અસરકારક કાયદાનો અભાવ જોવા મળે છે.
હવે સંભાવનાઓ જરા ચેન્જ કરીએ . જો જે તે એગ્રી પ્રોડક્ટ નિકાસ થવાની હોય તો ? નિકાસ કરનાર પેઢી કે કંપની જે તે માલ વાસ્તવિક કિંમત થી ખુબ જ ઉંચા ભાવના કે પછી ખુબ જ નિંચા ભાવ માં ખરીદે છે . કારણ છેલ્લે કહીશ (નોંધ :- જે તે પેઢી જેન્યુન બીઝનેશ નથી કરતી તેનો વાસ્તવિક ધંધો બીજો છે તેની ખાસ નોંધ મગજમાં લેવી જેથી એવું ના સમજવું કે બધા જ નિકાસ કરતા આવા છે.) . હવે એગ્રી પ્રોડક્ટ પ્રોડ્યુસર-પ્રોસેસર એ ખેડુત પાસે થી લિધેલા માલનું ખરીદબીલ નથી ફાડ્યુ એટલે ખરીદનારની મરજી મુજબનું વેચાણબીલ ફાડી શકે છે અને જે તે વચેણાબીલ ની સમરૂપ ખરીદબીલ ફાડે છે. વાસ્તવિક કિંમત ધારો કે ૨૦ હોય અને જો તે ૩૦ નું ખરીદબીલ ફાડે તો તેના ૧૦ રૂપિયા સિધા કાળા માથી ધોળા થઈ ગયા અને ૧૫ નું ખરીદબીલ ફાડે તો ૫ રૂપિયા કાળા થયા .
સામે પક્ષે પેલી નિકાસ કરતી કંપની વાસ્તવમાં હવાલા ઓપરેટ જેવું જ કામ કરે છે. વાસ્તવિક ૨૦ કિંમત વાળી વસ્તુ તે ૩૦-૪૦ કે ૫૦ રૂપિયા ના ભાવે નિકાસ કરે એટલે વધારાના ૧૦ થી ૩૦ રૂપિયા વિદેશમાં જમા થયેલા કાળા નાણા સફેદ થઈ પાછા આવે છે . તે જ રીતે ૨૦ ની કિંમત વાળી વસ્તુ ૧૫ થી ૧૦ જેટલા નીચે ભાવે નિકાસ કરી કાળા નાણા દેશની બહાર મોકલે છે. આ જ પેઢી આનાથી ઉલ્ટી પ્રક્રિયા એટલે કે વધુ કે ઓછા ભાવે આયાત કરી આવી રીતે વાઇટ કોલર હવાલા ઓપરેટ કરી શકે છે. આ બધુ જ કાયદેસર રીતે થતુ હોય કોઈ જ કાઇ નથી કરી શકતું.
કાયદો કેટલો સખ્ત છે તેના પર નહી પણ કેટલો અસરકારક છે તેના ઉપર પરિણામ અવલંબતુ હોય છે. જે કાયદા નિચે આટલા મોટા ગાબડા હોય તે ખાલી નૈતિકતાની દુહાધી જ આપી શકે. દેશ ને અત્યારે સખ્ત કાયદાની નહી અસરકારક કાયદાઓની જરૂર છે જે પરિણામ ઉપર સિદ્ધી જ અસર કરતા હોય. ૧૦૦ % બધી જ આવક જાહેર કરી ૩૦ % ટેક્ષ ભરવાનો થતો હોય અને પકડાયે ત્યારે પણ ૩૦ % ટેક્ષ ભરવાનો થતો હોય ત્યારે મોટા ભાગના બીજો ઓપશન વધુ પસંદ કરે છે વધુ માં ઇન્કમટેક્ષની રેડ સ્ટેટસ સિમ્બોલ બને તે નફા માં. લાયસન્સ લઈ ૧૫ પ્રકારના રજીસ્ટરો રાખવા કરતા ના લઈ ઝંજટ મુક્ત વેપાર અનુકળ લાગવો સ્વાભાવિક છે.
જ્યારે અસ્તિત્વ અને નૈતિકતા બન્ને માથી એક પસંદ કરવાનો વખત આવે ત્યારે ધર્મરાજ યુદ્ધીષ્ઠીર પણ “નરો વા કુંજ રો વા” કહી દેતા હોય ત્યાં સામાન્ય પ્રજાની તો વાત ના પુછાય. ખરૂ કે ખોટું ?
-: સિલી પોઇન્ટ :-
વર્ષો થી સોરઠ જીલ્લામાં ઉત્પાદીત થતા સીંગદાણા “કાઠિયાવાડી કાજુ” તરીકે ઓળખાય છે . શા માટે ખબર છે ? મુક્ત અર્થતંત્ર પહેલા ના સમયે જ્યારે કાજુ આયાત કરવા માટે મોટી મોટી MNC કંપની સીંગદાણા પણ કાજુના ભાવે નિકાસ કરતી એટલે. :P
(નોંધ :- મારો પરિવાર દાયકાઓથી એગ્રી કોમોડીટી ના વેપાર સાથે સંકળાયેલો છે અને હું આવા જ વાતાવરણમાં મોટો થયેલો છું.)
Saturday, April 9, 2011
ભ્રષ્ટાચારનો શિષ્ટાચાર….
છેલ્લા ૩-૪ દિવસથી અભુતપુર્વ લોક જુવાળ ફાટી નિકળ્યો છે. ક્રિકેટ વિશ્વ-વિજેતાનો હજી તો નશો ઉતર્યો ના હતો ત્યાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટેની લડાઈ શરૂ થઈ ગઈ. હું નિરાશાવાદી તો નથી જ પણ એક વાસ્તવવાદી તરીકે એટલી તો મને ખબર જ છે કે આનો ક્યાં અંત આવવાનો છે. કદાચ ક્રાન્તિની શરૂવાત હોય અને યોગ્ય ઇંધણ મળતુ રહે તો વાત જુદી છે બાકી તમે જ્યારે આ વાંચતા હશો અથવા તો વાંચી ને વિચારતા હશો ત્યારે જ કદાચ સરકારે એકાદ કમીટી જાહેર કરી દીધી હશે. અહિંસક ભારતની આ જ તો ખાસીયત છે બધી અહિંસક જ ચળવડ આવી જ અહિંસક રીતે કચડી નાખવામાં આવે છે. સામાન્યજનને સીધી રીતે સ્પર્ષતા પ્રશ્નો માટે જ્યારે આ રીતે સ્વેચ્છીક આંદોલનમાં પલટાવા જઈ રહ્યા હોય ત્યારે તેને ઠંડુ કરવાનો આ સૌથી સહેલો રસ્તો છે. ભુતકાળમાં આવુ ઘણી વખત થયેલુ છે પણ કદાચ આ વખતે પરિણામ કાઇક જુદુ આવશે.. કાશ…..
છેલ્લા ચાર દિવસથી T.V. નેટ SMS દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર વિરોધમાં એક સ્વયંભુ પ્રચાર અને પ્રસાર ચાલી રહ્યો છે. ભ્રષ્ટાચાર ના કરવો જોઇએ અને થવા ના દેવો જોઇએ તેવા કેટલાય SMS અને FB સ્ટેટસ અપડેટ વાંચ્યા. મોટી મોટી હસ્તીઓ એ પણ આ વહેતી ગંગામાં હાથ-પગ ધોયા. પણ હજી સુદ્ધા મને કોઈ નક્કર પગલાની અપેક્ષા નથી કારણ કે અમુક મુદ્દાઓ એવા છે કે જેને ક્યાય ધ્યાનમાં લેવાયા નથી. તમે જ્યારે ભ્રષ્ટાચાર જેવા દુષણ થી મુક્તિ મેળવા ઇચ્છતા હોય તો તેની શરૂવાત કા તો પાયે થી કરવી પડે અને કા તો ટોપ લેવલ થી. અત્યારે આપણે ટોપ લેવલથી શરૂવાત કરવા જઈ રહ્યા છીએ જો કે તે સારી વાત છે પણ એક વાત ભુલવી ના જોઇએ કે દેશની પ્રજા ને મહત્તમ રીતે સાકળથી બાબતો ધ્યાન બહાર ના રહી જાય. મારો ચોકીદાર,મેતાજી કે પછી કામવાળી ૧૦૦ % ઇમાનદારી થી કામ કરે તેવું હું ઇચ્છતો હોવ તો મારી ૧૦૦ % સતર્કતા પણ જરૂરી છે. કાયદો બનાવી સજા અપાવવા કરતા ગુનો જ ના હ્તવા દેવો તે ઇચ્છનીય નથી ?
કાલે મને એક SMS આવ્યો કે આજના દીવસે પ્રણ લો કે ના તો ભ્રષ્ટાચાર કરશો ના તો થવા દેશો. સારૂ ચાલો હું ભ્રષ્ટાચાર નહી કરૂ પણ નીચે દર્શાવેલ અમુક સ્થીતીમા શું કરવું ?
ક્યાં દુર કોઈ નજીકના સગા બિમાર છે ત્યાં જવા માટે ટ્રેન એક જ સાધન અવેલેબલ છે અને ટીકીટ નથી મળતી એજેન્ટ કહે છે અમુક રૂપિયા આપો તો સ્પેશીયલ ક્વોટા માથી ટીકીટ કઢાવી આપુ, ત્યારે મારે શું કરવું ?
કોઈ અંગત વ્યક્તિ ખુબ જ બિમાર છે હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં લાંબી લાઇન છે નર્શ-કંપાઉન્ડર ૫૦-૧૦૦ ના બદલામાં ઇમર્જન્સી કેસ કાઢી વહેલો વારો લઈ આપે તેમ છે, ત્યારે શું કરવું ?
છોકરાએ મહેનત કરવા છતા ૧-૨ માર્ક માટે ગમતી લાઇનમાં એડમીશન મળતુ નથી અમુક ડોનેશન આપવાથી તે કામ થઈ જાય છે, ત્યારે શું કરવું ?
વિઝા એપ્લીકેશનમાં બર્થ ડેટ વેરીફીકેશન માટે બર્થ સર્ટી. માગે છે લેટર છેલ્લા જ દીવસોમા આવ્યો એટલે તાત્કાલીક તેની જરૂર છે ક્લર્ક ૧૦૦ મા ઉભાઉભા કાઢી આપવા તૈયાર છે બાકી ત્રણ દીવસ પછી નું કહે છે, ત્યારે શું કરવું ?
વાત હરી-ફરી ને ત્યાં જ આવે છે, “યાર હમારી બાત શુનો…… વો પહેલા પથ્થર મારે જો પાપી ના હો.“ પસંદગી જ્યારે પાપી અને ઓછા પાપી વચ્ચે કરવાની હોય ત્યારે ? બીજુ એની શી ગેરન્ટી છે કે ઓછો પાપી સમય જતા મોટો પાપી નહી બને ? આપણા માથી કોને રૂપિયા દેવા ગમે છે અને રૂપિયા ના આપવાનો બીજો ઓપશન પણ કોની પાસે છે ?? ઘરની બહાર નિકળતા પહેલા ચેક કરવું પડે છે ડ્રાઇવિંગ લાઇસન્સ લીધુ જાણે એક દેશ માથી બીજા દેશમા જતા હોઇએ અને પાસપોર્ટની ચિંતા કેમ ના કરતા હોય. બાઇક કે ગાડીમા બેસતા પહેલા અને તે પણ પેટ્રોલની ચિંતા કરતા પહેલા PUC ની ચિંતા રહે છે. હેલ્મેન્ટ અને સીટબેલ્ટ ખીસ્સાની સેફ્ટી માટે પહેરીયે છીએ . મ્યુનિ. ઓફીસે ટેક્ષ ભરવા જતા પહેલા ૨૫ વ્યક્તિને તેની કોઈ ઓળખાણ મટે પૃચ્છા કરીશુ લાઇન થી બચવા માટે. ટેક્ષ ભરીએ છીએ કારણ કે કાયદાનો ડર છે નહી કે જવાબદારી સમજી ને. બાઇક થી કોઈ ને ઠોકર લાગી તો તરત પોલીસવાળા સાથે “સેટલ” કરી નાખીયે છીએ કારણ કે તારીખ ના ચક્કર મોંઘા પડશે, અરે ગમતી તારીખ માટે જજ સુદ્ધા સાથે સેટીંગ કરવું પડે. IT નો દરોડો પડ્યો “બધુ જ બરોબર હોવા છતા બધુ જ બરોબર નો રિપોર્ટ માટે” નૈવેધ ધરવું પડે કારણ જેમ ઉપર જતા જઈશું તેમ તેમ ખર્ચો વધ તો જશે. જે ફોર્મ મફત મળવું જોઇએ તેના ૫ રૂપિયા આપીશુ કારણ કે નહીતર ઓફીસમા અડધો દીવસનો પગાર કપાઇ જાશે. આ બધુ જ કર્યે છીએ કારણ કે કરવું પડે છે અને કરતા રહીશું જો કાઇક પરિવર્તન ના આવે . આપણે એવા દેશમાં રહીયે છીએ જ્યાં તમારે તમે હોવાની સાબીતી માટે એક કરતા વધુ પુરાવા આપવા પડે છે અને છતા પણ કરોડો લોકો ગેર-કાયદેસર રહે છે. આપણા દેશમાં ભારતીય બનવું સૌથી સસ્તુ છે મારી સંવેદના -http://marisamvedana.blogspot.com/2009/12/blog-post.html
જ્યાં સુધી વહીવટમાં સરળીકરણ નહી આવે, જ્યાં સુધી ટ્રેન-બસમાં મુસાફરો જેટલી સીટો-બર્થો નહી હોય, જ્યાં સુધી દવાખાનામાં દર્દીઓના અનુપાતમાં ડોક્ટરો નહી હોય ત્યાં સુધી પુર્ણ ભ્રષ્ટાચાર મુક્ત સમાજ વ્યવસ્થા શક્ય નથી જ. જ્યારે જ્યારે વસ્તુ એક હોય અને તેનો ઉપભોગ કરના એક કરતા વધુ ત્યારે ત્યારે ભ્રષ્ટાચાર થવા નો જ.
આજથી ૧૦-૧૫ વર્ષ પહેલા દીવાળી ઉપર પેઢી એ બેસતો ત્યારે બોણી લેવા વાળામાં સૌથી વધુ બોણી પોસ્ટમેન અને ટેલીફોન લાઇનમેન રહેતા. પપ્પા કદાચ ત્યારે તેમને બોણી આપતી વખતે મને આપવા કરતા પણ વધુ ખુશી અનુભવતા. કારણ… ધંધાનો સંપુર્ણ આધાર ત્યારે તે બે ખાતા ઉપર રહેતો. ફોન બંધ તો દેશાવર(માંગરોળ થી ૨૬ કીમી દુર કેશોદ પણ દેશાવર કહેવાતુ) ના ભાવ ના મળે ટ્રંકકોલ તાત્કાલીક જોડી આપે તો આપણો તૈયાર માલ વહેલો વેચાય અને નવો માસ લેવાની ખબર પડે તે જ રીતે ટપાલી ૧૨ વાગ્યા પહેલા ટપાલ પહોચાડે તો ડ્રાફ બેન્કમાં જમા થાય અને પૈસા ઉપડે બાકી બીજા દીવસે. આજે ? સૌથી ઓછી બોણી અને કેટલાય તો બોણી લેવા પણ નથી આવતા. ટેલીફોનનું સ્થાન મોબાઇલે અને ડ્રાફ નું સ્થાન Online બેન્કીંગે લઈ લીધુ. આવુજ કાઇક બીજા ક્ષેત્રોમા થાય તો ?
તેમ છતા “દીવાદાંડીનો પ્રકાશ દેખાય છે તો ક્યાં કિનારો તો હશે જ ને”.
-: સિલી પોઇન્ટ :-
“જેને જેને આજનો સિલી પોઇન્ટ જાણવો હોય તે મારા ખાતામાં ૧૦૦ રુપિયા જમા કરાવે તેમને e-maile થી મોકલી દેવા માં આવશે” – મારૂય નામ થવા દ્યો પછી દરેક પોસ્ટની નીચે આવુ લખુ જ કે નહી . :D

