Sunday, October 4, 2009

ધાર્મીક અત્યાચાર

નવમું નોરતું હતું.. બધા રૂપાલ જવા માટે નિકળ્યા હતા. ત્યાં જ ભાઈનો ફોન આવ્યો. જલ્દીથી હોસ્પિટલ પહોચ ભાભીની તબીયત ખરાબ છે. હું જલ્દી ઘરે પહોચ્યો અને બાઈક લઈ સિધો સ્ટર્લીંગ હોસ્પિટલની વાટ પકડી. રસ્તામા ગુરૂકુળ પાસે સામે એક કહેવાતા "સંત" નું સરઘસ ભટકાણું.. રસ્તો બંધ હતો અને મારે ઉતાવળ હતી એટલે ફરી ને હોસ્પિટલ પહોચ્યો. ત્યાં પહોચીયા પછી ખબર પડી કે ઉતાવળમા અમુક વસ્તુ ઘરે રહી ગઈ છે. હું ફરી ત્યાથી નિકળ્યો ઘરે આવવા માટે. સેલ્સ ઇન્ડિયા થી વસ્ત્રાપુર લેક સુધી નો એક બાજુનો આખો રસ્તો પેલા લોકોએ રોકી લીધો હતો.. બધાને સાલ હોસ્પિટલ ફરીને જવા માટે મજબુર કરતા હતા.

મને મોડુ થતુ હોવાથી હું ત્યાંથી ભાગ્યો.. પણ વળતા મારા નસિબ ખરાબ. સરઘસે છેક વસ્ત્રાપુર લેક થી સંદેશ પ્રેસની બાજુ વાળો ઘોડા સરકલ સુધીનો આખો રસ્તો રોકી લીધો. અમને કહ્યુ કે તમારે એસ.જી હાઈ વે ફરી થલતેજ થઈ ને ડ્રાઇવ ઇન આવવાનું.. મારો પિત્તો ગયો. શું છે આ બધુ. ધરાર બાઈક વચ્ચે નાખી. એક ગાડી ને ઠોકી તેને રોકાવડાવી. રસ્તો ક્રોસ કરી સામેની બાજુ પહોચ્યો. ત્યાં એક ખાખી કપડાવાળો ડંડો પછાડતો મારી પાસે આવ્યો. તે મારી પાસે આવે તે પહેલા જ મે કહ્યુ કે નક્કિ તે આ લોકો પાસેથી પૈસા લીધા છે. હતો ત્યા ઉભી જા બાકી હમણા કમિશનરને ફોન કરૂ. પેલો પાછો જતો રહ્યો. હું નિકળ્યો તે બધા જોતા હતા પણ... કોઈ ની હિમંત ના થઈ રસ્તો ક્રોસ કરવાની.

રાત્રે સુતા પહેલા એક વિચાર આવ્યો. શું કોઈ ધર્મ કે સંપ્રદાયને લોકોની સગવડતા ના ભોગે પોતાના ધર્મ કે સંપ્રદાયનો પ્રચાર કરવાનો હક છે ? શું તે જે મુદ્દા પર લોકોને પોતાના તરફ ખેચે છે તે જ પાયાગત મુદ્દાઓ નો આમ ખુલ્લે આમ તમાસો કરતા સરમ નથી આવતી ? કદાચ આપણી દુર્બળતાનો આ લોકો ફાયદો ઉઠાવે છે.

હે ઇશ્વર તારા નામે ચરી ખાનાર તો જોયા હતા આ તો તારા નામે ઢિક પણ મારે છે.