Showing posts with label મારુ વાંચન.. Show all posts
Showing posts with label મારુ વાંચન.. Show all posts

Thursday, April 29, 2010

વાંચે ગુજરાત

વાંચે ગુજરાત અંતર્ગત મે પણ અમુક પુસ્તકો વાંચવાનો તથા વસાવવાનો નિર્ણય કર્યો છે. જો લીસ્ટ હું મુળ કિમંતે ખરીદવા જાવ તો મારી ચડ્ડી થઈ જાય [:D]. પણ મીત્ર કાન્તિભાઈ વાછાણીએ મને તેનો ખુબ જ સરસ રસ્તો બતાવ્યો. "સહજાનંદ રૂલર ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન -ભુજ પુસ્તક મીત્ર યોજના અન્વયે ૬૫ % સુધી વળતર આપે છે. તેની વિગત શ્રી કાન્તીભાઈ ના શબ્દોમા લીસ્ટના અંતે આપી છે.

આ રહ્યું મારૂ લીસ્ટ... અમુક વાંચેલી છે પણ વસાવવી છે.

-: નવભારત સાહિત્ય મંદિર :-

૧.શ્રીમદ ભાગવત અને આધુનીક મેનેજમેન્ટ - બી.એન.દસ્તુર
મુળ કિમંત - ૨૦૦/- વળતર-૧૩૦/- વેચાણ કિં.- ૭૦/-

૨.ચંદ્રકાન્ત બક્ષીના ૩૫ લેખો - બક્ષી
મુળ કિમંત - ૧૦૦/- વળતર- ૬૫/- વેચાણ કિં.- ૩૫/-

૩.લડે તેનું ઘર વસે -તારક મહેતા
મુળ કિમંત - ૧૦૫/- વળતર- ૬૦/- વેચાણ કિં.- ૪૫/-

૪.સુખને એક અવસર તો આપો -હરિભાઇ કોઠારી
મુળ કિમંત - ૧૦૦/- વળતર- ૬૫/- વેચાણ કિં.- ૩૫/-

૫.અગ્નીની પાંખો -ડો.એ.પી.જે. અબ્દુલ કલામ.
મુળ કિમંત - ૭૫/- વળતર- ૪૫/- વેચાણ કિં.- ૩૦/-

૬.લવ અને મૃત્યુ -બક્ષી
મુળ કિમંત - ૧૦૦/- વળતર- ૬૫/- વેચાણ કિં.- ૩૫/-

૭. સંસ્કારનું શ્રીફળ -હરીભાઈ કોઠારી
મુળ કિમંત - ૭૦/- વળતર- ૪૫/- વેચાણ કિં.- ૨૫/-

૮. સ્ત્રી વિષે -બક્ષી
મુળ કિમંત - ૧૭૫/- વળતર- ૧૧૦/- વેચાણ કિં.- ૬૫/-

૯. જસ્ટ એક મીનિટ -રાજુ અંધારીયા
મુળ કિમંત - ૧૨૫/- વળતર- ૮૦/- વેચાણ કિં.- ૪૫/-

-: પ્રવિણ પ્રકાશન :-

૧૦. ચાણક્યના વ્યવહાર સુત્ર -ચાણક્ય
મુળ કિમંત - ૧૦/- વળતર- ૫/- વેચાણ કિં.- ૫/-

૧૧. આઠો જામ ખુમારી -ઘાયલ
મુળ કિમંત - ૫૦૦/- વળતર- ૩૨૦/- વેચાણ કિં.- ૧૮૦/-

-: ગુર્જર ગ્રંથરત્ન :-

૧૨. પૃથ્વી વલ્લભ -ક.મા.મુનશી
મુળ કિમંત - ૯૦/- વળતર- ૫૫/- વેચાણ કિં.- ૩૫/-

૧૩. મેઘાણીની નવલીકા -મેઘાણી
મુળ કિમંત - ૧૮૫/- વળતર- ૧૨૦/- વેચાણ કિં.- ૬૫/-

૧૪. ભદ્રંભદ્રં -રમણભાઈ નિલકંઠ
મુળ કિમંત - ૧૦૦/- વળતર- ૬૫/- વેચાણ કિં.- ૩૫/-

૧૫. દિકરી વહાલનો દરિયો -વિનોદ પંડ્યા
મુળ કિમંત - ૨૨૫/- વળતર- ૮૫/- વેચાણ કિં.- ૧૪૦/-

૧૬. ધુમકેતુંના વાર્તા રત્નો -ધુમકેતુ
મુળ કિમંત - ૯૦/- વળતર- ૫૦/- વેચાણ કિં.- ૪૦/-

૧૭. તણખા ભાગ ૧ થી ૪ -ધુમકેતૂ
મુળ કિમંત - ૩૪૦/- વળતર- ૨૨૦/- વેચાણ કિં.- ૧૨૦/-

-: શબ્દલોક :-

૧૮. પંચતંત્રની વાતો ૧ થી ૩ -
મુળ કિમંત - ૧૫૦/- વળતર- ૯૦/- વેચાણ કિં.- ૬૦/-

૧૯. સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ થી ૫ - મેઘાણી
મુળ કિમંત - ૧૫૦/- વળતર- ૯૦/- વેચાણ કિં.- ૬૦/-

-: ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લી. :-

૨૦. પતંગીયાની આનંદયાત્રા - ગુણવંત શાહ
મુળ કિમંત - ૨૫૦/- વળતર- ૧૬૦/- વેચાણ કિં.- ૯૦/-

૨૧. મરો ત્યાં સુધી જીવો -ગુણવંત શાહ
મુળ કિમંત - ૮૦/- વળતર- ૫૦/- વેચાણ કિં.- ૩૦/-

૨૨. કૃષ્ણનુ જીવન સંગીત -ગુણવંત શાહ
મુળ કિમંત - ૨૭૫/- વળતર- ૧૭૫/- વેચાણ કિં.- ૧૦૦/-

૨૩. અસ્તિત્વનો ઉત્સવ - ગુણવંત શાહ
મુળ કિમંત - ૨૭૫/- વળતર- ૧૭૫/- વેચાણ કિં.- ૧૦૦/-

-: આર.આર.શેઠ :-

૨૪. ચાણક્યનિતી
મુળ કિમંત - ૭૫/- વળતર- NA વેચાણ કિં.- NA

-: લોકમિલાપ ટ્રસ્ટ :-

૨૫. અડધીસદી ની વાંચનયાત્રા - મહેન્દ્ર મેઘાણી
મુળ કિમંત - ૨૬૦-૩૦૦/- અંદાજીત વળતર- ૧૫૦/- અંદાજીત વેચાણ કિં.- ૧૫૦/- અંદાજીત

-: શ્રી કાન્તિભાઈ ના શબ્દો :-

પુસ્તકતીર્થની મુલાકાત અવશ્ય લેજો.

તમે જ્યારે પણ કચ્છ જાવ ત્યારે ત્યાં આવેલા પુસ્તકતીર્થની મુલાકાત અવશ્ય લેજો.
શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ - ભુજ , (જી.એમ.ડી.સી. ગેસ્ટ હાઉસ નીચે, ભુજ -મિરઝાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન ૦૨૮૩૨-૨૫૦૦૦૩)ની ઓફિસમાં તમને વિનોદભાઈ કેવરિયા જરુર મળશે, કેન્યામાં રહેતાં કચ્છી લેઉવા પટેલ કેશુભાઈ ભુડિયા ને સન ૨૦૦૦માં આવુ ટ્રસ્ટ શરુ કરવાની પ્રેરણા સ્વામી સચ્ચિદાનંદજી તરફથી મળી. ટ્રસ્ટની ગ્રામવિકાસ, આરોગ્ય અને શિક્ષણલક્ષી અનેક સેવાકીય પ્રવૃતિઓમાં એક પ્રવૃતિ છે. પુસ્તક મિત્ર સહાય યોજના...

વધારે માહિતી આપ ફોન પર મેળવી શકો છો. ફોન ૦૨૮૩૨-૨૫૦૦૦૩, ૯૮૨૫૨ ૨૭૫૦૯

ગુજરાતનાં પ્રતિષ્ઠિત પ્રકાશકો એ પ્રકાશીત કરેલ સેંકડો પુસ્તકો ૫૦ થી ૬૫% ડિસ્કાઉન્ટે વાચક વર્ગ સુધી પહોચતા કરે છે. જેમાં લોકમિલાપ ટ્રસ્ટ, રજનીશ, અઢીયા, ડો. સુરાણી, સ્વામી સચ્ચિદાનંદના તમામ પુસ્તક, નવજીવન પ્રકાશન મંદિર, આર. આર. શેઠ, નવભારત સાહિત્ય મંદિર, સાધના ફાઉન્ડેશન, ગ્રંથલોક, ગુર્જર ગ્રંથરત્ન, પ્રવિણ પ્રકાશન, ઈમેજ પ્રકાશન, અરુણોદય પ્રકાશન, આદર્શ પ્રકાશન, નવનીત પ્રકાશન પ્રકાશકોનં ઉતમ પુસ્તકો શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટનાં ગ્રંથ મેળાની મુડી છે.

-: સિલી પોઇન્ટ :-
કોઈ લેખકને વાંચવા તે અલગ વસ્તુ છે વાંચી તેને વિચારી અને પચાવવા કરતા, હું મોટે ભાગે લેખકના શબ્દો પચાવવાની કોશિસ કરૂ છુ જેથી વૈચારીક અપચો ના થાય. [:D] -જાગ્રત.

Sunday, February 15, 2009

૧૯૯૬ "ક્રાન્તિવિરોની જીવનકથા


મારા વાંચનના વિકાસમાં મો્ટો ફાળો મારા પપ્પાનો છે. આગળ કહ્યું તેમ તેમની પાસે નાની એવી લાઇબ્રેરી હતી અને મારા વાંચનની શરૂવાત ત્યાંથી જ થય. ૧૯૯૬નું વર્ષ એ મારૂ બોર્ડનું(ધો.૧૦) વર્ષ હતું. મને પહેલાથી હો્મવર્ક અને વાંચવાનો(ભણવાનું) કંટાળો અવતો એમાં આ તો બોર્ડનું વર્ષ એટલે પત્યું.
ખીજાય-ખીજાયને ઘરના ધરાર મને વાંચવા બેસાડે અને ત્યાં રૂમમાં હું સુઇ જાતા. (મારો વાંચવા માટેનો અલગ રૂમ બનાવેલો.) એકાદ બે વાર પપ્પાએ મને સુતા પકડી પાડેલો ત્યારે મને પુછ્યું કે કેમ સુઇ જાય છે તો મે કહેલું મને દિચસે વાંચવાનો કંટાળો આવે છે અને મને ખરેખર કંટાળો જ આવતો હતો. પછીથી રાત્રે લાઇબ્રેરીમાં વાંચવાનું ચાલુ કર્યું. રાત્રે મમ્મી ૧૨ વાગ્યે ચા આપી અને પછી બધા જ સુતેલા હોય ત્યારે લાઇબ્રેરીમાંથી બુકો વાંચતો. લાઇબ્રેરીમાં હતી તે બધી તો પહેલા વાંચી નાખી હતી અને મારા બોર્ડનું વર્ષ હતું માટે નવી ્બુકો આવે તેમ ન હતી. મને ઇતિહાસમાં કંટાળો આવતો હોવા છેતા ભણવાના વાંચનથી સારૂ હોવાથી મે ક્રાન્તિવીરોની આત્મકથા વાંચવાની શરૂ કરી.
આ વાંચનની શરૂવાત મારી બોર્ડની પરિક્ષાના ત્રણ મહિના પહેલા શરૂ કરેલ.

હું રાત્રે મોડે સુધી વાંચતો, ભગતસિંહ,રાણી લક્ષ્મિબાઇ,ચંદ્ર્શેખર આઝાદ,તાત્યા તોપે,નાનાસાહેબ પેશ્વા,ખુદિરામ બોઝ, વગેરે પ્રમુખ ક્રાન્તિવિરોની જીવનકથામે વાંચી. મારા આ વંચનથી મારામાં ગંભિરતા આવી ્તથા મારા વિચારોની દિશા બદલી. અત્યાર સુધી હું ફક્ત વાંચવા ખાતર વાંચતો હતો હવે તેમા કારણ ભળ્યું. કદાચ આ બધા્ની જીવનકથા વાંચી પછી મારામાં દેશ માટે કાઇક કરવાની તમ્મન્ના જાગી. મારા ભવિષ્યનાં વાંચન અને લેખનનો પાયો અહીથી નખાણો.

અંતમાં તે પણ જણાવી દવ, મારા પપ્પાને ખબર જ ન હતી કે હું રાત્રે શું વાંચુ છુ તે તો એમ જ માનતા કે હું મોડે સુધી મારા ભણવાનું વાંચતો અને જ્યારે મને ધો.૧૦ માં ૫૬% ત્યારે મને એમ જ કહ્યું કે આટલુ વાંચવા છતા જો ૫૬% જ આવ્યા તો પછી તું સાયન્સમાં જઈ ને કરીશ શું ? એને ક્યા ખબર હતી કે મે શું વાંચ્યું.

Saturday, February 7, 2009

My Favourite Books.. -2

૫)ચેતના ની ક્ષણે-પળે-સવારે- કાંતિ ભટ્ટ
આ બુક પણ મે રદ્દીવાળા પાસેથી લિધી હતી. હું કોઇ કાવ્યની બુક શોધતો હતો અને મારા હાથમાં ચેતના ની ક્ષણે આવી. કદાચ તેમાં "બચ્ચન" સાહેબની મધુશાલાની અમુક પંક્તિ હતી. પછી તો પાછળથી ખબર પડી કે મે જે વ્યક્તિની બુક લિધી તે કેટલી મોટી તોપ છે. એક અલગ જ પ્રકારની શૈલીથી હું ઘણો પ્રભાવિત થયો અને પછી આખુ વર્ષમે તેમને વાંચ્યા.
૫) વિચારોના વૃન્દાવનમાં- ગુણવંત શાહ
આ બુકથી મે મારુ શબ્દ ભંડોળ સમૃધ્ધ કરીયું. એટલા નવા-નવા શબ્દોના સંપર્કમાં આવ્યો છુ કે અત્યાર સુધી બીજી એક પણ બુકમાંથી વાંચ્યા ન હતા. લલીત નિંબધમાં મને કાકાસાહેબ નાનપણમાં બહુ ગમતા અને તેના પછી ગુણવંત શાહ ગમે છે. બીજો મને ફાયદો મારી અવલોકન કળામાં થયો છે. જે દ્રષ્ટિથી તેઓ શ્રી પ્રકૃતિને જોય છે તે રીતે હું જેના સંપર્કમાં આવેલા એક પણ લેખક જોતા નથી.
૫) સફળતાના તંણાવાણા- બી.એન.દસ્તુર
કદાચ આ બુક વાંચીને હું જીવનમાં થોડો પ્રેક્ટિકલ થયો(હજી જોયે એટલો પ્રેક્ટિકલ નથી). જીવનમાં સમસ્યાને કેમ હેંડલ કરવી,મોટીવેશન કેમ મેળવવું,આપણી મર્યાદા કઇ છે વગેરે આ બુક માથી મે શિખ્યો. મારા ખરાવ સમયમાં મને બહાર લાવવામાં આ બુકે બહુ મોટો ભાગ ભજવ્યો છે.
આ મારા વાંચનમાં આવેલી ઘણી બુકો માંથી અમુક બુકો કે જે મને ગમે છે.

Tuesday, February 3, 2009

૧૯૯૫ "ધુમકેતુ"


ધુમકેતુને વાંચવા માટે પણ તે જ કારણ હતું. તેમની વાર્તા પોસ્ટ ઓફીસ અમને ભણવામાં આવતી, તે દિવાય એક ભિખુ નામના ગરીબ બાળકની વાર્તા પણ ભણવામાં આવતી જેની કથા વસ્તુ મને યાદ છે નામ યાદ નથી. આ બન્ને વાર્તા મને ઍટલી ગમી ગઇ હતી કે ધુમકેતુની બીજી વાર્તા વાંચ્યેજ છુટકો હતો. અહિ પણ મને મારા પપ્પા મદદે આવ્યા,તેની પાસે તણખા મંડળનો સેટ હતો. તે ઉપરાંત તેમની થોડીક નવલકથા પણ ખરી. મે જીંદગીની પહેલી નવલકથા ધુમકેતુની વાંચેલી.


ઉપરોક્ત બે બનાવ પછી એક વણલખ્યો નિયમ બની ગયો કે દર વર્ષે મોટા ભાગે એક લેખકનું સાહિત્ય મોટા પ્રમાણમાં વાંચવું. આ બાબતે થોડુ વિસ્તારથી જણાવું તો મેં એક વાચક તરીકેની મર્યાદા શરૂથી જ બાંધી લિધી હતી. અમુક સાહિત્યમાં મને ટપ્પો ના પડે તેને મે ધરાર ક્યારેય વાંચવાનો પ્રયત્ન નથી કર્યો. દા.ત. નવલકથા. નવલકથા સાહિત્યનો સૌથી વધુ વંચાતો વિભાગ છે પણ મને તે જચ્યો નથી. તેમા મારી મર્યાદા છે. પહેલી મર્યાદા એ કે હું વિષયને અધુરો મુકી શકતો નથી. ભદ્રંભદ્ર અને પૃથ્વિવલ્લભ મે એક બેઠકે વાંચેલી છે તે જ રીતે છેલ્લે વાંચેલી બક્ષીની સમકાલ કામધંધો મુકીને વાંચી હતી. રસ ભંગ થાય તેવા વાંચનથી મોટે ભાગે દુર રહુ છું તે બાબતે વાર્તા અને નિંબધ મને અનુકુળ લાગે છે.


એક લેખકના મોટા પ્રમાણની બુકો એક વર્ષમાં વાંચવા માટેનું બિજુ કારણ મારુ અજ્ઞાનતા છેં. હું જે રીતે મોટો થયો છુ ત્યાં ફક્ત હુ અને માત્ર હું જ હતો માટે મને માર્ગદર્શન આપવા વાળૂ કોઇ ના હતુ અથવા તો મે કોઇ પાસે માગ્યું નાહતું. માટે નવા લેખકને વાંચવાનું જોખમ કરવા કરતા વાંચેલા લેખકને જ બહોળા પ્રમાણમાં વાંચવા શું ખોટા, તેમ ગણીને હું એક જ લેખકને આખું વર્ષ વાંચતો.


ત્રિજુ અને સૌથી મોટુ કારણ એ કે મારે ત્યાં ઘરે લાઇબ્રેરી હતી પણ તે સિમિત હતી બાકીનું વાંચન માટે મારે બુકો ખરિદવી પડતી અને તે પણ રાજકોટ કે અમદાવાદ આવવાનું થાય ત્યારે. વર્ષમાં એકાદ-બે વાર માંડ નિકળવાનું થાય ત્યારે આખા વર્ષનું વાંચન જોડે જ ખરીદી લેવું પડતું અને ક્યારે પુરતુ ના પળે તો તેને જ પાછું વાંચી ને ચલાવી પડતું.


ઉપરોક્ત કારણને હિસાબે મને કોઇ નુકશાન નથી બલકે ફાયદૉ છે. જેમ કે, એક જ લેખકનું એકધારું સાહિત્ય વાંચો તો તેને સમજવામાં બહુ સહેલાય રહે છે. તમે તે લેખક જોડે લીંક બાંધી હોય તે જળવાય રહે અને તેના લેખનમાં આવતા રુઢિપ્રયોગો,કહેવતો,અઘરા શબ્દો,દૃષ્ટાંતો વગેરે સમજવામાં બહુ મુશ્કેલ પડતી નથી. તમે જે તે લેખકના વિચારોની વધુ નજીક પહોચી શકો છો અને જો ઇચ્છો તો તેને અમલમાં પણ મુકવા માટેની દ્રઢતા વધે છે. તે ઉપરાંત નવા લેખકની શૈલીને ગળે ઉતારવી મારા જેવા શિખાવ વાચક માટે ક્યારેક મુશ્કેલ હોય છે તે ભય અહી રહેતો નથી. ટુકમાં મારી મર્યાદાને લિધે જે નિયમ બન્યો તેને લિધે મને ઘણો ફાયદો થયો.

૧૯૯૪ "મેઘાણી"


૧૯૯૪ માં હું ૧૩ વર્ષનો હતો અને હાઇસ્કુલમાં તે મારુ પહેલુ વર્ષ હતું. છાપા અને મેગેઝીન સિવાયનું મોટા પાયના વાંચનનું પણ તે પહેલું વર્ષ હતું. મારી શાળા વિવેકાનંદ વિનય મંદિરમાં ગુજરાતીની શિક્ષક શ્રી વિ.ડી.વઘાસીયા સહેબ ફક્ત ધો. ૯ અને ૧૦ નું ગુજરાતી લેતા પણ એક દિવસ અમારો ફ્રી પિરીયડ હતો અને તેઓ મેઘાણીનું પુસ્તક સૌરાષ્ટ્રની રસધાર લઇને અમને એક વાર્તા સંભળાવી. તેમની શૈલી કોઇ ચારણથી કમ ના હતી અને મારા જેવાને બીજી વાર્તા વાંચવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક હતું. મે ઘરે જઈને પપ્પાને આ બાબત વિષે વાત કરી ત્યારે તેણે મને કહ્યું કે આપણા ઘરે મેઘાણીના સોરઠી બહારવટીયા ના ૪ ભાગ અને સૌરાષ્ટ્રની રસધારના ૫ ભાગ છે. તેમણે જ્યારે મેઘાણી સતાબ્દી મહોત્સવ હતો ત્યારે લિધેલા.તે આખુ વર્ષે મે બન્ને પુસ્તકના કુલ ૯ ભાગ વાંચવામાં કાઢ્યા. ત્યારે મારામાં એટલી વિચાર શક્તિ નોતી છતા આજે તે વિચારી શકુ કે મેઘાણીએ તે સમયમાં ટાંચા સાધનોથી આટલી માહિતી કેવી રિતે એકત્રિત કરી હશે ? "જોગીદાસ ખુમાણ" કે "લાખાવાળૉ". બધા વિષે બને ત્યાં સુધી સત્યની નજીક જાવાનૉ પ્રયત્ન જ અભિનંદનને પાત્ર છે. હા, થોડી ભુલો જરુર હશે પણ તેને બાજુએ મુકીને પણ સેલ્યુટ કરવાનું મન થાય.

Sunday, February 1, 2009

My Favourite Books..

૧) સ્વામી વેવેકાનંદનું જીવનચરિત્ર.
૨) ગાંધીજી ની આત્મકથા (સત્યનાપ્રયોગો)
૩) બસ, એક જ જીંદગી - ચંદ્રકાન્ત બક્ષી
૪) નમુ તો હાસ્યબ્રહ્મને - ( વિનોદ ભટ્ટ- સંકલન- રતિલાલ બોરિસાગર)
૪) શો મસ્ટા ગો ઓન- ( શાહબુદ્દીન રાઠોડ )
૫) ચેતના ની ક્ષણે-પળે-સવારે- કાંતિ ભટ્ટા
૫) વિચારોના વૃન્દાવનમાં- ગુણવંત શાહ
૫) સફળતાના તંણાવાણા- બી.એન.દસ્તુર

૧) સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર.
મેં આ બુક ૧૯૯૬ માં વાંચવાની ચલુ કરી અને ૨૦૦૩ માં પુરી કરી. તે ૩૯ વર્ષમાં જે જીવન જીવી ગયા, તેના વિષે વિચારવા માટે મારા જેવા સામાન્ય વ્યક્તિને આખુ જીવન ઓછુ પડૅ. અને કદાચ એટલે જ મને આ પુસ્તક વાંચતા ૭ વર્ષ લાગ્યા હશે.

૨) સત્યના પ્રયોગો.
આજે ગાંધીજીની પુણ્યતિથી છે ત્યારે એક રંજ રહી જાય છે કે આપણે કેટલા નિસ્ઠુર છીએ કે આ વ્યક્તિને પણ આપણે ભુલી શકીયે છીએ.(આ વાક્ય ફક્ત મારા માટે છે.) ખરેખર હું આજે ભુલી જ ગયો હતો. હું નાનો હતો ત્યારે બહુ ખોટુ બોલતો હતો. વાતવાતમાં મને ખોટુ બોલવાની આદત હતી પણ મારા મોટા ભાઇએ મને જ્યારે આ બુક આપી ( કદાચ હું ધો.૯ માં હતો અને તે પોરંબંદર કિર્તીમંદિર ગયો હતો.) ત્યારથી મે ધીમે ધીમે ખોટુ બોલવાનું છોડતો ગયો અને આજે લગભગ ખોટુ બોલતો જ નથી. બીજુ મારુ અંગત માનવું છે કે, જે સત્ય ગાંધીજીએ લખ્યું છે એવું સત્ય હું કોઇ અંગત વ્યક્તિ સામે કબુલી પણ ના શકુ. આ પુસ્તકથી મારા જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું તે હકિકત છે.

૩) બસ એક જ જીંદગી- ચંદ્રકાન્ત બક્ષી.
બક્ષીબાબુની મે વાંચેલી આ પહેલી બુક હતી. તે પહેલા ધો.૭ કે ધો.૮ માં ગુજરાતીમાં તેમની એક વાર્તા ભણવામાં આવતી "સૃતી અને સ્મૃતિ"(જોડણી ભુલ માટે ક્ષમા) જે મને હજી યાદ છે. ત્યારેથી હું તેને વાંચવા માટે ઘણો બેતાબ હતો. આ બુક ને બક્ષીની ઓલટાઇમ ગ્રેટમાં મુકાય કે ના મુકાય તે તો ખબર નથી પણ મને આ બુક પ્રત્યે થોડો પુર્વગ્રહ છે.

૪) નમુ તો હાસ્યબ્રહ્મને - ( વિનોદ ભટ્ટ- સંકલન- રતિલાલ બોરિસાગર)
વિનોદ ભટ્ટ, હાસ્ય પ્રત્યે સમર્પીત લેખકોમાં એક ગણી શકાય. નાનો હતા ત્યારે નવા વર્ગમાં આવ્યે ત્યારે ગુજરાતી પાઠ્યપુસ્તકની અનુક્રમણીકામાં આ નામ પહેલા શોધતો અને લગભગ ક્યારેય હું આ બાબતે નિરાશ નથી થયો અને તેનું નામ છે તે જાણીને ભણવાનો ઉત્સાહ બની રહેતો. એક હાસ્ય લેખક બીજા હાસ્ય લેખકના લેખોનું સંકલન કરે ત્યારે પંદગીનું ધોરણ ઉચુ હોય તે સમજી સકાય તેવી બાબત છે અને તેટલે જ આ પુસ્તક મને ગમે છે.

૪) શો મસ્ટા ગો ઓન- ( શાહબુદ્દીન રાઠોડ )
આ બુક હું જ્યારે મારા મોટા ભાઈ જોડે હોસ્પિટલમાં હતા ત્યારે સામે એક કાકા જુની બુક વેચતા હતા ત્યાંથી લિધી હતી. એક હાસ્ય-કલાકાર તરીકે તો હું તેમને સાંભળીને મોટો થયો છું તેમ કહી શકાય. જ્યારે હું નાનો હતો ત્યારે ટી.વી. નું કલ્ચર ન હતું ત્યારે ટેપ અને રેડીયો મનોરંજનના સાધનો હતા ત્યારે વનેચંદનો વરઘોડો કે લાભુમેયરી કે પછી ભત્રીજો પ્રેમમાં પડ્યો વગેરે સાંભડીને જ મોટો થયો હતો. એક હાસ્યકારને સાંભળવા અને તેને વાંચવા તે બે ભિન્ન બાબત છે. મારા મતે બોલવા કરતા લખવામાં લાગણી વ્યક્તતાની છુટ વધુ રહેલી છે. આ જ કારણે મને તેને સાંભળવા કરતા વાંચવા વધુ ગમ્યા.
To be cont..