Wednesday, June 18, 2014

વિશેષ પરિચય પ્રશ્નોત્તરી : એન્કાઉન્ટર બાય અનિરૂદ્ધ









નોંધ :- આ પોસ્ટ જાત ને મહાન બાતાવવા માટે નથી જ મુકી. મને જે કોઈ ઓળખે છે તે જાને જ છે કે આજ સુધી મે આવો કોઈ પ્રયાસ ક્યારેય નથી કર્યો. મીત્રો વ્યક્તિના વિકાસમા વ્યક્તિની સાથે તેની આજુબાજુનું વાતાવરણનો પ્રભાવ વિશેષ હોય છે. બસ એ જ વાત સાબીત કરવા અ પોસ્ટ મુકી છે. મારા વિકાસ મા મારા મીત્રો-સ્નેહીજનો-ઓનલાઇન/ઓફલાઈન સ્વજનો નો ફાળો અમુલ્ય છે. બીજુ લગભગ ૨૦૦૦-૩૦૦૦ કોમેન્ટનો આ દોરો જે તે સમયે સુપર હિટ રહેલો.. બધી કોમેન્ટ, બધા જ પ્રશ્નો અને જવાબો સમાવવા અશક્ય છે એટલે બહુ થોડા સવાલ-જવાબ લીધા છે. કોઈ ટોપિકમા માત્ર કોમેન્ટ વાચવા (પ્રેક્ષક બની) લોકો ઓનલાઇન થયા હોય તે બનાવ તે સમયની અદ્દભુત ઘટના હતી એટલે અમારા બન્ને (હું અને અનિરુદ્ધ) કરતા આ ટોપિકના હિટ જવા પાછળ નો વિશેષ શ્રેય કોમ્યુનિટી મેમ્બર્સ ને જાય છે તેમજ દોરો બનાવનાર ક્રિષ્ના, ઓનર સ્નેહાદીદી અને એવરગ્રીન મોડરેટર બીગ બી અરવિંદભાઈ ને કેમ ભુલાય. આ બધુ કોઈ પણ પુર્વ-તૈયારી વગર એમજ અમસ્તુ જ લખાય ગયુ તેને પણ એક ચમત્કાર કહી શકાય. તો પ્રસ્તુત છે ઓર્કુટ પરથી સુવર્ણ સમયની યાદો સાથે “વિશેષ પરિચય પ્રશ્નોત્તરી” ના કેટલાક અંશ 


અનિરૂદ્ધ :
જાગુભાઈ આજે તમે સચકા સામના વાળી જગ્યા પર છો....  તમારા માટે એક સવાલ મારા તરફથી..... કોઇ એવી પરિસ્થિતિ આવે કે જેમા તમારે કોઇ ફેસલો સંભળાવવાનો છે...પણ બન્ને પક્ષ તમારા તમારા જીવનમા એટલા અગત્યના છે કે તમે કોઇને ખોઇ શકો તેમ નથિ....આવી પરિસ્થિતિમા તમારૂ વલણ કેવુ રહેશે.......

જાગ્રત :
        પહેલા ચોખવટ કરો કે પ્રશ્ન એક કરોડ નો છે કે એક લાખ નો.. એટલે હું જવાબ તે રીતે આપુ.

અનિરૂદ્ધ :
        સંબંધમા લાખો કે કરોડોની ગણતરી ના કરવાની હોઇ...... અમુલ્ય સવાલનો જવાબ પણ અમુલ્ય આપવાનો હોઇ ને યાર........

જાગ્રત :
        જો સંબંધની કિંમત આકવી શક્ય નથી તો હું નાહક જવાબ આપી એવી મુડીને હાથમાથી જતી નહી કરું ભલે તે માટે મારે જીવનની રમતમા હારી જવું પડે.

અનિરૂદ્ધ :
દલીલ નહિ મે જવાબ માગ્યો છે.......

જાગ્રત :
        મે દલીલ નથી કરી જવાબ આપ્યો છે. અને કદાચ મારે જવાબ આપવો પડે તેમ હોય તો હુ બન્ને માથી એવી વ્યક્તિનો પક્ષ લઈશ કે જેને મારી વધુ જરૂર છે. પછી તે વ્યક્તિ સાચી હોય કે ખોટી .

અનિરૂદ્ધ :
        તો પછી તમે સ્વાર્થી બની રહ્યા છો એવુ નથી લાગતુ......?  સત્યને સાથ નહિ આપો......?

જાગ્રત :
        હા, તમે કહી શકો તેમ કે હું સ્વાર્થી છુ. કેમ કે સત્ય કરતા જે તે વ્યક્તિ પ્રત્યેની મારી નિષ્ઠા મારા માટે વધુ અગત્યની છે. કદાચ મારૂ સત્ય તે છે જે લોકોની નજરમા અસત્ય હોય શકે.

અનિરૂદ્ધ :
        સરસ જવાબ..... તમને જે વ્યકતિ પ્રત્યે આટલી નિષ્ઠા છે તે વ્યક્તિ કદાચ ભવિષ્યમા તમારી સાથે વિસ્વાસઘાત કરે તો તમને તમે લીધેલા ફેસલા ઉપર અફસોસ થશે કે પછી સમય અને સંજોગ અનુસાર કોઇ નવુ પગલુ લેવુ વધારે ઉચિત માનશો........?????

જાગ્રત :
        હું તે વાત ભવિષ્યકાળ ઉપર છોડી દેવામા માનુ છું. તે ભવિષ્યમા મારી સાથે વિશ્વાષઘાત કરશે તેમ વિચારી હું તેની અત્યારે વિશ્વાષઘાત ના કરુ.

વધુ આવતા અંકે


- : સિલી પોઇન્ટ :-
ભણતર, વાંચન અને ચિંતન એ જ કામ ના જે ખરા સમયે તમને ઉપયોગી થાય.. બાકી ૫૦૦૦ બુક ની લાઇબ્રેરી ઘરમા હોય પણ મુશ્કેલીના સમયે મગજ પાણીમા બેસી જાય તેનો કોઈ અર્થ નથી.