Showing posts with label વિચાર બિંદુ.. Show all posts
Showing posts with label વિચાર બિંદુ.. Show all posts

Wednesday, October 7, 2015

“ભારત ભાગ્ય વિધાતા”


ભારત ભાગ્ય વિધાતા
હમણા થોડો સમય પહેલા આપણે દેશનો ૬૯મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો, તે વર્ષોથી ચાલતી એક બીબાઢાળ પ્રણાલી પ્રમાણે યંત્રવત્ત ઉજવાય ગયો. દર વર્ષે ૧૨મી ઓગસ્ટ ના રોજ ચડતો દેશભક્તિનો તાવ ૧૭મી ઓગસ્ટ આવતા સુધીમા તો પાછો નોર્મલ થઈ જાય. આટલી જલ્દી તો વાઇરલ ફીવર પણ પીછો નથી છોડતો પણ દેશભક્તિ પ્રત્યે આપણે ખુબ સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવ્યે છીએ તેનું ઉત્તમ ઉદાહરણ છે. દેશભક્તિ બે રાષ્ટ્રીય તહેવાર ના આગળ પાછળના ૨૪-૩૬-૪૮ કલાક વચ્ચે સિફ્તથી સાચવી લેવાની આપણી કળા અનન્ય છે.
૬૮ વર્ષ, કાઇ નાનો સુનો ગાળો નથી. એવરેજ વ્યક્તિની પિતૃત્વ-માતૃત્વ વય ૨૨-૨૩ વર્ષ ગણીયે તો ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ પછી તરતના - વર્ષમા જન્મેલા લોકોની ત્રીજી પેઢી પુક્ત થઈ માતૃત્વ-પિતૃત્વના આરે ઉભી છે. આખે આખ્ખી ત્રણ પેઢીની પુક્તતા અને એક પેઢીની નિવૃતિ ગાળા વચ્ચે વહી ગઈ. રાજકીય-સામાજીક-ધાર્મીક-ભૌતિક-આર્થીક-ભૌગોલીક કેટ કેટલાય ફેરફારો ગાળમાં થઈ ગયા. પણ.. પણ.. બધ્ધુ જેન પાયા પર ઉભુ છે તે શૈક્ષણીક અને ખાસ કરી માનસિક ફેરફારો કરવાનું આપણે કેમ ચુકી ગયા તે સમજાતુ નથી . ભારતીય ઉપ-મહાદ્વિપ અને ખાસ કરી ને ભારત ખંડના ઇતિહાસની વાત કરીયે તો ૫૦૦૦-૬૦૦૦ વર્ષ માં તે એક દેશ ક્યારેય હતો નહી અને આજે પણ માનસિક રીતે દેશ એક નથી. અફસોસ સાથે કહેવુ પડે છે કે ૬૮ વર્ષમા દેશના રાજકર્તાઓ દેશને ભૌગોલીક રીતે તો એક રાખી શક્યા છે પણ દેશના લોકોને માનસિક રીતે કેટલાય ખંડોમા વહેચી નાખ્યા.
કાઇક બન્યુ છે તો કાઇક કારણ હશે અને તે કારણ માટે કોઈ કારક પણ હશે . ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ સ્વતંત્રતાની સાથે સત્તાનું ખાલી હસ્તાંતર થયું, સત્તા પરિવર્તન નહી. જેના હાથમા સત્તા આવી તેણે પણ તેના પુરોગામીની જેમ દેશ ચલાવ્યો અને પાયામા જે ભુલો થઈ તેને પરંપરા બનાવી અંતે કહેવાતી લોકશાહીની જે ઇમારત બની તે ૬૮ વર્ષે આપણી સામે છે. હક માટે ગાંધી ચિંધ્યા માર્ગના નામે ટોળાશાહી કરતી પ્રજાના કાન ખેંચી તેની ફરજો યાદ કરાવવાનું કોઈ ને સુજ્યુ નહી. -૧૫ દિવસ કોઈ કારણોસર પાણી વિતરણ થાય તો નગરપાલીકાએ બેડા ખખડાવતી અને તોડ ફોડ કરતીબાયુંકપડા ધોયા પછી વધારાનું પાણી ફળીયામા ઢોળે કે એપાર્ટમેન્ટના ત્રીજા માળે થી રસનીતરતો હેઠવાળ જાહેર માર્ગે પર ફેકે ત્યારે તેને કહેનાર કોણ છે ? પછાતપણાની કે પછી રાહતની સબસિડી માથી ચડાવતા પાન-માવા ની પિચકારી જાહેર ઇમારતો કે રસ્તાઓ પર મારનાર લોકો ને છે કોઈ રોકનાર ? વાત ખાલી સ્વચ્છતાની નથી, સાચીઆવકનાથીજ્ઞાનનાજ્ઞસુધીનો આપણો આખ્ખો કક્કો ખોટો છે.
સબસિડી વાળા ગેસના બાટલાનો ઉપયોગ કાર-સ્કુટરમા ખુલે આમ થાય છે. વિજળીની ચોરી તો ઠિક છે તે રોકવા આવનાર પર પથ્થર મારો કરી તેને ભગાડી મુકાય છે. કાગળ પર ધંધા સ્થાપી જુદી-જુદી યોજનાની સબસિડી જમવાની મધ્યાહ ભોજન યોજના ગામે-ગામ ચાલે છે. એકતાના નામે એસોશિયેશન-સિન્ડીકેટ કરી  અવાસ્તવિક ભાવ બાંધણુ ઠેર ઠેર જોયુ હશે. ભ્રષ્ટાચાર અને કાળાબજાર પર તો એટલી ફિલ્મમો બની કે હવે તો કોઈ પ્રોડ્યુસર વિષય મા હાથ નથી નાખતો. તેને પણ સમજાય ગયુ હશે કે આનુ કાઈ નહી થાય. કાયદાનો ભંગ કરવો તે દેશમા વિરતાની નિશાની છે. “પાચ ઠોલા ઉભા હતા તો પણ સિગનલ તોડી હું છટકી ગયો.” આવી વિરત ભરી વાતો આપણે ત્યાં થઈ શકે.
રાજકર્તાનું કામ ખાલી પ્રજા કલ્યાણનું નથી, સાથે સાથે તેની યોગ્ય ફરજો નું તે પાલન કરે છે કે નહી તે જોવાનું પણ છે. હક સાથે જવાબદેહી પણ આવે છે. પણ તકલીફ છે કે પહેલા હક દેખાય છે. હક માટે મરવા-મારવા સુધી પહોચી જાઇએ છીએ પણ જ્યારે જવાબદેહી સામે આવે ત્યારે છીંડા નહી બોગદા તૈયાર હોય છે. અને બધી તકલીફ અહી થી શરૂ થાય છે.
આપણે ત્યાં બાલમંદિરથી અંગ્રેજી-ગણીત-હિન્દી-ગુજરાતી જેવા વિષયોને શિખવાડવા માં આવે છે. - વર્ષના બાળકો કડકડાત અંગ્રેજી બોલતા હોય તેવુ હવે સામાન્ય છે. પપ્પા ભણતા ત્યારે ડિસટિક્શન રેર ગણાતું. ફર્સ્ટ ક્લાસ તો બહુ મોટી વાત હતી. ભાઈ ભણતો ત્યારે ૭૫%+ એટલે ઓહો..હો થતુ. અમે ભણતા ત્યારે ૮૦-૮૫ % તો બહુ જેન્યુન જીનિયસ ને આવતા. જ્યારે અત્યારે ૯૦-૯૫ % તો સાવ સામાન્ય થઈ ગયા છે. નો ડાઉટ નવી પેઢીઓ બુદ્ધીશાળી બનતી ગઈ છે પણ શિક્ષણમા ઘણા વિષયો સાથેસોશિયલ મેનર્સજેને સાદી ભાષામા સંસ્કાર અને શિસ્ત કહેવાય તેની સંદન્તર બાદબાકી થઈ છે. સમય જતા રાજકર્તાઓની ઉદાસીને લિધે લોકો ના સામાજીક વર્તનમા  “ચાલસે, થશે, જોયુ જશે”  ની માનસિકતા લગભગ બધી સમસ્યાઓ નું મુળ છે.
દેશ સાચી પ્રગતી કરી શકે જેના નાગરીકો ને સાહજીકતાથી મુળભુત હકો મળી જાય અને એટલી સાહજીકતાથી નાગરીકો ફરજોનું પાલન કરે. બાકી દેશ ૫૦૦૦-૬૦૦૦ વર્ષ થી ચાલ્યો છે અને કદાચ બીજા એટલા વર્ષો પણ આમ નિકળી જાશે. કોઈ તો છેભારત ભાગ્ય વિધાતાજે દેશને આમ ચલાવે છે.

સિલી પોઇન્ટ
આપણા દેશની સૌથી મોટી કમનસિબી કે, ૧૯૪૭ પછી થયેલા લગભગ બધા લોક આંદોલનો અંતે રાજકીય રોટલા શેકવાના બળતણ તરીકે ખપી ગયા. વ્યવસ્થા પરિવર્તન માટે થયેલા આંદોલન સત્તા પરિવર્તન ના ધ્યેય સાથે પુર્ણતા પામે છે.


Wednesday, August 26, 2015

અનામતની આંધી – “અંતનો આરંભ કે આરંભનો અંત”




એક દોઢ મહીનાથી ગુજરાત વિચિત્ર સ્થિતીમા મુકાયુ છે. કોઈ ને કલ્પના પણ ના હોય તેવી વાતના પથ્થરએ ગુજરાતની શાંત સ્થિતીમા વમણો પેદા  કર્યા. વાત સાવ સિધીને સાફ હતી… “અનામત નો લાભ જન્મ આધારીત નહી પણ આર્થીક આધાર પર મળવો જોઇએ.” વાત સાવ સાચી અને સિધી છે. જ્યારે જન્મ પર કોઈ વ્યક્તિનો વસ ના હોય ત્યારે ફક્ત જે તે જ્ઞાતીમા જન્મ લેવાથી અનામતનો લાભ મળે અને કોઈ એક જ્ઞાતિ કે ધર્મમા જન્મ લેવાથી અનામત મળે તે તો કુદરતના પણ નિયમ વિરુદ્ધની વાત ના થઈ
૧૯૯૬ મા S.S.C.ની પરિક્ષા ૫૭ % સાથે પાસ કર્યુ.. સાયન્સ મા રસ અને ગણીત-વિજ્ઞાનમા ૮૦%+ માર્ક હોવા છતા હું પેન્ડીંગ એડમીશનની લાઇનમા ઉભો હતો. ડોક્ટર-એન્જીન્યર થવાના કોઈ સપના ના હતા અને સાચુ કહુતો તેવડ પણ હતી. સાયન્સ લઈ B.Sc કરી ને ગણીત અથવા તો બાયોલોજીનો શિક્ષક થવુ હતુ. પેન્ડીંગ લાઇનમા મારી સાથે ઉભેલા લોકો ને તેના માર્ક પુછ્યા તો કોઈ ના ૧૦૦ માથી ૯૭ ને કોઈ ના ૯૫ એટલે કે ૫૦ % થી પણ ઓછા. તેમ છતા તેમાથી અમુક ને જે તે સ્કુલમા એડમીશન મળી ગયુ અને મને ના મળ્યુ. કારણ કે કેટેગેરી મેરીટ નું કટ ઓફ ૨૦૦ માથી ૧૦૦ નું હતુ તે હિસાબે તે લોકોને થી માર્ક ઘટતા હતા જ્યારે જનરલ કેટેગેરી ના કટ ઓફ થી હું ખાસ્સા ૧૦ માર્ક દુર હતોજે તે સ્કુલમા એડમીશન મળ્યુ અને સાયન્સ સાથે મારા ભણવાનું પણ નામુ નંખાય ગયુ.
કદાચ મારે જે બનવુ હતુ તે બની શક્યો તે ના કારણો માં પ્રસંગનું મહત્વ ગણ્ય હશે અને કદાચ તે સ્કુલમા એડમીશન મળ્યુ હોત તો પણ કદાચ નિયતી મુજબ હું અત્યારે અહી હોત પણજે થયુ તેનો અફસોસ જીંદગી ભર રહેશે. માર પ્રિય દાર્શનિક શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ કહે છે તેમ જે વ્યક્તિનો વર્તમાન ખરાબ હોય ને તે ભુતકાળ ને ભાંડે .
પાછો આજ પર આવુ, તો છેલ્લા એક દોઢ મહીના થી જે થઈ રહ્યુ છે તેની સત્યતા અને સાર્થકતા ઉપર છાપાઓના પાના અને FB-વોટ્સએપ પર પોસ્ટઓ ભરાય તેટલુ લખાયુ છે. જે લખાયુ છે તેને જસ્ટીફાય કરવાનો કોઈ પ્રયાસ નથી અને નથી આંદોલનની ટીકા કે તરફેણ કરવાનો પ્રયાસ. ઇતિહાસ-આર્થીક-સમાજીક વિષયોની દિર્ઘ છણાવટો ઘણી થઈ ગઈ પણ છેલ્લા સમય સુધી કાઇક ખુટતુ હોય તેવુ લાગ્યા કર્યુ અને એટલે લેખન વનવાસ કાળ હોવ છતા લખવા પ્રેરાયો.
જે લખાયુ-ચર્ચાયુ તે બધુ પોતાને ઠેકાણે પણ કોઈ ને થયુ કે અચાનક એવી તો શું પરિસ્થિતી થઈ કે જે લોકો અનામત ની વિરોધ મા હતા તે લોકો ને અનામત માંગવાનો સમય આવ્યો ? મુદ્દો રાજકીય-શૈક્ષણીક-વ્યવસાઇક કરતા આર્થીક અને સામાજીક વધુ છે. જો જો વાત અનામત માંગતી કોઈ એક જ્ઞાતિ કે સમાજ સાથે જોડવાની ભુલ ના કરતા. વાત છે બધી કહેવાતી ઉચ્ચ જ્ઞાતીઓની અને તેમા લખનારની જ્ઞાતી પણ આવી જાય છે. વર્ગ સમાજ વ્યવસ્થાનો એવો ભાગ છે કે મોટા ભાગે વ્યવસાય કે નાના મોટા ઉદ્યોગો સાથે જોડાયેલો છે. પોતાની જ્ઞાતિના સમુહના ટેકે ટેકે આગળ આવ્યો છે અને પોતાના નાના મોટા સમુહમા સુખે થી રહે છે. તો પછી તકલીફ ક્યા થઈ ? સમાજ વ્યવસ્થાના એક સામાન્ય અભ્યાસી લેખે અમુક મુદ્દાઓ ધ્યાનમ આવ્યા છે તે જણાવું.
. અંગ્રેજીમ કહેવત છે Don’t put all Eggs in one basket, બધા ઇન્ડા એક ટોકરીમા મુકવાં નહી, ટોકરી પડી નથી ને બધા ઇન્ડાનું રામ બોલો ભાઈ રામ થયુ નથી. કહેવત જેટલી આર્થીક બાબતો ને લાગુ પડે છે તેટલી સામાજીક બાબતો ને પણ લાગુ પડે છે. સંગઠીત સમાજ પ્રગતી કરે, સુખ દુ:ખમાં એક બીજા ને મદદરૂપ થાય પણ આખાસમાજ ઉપર કોઈ આર્થીક કે સામાજીક આફત આવે ત્યારે ? તોફાની દરીયામા ૫૦ લોકો એક બોટ પર સવાર હોય અને - લોકો ૧૦ બોટ પર હોય ત્યારે જાનહાની ની શક્યતા એકલી બોટ કરતા ૧૦ અલગ-અલગ બોટમા ઓછી રહેલી છે તેવુ આંકડાશાસ્ત્રનો નિયમ કહે છે. આઇ બાત સમજ મે
. વાઇબ્રન્ટ સમયમા સમય સાથે બદલવુ પડે, વિકાસ વર્ટીકલની સાથે હોરિઝન્ટલ પણ થવો જોઇએ. ૧૦૦ માળની ૫૦ બિલ્ડીંગ કરતા ૧૦ માળની ૫૦૦ બિલ્ડીંગ વધુ વાસ્તવિક વિકાસ ની સ્થિતી દર્શાવે છે. કોઈ સમાજની આર્થીક પ્રગતી ત્યારે થઈ ગણાય કે તેની કુલ સંપતી વધુ માં વધુ લોકો વચ્ચે વહેચાયેલી હોય અને તો તે સમાજ શંતિથી રહી શકે. બીજુ વેપાર ધંધામાં નવીનીકરણ થાય તો હરીફાયમા ટકવુ શક્ય બને.
. મહત્વનો અને છેલ્લો મુદ્દો, નવી પેઢી એક સુરક્ષીત અને સ્થાયી જીવન જીવવાની લાલસામા સપડાય ગઈ છે. જોખમ થી ડરે છે તેમ તો નહી પણ જોખમથી દુર જરૂર ભાગે છે. ૧૦ થી ની નોકરી અને શનિ-રવીની રજાની લાલસા વેપાર-ધંધા પર હાવી થતી જાય છે. સામે પક્ષે દીકરીના મા-બાપ પણ એવુ ઇચ્છે છે કે પોતાની દીકરી નોકરીયાતના ઘરમા જાય . વર્ષે કરોડનું ટર્ન ઓવર કરનાર, એક એવરેજ સરકારી ઓફીસ કરતા વધુ નો સ્ટાફ ધરાવનાર અને એક વિદ્યાસહાયકના પગાર કરતા વધુ ટેક્ષ ચુકવનાર ને યોગ્ય જીવન સાથી મળવામાં ફાફા પડવા સામાન્ય વાત છે, ત્યારે કહેવાતા ઉચ્ચ જ્ઞાતિ નો જોક અનામત તરફ જવો સ્વાભાવિક છે.
એક પરિવર્તનની શરૂવાતના આશા ના કિરણ જેવું આંદોલન જે તબક્કે પહોચ્યું છે ત્યારે પ્રશ્ન થવો વ્યાજબી છે,  “અનામતની આંધીઅંતનો આરંભ કે આરંભનો અંત ?”
-: સિલી પોઇન્ટ :-

અનામત આંદોલનના કન્વિન્યરશ્રી ની આખી સ્પિચ સિલી પોઇન્ટ તરીકે

Saturday, October 18, 2014

નિયત, નિષ્ઠા, નિતિમત્તા





       જન્માષ્ટમી ઉપર પરિવાર સાથે પોરબંદર મેળામા જવાનું થયું, આમ તો બધુ સામાન્ય હતુ પણ એક વાત જો કે આંખને ખુંચી . લગભગ બધી જ રાઇડ્સ જેવી કે કોલંબસ, બ્રેક ડાન્સ, ટોરાટોરા, રોકેટ, ડ્રેગન વગેરે ની ટિકીટનો દર સમાન ૧૦ રૂ. હતો. ગયા વર્ષે આ દર અલગ અલગ એટલે કે અમુકના ૧૦ તો અમુકના ૨૦ રૂ. એમ હતો. બીજુ બધી જ રાઇડ્સ લગભગ એક-બે રાઉન્ડ લગાવી લોકો ને ઉતારી દેતા હતા. અમુકમા તો હજી સ્પિડ પકડી ના પકડી ત્યાં તો ઉતરવાનો સમય થઈ જતો હતો . કારણ બહાર નિકડતી વખતે સામે લાગેલા બોર્ડ પર નજર પડી ત્યારે જાણવા મળ્યુ . “નગરપાલીકા મેળા આયોજન સમિતી દ્રારા બધી જ રાઇડ્સ નું રૂ. ૧૦ નું ભાવ બાંધણુ કરે છે.”
       વર્ષોથી અમદાવાદ રેલ્વે-બસ સ્ટેશન પર ઉતરવાનું થાય છે. જ્યા જવુ હોય ત્યાં મીટર થી નહી ફિક્સ ભાડા થી આવવાની કેટલાય રિક્ષાવાળા જીદ્દ કરતા હોય છે. અજાણ્યા ને તો મીટર ઉપર જવાનો ડર જ લાગે ક્યાંક ફેરવી ફેરવી ને લઈ જાય તો ? મુંબઈ દાદર સ્ટેશન પરથી પ્રિ-પેઇડ ટેક્સી કરેલી, ટ્રાફીક જામના બદલામા એક્ટ્રા રૂપિયા માંગવા મા આવેલા નહિતર ટ્રેઇન ચુકાવી દેવાની રિતસર ધમકી મળેલી.
       બાળકોને લઈ ને કેટલીય વખત દવાખાને લાઈનમા બેસેલો છુ. લગભગ દરેક વખતે નવા કેસ ૭૦ રૂપિયા હોય અને ઇમર્જન્સી કેસના ૧૦૦ હોય તો કેટલાય નમુના ૩૦ વધુ ખર્ચી વહેલો વારો લેવાની લાલચ રોકી નથી શકતા . પછી ભલે ને બીજાના બાળકો રડતા હોય.
       ૧૯૯૦ ના દશકામા પેકેટમા બટેટાની વેફર્સ બજારમા મળતી થઈ. બે વિદેશી બ્રાન્ડ સાથે બે મુખ્ય દેશી બ્રાન્ડ આવતી. આજે જોવા મળે છે તેવી વેરાયટી અને વિવિધતા તો ના હતી અને આવા હારડા પણ ના હતા. દેશી બ્રાન્ડની એક વેફર્સ કંપની ની પોલીથીનની થેલી મીણબત્તીથી પેક કરેલી અને ૫ રૂપિયા મા પેટ ભરાય એટલી તેલ થી લથબથ વેફર્સ મળતી. અત્યારની જેમ રમ્કડાની જગ્યાએ ઘણી વખત માચીસની કાંડી કે પછી બટેટાની છાલ પણ નિકળે જેવા જેના નસિબ. પણ આજે, મંદિરમા મળતા પ્રસાદ  કરતા પણ ઓછી સંખ્યા (વજન કેમ કહેવુ ?) મા વેફર્સ આ પેકેટ મા મળે છે. આવુ તો કેટલુય ૫ રૂપિયામા મળે છે.
       મીત્ર ખીમજીભાઈની કોસ્મેટીકની દુકાને અઠવાડીયે ૨-૩ દિવસ બેસવાનુ થાય. હાલ લગભગ બધી જ આયટમ્સ મા સ્કિમ ચાલે છે. ડીયો સાથે સાબુ, શેમ્પુ સાથે કંડીશનર કે ફ્રેસવોસ, ટુથ પેઇસ્ટ સાથે બ્રસ, વોસિંગ પાવડર સાથે બકેટ આવી તો કેટલીય ફ્રિ ની સ્કિમ ચાલે છે. બધી સ્કિમ મા એક વાત કોમન હોય છે ૧૦૦ થી ૧૫૦ ની વસ્તુ સાથે ૩૦ થી ૮૦ ની માર્કેટમા ના ચાલતી વસ્તુ ધાબડી દેવામા આવે છે. સાબુ વાળા તો કમાલ કરે છે, ત્રણ ઉપર એક ફ્રિ ની સ્કિમ મા પહેલા જે સાબુ ૧૦૦ ગ્રામનો આવતો હોય તેને તે જ ભાવ સાથે ૭૦ ગ્રામ નો કરી નાખે. સિધો હિસાબ પહેલા જે રૂપિયા મા મા ૩૦૦ ગ્રામ સાબુ મળતો તે હવે તેટલા જ રૂપિયામા (ફ્રિ સાબુ સાથે) ૪ X ૭૦ = ૨૮૦ ગ્રામ જ મળે.
       આ બધા જ દાખલા વ્યક્તિ-ઉત્પાદક-સેવા આપનાર ની નિષ્ઠા, નિયત અને નિતિમત્તા ના અભાવના છે. બધા જ એવા છે એવુ નથી પણ જે છે તેનુ પ્રમાણ અને તેનો પ્રભાવ સમાજ ઉપર ખુબ વધુ છે. આ તબક્કે એક પ્રશ્ન થાય આ બધાની જરૂરિયાતો કેટલી ? શું આવુ કર્યા વગર જીવન શક્ય જ નથી ? આપણે પણ જીવનમા ક્યાંક-ક્યારેક આવુ કર્યુ હશે ત્યારે આજે જાત ને સવાલ પુછ્યે શું આ બધુ આટલુ જરૂરી હતુ ? અરિસામા જાત ને જોતિ વખતે વિખેરાયેલા વાળ વચ્ચેની સફેદી નજરે ચડતી હોય તો આવા આત્મા પર લાગેલા દાગ કેમ નથી દેખાતા ?
       અમુક ફરજો સરકારની હોય, અમુક ફરજો સમાજની હોય અને અમુક ફરજો વ્યક્તિની હોય. સરકાર અને સમાજને ભાંડતા પહેલા શું આપણે ૧૦૦ % ખાતરી થી કહી શક્યે છીએ કે આપણી વ્યક્તિગત ફરજ આપણે નિભાવીત છે ? જવાબ સાચી નિયત-નિષ્ઠા અને નિતિમત્તા થી શોધીશુ તો કેટલીય સમસ્યાઓનો નું કારણ અને કારક આપણે ખુદ હોયશુ.

-: સિલી પોઇન્ટ :-
 U.P. લોકસભા ચુટણી ના પરિણામ પછી મુલાયમસિંહ તેના પુર્વજો ઉપર ગુસ્સે થયા હશે . તેમણે થોડી વધુ મહેનત કરી હોત તો PM નહી તો વિપક્ષના નેતા નું પદ તો પોતાને મળત. :D
      

Monday, September 12, 2011

કાળા નાણા ના કાળા-ધોળા….


ડર શબ્દનો અર્થ સાપેક્ષ છે. તેની પ્રભાવક ક્ષમતા બન્ને પક્ષે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિ થી ડરતો હોય તો જરૂરી અથી કે ત્રીજા થી ડરે જ, તે જ રીતે બીજી વ્યક્તિ થી પહેલો ડરે છે એટલે ત્રીજી વ્યક્તિ પણ ડરશે જ તે પણ જરૂરી નથી. ક્યાંક વાંચેલુ “તલવારની તાકાત તેને ધારણ કરનાર પર નિર્ભર રાખે છે “. તે જ રીતે શબ્દોનો પ્રભાવ પણ તેને બોલનાર-લખનાર પર અવલંબે છે.

જીવનમાં નૈતિકતા ખુબ જરૂરી છે. નૈતિક રીતે પુર્ણ વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોવાનું જ પણ બધી જ વાત માં નૈતિક મુલ્યોની દુહાહી આપી રડવા ના બેસાય. માન્યુ કે દેશમાં પ્રવર્તમાન સમસ્યાઓ ના મુળ માં નૈતિક અધ:પતન મુખ્ય છે પણ નૈતિક મુલ્યો સ્થાપિત કરવા માટે પણ હંમેશા ડર નો સાથ લેવો જ પડતો હોય છે. ચાલુ ક્લાસે વાતો ના કરાય તે શાળા જીવનનું નૈતિક મુલ્ય અને પરમ કર્તવ્ય ગણાય પણ જ્યારે ગણગણાટ શરૂ થાય અને ત્યારે તરત જ શિક્ષક ટેબલ પર ફુટપટ્ટી ના પછાડે તો તે ગણગણાટ ને ઘોંઘાંટ બનતા વાર નથી લાગતી. સિંગ્નલ ઉપર એક બાઇક લાલ બત્તિ વખતે નિકળે કે તરત ટ્રાફિક પોલીસ કાઇ ના કરે તો પરિણામ ટ્રાફિક જામ જ આવવાનું. કાયદા રક્ષક ની નિષ્ફળતા કાયદા ભંગ કરનાર માટે હિંમત પુરી પાડે છે. ખોટુ બોલો કે ખરાબ કામ કરો તો નર્ક માં જવાના ડર થી જ તો સદીઓ થી જીવન મુલ્યો પાસ ઓન થતા આવ્યા છે. નૈતિકતા સ્થાપવી હશે તો ડરાના જરૂરી હૈ.

ભ્રષ્ટાચાર, ગોટાળા ટેક્ષચોરી વગેરે વગેરે વગેરે શું ખાલી નૈતિક અધ:પતનનું જ પરિણામ છે ? જો હા તો આ અધ:પતન માટે શું કાયદો અને ડરની ગેરહાજરી જવાબદાર નથી ? બધી જ બાબતોમાં જ્યારે “વહીવટ” થી કામ થઈ જતું હોય પછી ડર શા માટે લાગે. આ ડર નથી કારણ કે કાયદા માં અને વ્યવસ્થાતંત્રમાં મોટા મોટા ગાબડા છે અને આ ગાબડા દ્રારા લાખો કરોડો રૂપિયા પરભારા જતા રહે છે. કેવડા ગાબડા છે તે ઉદા સાથે સમજાવવાનો પ્રયાસ કરીશ.

ABC નામક પેઢી છે. તે એગ્રી કોમોડીટીના પ્રોસેસીંગ-ઉત્પાદન સાથે સંકળાયેલી છે. તેનુ કાર્યક્ષેત્ર ખેત પ્રોડક્ટ ને ખરીદી તેને નિકાસ કરતા વહેપારીને પહોચાડવા સુધી નું છે. હવે જો જો ખેડુત કાયદાના ચોપડે ક્યાંય નોધાયેલો નથી હોતો તેમજ તેને સત્તા મળેલી છે કે તે પોતાનો માલ મુક્ત બજારમાં ક્યાંય પણ રોકડેથી (બાય કેસ ચેક થી નહી) વેચી શકે છે એટલે ખરીદનાર વહેપારી તેનો માલ રોકડેથી ખરીદી શકે છે. હવે અહી થી કાળા નાણા ની યાત્રા શરૂ થાય છે. વહેપારી હવે ધારો કે પરચેઝ એન્ટ્રી ના ફાડે તો ? તે માલ પરભારો તેના ગોડાઉનમાં પડ્યો રહે છે. તે માલનું પ્રોસેસીંગ થતા ૩ થી ૫ દિવસ લાગતા હોય ત્યારે બહુ મોટુ જોખમ રહેતું નથી તો સામે પક્ષે તે માલની કોઈ જ એન્ટ્રી ના થયેલી હોય તેના પર તેને કોઈ જ ટેક્ષ ચડતો નથી . હવે પ્રોસેસ થયા પછી ધારો કે તે માલ રિટેઇલ વહેપારી પાસે ગયો એટલે કે પ્રોવિઝન-જનરલ સ્ટોરમાં તો ત્યાં તો તે આરામ થી સેલ(વેચાણ)-બીલ વગર નિકળી જવાનો. ભારત દેશનાં મોટા ભાગના મહાન નાગરીક બીલ માંગવાની તસ્દી જ નથી લેતા અથવા તો ૪ થી ૧૫ % બચતની લાલચે વગર બીલનો માલ ખરીદી લે છે. ટુંકમાં કાળુ નાણુ છેવટના ખરીદનાર થી લઈ ને ઉત્પાદક ખેડુત સુધી નો બિન્દાસ સફર ખેડે છે. અહી કોઈ પણ સ્તરે અસરકારક કાયદાનો અભાવ જોવા મળે છે.

હવે સંભાવનાઓ જરા ચેન્જ કરીએ . જો જે તે એગ્રી પ્રોડક્ટ નિકાસ થવાની હોય તો ? નિકાસ કરનાર પેઢી કે કંપની જે તે માલ વાસ્તવિક કિંમત થી ખુબ જ ઉંચા ભાવના કે પછી ખુબ જ નિંચા ભાવ માં ખરીદે છે . કારણ છેલ્લે કહીશ (નોંધ :- જે તે પેઢી જેન્યુન બીઝનેશ નથી કરતી તેનો વાસ્તવિક ધંધો બીજો છે તેની ખાસ નોંધ મગજમાં લેવી જેથી એવું ના સમજવું કે બધા જ નિકાસ કરતા આવા છે.) . હવે એગ્રી પ્રોડક્ટ પ્રોડ્યુસર-પ્રોસેસર એ ખેડુત પાસે થી લિધેલા માલનું ખરીદબીલ નથી ફાડ્યુ એટલે ખરીદનારની મરજી મુજબનું વેચાણબીલ ફાડી શકે છે અને જે તે વચેણાબીલ ની સમરૂપ ખરીદબીલ ફાડે છે. વાસ્તવિક કિંમત ધારો કે ૨૦ હોય અને જો તે ૩૦ નું ખરીદબીલ ફાડે તો તેના ૧૦ રૂપિયા સિધા કાળા માથી ધોળા થઈ ગયા અને ૧૫ નું ખરીદબીલ ફાડે તો ૫ રૂપિયા કાળા થયા .

સામે પક્ષે પેલી નિકાસ કરતી કંપની વાસ્તવમાં હવાલા ઓપરેટ જેવું જ કામ કરે છે. વાસ્તવિક ૨૦ કિંમત વાળી વસ્તુ તે ૩૦-૪૦ કે ૫૦ રૂપિયા ના ભાવે નિકાસ કરે એટલે વધારાના ૧૦ થી ૩૦ રૂપિયા વિદેશમાં જમા થયેલા કાળા નાણા સફેદ થઈ પાછા આવે છે . તે જ રીતે ૨૦ ની કિંમત વાળી વસ્તુ ૧૫ થી ૧૦ જેટલા નીચે ભાવે નિકાસ કરી કાળા નાણા દેશની બહાર મોકલે છે. આ જ પેઢી આનાથી ઉલ્ટી પ્રક્રિયા એટલે કે વધુ કે ઓછા ભાવે આયાત કરી આવી રીતે વાઇટ કોલર હવાલા ઓપરેટ કરી શકે છે. આ બધુ જ કાયદેસર રીતે થતુ હોય કોઈ જ કાઇ નથી કરી શકતું.

કાયદો કેટલો સખ્ત છે તેના પર નહી પણ કેટલો અસરકારક છે તેના ઉપર પરિણામ અવલંબતુ હોય છે. જે કાયદા નિચે આટલા મોટા ગાબડા હોય તે ખાલી નૈતિકતાની દુહાધી જ આપી શકે. દેશ ને અત્યારે સખ્ત કાયદાની નહી અસરકારક કાયદાઓની જરૂર છે જે પરિણામ ઉપર સિદ્ધી જ અસર કરતા હોય. ૧૦૦ % બધી જ આવક જાહેર કરી ૩૦ % ટેક્ષ ભરવાનો થતો હોય અને પકડાયે ત્યારે પણ ૩૦ % ટેક્ષ ભરવાનો થતો હોય ત્યારે મોટા ભાગના બીજો ઓપશન વધુ પસંદ કરે છે વધુ માં ઇન્કમટેક્ષની રેડ સ્ટેટસ સિમ્બોલ બને તે નફા માં. લાયસન્સ લઈ ૧૫ પ્રકારના રજીસ્ટરો રાખવા કરતા ના લઈ ઝંજટ મુક્ત વેપાર અનુકળ લાગવો સ્વાભાવિક છે.

જ્યારે અસ્તિત્વ અને નૈતિકતા બન્ને માથી એક પસંદ કરવાનો વખત આવે ત્યારે ધર્મરાજ યુદ્ધીષ્ઠીર પણ “નરો વા કુંજ રો વા” કહી દેતા હોય ત્યાં સામાન્ય પ્રજાની તો વાત ના પુછાય. ખરૂ કે ખોટું ?

-: સિલી પોઇન્ટ :-

વર્ષો થી સોરઠ જીલ્લામાં ઉત્પાદીત થતા સીંગદાણા “કાઠિયાવાડી કાજુ” તરીકે ઓળખાય છે . શા માટે ખબર છે ? મુક્ત અર્થતંત્ર પહેલા ના સમયે જ્યારે કાજુ આયાત કરવા માટે મોટી મોટી MNC કંપની સીંગદાણા પણ કાજુના ભાવે નિકાસ કરતી એટલે. :P

(નોંધ :- મારો પરિવાર દાયકાઓથી એગ્રી કોમોડીટી ના વેપાર સાથે સંકળાયેલો છે અને હું આવા જ વાતાવરણમાં મોટો થયેલો છું.)

Tuesday, September 14, 2010

વિચારો




નેટ ઉપર આવ્યો તે પહેલા આવતા વિચારો ને નોટ ઉપર ટપકાવી લેતો. નેટ પર આવ્યો ત્યારે અભિવ્યક્તિનું નવું જ માધ્યમ
મળ્યું. મીત્રોની સ્ક્રેપબુક, કોમ્યુનિટીની ફોરમ કે પછી ચેટ દરમ્યાન વિચારો અભિવ્યક્ત કરતો આવ્યો છું. આજે બે વર્ષે પાછળ વળીને જોવ છુ તો ખ્યાલ આવે છે હું ક્યાં હતો અને અત્યારે ક્યાં પહોચ્યો છું. શું આ બધુ કોઈ ક્રાન્તિ માટે મે કર્યું છે ?

ના, મારૂ લખાણ માત્રને માત્ર મારા માટે છે, મારા વિકાસ માટે. હું દ્રઢ પણે માનુ છું કે કોઈ પ્રોસેસમા જો તમારો સ્વાર્થ ના હોય તો તે પ્રોસેસ ભાર થી વધુ કાઈ નથી. આ લેખનની પ્રોસેસ હું મારા વિચારોની પરિપક્વતા માટેની છે અને એટલે જ હું અનિયમીત રીતે લખુ છું. આ દરમ્યાન કોઈને મદદરૂપ થયો હોવ તો તે આ પ્રોસેસની આડપેદાશ ગણી શકાય. બ્લોગ ઉપર લખવાનું શરૂ કર્યુ ત્યારે સામે કેટલીય મુસ્કેલીઓ હતી. આ મુસ્કેલીઓ નો યોગ્ય રીતે સામનો કરવો તે પ્રાથમીકતા હતી. બીજુ કે કોઈ કઠીન કાર્ય કરતા હોયે ત્યારે પ્રોત્સાહનની તાતી જરૂરીયાત રહે છે તો બ્લોગને તે માટેનું માધ્યમ બનાવ્યું. આજે લખવાનું શરૂ કર્યુ ત્યારથી મારા વિચાર મા જે બદલાવ આવ્યો તે વિષે ખુબ જ ટુકમા લખવા જઈ રહ્યો છું.

આજ થી લગભગ ૧૫ વર્ષ પહેલા લખવાનું શરૂ કર્યું ત્યારે લેખનમાં વેધકતા હતી પણ પરિપક્વતા ના હતી. મારી નાખુ, તોડી નાખું, ભાંગીને ભુક્કો કરી નાખુ આટલી જ વાત. સમાજ દેશ દુનિયા વિશ્વને બદલી નાખવાની તમ્મના અને જુનુન હતું. હું મારી જાતને ખુશનસિબ સમજુ છુ કે જીવનની વાસ્તવિકતા બહુ જલ્દી સમજી શક્યો . જીવન ફોર ટ્રેક રોડ પર BMW ચલાવવું તે નથી જીવન તો ક્રોસ કન્ટ્રી રેસ જેવું છે. ક્યારેક ચાલવું પડે તો ક્યારેક તરવું પડે, ક્યારે દોડવું પડે તો ક્યારે સાકડા રસ્તે સાયકલ ચલાવવી પડે. જેમ જેમ લાઈફને સમજતો ગયો તેમ તેમ વિચારોને પણ પરિપક્વ બનાવતો ગયો. તેમાં પણ છેલ્લા ૩-૪ વર્ષથી દરેક વાતને પોઝીટીવલી લેતા શિખ્યો.

આજે બ્લોગ જગતમાં ઘણા મીત્રો ઘણુ સારૂ લખે છે. હું દરેક વખતે તેના લખાયેલા શબ્દો કરતા તેના વિચારોને વાંચવાનો પ્રયત્ન કરૂ છું. તે સાથે જ જે તે વિચાર કેવી મનોસ્થીતીમા લખાયેલા હશે તેનો કયાસ કાઢવાનો પણ પ્રયત્ન કરૂ છું. મોટા ભાગે કોમેન્ટ લખવાનું માંડી વાળૂ છું. ક્યાંક બહુ જરૂરી લાગે તો કોમેન્ટ લખુ છું અથવા તો મેઇલ કરી ધ્યાન દોરવાનો પ્રયત્ન કરૂ છું. મોટા ભાગે ભુલ સામે આંગળી ચિંધવામા સંબધોનું જોખમ રહે છે છતા તે જોખમ ઉઠાવીને પણ તે કાર્ય નિષ્ઠાથી કરતા હરેવો નિશ્ચય કર્યો છે. ઘણા મીત્રો દુર ગયા છે પણ મને વિશ્વાષ છે કે સાચી વાત સમજાશે એટલે પાછા આવી જાશે.

ઘણા બધા વિષયો ઉપર ઘણૂ બધુ લખવું છે પણ પરિસ્થીતી અને સંજોગો અનુકુળ નથી. જોયે વિચારોની પ્રસુતી થાય છે કે મીસકેરેજ.

-: સિલી પોઇન્ટ :-
મીત્રોની માફી માંગવી સહેલી છે, માફ કરવા થોડા અઘરા છે, સુધારવાનો પ્રયત્ન કરવો વધુ અઘરો પણ તેને તેની
મર્યાદા સાથે સ્વિકારવા સૌથી વધુ અઘરા છે. ક્ષમા પર્વ પર મને મારી મર્યાદા સાથે સ્વિકારવા નમ્ર આપીલ -જાગ્રત.