Showing posts with label રાજકારણ. Show all posts
Showing posts with label રાજકારણ. Show all posts

Sunday, September 25, 2011

ઘટનાઓની આસપાસ…

છેલ્લો મહીનો ઘટના-દુર્ઘટનાઓ થી ભરેલો રહ્યો છે . લગભગ દરેક વિચારી શકતી વ્યક્તિ ને વિચારતી કરી મુકે તેટલી ઘટનાઓ બની છે. આમ તો જે તે ઘટનાઓ બની તે દરેક ઘટનાઓ ની વિષેસ છણાવટ વિવિધ માધ્યમો મા થયેલી છે પણ હુ મારી જાતને આ બધા વિષયો ઉપર લખતા રોકી શકતો નથી. ચાર પાંચ અલગ અલગ પોસ્ટ સહન ના કરવી પડે એટલે એક જ પોસ્ટમા આ બધી બાબતો ઉપર હું મારૂ “એક્સપર્ટ” કિ-બોર્ડ ચલાવું છું. ઇશ્વર આપને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે આ પોસ્ટની શરૂવાત કરૂ છું.

લગભગ ગયા મહિના ના અંતમાં એક ઘટના એવી બની કે જેની નોંધ તો લેવાણી પણ તેની દુરગામી અસરો વિષે ગભિરતા થી વિચાર ના થયો. રાજીવ ગાધી ના હત્યારાઓ ની ફાંસી વિધાનસભા માં પ્રસ્તાવ પસાર કરી રોકવા માં આવી. વાત ૧૦૦ % વ્યાજબી જ છે અને કાયદો પણ કહે છે કે એક જ ગુના ની બે વખત સજા ના હોય. ૧૫-૧૭-૨૦ વર્ષ જેઇલ મા રહ્યા એટલે લગભગ એક જન્મટીપ ની સજા ભોગવી જ લીધી ગણાય અને હવે ફાસી ? ભારત દેશ માં સૌથી ખરાબ ચીજ કોઈ હોય તો તે છે રાજકારણ અને રાજકારણીઓ . પોતાના નિજી સ્વાર્થ માટે આ લોકો દેશનુ ગમે તેટલું ખરાબ કરી શકે છે. અહી આ ઘટના ભવિષ્યમાં જો રાજકીય સ્વાર્થ માટે નું હથીયાર બની જાશે તો શું થાશે તે તો વિચારો ? કલમાડી-રાજા-કનિમોઝી વગેરે ૧-૨ વર્ષ પછી આવી જ કોઈ ચાવીનો ઉપયોગ કરી છુટી જાશે . કારણ કે તેણે કરેલ ગુના ની હાલ ના તબક્કે તો મહત્તમ કોઈ સજા નિશ્ચિત જ નથી. કસાબ-અફઝલ ગુરૂ જેવા ત્રાસવાદીઓ સિફ્ત પુર્વક છટકી જાશે. મારી જાણકારી સાચી હોય તો તા.૨૮ ના રોજ કાશ્મીર વિધાનસભામા આવા મતલબનો કોઈ પ્રસ્તાવ પસાર થવાનો છે. કાયદાની ધીમી ગતી રાજકીય હથીયાર બની દેશની આંતરીક શુરક્ષા સામે કેટલો મોટો પડકાર બની જાશે તે નો ગંભિરતા થી વ્યાપક વિચાર કરવો જોઈએ. અહી વાત ઉદાહરણ પુરૂ પાડવાની છે ત્રાસવાદીઓ ફફડે તેવુ કોઈ ઉદાહરણ તો પુરૂ પાડી શકતા નથી ત્યારે આવો “માનવીય” અભિગમ શું સદેશ આપે છે ?

વર્ષ ૨૦૦૯ માં લગભગ એક મહીના માટે ઉત્તર ભારતના પાંચ મુખ્ય રાજ્યોના મુખ્ય શહેરોમા થોડો થોડો સમય રહેવા ની તક મળી હતી. રસ્તા, બ્યુરોકશી, લાઈટ-પાણી વિતરણ વગેરે વિષે પ્રાથમીક ચર્ચા માં જ સામેની વ્યક્તિ “આપ તો ગુજરાત મે રહેતો હો વહા તો મોદી હૈ “ આવો સહજ જવાબ આપી હથીયાર હેઠે મુકી દે. લગભગ દરેક શહેરમાં ઘર હોય કે ઓફીસ બધે જ પ્રાઇવેટ લાઈટ પ્રોડકશન સંશાધનો જોવા મળ્યા. દિવસના ચાર-છ કલાક તો પોતાની ખપ પુરતી વિજળી પોતે જ ઉત્પન કરવી તેવો વણ લખ્યો નિયમ કેમ ના હોય. અહી મોદી ભક્તિ કે બીજુ કાઈ કરવાનો પ્રયાસ નથી. ગુજરાતમાં પણ હજી ઘણુ કરવાનુ બાકી છે અને ઘણૂ ખોટુ પણ થાય છે . પણ જે થયુ છે તેનો યોગ્ય શ્રેય યોગ્ય વ્યક્તિને આપવો જોઇએ તેવું મારૂ માનવું છે . કાશ્મીરમાં રાજ્યની બહુમત્તી પ્રજા મુસ્લીમ ધર્મ પાળે છે જે રાષ્ટ્રીય સ્તરે લઘુમતી માં છે, કાશ્મીરમાં નિતી વિષયક નિર્ણયો મુખ્યત્વે આ બહુમતી પ્રજાએ ધ્યાનમાં રાખીને જ લેવાતો આવ્યો છે અને તેમા મુખ્યત્વે રાજ્યની બીજી લઘુમતી પ્રજાને અન્યાય થતો આવ્યો છે. નકશામાં તેનાથી થોડુક નીચે આવ્યે તો પંજાબ મા શિખ સંપ્રદાય બહુમતીમાં છે જે સરકારી ચોપડે રાષ્ટ્રીય સ્તરે લઘુમતી છે. અહી નિર્ણયો મોટાભાગે શિરોમણી ગુરૂદ્રારા વ્યવસ્થા પ્રંબધક(SGVP) રાજી રહે તે રીતે જ લેવાતા હોય છે. સાઉથમા કેરલ એવું રાજ્ય છે જ્યાં ઇસાઇ ધર્મ પાળતા નાગરીકો બહુમત્તીમાં છે. દેશના ત્રણ મુખ્ય લઘુમતી ધર્મો પાડતા લોકો જ્યા જ્યાં બહુમતીમાં છે ત્યાં નિતીવિષયક નિર્ણયો તે રાજી રહે તે રીતે લેવાય છે. કહેવાતા બૌધીકો-સિક્યુલર ધ્વજ રકક્ષોને મારી નમ્ર અરજ છે કે સાહેબ તમારી દુકાનની એકાદ શાખા તો ત્યાં જઈ ખોલો. મહારાષ્ટ્રમાં મરાઠી આનુસ, રાજસ્તાનમાં જાટ-મીણા વગેરે જાતીનું તૃષ્ટીકરણ થતુ હોય ત્યારે કેમ આ બધા લલ્લુ પજુઓ ચુપ બેસે છે. ટોપી પહેરે તો મુસ્લીમ તૃષ્ટીકરણ અને ના પહેરે તો મુસ્લીમ ધર્મનું અપમાન . ખર્ચો ખોટો અને મોટો થયો જ છે તેમા શંકા નથી પણ છાપાવાળાઓ તમે પહેલા પાને ખર્ચાઓ વિષે છાપો છો અને અંદરના પાને આખા પેઇજ ની જાહેર ખબર . તમને જો રાજ્યના લોકોની આટલી જ ચિંતા હતી તો નૈતિક રીતે તમારે તે જાહેર ખબર છાપવાની ના પાડી દેવી હતી ને. લાખો રૂપિયા જોય લાળ પડતી હોય તે લોકો નૈતિકતા વિષે બોલે ત્યારે થોડુ અજુકતુ લાગે છે. વિરોધ કરવા માટે પણ લાયકાત જોઇએ.

આ બધી રામાયણ ચાલતી હતી ત્યારે જ પુર્વ-ભારતઆં જોરદાર ભુકપ આવ્યો . આમ તો સામાન્ય વ્યક્તિ માટે આ પ્રદેશનું નામ આવે ત્યારે GK તળીયે બેસી જતુ હોય છે. પહેલા તો રાજ્યોના નામ જ ના ખબર હોય તો પછી તેના પાટનગર અને ત્યાંની સંસ્કૃતી વિષે તો પુછવાનો પ્રશ્ન જ ક્યાં આવે . દેશના બીજા કોઈ ભાગમાં આવડી મોટી કુદરતી આફત આવી હોત તો મીડીયા પોતાની બહાદુરી બતાવવાની હરીફાઈ પર ઉતરી જાત. “ચંદુ… ચંદુ… ક્યા તુમ મેરી આવાઝ સુન શકતે હો ?” “હા, મનુ આપકી આવાઝ આ રહી હૈ.”. “તો બતાઓ વહા માહોલ કૈસા હૈ ?” “મનુ યહા હર તરફ મલબા હી મલબા દીખાય દેતા હૈ, અબ તક યહા સરકાર કી ઓર સે કોઈ રાહત ઓર બચાવ કા કાર્ય આરંભ નહી હુઆ એ.. યહા મલબે મૈ એક આદમી ફસા પડા હૈ હમ ઉનસે હી પુછ લેતે હૈ,” “ભાઈ સાબ આપકા ક્યા નામ હૈ ?” “તેરી બીપ બીપ બીપ બીપ બીપ મુજે યહા સે બહાર નિકાલ ફીર તુજકો મેરા નામ બતાતા હું” “માફ કીજીયેગા ચંદુ સે સંપર્ક ટૂટ ગયા.” . આજકાલ દરેક સમાચારની માર્કેટ વલ્યુ નક્કી થાય છે ત્યારે અર્ધ વિકસીત પછાત એવા પ્રદેશોની પુરતી વેદના લોકો સુધી ના પહોચે તેમા કોઈ નવાય નથી.

છેલ્લે છેલ્લે બે એવા પ્રસંગો બન્યા જેણે વર્તમાન સરકારની વધી-ઘટી આબરૂ પણ ખંખેરી નાખી… આયોજનપંચ નું કાર્ય આજ સુધી તો મને સમજમાં જ નથી આવ્યું. ભણતા ત્યારે પહેલી-બીજી-ત્રીજી યોજનાઓ અને તેના ટારગેટ(લક્ષ્યાંકો) અને જેતે ટારગેટની સમીક્ષા આવતી. ધુળ બરોબર કોઈ વાર એવું વાંચ્યુ હોય કે જે તે લક્ષ્યાંક પુરા થયા હોય. ૧૦૦ મીટરની દોડ ૧૦ સેકન્ડ માં પુરી કરવાનો ટારગેટ હોય અને પહેલી ટ્રાઇ માં ૧૧ સેકન્ડ લાગી હોય તો સામાન્ય માણસ પણ સમજી શકે કે આપણે થોડુ વધુ ઝડપી દોડવું પડશે. અહી આવું કોઈ જ જાતનું આયોજન નહી છતા આયોજન પંચ. તેમા તો ગરીબની વ્યાખ્યા કરી બુદ્ધીનુ પ્રદર્શન જ કર્યું. છેક ૯ માં ધોરણમાં હતા ત્યારે આકડાશાસ્ત્રના સાહેબે સમજાવેલુ, “સજીવ ગણની સરાસરી કે મધ્યક (એવરેજ) કાઢવાનો હોય અને પરીણામ અપુર્ણાંકમાં આવે તો નજીકની પુર્ણાંક સખ્યા લેવી.” ઉદા તરીકે સમજાવેલું ગામમાં પશુપાલક પાસે બકરાઓ નો મધ્યક શોધવાનો હોય અને જવાબ ૪.૭૯ આવે તો જવાબ ૫.૦૦ લખવાનો. કેમ કે .૭૯ બકરામાં તેના ક્યાં ક્યાં અંગ ગાયબ છે તે કેમ સાબીત કરવું. આવડી અમસ્તી વાત આ લોકોને કોણ સાજાવે ? લાગે છે કે આવું જ ચાલ્યું તો નજીકના ભવિષ્યમાં પેલા બન્ટાસીંગ અને છન્નાસીગ ભેગુ એક નવું નામ મોન્ટેંકસીંગ પણ જોક્સમાં પ્રચલીત થાશે.

પ્રણવ મુખર્જી મોસ્ટ સીનીયર પ્રધાન ગણાય. તેઓ કાઈક કહેતા હોય તેનુ વજન પડવું જ જોઇએ. પણ શીવરાજ પાટીલને પણ સારા કહેડાવે તેવા આપણા(UPA ચેરપર્શનના) ગૃહમંત્રીની લુંગી બચાવવા આખી સરકાર સામે પડી ગઈ. પેલા ખુર્શીદ મીયા કહે છે કે તેઓ નિર્દોષ છે યાર તે કામ તપાસ એજીન્સી અને કોર્ટને કરવા દ્યો ને. બીજુ પ્રણવદા અને ચિંદમ્બરમ બન્ને માથી એક ખોટા છે તે પણ સાબીત થઈ ગયું. આવી પરિસ્થિતીમા વડાપ્રધાનની હાલત ના પાડે તો નાક કપાય અને હા પાડે તો માથુ તેવી થઈ ગઈ. આમ તો હવે તેઓ આ બધા ના આદી થઈ ગયા છે છતા નાક કપાવી હાલ પુરતુ માથુ બચાવી લીધુ છે .

-: સીલી પોઇન્ટ :-

ઉપરોક્ત દરેક ઘટના વખતે મીડીયાએ વધતુ ઓછુ મોણ નાખી સમાચાર લોકો સુધી પહોચાડ્યા. હવે તો દર્શકો પણ સમજી ગયા છે કે મીડીયા ૧૦૦ બતાવે ત્યારે ૧૦ સાચુ હોય અને ખાલી ૧ જ કામનુ હોય. તેમ છતા આ લોકો ૧ ના ૧૦૦ કરતા જ રહે છે

નોંધ :- આ પોસ્ટ ૨૪-૯ ના સવારે લખાયેલી છે અનિવાર્ય સજોગોને લીધે પબ્લીશ નો હતો કરી શક્યો. આજે દિવસ ભર પોસ્ટ સાથે સકળાયેલી બાબતોના સ્ટેટસ-નોટ્સ મીત્રો દ્રારા મુકવામા આવ્યા છે તે માત્ર સંજોગ જ છે. છતા કોઈ ને એવુ લાગે તો મને જણાવશો આ પોસ્ટ સાથે હું જે તે વ્યક્તિને ક્રેડીટ આપીશ.

Friday, September 9, 2011

બોમ્બ ધડાકાની આગળ પાછળ…..


છેલ્લા ૨૫-૨૭ વર્ષથી અને તેમા પણ છેલ્લા ૫-૧૦ વર્ષથી તો ખાસ લગભગ દરેક એવી વ્યક્તિ કે જે મારી જેમ કાઈક વિચારી શકે છે અને તે વિચારોને વ્યક્ત કરી શકે છે તે દર ધડાકે એક જ પ્રકારનો વિલાપ કરતો આવ્યો છે. આંતકવાદીને જડબાતોડ જવાબ દેવો જોઈએ, આ બધી જ પ્રવૃતિ સીમા પારની છે અને તેને રોકવા માટે અમેરીકા-ઇઝરાઇલ જેવી શખ્ત નિતી અપનાવવી જોઇએ, નેતાગીરી નમાલી છે વગેરે વગેરે . સામે પક્ષે મહાન ભારતના અતિ મહાન નેતાઓ પણ એક અગાઉ થી તૈયાર સ્ક્રિપ્ટ વાંચતા હોય તે રીતે એકની એક વાત બકી જતા હોય છે. અહી આ બધી જ વાત કોઈ એક પક્ષ કે સરકારને કેન્દ્ર સ્થાને રાખી નથી લખી તે ચોખવટ પ્રાથમીક તબક્કે જ કરી દવ. બધા જ પક્ષ અને બધી જ સરકાર વખતે આ જ નાટક ભજવાતુ આવ્યુ છે.

એક ખાલી આંતકવાદ જ શા માટે દેશની દરેક સમસ્યા વખતે આવું જ નાટક ભજવાતુ આવ્યુ છે . પણ અહી ખાલી આપણે આતંકવાદને જ કેન્દ્રમા રાખી વાત કરવાની છે. આખી વાત ને જો એક જ વાક્યમા કહેવી હોય તો “જ્યારે જ્યારે રાષ્ટ્રનિતી પર જ્યારે રાજનિતી હાવી થાય છે ત્યારે ત્યારે જે તે દેશની આ જ દશા થવાની” . હું કોઈ મોટો તત્વજ્ઞાની નથી કે નથી બહુ મોટો રાજનિજ્ઞ પણ આ વિષયને સમજવા, જેટલું સમજુ છુ જેટલુ જોયુ છે તેના આધારે હું આ કહી શકુ છું.

થોડુક ડીપમાં જઈએ તો આજથી ૬૦-૭૦-૮૦ વર્ષ પહેલા સુધી દેશ પ્રથમ હતો બીજી બધી જ વાત પછી આવતી. કોન્ગ્રેસ હોય, મુસ્લીમ લીગ હોય કે પછી જમણેરીઓ-ડાબેરીઓ હોય બધા માટે દેશ પહેલા બાકી બધુ પછી . કારણ બધાનો ટારગેટ એક જ હતો દેશની આઝાદી . જેવી દેશની આઝાદીનો સમય નજીક આવતો જણાયો એટલે તરત જ દેશ ટારગેટ માથી હટી ગયો અને સત્તા ટારગેટ બન્યું પરિણામ દેશના ત્રણ કટકા થયા અને લાખો લોકો પ્રભાવિત થયા. ભલુ થયું ભારતનું કે સરદાર પટેલ જે તે સમયે તે ને મળ્યા બાકી ગણ્યા ગણાય નહી તેટલા દેશોમાં આ દેશ વહેચાય જાત. (મારે માંગરોલ થી મુંબઈ સાસરે જવું હોત તો કેટલા દેશોને ઠેકવું પડેત ? :D) . સરદાર પટેલ આ કરી શક્યા કારણ કે તેનો ટારગેટ દેશની અખંડતા અને એકતા હતી તો સામે પક્ષે ચાચા નહેરૂ ગંભિર ભુલો કરતા ગયા કારણ કે તેનો ટારગેટ દેશ નહી પોતાની શાંતિદુત તરિકેની વૈશ્વિક છબીને બચાવવાનો હતો. ચીને પુંઠે લાત મારી ઘોર નિંદ્રા માથી જગાડ્યા ના હોત તો આ ચાચા હજી કબુતર ઉડાડ્યે જ રાખેત . શાસ્ત્રીજી કમનશીબ કે તેને એક એવી ધરોહર મળી કે જેને આગળ વધાર્યે જ છુટકો હતો. પાયામાં થયેલી ભુલો પર નવી ભુલોનું ચણતર કરતા રહ્યા. ઇન્દીરા ગાંધી ઉપર સત્તાનો નશો ના ચડ્યો હોત તો ભારત ૮૦ના દાયકા માં જ સુપરપાવર બની ગયુ હોત . તે એવી વ્યક્તિ હતા કે જેના ટારગેટ તેના માઇન્ડમાં ક્લિયર હતા. આ કરવું છે પરિણામ ગમે તે આવે, એટલે જ તો પાકિસ્તાન સામે યુદ્ધ કરી તેના બે ટુકડા કર્યા, અણુ ધડાકા કર્યા ઓપરેશન બ્લુ સ્ટાર વગેરે થઈ શક્યા. અહી વચ્ચે એક મુદ્દાની વાત લખવાની ભુલાઇ ગઈ ૧૯૬૫ સુધી માં જે દેશ ધર્મના નામે વહેચાયેલો હતો તે જ દેશ હવે ભાષા અને પ્રાન્તના નામે વહેચાયો. કારણ વિકાસનું ધરી ટારગેટ સત્તા ભોગવવાનું હતું. ઘણા વિદ્વાનો અમેરીકાનો દાખલો આપી કહે છે કે ભારતમાં ઓછામાં ઓછા ૫૦ રાજ્યો હોવા જોઈએ. હું ૧૦૦ % સહમત છુ કે નાના રાજ્યો હોય તો તેનો વહીવટ સરળ રહે અને વિકાસ જલ્દી જાય ઉદા. છત્તીસગઢ, પણ ભારતમાં ચુંટણી પ્રણાલી એવી છે કે નાના રાજ્યો રાજકીય અખાડો બનીને રહી જાય તેવી પુરતી સંભાવના રહેલી છે ઉદા. ઝારખંડ-ગોવા .

ઇન્દીરા ગાંધીની હત્યા પછી આખો દશકો ભારત વિચારશુન્ય નેતાગીરીના હાથમાં ભગવાન ભરોસે રહ્યું. આ એવો તબક્કો હતો જેમા લાભ કરતા લાંબાગાળાનું નુકશાન વધુ થયું. અત્યાર સુધી જે દેશ ખાલી ધર્મ અને ભાષા-પ્રાન્તના નામે વહેચાયેલો હતો તે હવે જાતીઓમાં વહેચાયો. સવર્ણ અને દલીત તો બરોબર પણ પછાત અને અતિ પછાત થવાની જાણે રેસ લાગી. આજની મોટાભાગની સમસ્યાને તપાસવામાં આવે તો તેનું મુળ અહી જોવા મળશે .

તમને થશે જાતીવાદ અને બોમ્બધડાકા વચ્ચે શું કનેકશન છે ? સિધા જ તાર જોડાયેલા છે. બોમ્બ ધડાકા રાજકીય નિષ્ક્રિયતા અને ઇચ્છાશક્તિના અભાવને લીધે થાય છે. ત્વરીત નિર્ણયશક્તિ અને પરિણામ ભોગવવાની તૈયારીના અભાવને લીધે થાય છે. દેશની-રાજ્યોની કમાન લગાડ લુચ્ચા લલ્લુ-પંજુઓ ના હાથમાં છે તેને લીધે થાય છે. આ બધા જ (અવ)ગુણો ધરાવતો કોઈ વ્યક્તિ પોતાની જાતિ ના જોરે સહેલાયથી ચુંટાય અવી શકે છે. રાજકીય પક્ષો પણ સારા વ્યક્તિને નહી જાતિય સમીકરણમાં કોણ ફીટ બેસે છે તેને જ ટીકીટ આપે છે કારણ પહેલો ટારગેટ દેશનો વિકાસ નહી સત્તા મેળવવી-ટકાવી રાખવી તે છે.

સામે પક્ષે જે તે જાતીના નેતાઓ પોતાનો વિકાસ કેમા થાય છે તે વાતને કેન્દ્ર સ્થાને રાખી રાજકીય પવન પ્રમાણે સઢ ફેરવતા રહે છે. જે તે પક્ષમાં જે તે વિસ્તારમાં પોતાની જાતી ની વસ્તિના આધારે કદ નક્કી થતુ હોય ત્યારે રાષ્ટ્રીય તો શું સ્થાનિક સમસ્યા સામે પણ કોણ નજર નાખે છે ? ઉદા. સાથે સમજાવું, ધારો કે એક મતવિસ્તારમાં ૧.૨૫ લાખ મતદાર છે . તેનો ઉમેદવાર નક્કી કેમ થાય ? તે નક્કી કરવાનું એક સાદુ ગણીત છે. ૧.૨૫ લાખ માથી મહત્તમ ૭૦ % મતદાન થાય એટલે કે ૮૭-૮૮ હજાર મત પડે . હવે ધારો કે X જાતી ના મતદાર ૬૦ હજાર છે તો તેના ૭૦ % લેખે ૪૦-૪૫ હજાર મત થાય તો આ એક ચોક્કસ જાતીને સાચવી રાખો એટલે મોટા ભાગે જે તે સીટ પાક્કી .

અમારા જેવા ગાંડા માણસો જ્યારે પણ આવી ડાહી ડાહી વાતો કરે છે ત્યારે ઘણા ચીંટીયો ભરી ને કહે છે, “ભાઈ રાજકારનમાં જાવ ને” ત્યારે શું જવાબ આપવો ? બોમ્બ ધડાકા થતા આવ્યા છે અને ભવિષ્યમાં થતા રહેશે . તિવ્રતા અને માત્રા જે છે તેના કરતા પણ વધતી જાશે. અંતે ભારતીય પ્રજા બહુ ફ્લેક્ષીબલ છે બધી જ સમસ્યાઓ વચ્ચે સમતા સાધી સદીઓ થી જેમ જીવતી આવી છે તેમ આ સમસ્યા ને પણ અપનાવી લેશે –અરે અપનાવી લીધી છે. જે પાયા પર આ ઇમારત ઉભી છે તે પાયા માં જ દોષ હોય ત્યારે પાડોશીને ગાળો ભાંડી શો લાભ ? વિચારવા જેવી વાત છે નહી.

-:સીલી પોઇન્ટ :-

મારો એક મીત્ર છે, તેના પપ્પા, કાકા-કાકી, મોટીબહેન-બનેવી, મોટોભાઇ-ભાભી, પોતે અને પોતાની વાઇફ, નાનોભાઈ અને તેની વાઇફ, કઝીન અને તેની વાઇફ એમ તેના ઘરના કુલ ૧૩ જણા સરકારી નોકરીયાત છે . બધુ મળી માસીક ૨.૫ થી ૩ લાખ સરકારના જમે છે છતા તે સરકારી ચોપડે અતિ પછાત છે. :O ખરેખર મેરા ભારત મહાન.


Thursday, August 25, 2011

સુબહ હોને કો હૈ...


માણસ એક એવું પ્રાણી છે જેણે સૃષ્ટીના બધા જ પ્રાણીઓ પાસે તેમની કોઈ ને કોઈ વિશિષ્ટતા મેળવી પોતાને બહેતર વધુ બહેતર બનાવતો આવ્યો છે અને આ રીતે તેણે પોતાનું વર્ચસ્વ જમીન-પાણી-આકાશ અને છેવટે અંતરીક્ષમાં પણ સ્થાપ્યું છે. પક્ષીઓ ની ઉડવાની કલા માથી તેણે પ્લેન બનાવ્યુ તો માછલીઓની તરવાની કળા માથી સબમરીન બનાવી. મધપુડા માથી પ્રરણા લઈ ઓછા ખર્ચમાં બહોળા બાંધકા આદર્યા તો ઉધઈ પાસે થી હાઇ-રાઇઝ મકાનો મેળવ્યા. પોલર બિઅર પાસેથી(તેના જ ભોગે) ઠંડીમા રહેવાની કળા શિખી તો ઊંટ પાસે થી ગરમીમાં રહેવાની. ટુંકમાં આપણે આજે જે સ્થિતીમાં છિએ તેમાં કોઈક ના કોઈક પગલે કોઈ ને કોઈ પ્રાણીની પ્રરણા જરૂર રહી છે.

હવે અહી સુધી બરોબર હતુ પણ જેમ દીવાળી-નવરાત્રી-ચોમાસુ સેલમાં અમુક જોયતી વસ્તુ સાથે અમુક ના જોયતી વસ્તુ ફ્રી આવે છે તેમ (હમણા હમણા વઘબકરી ચા વાળા ૧ કી. ચા સાથે લંચબોક્સ ફ્રી આપે છે ઘરમાં લંચબોક્સ રાખવાની જગ્યા નથી બચી.) સારી વાતો ભેગી નબળી ટેવો પણ સાથે જ આવી . લુચ્ચાઈ, ચાપલુસી, દગો, લાગ જોય વાર કરવો, રંગ બદલવો વગેરે . આ બધી ટેવો આંનુવંશીક રીતે બેવડાતી ગઈ એટલે જ સમાજએ સંમૃદ્ધી ની સાથે સાથે ક્યારેય ના જોયા હોય તેવા યુદ્ધો જોયા. અમુક લોકોમાં સારા લક્ષણો ભરેલા હોય તો તે સમાજ ઉપયોગી કામો કરે જ્યારે અમુકમાં નબળા લક્ષણો હાવી હોય તે આજના જેવા લુચ્ચા રાજકારણીઓ બની જાય છે.

અહીં સુધી તો બધાને ખબર હતી પણ, મારે ત્યાં જે કુતરો છે તે જર્મન સેફર્ડ અને પામેરીયનનું ક્રોસ બ્રીડ છે. કદ કાઠી તેની જર્મન સેફર્ડ જેવી, દેખાવ અને સ્વભાવ પામેરીયન જેવો છે. આ તો નશીબ સારુ બાકી જો પામેરીયની ચપળતા-ચંચળતા અને જર્મન સેફર્ડની આક્રમકતા-શરીર મળ્યુ હોત તો ? બસ આવું જ કાઇક લુચ્ચા અને દંભીની પ્રજાતીનું ક્રોસ બીડ થાય અને જે વર્ણસંકર પ્રજા પેદા તેના માટે કહી શકાય. આ વર્ણ-સંકર પેદાશ આજકાલ બહુ સક્રિય છે અને જેને આપણે બૌદ્ધીકોના નામે ઓળખીયે છીએ.

કોઈ પણ પ્રશ્ન આવે તો કા તમારો જવાબ પક્ષમા હોય કા તમારો જવાબ વિપક્ષમા હોય બહુ બહુ તો ખબર નથી એવો પણ હોય શકે, પણ આ કહેવાતા બૌદ્ધીકો પક્ષ-વિપક્ષની વચ્ચેની વંડી પર બેસી “આ પણ ખરાબ છે અને પેલુ પણ ખોટુ છે” તેવો ડિપ્લોમેટીક જવાબ આપતા ફરતા હોય છે. શરૂવાતમાં તો આપણને તેમના જ્ઞાન વિષે અહોભાવ થઈ પડે પણ જ્યારે બારીકાય થી તપાસીયે ત્યારે ખબર પડે કે આ તો “ગોલ-ગોલ માહે પોલ મ પોલ” જેવું છે. પેલી વંડી પર બેસી આ લોકો રાહ જોતા હોય છે કે ક્યારે પરિણામ નજીક આવે અને ખબર પડે કે ક્યો પક્ષ જીતમાં છે એટલે તરત તેનો વંડી ઠેકી તેનો ઝંડો પકડી લવ.

અમુક બૌદ્ધીકો પાછા દરેક વાત ને વાયા એક જ રસ્તે લઈ જવા નો હઠાગ્રહ રાખતા હોય છે. તેમની ગાડીનો કોલકત્તા-દિલ્હીનો રસ્તો પણ વાયા ગાંધીનગર થઈ જતો હોય છે અને દિલ્હી થી જમ્મુ જવું હોય તો પણ તે આપણને ગાંધીનગર તો ઢસડી જ લાવે છે. જ્યારે અમુક દરેક પ્રશ્ન માટે “અત્યાર સુધી આમ ચાલતુ આવ્યું છે હવે બદલી ને શું ફાયદો” તેમ એક જ જવાબ ગોખેલો હોય છે ત્યારે કહેવાનું મન થાય છે કે, સાહેબ-મેડમ આપનો વંશ વારસો ના હોય તો અમને કોઈ વાંધો નથી અમારે તો છે અને બીજુ તમે એમ માનતા હો કે તમે જીવી લીધુ છે તો ભાઇ-બેન સાહેબ અમને તો જીવવા દો . રાજકારણીઓ ને બધા ઓળખી ગયા છે હવે સમય આવ્યો છે આ કહેવાતા બૌદ્ધીકોને ઓળખવાનો . આ એવી પ્રજાતી છે જે, “નિર્વિર્ય હોય તો લઘુશંકા કરી તેને વિર્યમાં ખપાવાનો પ્રયાસ કરશે.” (સોરી પણ આનાથી ઓછી ખરાબ કોઈ વ્યાખ્યા સુજતી નથી.) અને તેનાથી વિશેષ કાઇ કરી શકે તેમ પણ ક્યાં હોય છે ?

લોકપાલ-જોકપાલ કે પછી જન લોકપાલ વિષે મારે કાઇ જ લખવું નથી અને વાસ્તવિક રીતે હું તે વિષે લખી શકુ તેટલો મારી જાત ને સક્ષમ માનતો પણ નથી . મુદ્દો છે લોક શક્તિનો ભલુ થજો ગાંધીબાપુનું કે તેના રસ્તે ચાલી આપણને આઝાદી મળી (મારો આશય બીજા ક્રાન્તિવિરોને ઓછા આંકવાનો જરા પણ નથી.) ઇતિહાસમા જે સમયે જે શ્રેષ્ઠ હતુ તે થયુ અત્યારે તેને બદલી ના શકાય પણ આવનાર ભવિષ્ય માટે તેનો આધાર લઈ વર્તમાનમાં થોડા ફેરફારો ફાઇન-ટ્યુન તો કરી શકીયે કે નહી ? વિચારો તો ખરા જો નેતાજીની આઝાદ હિન્દ ફૌજ જીતી ગઈ હોત તો ? પાછળ થી જે લોકતંત્ર આવ્યુ તે બધુ જ બેઠ્ઠે બેઠુ થયુ હોત પણ વિરોદ્ધ સશસ્ત્ર જ થાય તેવી માનશીકતા આપણા બધ્ધામાં દ્રઢ થઈ ગઈ હોત કે નહી ? અને અત્યારે જે રામલીલા મેદાનમાં થાય છે તેની જગ્યાએ લીબીયાવાળી થતી હોત કે નહી ? વૈશ્વિક સ્તરે સમાજમાં આમુલ પરિવર્તન આવી રહ્યા હોય ત્યારે તેને આંખ મીંચીને નજર અંદાજ કરવાની ભુલ ના કરાય . પણ ભારતના રાજકર્તાઓમાં આટલી બુદ્ધી હોત તો તો શું જોયતું તું.

તે લોકો જે સંસદીય લોકતંત્રની દુહાઇ આપે છે અને તેની જ આડમાં પોતાની મનમાની કરે છે તે ભુલી રહ્યા છે કે આ એજ પ્રજા છે જેણે ૬૪ વર્ષ પહેલા નિત્યસુર્ય એવી બ્રિટીશ મહાસત્તાને હલબલાવી નાખી હતી. હવે અહી પાછા બૌદ્ધીકો એવો તર્ક આપશે કે તે તો વિશ્વયુદ્ધ માં પાયમાલ થયા એટલે ભારતને મુક્ત કર્યું . સાહેબ માગ્યા વગર માં પણ ના આપે અને આ તો ગોરાઓ હતા શું એમ નેમ સામે ચાલી ને સોનાની ખાણ આપણને સોપી દે ? પ્રજાશક્તિનો પરચો આજે આખ્ખુ વિશ્વ જોય રહ્યુ છે તેમાં ભારતનો દાખલો યુનિક છે . લાખો લોકો પોતાનો આક્રોશ શાંતિ પુર્ણ રીતે વ્યક્ત કરતા હોય તે જ યુનિક નથી તો બીજુ શું છે ?

છેલ્લે કોણ સાચુ છે કોણ ખોટુ છે કોને ક્યો સ્વાર્થ છે ક્યું લોકપાલ સાચુ છે સારુ છે તે બધ્ધી જ ચર્ચા પોત પોતાને સ્થાને છે પણ આજે સમગ્ર દેશની પ્રજામાં ઉંડે ઉંડે સવારની આશા જન્મી છે. કેટલાય સમયથી સહન કરતી આવતી પ્રજા કોઈ દુ:સ્વપ્ન માથી સફાળી જાગી ગઈ હોય તેવો માહોલ છે . જો સવાર હજી ના થઈ હોય તો એટલી પણ વાર નથી કે પાછા ઉંઘી જાયે . અત્યારે પાછા ઉંઘી જાશુ તો શક્ય છે કે પાછા સમયસય ઉઠી ના પણ શક્યે . બસ એક જ વાત….. “હારે ગા તુ હર બાઝી જબ ખેલે હમ જી જાનશે “ .

-: સિલી પોઇન્ટ :-

કહેવાતા અમુક બૌદ્ધીકોની વાતો “નિર્વિર્ય વ્યક્તિના મુત્ર વિસર્જન બરોબર હોય છે ફળશ્રુતિ કાઇ ના હોય છતા જે તે વ્યક્તિને વિસર્જનનો આનંદ પણ મળી રહે “ ઉદા. પ.પુ.ધ.ધુ ૪૨૦-૮૪૦ ડોગી મહારાજ .

બીજુ, વધુ પડતા આવેગને લીધે મન વિચલીત થવું સામાન્ય છે અને જ્યારે મન વિચલીત હોય ત્યારે વિષયની સિમારેખામાં રહેવું મુશ્કેલ છે એટલે ઉપરોક્ત પોસ્ટમાં વારે વારે વિષયાંતર થયેલુ છે . આશા રાખુ છુ મારા કહેવાનો ભાવાર્થ સમજી ગયા હશો.